________________
એમણે બેઉ યોગપરંપરામાં સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો.
એના પછી વિક્રમની અગિયારમી અને બારમી શતાબ્દીમાં આચાર્યોએ યોગસાહિત્યની રચના કરી; જેમ કે અગિયારમી શતાબ્દીમાં આચાર્ય રામસેને ‘તત્ત્વાનુશાસન” અને સોમદેવસૂરિએ યોગસાર’ ગ્રંથ લખ્યો. બેઉ ગ્રંથમાં યોગ વિશે વર્ણન છે. એ જ શતાબ્દીમાં આચાર્ય શુભચંદ્ર જ્ઞાનાર્ણવ અને બારમી શતાબ્દીમાં હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની રચના કરી. આ શતાબ્દીઓમાં જૈન યોગ અષ્ટાંગયોગ, હઠયોગ અને તંત્રશાસ્ત્રથી પ્રભાવિત થયેલો જોવા મળે છે. આગમિક યુગમાં ધર્મધ્યાન હતું. ‘જ્ઞાનાર્ણવ’ અને ‘યોગશાસ્ત્રમાં ધર્મધ્યાનનું પરંપરાગત સ્વરૂપ પ્રસ્તુત કરી એના પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત આ ચાર ભેદ અને એના સ્વરૂપનું વિસ્તારથી વિવેચન કરેલું છે. પિંડ ધ્યાનમાં પાર્થિવી, વારુણી, તેજસી, વાયવી અને તત્ત્વભૂ આ પાંચ ધારણાઓનું નિરૂપણ કરેલું છે. મોક્ષપ્રાપ્તિ માટે યોગસાધનાનું ક્રમવાર સંપૂર્ણપણે વર્ણન કરેલું છે.
તેરમી શતાબ્દીમાં પંડિત આશાધરજીએ ‘અધ્યાત્મરહસ્ય' ગ્રંથની રચના કરી. અને પંદરમી સદીમાં આચાર્ય સુન્દરસૂરિએ ‘અધ્યાત્મકલ્પદ્રુમ' ગ્રંથની રચના કરી. તેમાં અધ્યાત્મના ચાર નિક્ષેપ-નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ અને ભાવ અધ્યાત્મ સમજાવ્યા છે. અધ્યાત્મ સાથે સંબંધ રાખવાવાળા ઘણા વિષયોની છણાવટ આ ગ્રંથમાં કરેલી છે.
અઢારમી શતાબ્દીમાં ઉપાધ્યાય વિનયવિજયજીએ ‘શાંત સુધારસ” આ બાર અને ચાર અણુપ્રેક્ષાઓને વર્ણવતા ગ્રંથની રચના કરી. (અનુપ્રેક્ષા એ જ ભાવના) યોગમાં ભાવનાયોગનું મહત્ત્વનું સ્થાન છે. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં બાર અનુપ્રેક્ષાઓ બતાવી છે. આચાર્ય કુંદકુંદદેવે પણ ‘બારસ સUવેક્ષa' ગ્રંથ રચેલો છે. આ જ શતાબ્દીમાં ઉપાધ્યાય યશોવિજયજીએ પોતાની અનેક રચનાઓ દ્વારા જૈન યોગસાહિત્યને સમૃદ્ધ કર્યું. એમણે લખેલ - ‘અધ્યાત્મસાર’, ‘અધ્યાત્મોપનિષદ’, ‘જ્ઞાનસાર’, ‘દ્વાન્નિશદ-દ્વાáિશિકા”, ‘હરિભદ્ર યોગવિંશિકા’ અને ‘ષોડશક ઉપરવૃત્તિ,’ ‘પાતંજલ યોગસૂત્ર પર વૃત્તિ તેમજ હરિભદ્રસૂરિના ‘યોગદષ્ટિસમુચ્ચ” પર ગુજરાતીમાં આઠ દૃષ્ટિની સઝાય આટલું વિશાળ યોગસાહિત્ય ઉપલબ્ધ છે. ‘પાતંજલ યોગસૂત્રવૃત્તિમાં યોગસૂત્રના અમુક સૂત્રોની જૈન દૃષ્ટિએ સમીક્ષા કરીને જૈન મંતવ્ય સાથે સમન્વય
ર૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની