________________
૧૮. શ્રીઅરનાથ સ્વામી
પ્રભુપ્રાપ્તિ થાય, જ્ઞાનપ્રાપ્તિ થાય. પ્રભુ અંતરમાં પધાર્યા, આનંદ – આનંદ વ્યાપી વળ્યો. અણમોલ ધન્યતાની પ્રાપ્તિ થઈ. ૧૯. શ્રીમલ્લિનાથ સ્વામી ૨૦. શ્રીમુનિસુવ્રત સ્વામી
પ્રભુને રીઝવ્યા, કાર્યસિદ્ધિ થઈ, મનમાં પરમ આનંદ વ્યાપી વળ્યો, તેનું વર્ણન. ૨૧. શ્રીનમિનાથ સ્વામી ૨૨. શ્રીનેમિનાથ સ્વામી
પ્રભુના ગુણ અકથ્ય, હૃદયમાં પ્રેમથી અનુભવાય, તો જ આત્મિક સુખની પ્રાપ્તિ થાય, સાંસારિક સુખની પણ, જે ધન્ય હોય. પરંતુ પછી અનુભવ પણ થાય કે ઐહિક સુખ એ તો અંતે મોહ છે, નિરર્થક છે. આથી તેને વિવેકમાં ફેરવી નાખી પ્રભુ પાસે ચારિત્રગ્રહણ કરવું. આત્મહિત સાધવું, અવિનાશી સુખ પ્રાપ્ત કરવું. ૨૩. શ્રી પાર્શ્વનાથ સ્વામી ૨૪. શ્રીવર્ધમાન મહાવીર
નિરાગી-વીતરાગી પરમાત્માની સર્વ મુનિઓમાં શ્રેષ્ઠતા. કારણ એ કે પરમાત્મામાં જે સર્વોત્કૃષ્ટ ગુણો છે તેના વડે જ તે શ્રેષ્ઠ કહેવાય છે.
આ પછી આ ગાથાના મહત્ત્વનું ગૌરવગાન કર્યું છે.'
સરળતા, સુંદરતા અને મનમોહકતા એ આ સ્તવનનાં અનુપમ લક્ષણો છે. આ કૃતિને તેની આલંકારિકતા અને ઉચ્ચ કલ્પનાશક્તિને કારણે આપણે એક મહાન ભક્તિકાવ્ય અને સ્તવનકાવ્ય તરીકે આવકારીએ.
પરમતોબિનનો સારાભવ છે