________________
પણ ભાવકર્મ છે. અર્થાત્ મિથ્યાત્વ અને રાગદ્વેષ છે જેના લીધે જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. મિથ્યાત્વ એટલે સ્વ – ની ઓળખ એટલે સ્વનું જ્ઞાન અને ભાન ન હોવું તથા પરમાં બુદ્ધિ થવી અર્થાત્ શરીરમાં હું પણું – પોતાપણું ભાસવું અને પોતાનું અર્થાત્ આત્માનું જ્ઞાન પણ ન હોવું અને ભાન પણ ન હોવું. સુખ કે દુઃખનું કારણ જીવના પોતાના પર્યાયમાં છે. આ મિથ્યાત્વ જાય ત્યારે જે શ્રદ્ધા થાય તે જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એટલે રાગરહિત પોતાના ધ્રુવ, ચૈતન્યમય અસ્તિત્વની પ્રતીતિ થવી. નિજ પરમાત્મતત્ત્વની સમ્યક શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન છે. અર્થાત્ સમ્યગ્દર્શન પામેલો જીવ પોતાના આત્માને ત્રિકાળી શુદ્ધ, ધ્રુવ, અખંડ અને ચૈતન્યસ્વરૂપ જાણે છે, માને છે એવી જ રીતે નિજ પરમાત્મતત્ત્વનું જ્ઞાન થવું તે સમ્યગુજ્ઞાન છે અને તેમાં લીનતા કરવી, રમણતા કરવી એ સમ્યગ્વારિત્ર છે. આ ત્રણ રત્નત્રયની જીવને પ્રાપ્તિ થાય. અહીંથી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. આ જયોગ છે. કારણ કે યોગ એટલે જે આત્મા સાથે મોક્ષ સાથે જોડે અર્થાત્ આત્માને એના શુદ્ધ આત્મસ્વરૂપ સાથે સંધાન કરાવી આપે, પ્રાપ્તિ કરાવી આપે. આ શુદ્ધ રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગ્વારિત્ર, આત્માને મોક્ષ સાથે જોડે છે, મોક્ષપ્રાપ્તિ કરાવી આપે છે અર્થાત્ મોક્ષનો માર્ગ છે. આચાર્ય કુંદકુંદ આ જ વાત નિયમસાર’માં કહે છે –
मग्गो मग्गफलं ति य दुविहं जिणसासणे समक्खादं । मग्गो मोक्खउवाओ तस्स फलं होइ णिव्वाणं ।।२।। णियमेण य जं कज्जं तं णियमं णाणदंसणचरित्तं ।। विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं ।।३।। णियमं मोक्खउवाओ तस्स फलं हवदि परमणिव्वाणं । एदेसिं तिण्हं पि य पेत्तयपरुवणा होइ ।।४।।
નિયમસાર અર્થ છે માર્ગનું ને માર્ગફળનું કથન જિનવરશાસને;
ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગફળ નિર્વાણ છે. ૨
૩૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS