________________
યોગીને અનાસક્ત યોગ હોય છે. એ થોડા કાળમાં મોક્ષમાં ગમન કરનારો થાય છે.
યોગ એટલે જોડાવું, યોજવું. મોક્ષની પ્રાપ્તિ માટે કરાતી ક્રિયામાં જોડાવું એ ઉત્તમ યોગ છે; જ્યારે મન, વચન, કાયા ને ઇન્દ્રિયોના વિષયમાં જોડાવું એ અપ્રશસ્ત અથવા કુયોગ છે. આ કુયોગનો ત્યાગ કરી એટલે જ ઇન્દ્રિયોના વિષય માટે કરાતી મન, વચન, કાયાની પ્રવૃત્તિઓને રોકીને આત્મધ્યાનમાં જોડાવું તે પ્રશસ્ત ધ્યાનયોગ ઉત્તમ છે એવા યોગનું મહાભ્ય વર્ણવતાં આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે –
યો: ન્યત: શ્રેષ્ઠો, ચોrશ્ચન્તામUિT: પર: || યો: પ્રથાને થમાં , યો: સિદ્ધઃ સ્વયંગ્રહ શરૂ૭Tો.
યોગબિંદુ અર્થ : યોગ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ, યોગ ઉત્કૃષ્ટ ચિંતામણિ રત્ન છે. કારણ કે કલ્પવૃક્ષ અને ચિંતામણિ ઇચ્છેલું, ચિંતવેલું તેમજ આ ભવ પૂરતું જ આપે છે
જ્યારે યોગરૂપ કલ્પવૃક્ષ તો નહીં ઇચ્છેલું અને નહીં ચિંતવેલું તેમજ ભવાંતરનું પણ આપે છે. કલ્પવૃક્ષ અને ચિંતામણિ તો વિનાશી વસ્તુ આપે છે જ્યારે યોગ અવિનાશી વસ્તુ આપે છે માટે યોગ આ બંનેથી ઉત્કૃષ્ટ છે. યોગથી આત્માનું પરમાત્મા સાથે એટલે મોક્ષ સાથે જોડાણ થાય છે એટલે તે બધા ધર્મોથી શ્રેષ્ઠ છે. યોગ મુક્તિનો સ્વયંગ્રહ છે.
આવા ઉત્તમ યોગનું સ્વરૂપ જણાવતાં આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે યોગ જન્મના બીજને ભસ્મીભૂત કરવા આગ્નિતુલ્ય છે. કારણ કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે અશુભ યોગોથી જીવ સતત કર્મબંધન કરી આ સંસારમાં ભવભ્રમણ કરે છે એવા પુનઃ પુનઃ જન્મના કારણભૂત કર્મબીજને બાળવામાં આ યોગ અગ્નિનું કાર્ય કરે છે. યોગ જરાની પણ ઉત્કૃષ્ટ જરા છે. જરા એટલે કે વૃદ્ધત્વનો નાશ કરવા માટે આ યોગ ઉત્કૃષ્ટ જરા સમાન છે. યોગ શારીરિક-માનસિક દુઃખો માટે ક્ષયરોગ સમાન છે. જેમ ક્ષયરોગ શરીરને ક્ષીણ કરી નાખે છે તેમ યોગ માનસિક, શારીરિક દુઃખોને ક્ષીણ કરે છે. યોગ મૃત્યુનો અન્નકૃત્ મૃત્યુ છે.
૪૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS