________________
છે. સ્વાધ્યાય, ભક્તિ, પડિલેહણ વગેરે દરેકમાં પાપનિવૃત્તિવાળી જયણાપૂર્વકની તેમજ યથાયોગ્ય આસનમુદ્રાની જાળવણીવાળી કાયિક પ્રવૃત્તિ
એ સ્થાનયોગ છે. (૨) ઉર્ણ : એટલે શબ્દ. આત્માને યોગક્રિયામાં જોડતાં આ પ્રક્રિયામાં જે પ્રણવ
વગેરે મંત્ર અખ્ખલિતપણે બોલવામાં આવે તે ઉર્ણયોગ છે. (૩) અર્થ બોલાતા સૂત્રાદિ અર્થમાં જે હોય તેમાં ઉપયોગ રાખવો એ અર્થયોગ
(૪) આલંબન : બાહ્ય પ્રતિમા વગેરે જે હોય તેમાં ઉપયોગની સ્થિરતા રાખવી
તે આલંબન યોગ. વિહાર વખતે સાડા ત્રણ હાથ દૂર સુધી જોઈને ચાલવું. ઉપયોગ કોઈ પણ જીવ પગ નીચે ન આવી જાય એમાં સ્થિર રાખવો એ
આલંબન યોગ છે. (૫) નિરાલંબન : એ રૂપી દ્રવ્યને – પ્રતિમા આદિને આલંબન તરીકે રાખ્યા
વિના પ્રવર્તતો નિર્વિકલ્પ, ચિન્માત્ર આત્માના જ્ઞાનનો ઉપયોગ, આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપનું ધ્યાન એ આલંબનરહિત - અનાલંબન યોગ છે.
સ્થાન, ઉ, અર્થ, આલંબન અને નિરાલંબન આ પાંચ પ્રકારના યોગ સમ્ય રીતે આરાધ્યા હોય તો તે પરમતત્ત્વ એટલે કે મોક્ષ સાથે યોગ કરાવી આપનાર છે એમ યોગશાસ્ત્રના વિદ્વાનો કહે છે. (તેથી આ પાંચ સ્થાનોમાં યોગપણું રહેલું છે.) આ પાંચમાં સ્થાન અને ઉર્ણરૂપ બે યોગોને કર્મયોગ કહેલ છે. સ્થાન એટલે કે આસન તો સાક્ષાત્ ક્રિયારૂપ છે. કર્ણ એ શબ્દરૂપ છે અને એનું ઉચ્ચારણ અંશ ક્રિયારૂપ છે. આગળના ત્રણ - અર્થ, આલંબન અને નિરાલંબન એ ત્રણ જ્ઞાનયોગ છે. શબ્દને અવલંબીને શબ્દથી જે અભિધેય અર્થ તે આત્માના જ્ઞાન-પરિણામરૂપ છે. બાહ્ય પ્રતિમા આદિ વિષયક જે ધ્યાન તે પણ જ્ઞાનરૂપ છે. અને નિરાલંબન યોગ એ આત્માના ગુણોમાં ચિત્તને સ્થિર કરવાસ્વરૂપ છે. તે પણ જ્ઞાનસ્વરૂપ છે. તેથી અર્થ, આલંબન અને અનાલંબન યોગ આ ત્રણેમાં જ્ઞાનલક્ષણ ઘટવાથી જ્ઞાનયોગ છે.
આત્મદશાને નિર્મલ કરનાર આ પાંચ પ્રકારનો યોગ નિયમથી ચારિત્રધારીને જ હોય છે. ક્રિયારૂપ યોગ અને જ્ઞાનયોગ આ બંને પ્રકારના યોગ ચારિત્રમોહનીય
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની