________________
લક્ષ્મી
( ૧૨૩૫).
લક્ષ્મી અને મદા–
संयोगे श्रीमंदो भोगे, वैकल्पस्य निबन्धनम् । ततस्तु वस्तुचिन्तायां, शल्या श्रीरधिका मदात् ॥ ६८॥
નવાસ, ગ ૨, સે. ૨૨. લક્ષ્મી, સંગને વિષે વિકલતાનું કારણ છે એટલે કે લક્ષમીને સંયોગ માત્ર થાય કે તરત જ તે પુરુષને વિકલગાંડો બનાવી દે છે, અને મદ તો ભેગને વિષે વિકલતાનું કારણ છે એટલે કે મદિરા વગેરેના મદને જ્યારે ભગવટે થાય છે ત્યારે જ તે પુરુષને વિકલ-ગાંડે બનાવે છે, તેથી તત્વને વિચાર કરતાં તે શક્તિએ કરીને મદથી લક્ષમી અધિક થાય છે. (એટલે કે મદ કરતાં લક્ષ્મીની શક્તિ અધિક છે ) ૬૮. લિમી અને કૃપણ–
शूरं त्यजामि वैधव्यादुदारं लज्जया पुनः। सापत्न्यात् पण्डितमपि, तस्मात्कृपणमाश्रये ॥ ६९ ॥ લક્ષ્મી કહે છે કે-હું શુરવીર પુરુષને તજું છું તેની પાસે રહેતી નથી, કેમકે તેમાં મને વિધવાપણાનું દુઃખ છે; ઉદારને પણ તજું છું, કેમકે તેમાં મને લજજા આવે છે; તથા પંડિતને પણ તાજું છું, કેમકે તેની પાસે મારી સપત્ની-શેક (સરસ્વતી) રહેલી છે; તેથી હું કૃપણ પુરુષની પાસે રહું છું. ૬૯.