________________
સંબંધ રાખે છે, તેમ છતાં પણ જેટલું વિચારી શકાયું તેટલું વિચારીને તેમ જ બીજા વિદ્વાન મહાનુભાવોની સલાહ લઈને વિષય-વિભાગો પાડવામાં આવ્યા છે. આશા છે કે–આના ઉપયોગી મહાનુભાવોને અમે કરેલી છાંટણીથી જરૂર લાભ થશે.
વિષયની છાંટણી કરવામાં એક બીજી મુશ્કેલી પણ ભૂલવા જેવી નથી જ. ધાર્મિક વિષયો અને વ્યાવહારિક વિષયોને જુદા કરવા એ ઘણું જ કઠિન કામ છે, એમ મને લાગ્યું છે. માર્ગાનુસારી ગૃહસ્થના ૩૫ ગુણ કે શ્રાવકેના ૨૧ ગુણે, નીતિ કે સદાચાર, કર્તવ્ય કે વિનય-વિવેક, આ બધા વિષયો, નૈતિક વિષય જેવા દેખાવા છતાં જેમ ધાર્મિક વિષયોથી જુદા પાડી શકાય નહિ, તેમ શ્રાવકેનાં ૧૨ વ્રત, ભાવના કે ધ્યાન, પંદર કર્માદાન કે અઢાર પાપસ્થાન એ ધાર્મિક ગણુતા વિષયો વ્યાવહારિક વિષયોથી જુદા પાડી શકાય નહિ. એમ હોવા છતાં આ પુસ્તકોને લાભ લેનારાઓની અનુકૂળતા માટે આ પુસ્તકોમાં આપેલા બધા વિષયને, બની શક્યું તેટલા વિચારપૂર્વક ધાર્મિક અને વ્યાવહારિક એમ બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે.
યદ્યપિ સુભાષિતાના સંગ્રહરૂપે સુભાષિત રત્નભાંડાગાર, સુભાષિત સુધારનભાંડાગાર અને એવા અનેક ગ્રન્થ બહાર પડ્યા છે, પરંતુ એમાં મોટે ભાગે હિંદુ ગ્રંથમાં જ સંગ્રહ છે; તેમજ તે થે સાનુવાદ નથી. આ બે ખામી મારા આ સંગ્રહમાંથી દૂર કરવામાં આવી છે. એટલે કે હિંદુ ગ્રંથો ઉપરાન્ત જૈન ગ્રંથો પૈકીનાં સુંદરમાં સુંદર સુભાષિત આ સંગ્રહમાં જેમ વિશેષરૂપે લેવામાં આવ્યા છે, તેવી જ રીતે દરેક સુભાષિતનો અનુવાદ પણ તેની સાથે આપવામાં આવ્યો છે.
એક બીજી પણ વિશેષતા આમાં છે. કયો શ્લોક ક્યાંથી લેવામાં આવ્યો છે, એ સ્થાન પણ તે ગ્રંથના પૃષ્ઠ, અધ્યાય, વગેરે સાથે આપવામાં આવ્યું છે. આ વિશેષતા અત્યાર સુધીના આવા બીજા સંગ્રહમાં ભાગ્યે જ જોવાય છે.