________________
યોગવિંશિકા
‘યોગવિંશિકા’ ગ્રંથના રચયિતા આચાર્ય હરિભદ્રસૂરિએ જુદા જુદા વીસ વિષયો પ૨ ૨૦-૨૦ શ્લોકપ્રમાણ એક એક વિંશિકા એવી ૨૦ વિંશિકાઓનું ‘વિંશતિ વિંશિકા’ નામે પ્રક૨ણ લખ્યું છે. એમાંથી યોગવિષયક વિંશિકા એટલે યોગવિંશિકા. આ વિંશિકામાં તેઓશ્રીએ કેવળ ૨૦ ગાથામાં સમગ્ર યોગમાર્ગ વર્ણવ્યો છે. પ્રથમ ગાથામાં જ આચાર્યશ્રી ‘યોગ’ એટલે શું ? યોગ કોને કહેવાય એનું રહસ્ય સમજાવતાં કહે છે -
मुक्खेण जोयणाओ, जोगो सव्वोवि घम्मवावारो । મુદ્ધો વિશેો, તાળાફળઓ વિશેસેળ ।। ।। યોગક્વિંશિકા અર્થ : પરિશુદ્ધ એવો બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડી આપનારો હોવાથી ‘યોગ’ છે. સ્થાનાદિગત ધર્મવ્યાપાર વિશેષ રીતે ‘યોગ’ કહેવાય છે.
મોક્ષ એ 11મહાનંદસ્વરૂપ છે. એની પ્રાપ્તિ કરાવે એવો આત્માનો શુદ્ધ વ્યાપાર એ યોગ કહેવાય છે. સાધુની આલય, વિહાર, ભાષા, વિનય, ભિક્ષાટન વગેરે ક્રિયારૂપ બધો જ ધર્મવ્યાપાર યોગ કહેવાય છે.
આલય : ઉપાશ્રય, પૌષધશાળા વગેરે સાધુઓને રહેવાનું સ્થાન જે વાચન, પરાવર્તન, ધર્મકથા વગેરે આત્માના અભ્યાસમાં ઉપકારી થાય છે.
વિહાર : અપ્રમત્તપણે ગામોગામ વિહાર કરવો. ભાષા સત્ય બોલવી, કોઈને પણ દુઃખ ન થાય તેવી વાણી બોલવી.
વિનય : અરિહંત આદિ દસ ધર્મવર્ધક સ્થાનકોનો આદ૨-સત્કા૨ અને બહુમાન વગેરે કરવાં.
ભિક્ષાટન : ગૃહસ્થોના ઘે૨ જઈ નિર્દોષ ગોચરી પ્રાપ્ત કરવી. આ ક્રિયારૂપ બધો જ ધર્મવ્યાપાર એ ઉપચારથી યોગ છે.
અહીં પ્રણિધાન આદિ શુદ્ધ આશયોથી જે યુક્ત હોય એવો પરિશુદ્ધ ધર્મવ્યાપાર એ યોગ છે. જે ધર્મવ્યાપાર આવો પરિશુદ્ધ નથી તે દ્રવ્યક્રિયાસ્વરૂપે હોવાથી તુચ્છ, ફલ વિનાનો હોય છે. પ્રણિધાનાદિ પાંચે પ્રકારના આશય એ
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
66