________________
કર્મના ક્ષયોપશમથી થાય છે. દેશચારિત્રી એટલે સમ્ય દર્શન યુક્ત બાર વ્રતધારી શ્રાવકને આ યોગ દેશત: હોય છે અને સર્વવિરતિધર સાધુ-મહાત્માને આ યોગ સર્વતઃ હોય છે. આ સિવાયના જીવોને એટલે કે અપુનબંધક તથા અવિરત સમ્યગ્ દૃષ્ટિ જીવોને માત્ર યોગબીજ જ હોય છે.
એવી જ રીતે અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય આયોગપ્રવૃત્તિ પણ ચારિત્રપ્રાપ્તિથી જ આરંભાય છે.
देशादिभेदतश्चित्र - मिदं चोत्कं महात्मभिः ।
ત્રપૂર્વાહિત યોોડથ્થાત્માદ્ધિ સંપ્રવર્તતે પારૂ૫૭ના યોગબિંદુ
અર્થ : અધ્યાત્મ એટલે ઉચિત પ્રવૃત્તિવાળો વ્રતધારી સાધક. શાસ્ત્રવચનોને અનુસરીને જીવાદિ તત્ત્વોનું મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ આદિ ભાવોથી ગર્ભિત ચિંતન કરે એ અધ્યાત્મયોગ છે.
ભાવના : એટલે અશુભ માનસિક પ્રવૃત્તિઓને રોકવાનો અભ્યાસ કરે અને અધ્યાત્મભાવનો જ નિત્ય વધારો કરે.
આધ્યાન આધ્યાન એ ધ્યાનસ્વરૂપ જ છે. સારી ભાવનાયુક્ત, પરમાત્માદિ કોઈ એક વિષયના જ ધ્યેયનું ચિત્તમાં અવલંબન લઈ સ્થિર દીપકની જેમ રહી ઉત્પાદ, વ્યય અને ધ્રુવ આ ત્રિપદી વડે ચિત્તને સૂક્ષ્મ ઉપયોગયુક્ત કરે.
સમતા : અજ્ઞાનભાવથી કલ્પના કરેલ ઇષ્ટ અથવા અનિષ્ટ એવા સંકલ્પવિકલ્પોનો ત્યાગ કરે અને અનુકૂલ અથવા પ્રતિકૂલ સંયોગોમાં પણ સમભાવની વૃત્તિ રાખે અને રાગ-દ્વેષથી દૂર રહે.
વૃત્તિસંક્ષય વૃત્તિઓનો સમ્યક્ રીતે ક્ષય એ વૃત્તિસંક્ષય. વૃત્તિઓ બે રીતે હોય છે : મનથી થતી સંકલ્પ-વિકલ્પરૂપ વૃત્તિઓ અને શરીર દ્વારા આત્મપ્રદેશોના પરિસ્પંદનરૂપ વૃત્તિઓ. મન અને શરીર બંને પીગલિક હોવાથી એ આત્મા માટે અન્યસંયોગાત્મક વૃત્તિઓ છે. તેઓનો અપુનર્ભાવથી નિરોધ તે વૃત્તિસંક્ષય છે.
હવે આ અધ્યાત્મ, ભાવના વગેરે યોગોનો સ્થાનાદિયોગોમાં સમાવેશ થાય છે. જેમ કે દેવસેવા, જપ, તત્ત્વચિન્તાદિ અનેક ભેદોથી યુક્ત હોવાથી અધ્યાત્મનો યથાક્રમે સ્થાન, ઉર્ણ અને અર્થમાં અંતર્ભાવ થાય છે. દેવસેવા મુખ્યતઃ
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૮૫