________________
જિનમૂર્તિ અને જિનવાણી એ જ તો આધાર છે! આથી પ્રભુની પ્રતિમાની, તેના દર્શનની જે પ્રાપ્તિ થઈ છે તેથી જ આત્માને કૃતાર્થ માનવો. પ્રભુનું દર્શન માટે એટલે સમ્યકત્વ મળે, માનવની સર્વ આશાઓ ફળે. ૫.શ્રીસુમતિનાથ સ્વામી
પ્રભુ સાથે પ્રીત થઈ, માનવની આશાઓ ફળી. હવે એ પ્રીતિ વધવી જ જોઈએ! તો જ આન્તરિક રાગ પ્રભુ પ્રત્યે વધતો જાય, ગુણોની પ્રાપ્તિ થાય. પ્રભુપ્રીતિનો સતત આસ્વાદ જીવનનું ભાથું બની રહે. ૬. શ્રીપદ્મપ્રભ સ્વામી
પ્રભુ સાથે અભંગ પ્રેમ થયો, છતાં પ્રભુ તો દૂર રહ્યા, સિદ્ધસ્થાને જઈને બેઠા. તો પ્રેમનો નિર્વાહ કઈ રીતે કરવો ? શું કરવું ? પ્રભુનું વિસ્મરણ ન કરવું, ગુણથી છાપ હૃદયમાંથી ભૂંસાવા ન દેવી, વિયોગનું દુઃખ સહેવું. પ્રભુના જમાર્ગે ગતિ કરવી. ૭. શ્રીસુપાર્શ્વનાથ સ્વામી
જેમના આશ્રયથી માનવજીવ સર્વત્ર સુખ પામે, તે પ્રભુ કેવા છે? તેમની કેવલી અવસ્થા અહીં વર્ણવી છે. પ્રભુ તો શરણાગત વત્સલ છે, તેનાથી જ તો કૈવલ્યાવસ્થા પ્રાપ્ત થાય. પ્રભુ પ્રત્યેના સદૂભાવથી પ્રભુના મુખ ઉપરનું તેજ ભક્તના આત્મામાં સંક્રમણ પામે છે. પ્રભુ ચોત્રીસ અતિશયથી અવિત છે. તે પૈકી દરેક ભક્તને તેની પાત્રતા પ્રમાણેની પ્રાપ્તિ થાય છે. ૮. શ્રીચંદ્રપ્રભસ્વામી
આવા અષ્ટ પ્રાતિહાર્યથી સમ્પન્ન એવા પરમાત્મા પાસે હવે કર્તા પ્રાર્થના કરીને પોતાની માગણી એકાન્ત વ્યક્ત કરે છે. ભાવ એ છે કે ઉદયગત ઊભરા હૃદય ખોલીને જ પ્રભુ પાસે વ્યક્ત કરી શકાય અને તે પૂર્ણ ભક્તિ હોય ત્યારે જ સંભવે, તો જ ગુણની ગોષ્ઠિ થાય. પ્રાર્થના એવી છે કે સતત પ્રભુની કરુણા, કપાનાં અમી ભક્ત પર વરસે અને તેથી ભક્તનો એવો તો ઉત્કર્ષ થાય કે તે ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે, મોક્ષનો અધિકારી બને. ૯. શ્રીસુવિધિનાથ સ્વામી
પ્રભુની તુષ્ટિમાં સર્વસુખ રહેલું છે એવો દૃઢ નિર્ધાર થતાં ભક્ત પ્રભુની તુષ્ટિનો વિચાર કરે છે અને “તેમના હૃદયમાં વસું તો જ ખરી તુષ્ટિ, પ્રસન્નતા પામી શકાય” તે સમજ સાથે અહીં સ્તુતિ કરે છે.
પરમતુતિનો અનુભવ u ૩