________________
=
:
ચરમાવર્તમાં આવેલો આત્મા શુદ્ધ નિર્મલ મનવાળો હોય તે જ યોગના સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક સાધી શકે છે, એવી જ રીતે જેણે યોગમાર્ગમાં ઘણો શાસ્ત્રાભ્યાસ કર્યો છે તેવા અનેક મહાત્માઓ જેમકે ગોપેન્દ્ર યોગીરાજ કહે છે. તે ફક્ત વચન-ભાષાભેદથી આપણને જુદા રૂપે લાગે છે. જૈન દર્શન પ્રમાણે વિચારીએ તો કર્મની આત્મા પર તીવ્ર અસર હોય છે, ત્યાં સુધી આત્માને યોગમાર્ગની જિજ્ઞાસા થતી નથી. આત્મા પર કર્મની અસર ત્યારે જ ઓછી થાય જ્યારે કર્મસ્થિતિ ઘટે. મોહનીય વગેરે સાત કર્મની સ્થિતિ ઘટતાં ઘટતાં અંતે કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય ત્યારે આત્મા પર કર્મની અસર ઘટે અને યોગમાર્ગની જિજ્ઞાસા જાગે છે.
આવી રીતે યોગ્યતાવાળા પુણ્યોદયી જીવો જ અધ્યાત્મયોગની પ્રાપ્તિ કરી શકે છે. એના માટે પૂર્વસેવા એ જ પૂર્વભૂમિકારૂપ છે. પૂર્વસેવાના યોગે આત્મા યોગરૂપ મહાપ્રસાદ પર ચઢી શકે છે.
पूर्वसेवा तु तन्त्रज्ञै-गुरुदेवादिपूजनम् । સારીરતો મુજ્ય - પ શ્વપ્રર્તિતા ૨૦૨ા યોગબિંદુ
યોગશાસ્ત્રોના જાણકારે (૧) ગુરુદેવાદિ પૂજન (૨) સદાચાર (૩) તપ (૪) મુક્તિ પરનો અદ્વેષ આ ચારને પૂર્વ સેવા કહી છે. (૧) ગુરુદેવાદિ પૂજન : જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તથા ક્રિયામાં અપ્રમાદી
હોઈ સર્વ જીવોને મોક્ષમાર્ગ બતાવનારા જે હોય તે ગુરુ છે તેવા પૂજ્ય ગુરુઓની શ્રદ્ધાપૂર્વક વિનય, ભક્તિ કરવી તે ગુરુસેવા. અને દેવપૂજા - જે દેવો વીતરાગ, લોકોત્તર દેવો ઉત્તમ આત્મગુણોથી ભરપૂર તેમની પૂજા
કરવી, સ્તુતિ કરવી તે દેવપૂજા. (૨) સદાચાર : યમ-વ્રત, નિયમ-ઇન્દ્રિય અને મનનો નિગ્રહ કરનારા અભિગ્રહ
તેમજ દયા, દાન, બ્રહ્મચર્ય, ક્ષમા આદિ શુદ્ધ આચાર પાળવા. (૩) તપઃ બાહ્યાંતર અને અત્યંતર તપ अनशना - ऽवमौदर्य - वृत्तिपरिसंरव्यान - रसपरित्याग-विविक्तशय्यासन વાયol-જેરા (દિ તU: Ti૨.૨૨ તત્વાર્થસૂત્ર
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૫૧