________________
આત્મા સાથે સંબંધિત થવું એ યોગ છે કારણ કે તે મોક્ષ સાથે યોજન-સંબંધ કરી આપે છે. ઉમાસ્વાતિજી તત્ત્વાર્થસૂત્રમાં પહેલી ગાથામાં મોક્ષમાર્ગને વર્ણવતાં કહે છે –
सम्यग् दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः ।।१.१।। સમ્યગું જ્ઞાન એટલે વસ્તુસ્વરૂપનો, જીવાજીવાદિનો યથાર્થ બોધ. સમ્યગૂ દર્શન એટલે એ બોધમાં શ્રદ્ધા.
સમ્યગ ચારિત્ર એટલે એ યથાર્થ જ્ઞાનપૂર્વક શાસ્ત્રોક્ત વિધિ-નિષિધોને અનુસરી આચરણ કરવું.
આ સમ્યગુ જ્ઞાન, સમ્યમ્ દર્શન અને સમ્યગુચારિત્રના સાધન રૂપે જે ગુરુવિનય, શાસ્ત્રશ્રવણ, યથાશક્તિ વતનિયમોનું પાલન વગેરે ધર્મઅનુષ્ઠાનો છે તે વ્યવહારથી યોગ કહેવાય છે. આ ધર્મઅનુષ્ઠાનો આદરપૂર્વક, વિધિપૂર્વક સતત અનુસરવાથી અનુક્રમે સાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. માટે સમ્યમ્ જ્ઞાનાદિનાં પ્રધાન કારણોને પણ યોગ કહ્યો છે.
- આચાર્ય હરિભદ્રસૂરિ યોગના બે મુખ્ય ભેદ બતાવી યોગનો અધિકારી કોણ થઈ શકે એ જણાવે છે. યોગમાર્ગમાં યોગ્ય અધિકારી જ મોક્ષનો સાધક બને છે. જે જીવ અપુનબંધક હોય તે યોગમાર્ગનો પ્રથમ અધિકારી છે. ત્યારબાદ આધ્યાત્મિક વિકાસક્રમમાં જે જે અવસ્થાઓ આવે તે બધી અવસ્થાવાળો જીવો યોગમાર્ગના અધિકારી છે. અપુનબંધક અવસ્થા જીવ જ્યારે ચરમાવર્તિમાં આવે છે ત્યારે જ પ્રાપ્ત થાય છે. ત્યારે જ યોગનો પ્રારંભ લેખાય છે. ચરમાવર્ત એટલે ચરમ – આ સંસારચક્રનો છેલ્લો આવર્ત કહેવાય છે. જીવ ઉપર અનાદિકાળથી કર્મસત્તાનો પ્રબળ અધિકાર છે. જીવની રાગદ્વેષની તીવ્રતાને લીધે અશુભ કર્મની સ્થિતિ બંધાય છે. શાસ્ત્રોમાં આઠે કર્મનો ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધ બતાવેલો છે. સ્થિતિબંધ : જીવનો જ્યારે કર્મબંધ થાય છે ત્યારે કર્મબંધના ચાર ભેદ પડે છે.
પ્રકૃતિ - સ્થિત્યનુમાવ - પ્રવેરાપ્તિદિગય: II૮.૪ તત્ત્વાર્થસૂત્ર
અર્થ : બંધના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ ચાર પ્રકાર છે. એમાંથી સ્થિતિબંધ એટલે જે કર્માણુઓનો આત્મા સાથે બંધ થાય છે તે કર્મઆત્મામાં
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )