________________
જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે; વિપરીતના પરિવાર અર્થે સાર પદ યોજેલ છે. ૩ છે નિયમ મોક્ષોપાય, તેનું ફળ પરમ નિર્વાણ છે; વળી આ ત્રણેનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪
અહીં માર્ગ એટલે મોક્ષનો પંથ, સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર આ રત્નત્રય તે મોક્ષનો માર્ગ છે. માર્ગ તે આત્માની નિર્મળ વીતરાગી સાધક દશા છે. તે પૂર્ણ નિર્મળ મોક્ષપદની પ્રાપ્તિ તે માર્ગનું ફળ છે.
નિયમ એટલે ચોક્કસપણે કરવા જેવું કાર્ય અને તે મોક્ષમાર્ગ છે. સાર એટલે શુદ્ધતા. શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ તે નિયમસાર છે. શુદ્ધ આત્મા સિવાય બીજાને મારે શ્રદ્ધામાં માનવો નહિ તે જ સમ્યગ્દર્શન છે. આનંદઘન એવા શુદ્ધ પરમાત્મતત્ત્વની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા તે મોક્ષનો ઉપાય છે. તેનું નામ નિયમ છે. અહીં આચાર્ય કુંદકુંદદેવ શુદ્ધ રત્નત્રય અર્થાત્ નિશ્ચય સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્વારિત્રને નિયમસાર’ કહે છે જ્યારે વ્યવહાર રત્નત્રયને મોક્ષમાર્ગ કહેવાની ના પાડે છે. મોક્ષમાર્ગ તો નિશ્ચય જ્ઞાન-દર્શન-ચારિત્ર જ છે. દેહની ક્રિયામાં કે પંચમહાવ્રતના વિકલ્પમાં ચારિત્ર નથી. તેમાં જો ધર્મ માને તો તે સમ્યગ્દર્શન પણ નથી. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન-પૂર્વક નિજ પરમાત્મતત્ત્વમાં રમણતા કરવી તે જ નિશ્ચયચારિત્ર છે, સમ્યગ્વારિત્ર છે અને તે જ નિયમ છે.
આવી રીતે “યોગ” અર્થાત્ મોક્ષમાર્ગ સમજાવી આચાર્ય કુંદકુંદ યોગભક્તિ કોને હોય છે એ બતાવતાં કહે છે
सव्व वियप्पाभावे अप्पाणं जो दु जुंजदे साहू। સોનોમિત્તિનુ રૂરલ્સયહિં હવે નો તારૂઢા નિયમસાર
અર્થ : જે સાધુ આત્મામાં આત્માને આત્માને જોડીને સર્વ વિકલ્પોનો અભાવ કરે છે, તે યોગભક્તિવાળો છે.
આત્માને આત્મામાં જોડવો તે યોગ છે. કામ, ક્રોધ, દયા, ભક્તિ વગેરે કોઈ પણ પ્રકારના મિથ્યાભાવોમાં પરિણતિને ન જોડતાં અતીન્દ્રિય નિર્મળ
(આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જૈન યોગ
૩૩