________________
ઇષ્ટસિદ્ધિનું મુખ્ય કારણ છે. એ જ તત્ત્વજ્ઞાન મિથ્યા પ્રવૃત્તિથી નિવૃત્તિ કરાવનારું, ચિત્તને સ્થિર કરાવનારું અને ઈહલોક અને પરલોકનું સાધન છે એમ શાસ્ત્રજ્ઞ પુરુષો કહે છે.
હવે અંતર્ગત દોષોને લક્ષમાં રાખી આત્મનિરીક્ષણ કરવાનું કહે છે. આત્માને ક્લષિત કરનારા હોવાથી રાગ, દ્વેષ અને મોહ એ અહીંદોષો કહેવાય છે. અને તે કર્મોદયથી એટલે કે પૂર્વે કરેલાં કર્મ સંસારના વિપાકથી ઉદ્ભવે છે. તે આત્માનાં પરિણામો છે. કર્મ એ વિવિધ પુગલરૂપ છે અને આત્મા અને કર્મનો સંબંધ અનાદિકાળથી છે. તે મિથ્યાત્વના કારણે છે. અહીં આત્મા અમૂર્ત છે અને કર્મ મૂર્ત છે, તો અમૂર્ત એવા આત્મા સાથે મૂર્ત એવા કર્મનો સંબંધ સમજાવતાં કહે છે કે મદિરા એ મૂર્તિ છે. એનો ઉપયોગ કરવાથી અમૂર્ત એવા આત્મા પર એની અસર થાય છે. જેમ ઔષધના સેવનથી શરીરને પુષ્ટિ-શક્તિ મળે છે એ જ રીતે મૂર્ત કર્મ દ્વારા અમૂર્ત આત્મા પર પણ ઉપઘાત અસર થાય છે. આવી રીતે આત્મા અને કર્મનો સંબંધ માટી અને સુવર્ણની જેમ અનાદિનો સંબંધ છે. છતાં સમ્યમ્ દર્શન આદિ ઉપાયથી તેનો વિયોગ શક્ય છે.
આત્માને શ્લેષિત કરનારા જે દોષો છે રાગ – એ આસક્તિ છે, દ્વેષ એ અપ્રીતિ છે, મોહ એ અજ્ઞાન છે. આ ત્રણે દોષોમાંથી મન દોષ આરાધનામાં વધારે બાધક બને છે તે જાણી, સમજી આરાધક આત્મા એ દોષોનું સ્વરૂપ, પરિણામ અને વિપાક દોષોનું શાસ્ત્ર અનુસાર ચિંતન કરે. (૧) વિષય : જે પદાર્થ પર રાગ-દ્વેષ હોય તે (સ્ત્રી, ધન ઇ.) (૨) સ્વરૂપ : પદાર્થના મૂળ સ્વરૂપનું ચિંતન જેમ સ્ત્રીનું સુંદર ભાસતું શરીર
પણ અંદર મળ, માંસ, મૂત્ર, રુધિર વગેરેથી બનેલું છે. (૩) પરિણામ ઃ હમણા નિરોગી અને સુંદર ભાસતું આ શરીર પણ રોગ કે
વૃદ્ધાવસ્થાથી ઘેરાઈ જતાં પલટાઈ જશે (એમ ચિંતવવું). (૪) સ્ત્રી, ધન વગેરેનો રાગ આ ભવમાં અને પરભવમાં નરકાદિ ભયંકર
દુ:ખો ઉત્પન્ન કરે છે. દુર્ગતિનું નિમિત્ત બને છે. જ્યારે સાધકના મનમાં સચેતન કે અચેતન પ્રત્યે દ્વેષ અથવા અપ્રીતિ ઉત્પન્ન
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૭૩