________________
કહેવાય છે. અહીં અવિધિદોષ એટલે જે સમયે એ ધર્મક્રિયા જેમકે જિનપૂજા, પ્રતિક્રમણ આદિ કરવાની હોય તે સમયને બદલે સમયાન્તરે કરે, એ ધર્મક્રિયાનો જે શાસ્ત્રીય ક્રમ હોય તેને બદલે આગળપાછળ કરે વગેરે. ‘યોગવિવેક દ્વાáિશિકાની બીજી ગાથામાં ઉપાધ્યાય યશોવિજયજી ઇચ્છાયોગનું સ્વરૂપ બતાવતાં કહે છેचिकीर्षोः श्रुतशास्त्रस्य ज्ञानिनोऽपि प्रमादिनः । વાટાવિવિશ યોા રૂછાયો ડાહિતઃ || ૧૧.૨ ||
યોગવિવેક ધાર્નિંશિકા (૨) શાસ્ત્રયોગ : શાસ્ત્રની પ્રધાનતાવાળો જે યોગ તે શાસ્ત્રયોગ. આ યોગ
જિનેશ્વર ભગવંતના વચન ઉપર સંપૂર્ણ શ્રદ્ધાવંત અને અપ્રમાદી આત્માઓને હોય છે. તેઓ શાસ્ત્રોના સૂક્ષ્મ અર્થોનો બોધ થવાથી આગમોનાં વચનોના આધારે કાળ-વિનય આદિ આચારોની ખામીથી રહિત (અતિચાર-દોષ રહિત) યથાશક્તિ જે ધર્મવ્યાપાર કરે તે શાસ્ત્રયોગ કહેવાય. આને જ પૂ. ઉપાધ્યાય યશોવિજયજી દ્વાત્રિશિકામાં સમજાવતાં કહે છે - यथाशक्त्य प्रमत्तस्य तीव्रश्रद्धाऽवबोधतः । शास्त्रयोगस्त्वखण्डार्थाऽऽराधनादुपदिश्यते ।।१९.४।।
યોગવિવેક દ્વાáિશિકા (૩) સામર્થ્યયોગ : ત્રણે યોગમાં આ સર્વોત્તમ યોગ છે. જીવનો જ્યારે
આધ્યાત્મિક વિકાસ થાય છે ત્યારે પ્રથમ ઇચ્છાયોગની પ્રાપ્તિ થાય છે, પછી શાસ્ત્રયોગની પ્રાપ્તિ થાય છે અને છેલ્લે સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે. (સામર્થ્યયોગથી વીતરાગતા, કેવળજ્ઞાન અને મોક્ષરૂપ ફળ શીઘ્ર પ્રાપ્ત થાય છે.) આ યોગની પ્રાપ્તિમાં આત્માનું પોતાનું સામર્થ્ય જ પ્રધાન છે. શાસ્ત્રમાં કહેલા સામાન્ય ઉપાયોનું શાસ્ત્રોક્ત રીતે સેવન કરતાં કરતાં પ્રબળ આત્મવીર્ય પ્રગટે, પોતાના જ આત્માનુભવથી આત્માનો આગળ આગળ વિકાસ થાય, ત્યારે શાસ્ત્રની આવશ્યકતા રહેતી નથી. આ યોગ શાસ્ત્રના વિષયથી પર છે. શાસ્ત્રયોગની સીમા પૂર્ણ થાય ત્યારે શાસ્ત્રયોગ દ્વારા પરિપક્વ થયેલો આત્મા સામર્થ્યયોગવાળો બને છે. પછી આત્માના
૧૧૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )