________________
सज्झायसंजमतवे वेआवच्चे अ झाणजोगे अ। जो रमइ नो रमइ असंजमम्मि सो वच्चई सिद्धिं ।।३६६।।
દશવૈકાલિક સૂત્રનિર્યુક્તિ અર્થ : સ્વાધ્યાય, સંયમ, તપ, વૈયાવૃત્ય અને ધ્યાન-યોગમાં જે રમે છે અને અસંયમમાં જે રમતો નથી તે સિદ્ધિને વરે છે.
આવી રીતે જૈન આગમ અને આગમ-સાહિત્ય (ચૂર્ણિ, નિર્યુક્તિ)માંથી ‘યોગ” શબ્દ અલગ અલગ રૂપમાં જેમકે ધ્યાન યોગ, ભાવના યોગ, તપસંયમમય યોગ તરીકે વર્ણવેલો છે.
(૨) જેન યોગનો દ્વિતીય યુગ : આચાર્ય કુંદકુંદદેવથી આચાર્ય હરિભદ્રસૂરિ સુધી
વિક્રમની પ્રથમ શતાબ્દીથી આજ પર્યત જૈન યોગ સંબંધી ઘણું સાહિત્ય રચાયેલું છે. પ્રથમ શતાબ્દીમાં આચાર્ય કુંદકુંદદેવે સમયસાર, નિયમસાર, મોક્ષપાહુડ આદિ ગ્રંથોમાં યોગ સંબંધી વિવેચન કર્યું છે. ધ્યાન સાધનાની આવશ્યકતાને જરૂરી ગણી છે. ધ્યાન દ્વારા સાધક બહિરાત્મભાવનો ત્યાગ કરી અંતરાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પરમાત્મભાવ પ્રાપ્ત કરી સ્વયં પરમાત્મા બને છે. તેમણે યથાર્થ મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહારના મુખ્યતાથી વર્ણવ્યો છે. યોગ અને યોગભક્તિ સંબંધી વ્યવસ્થિત પ્રતિપાદન કરેલું છે. એના પછી વિક્રમની ત્રીજી શતાબ્દિમાં ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રની રચના કરી. એમાં મોક્ષમાર્ગનું સવિસ્તરપ્રતિપાદન સાત/નવ તત્ત્વોના માધ્યમથી કર્યું છે. મોક્ષમાર્ગને પરિભાષિત કરતાં કહ્યું છે કે સીન જ્ઞાન ચારિત્રાUિT મોક્ષમા ા૨ા તત્ત્વાર્થસૂત્ર સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે.” એવી જ રીતે ધ્યાનની પરિભાષા આપી કે ૩ત્તમસંહનચૈજાગ્રચિન્તાનિરોધો થ્થાનમૂા.ર૭ના તત્ત્વાર્થસૂત્ર એકાગ્ર ચિંતાનિરોધ એ ધ્યાન છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન મોક્ષનાં કારણ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)