________________
(૪) સમતા એટલે સમભાવ, કષાયનો જય, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, સર્વ
જીવાત્મા પ્રત્યે સમતાવંત થઈ સર્વેનું કલ્યાણ ઇચ્છવું આ સમતાભાવ એ
યોગનું ચોથું અંગ છે. (૫) વૃત્તિસંક્ષય : ચિત્તવૃત્તિ, મન, વચન, કાયાની પ્રવૃત્તિ. અનાદિકાલથી જીવ
પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્તિ કરી ભવભ્રમણ કરી રહ્યો છે. તો આવી વૃત્તિઓનો ક્ષય કરી આત્મપ્રવૃત્તિમાં સ્થિર થવું.
આ પાંચ અનુષ્ઠાનો વડે સર્વ કર્મનો ક્ષય થતો હોવાથી આ યોગનાં પાંચ અંગો છે જે ઉત્તરોત્તર ઉત્તમ છે. આ પાંચ અંગયુક્ત યોગ આત્માના શુદ્ધ સ્વભાવરૂપ હોવાથી પરમ શુદ્ધ અને પરમ ઉત્તમ છે કારણ કે તે યોગ મોક્ષનું ઉપાદાનકારણ થાય છે.
યોગશાસ્ત્રકારોએ નામભેદથી તાત્ત્વિક અને અતાત્વિક, સાનુબંધ અને નિરનુબંધ, સાસવ અને નિરાશ્રવ એમ જુદા જુદા પ્રકારના યોગ કહ્યા છે.
તાત્ત્વિક યોગ એટલે પારમાર્થિક યોગ. જેમાં સમ્ય જ્ઞાનપૂર્વક સુદેવ, સુગુરુ, સુધર્મની શ્રદ્ધા હોય. જીવ-અજીવ વગેરે તત્ત્વસ્વરૂપનો સત્ય બોધ હોય અને મોક્ષસુખની એક માત્ર ઇચ્છા હોય તે તાત્ત્વિક યોગ છે.
અતાત્ત્વિક યોગ તાત્ત્વિક યોગથી વિપરીત. સુદેવ, સુગુરુ, સુધર્મની શ્રદ્ધા વિના કેવળ બાહ્ય ભાવે કરવામાં આવે એ અતાત્ત્વિક યોગ કહેવાય.
સાનુબંધ યોગ એ કર્મના અનુબંધરૂપ અતાત્ત્વિક યોગ છે તે દીર્ઘ સંસારનું કારણ છે.
નિરનુબંધ યોગ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનાપૂર્વક ધ્યાનસમાધિમાં સ્થિરતા પ્રાપ્ત કરે જેથી લાંબા કાળનો સંસારનો બંધ ન રહે અને જીવન બે કે ત્રણ ભવમાં મોક્ષમાં ગમન કરે.
સાસ્ત્રવ યોગ : પુણ્ય પાપરૂપ આસવથી કર્મનો જીવાત્મા સાથે સંબંધ કરાવી આ સંસારમાં દીર્ઘકાળ સુધી ભ્રમણ કરાવે તે સાસવ યોગ.
નિરાલ્સવ યોગ : સમ્યગૂ જ્ઞાન સહિત પાંચ મહાવ્રત ધારણ કરી પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરી ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં પ્રવૃત્તિ કરનાર
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૪૫