________________
જ કહે છે - “કામભોગબંધની કથા બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે. તે એકત્વની - ૫૨થી ભિન્ન આત્માની વાત હું આ શાસ્ત્રમાં આગમ, યુક્તિ, પરંપરા અને અનુભવથી કહીશ.” આ પ્રમાણે કુંદકુંદદેવ આ શાસ્ત્રમાં આત્માનું એકત્વ - ૫દ્રવ્યથી અને પરભાવોથી ભિન્નતા સમજાવે છે. એમણે શુદ્ધનયની, નિશ્ચયનયની દૃષ્ટિથી સાત તત્ત્વોનું વિવેચન કરેલું છે. શુદ્ધ પરમાત્મતત્ત્વના પ્રતિપાદનને મુખ્ય રાખી આ ગ્રંથની રચના ૪૧૫ ગાથાઓમાં – નવ અધિકારોમાં કરી છે. શુદ્ધ અવસ્થાયુક્ત આત્માનું વર્ણન જ ‘સમયપ્રાભૂત’ છે અથવા નવ પદાર્થોનું સર્વાંગ વિવેચન જ ‘સમયસાર’ છે. આની ૨ચના ક૨વાનો હેતુ ભવ્ય જીવોને યથાર્થ મોક્ષમાર્ગ બતાવવાનો છે. નિશ્ચય અને વ્યવહા૨ની સંધિપૂર્વક યથાર્થ મોક્ષમાર્ગની આવી સંકલનબદ્ધ પ્રરૂપણા બીજા કોઈ પણ ગ્રંથમાં નથી. એ કહે છે ત્રણે લોકમાં, ત્રણ કાળમાં એક જ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની એકતાથી જ મોક્ષમાર્ગ બને છે. મોક્ષનું કારણ બતાવતાં કહે છે –
जीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं । રચનાવિપરિત્તરાં ઘરનું સો ટુ મોપો ।।૯।। સમયસાર
અર્થ : જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે, તે જીવાદિ પદાર્થોનો અધિગમ જ્ઞાન છે અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે. આ જ મોક્ષમાર્ગ છે. સર્વ અરિહંત ભગવંતોએ સેવેલો શુદ્ધ રત્નત્રયરૂપ આ એક જ મોક્ષમાર્ગ છે. જે જિનેશ્વર
ભગવંતોએ ઉપદેશેલો છે અને જિનાગમોમાં આપેલો છે.
મોક્ષ તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ છે. માટે તેનું કારણ પણ આત્માનું પરિણામ જ હોવું જોઈએ. દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માનાં પરિણામ છે માટે નિશ્ચયથી તે જ મોક્ષના માર્ગ છે. તેથી જે મોક્ષના ઇચ્છુક જીવો આ દર્શનજ્ઞાન-ચારિત્રસ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગને જ સેવે છે તે સમયના સારને અર્થાત્ શુદ્ધ પ૨માત્મસ્વરૂપને થોડા કાળમાં જ અવશ્ય પ્રાપ્ત કરે છે. નિશ્ચય મોક્ષમાર્ગના સેવનથી જ મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. કારણ કે યોગ એટલે આત્માને શુદ્ધ આત્મા સાથે અર્થાત્ ૫૨માત્મતત્ત્વ સાથે જોડાવું. પોતે જ શક્તિ રૂપે પરમાત્મા છે તેમાં વર્તમાન સભ્યજ્ઞાન પિરણિત દ્વારા જોડાવું તે યોગ છે. એટલે જ જે આત્મા આત્માને આત્મા સાથે (શુદ્ધાત્મા સાથે) નિરંતર જોડે છે તે નિશ્ચયથી
આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જૈન યોગ
૨૯