________________
આ રીતે ચિંતનને આચરણ કરતા સાધક અશુભ કર્મનો ક્ષય કરે છે અને સાનુબંધ અર્થાત્ ઉત્તરોત્તર ફલદાયી એવા શુભ કર્મને બાંધી મુક્તિ પામે છે.
અમૂલ્ય માનવજીવનનું મુખ્ય ધ્યેય મોક્ષપુરુષાર્થ, મોક્ષ-પ્રાપ્તિ છે. દુર્લભ એવા મનુષ્યભવમાં જ એ પુરુષાર્થ કરવાનું શક્ય છે. તે મોક્ષને પ્રાપ્ત કરાવનાર તે પુરુષાર્થ, ધર્મ-અનુષ્ઠાનને યોગ કહેવાય છે.
યોગશતક' ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ મંગલાચરણમાં ભગવાન મહાવીરને નમસ્કાર કરતી વખતે યોગીનાથ એટલે કે યોગીઓના નાથ તરીકે ઓળખાવે છે.
नमिऊण जोगिणाहं, सुजोगसंदंसगं महावीरं । वोच्छामि जोगलेसं, जोगज्झयणआणु सारेणं ।।१।।
યોગશતક અર્થ : શ્રેષ્ઠ યોગના ઉપદેશક, મુનિઓના નાથ એવા શ્રી મહાવીર પરમાત્માને પ્રણામ કરીને, યોગના અધ્યયન અનુસારે ટૂંકમાં યોગનું નિરૂપણ કરીશ.
એવી જ રીતે અહીં ભગવાન મહાવીરની સુવાસંત એટલે કે સુયોગના દર્શક તરીકે સ્તવના કરી છે. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગસંબંધી જે ગ્રંથો લખ્યા છે ત્યાં તેણે ‘યોગ’ શબ્દને મુખ્યપણે “સમાધિ અર્થમાં જ યોજ્યો છે. જેમ વૈદિક પરંપરામાં યોગશાસ્ત્ર એટલે સમાધિશાસ્ત્ર અર્થ લેવાય છે તેમ જૈન પરંપરામાં પણ ‘યોગબિંદૂ’, ‘યોગશતક’, ‘યોગદૃષ્ટિસમુચ્ચય', યોગવિંશિકા” જેવા ગ્રંથો લખી હરિભદ્રસૂરિએ સ્વતંત્ર સમાધિશાસ્ત્રનો પાયો નાખ્યો છે અને અરિહંત પરમાત્માને યોગીનાથ વિશેષણની જેમ સુયોગના દર્શક તરીકે પણ ઓળખાવ્યા છે.
સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન આદિ આગમોમાં અક્ઝણજોગ (સૂત્રકૃતાંગ ૧, ૧૬, ૪), સમાધિજોગ (ઉત્ત. ૮, ૧૪), જોગવ ઇત્યાદિ પદોમાં ને ધ્યાન કે સમાધિરૂપ અર્થ નીકળે છે તે જ અર્થ અહીં સુજોગ પદથી વિવક્ષિત છે.
યોગશતક માં યોગના મુખ્ય બે ભેદ બતાવે છે. નિશ્ચયયોગ અને વ્યવહારયોગ. નિશ્ચય દૃષ્ટિએ સમ્યગ્દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગૂ ચારિત્રનું
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન