________________
કેટલા સમય સુધી અસ૨ ક૨શે તે કાળનો નિર્ણય એટલે સ્થિતિબંધ. કર્મોની સ્થિતિના ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ મુખ્ય બે ભેદો છે. વધારેમાં વધારે સ્થિતિ (જેનાથી વધારે સ્થિતિ ન હોય) તે ઉત્કૃષ્ટ સ્થિતિ. ઓછામાં ઓછી સ્થિતિ (જેનાથી ઓછી સ્થિતિ હોય જ નહીં) તે જઘન્ય સ્થિતિ.
એમાં મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટાકોટી સાગરોપમ છે. જીવની રુચિ જ્યારે સંસારના વિષયોમાંથી ઓછી થઈ આધ્યાત્મિક વિકાસ તરફ વધે છે ત્યારે એની ઉત્તરોત્ત૨ શુદ્ધિ થતી જાય છે. રાગદ્વેષની તીવ્રતા મોળી પડતી જાય છે. જેના લીધે જીવ મોહનિયાદિ કર્મની અતઃકોટાકોટી સ્થિતિ બાંધે ત્યારે તેને અપુનર્બ ધક કહેવામાં આવે છે. એટલે સંસારનાં અનંત કાળચક્રોમાં એને છેલ્લો કાળખંડ જ વિતાવવાનો બાકી રહે છે. એને જ જીવ ચ૨માવર્તમાં એટલે કે છેલ્લા આવર્તમાં પ્રવેશ્યો એમ કહેવામાં આવે છે. તેનાથી ઊલટું જ્યારે જીવમાં રાગદ્વેષની તીવ્રતા એટલી બધી હોય કે જેના લીધે તેનું વલણ મુખ્યપણે સાંસારિક ભોગો તરફ જ રહે છે તે જીવ ભવાભિનન્દી તરીકે ઓળખાય છે. તે જીવ યોગમાર્ગનો અધિકારી નથી. આ સ્થિતિ ચરમાવર્તમાં પ્રવેશ્યા પહેલાંની છે. એટલે આચાર્ય હરિભદ્રસૂરિ ‘યોગશતક’ ગ્રંથમાં ચ૨માવર્ત પહેલાંના સમયમાં વર્તતા જીવને યોગનો અનધિકારી કહે છે જ્યારે ચ૨માવર્તમાં વર્તતા જીવને યોગનો અધિકારી કહે છે.
આવી રીતે આચાર્ય હરિભદ્રસૂરિ યોગમાર્ગના અધિકારી કોણ હોય એ બતાવી યોગ્યતાના તારતમ્ય પ્રમાણે અધિકા૨ અનેક પ્રકારનો હોય છે તેનું વર્ગીકરણ સંક્ષેપમાં કર્યું છે. પ્રથમ અધિકારી તરીકે અપુનર્બંધકને કહ્યો છે. બીજા અધિકારી તરીકે સમ્યગ્દષ્ટિને બતાવી તેનું સ્વરૂપ વર્ણવ્યું છે. સમ્યગ્દષ્ટિ - જે જીવો દર્શનમોહનીય કર્મનો ક્ષય અથવા ક્ષયોપશમ કરી જિનેશ્વર ભગવંતે જે કહ્યું તે જ સાચું છે આવી શુદ્ધ માન્યતા ધરાવે છે એ જીવો સમ્યક્ દૃષ્ટિ છે. સમ્યક્ દૃષ્ટિ પછી એનાથી આગળ વધતાં ચારિત્રીનો નિર્દેશ કરેલો છે. તેમાં બે ભેદ છે : દેશ ચારિત્રી અને સર્વ ચારિત્રી.
દેશવિરતિ - જે જીવો ચારિત્રમોહનીય કર્મને દેશથી (એટલે કે થોડા પ્રમાણમાં, નિર્બળ બનાવે છે અર્થાત્ દેશથી એટલે કે થોડા પ્રમાણમાં હિંસાથી
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૬૭