________________
ઉપાધ્યાય યશોવિજયજી “જ્ઞાનસારમાં સત્તાવીશમાં યોગાષ્ટકમાં ઇચ્છા, પ્રકૃતિ વગેરે ભેદોને સમજાવતાં કહે છે -
इच्छा तद्वत्कथाप्रीतिः प्रवृत्तिः पालनं परम् । स्थैर्य बाधकभीहानिः सिद्धिरन्यार्थसाधनम् ।।४।।
જ્ઞાનસાર યોગાષ્ટક સ્થાનાદિ યોગથી યુક્ત યોગીઓની કથામાં પ્રીતિ થવી અને એ સાંભળીને વિશેષ પરિણામ ઊભો થાય, સંયમયોગ આરાધવાના પરિણામવાળી બુદ્ધિ થાય તે ઇચ્છાયોગ છે. ઉપશમ ભાવપૂર્વક સ્થાનાદિ યોગનું પાલન કરવું તે પ્રવૃત્તિયોગ છે. સ્થાનાદિ યોગનાં બાધક વિક્નોની ચિંતા ન કરવી તે સ્થિરભેદ છે. પોતાને જે સ્થાનાદિ પ્રાપ્ત થયાં છે તે અન્યને પણ પ્રાપ્ત થાય આવો પરમાર્થ સાધકરૂપ જે શુભ પરિણામ તે સિદ્ધિયોગ છે. હવે આ ચારભેદને વિસ્તારપૂર્વક સમજાવ્યા છે.
ઇચ્છાયોગ ઃ સ્થાનાદિ યોગને પામેલા યોગીઓની કથા સાંભળવામાં બહુ પ્રીતિ થાય, તે કથાના પરમાર્થના બોધથી અત્યંત હર્ષ થાય અને તે યોગની આરાધના પ્રત્યે આદર-બહુમાન થાય. તે સ્થાનાદિ યોગનો અભ્યાસ કરવાના શુભ પરિણામ થાય, તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રતિકૂળ હોવા છતાં પણ સ્થાનાદિ યોગને આરાધવા પોતાની શક્તિ પ્રમાણે ક્રિયા કરે તે ઇચ્છાયોગ છે.
પ્રવૃત્તિ અનુકૂળ તથા પ્રતિકૂળ સંયોગોમાં પણ ઉપશમભાવની પ્રધાનતા રાખી યથાવિહિત એટલે કે શાસ્ત્રવિધાનનું ઉલ્લંઘન ન થાય એવું જે સ્થાનાદિ યોગનું પાલન એ પ્રવૃત્તિયોગ છે.
સ્થિરયોગ : પ્રવૃત્તિયોગની જેમજ ઉપશમભાવની પ્રધાનતા વડે સ્થાન, ઉર્ણ, અર્થ, સાલંબન અને નિરાલંબન યોગને આરાધે તેમજ પરીષહ આવે તોપણ અતિચારની ચિંતા ન રહે, યથાવિહિત પાલન થાય, વિન ઉપસ્થિત થવા છતાં પણ એને વિપ્ન રૂપે જોવાતું નથી તેથી એની કોઈ ચિંતા પણ પેદા થતી નથી આવી માનસિક અવસ્થા નીડર બને એ યોગાવસ્થા સ્થિરયોગ છે. સ્થિરયોગીના મનની અવસ્થા રત્નની પ્રભાની પેઠે સ્થિર હોય છે.
સિદ્ધિયોગ : જેઓને સ્થાનાદિ યોગની સિદ્ધિ પ્રાપ્ત નથી થઈ એવા જે સ્થાનાદિ યોગની સાધના કરતા હોય એવા જીવોને પોતાની સિદ્ધિ દ્વારા યોગમાં
(આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૮૭