________________
સંદેશે સમજાય છે, અને પરમેષિઓ સાથેના તમય, તદ્રપ ભાવથી (In tune with Infinite ) આપણા આત્માને પરમેષ્ઠિ સ્વરૂપ બનાવી શકાય છે. સર્વ સિદ્ધિએનું સોપાન શ્રી નવકાર છે. જગતનું સર્વશ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ, સર્વોત્તમ, આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર શ્રી નવકાર છે.
આવા સર્વોત્કૃષ્ટ મહામંત્રનું સ્મરણ, જાપ કે ધ્યાન કરતી વખતે આપણું મન ફરે છે તેવી સર્વ સામાન્ય ફરિયાદ સર્વત્ર છે. આપણા પરમ ઈષ્ટ મંત્રના સ્મરણ વખતે આપણું મન ફરે–બીજે જાય તે આપણા મનની ખુબ જ દુઃખ ભરી-દર્દ ભરી હાલત છે. જ્ઞાની પુરૂષે પણ કહે છે– મનુષ્યનું મન મોટા ભાગે આધ્યાન, રૌદ્રધ્યાનથી પીડાઈ રહ્યું છે. ભય, શેક અને ચિંતાની લાગણીથી વ્યગ્ર રહે. વાના સ્વભાવવાળું બની ગયું છે પરંતુ તે કિલષ્ટ સ્વભાવવાળા મનુષ્યના મનમાં પણ જ્યારે ભગવાનને પ્રવેશ થાય છે ત્યારે તે મન શાંત, આનંદી અને નિર્ભય બની જાય છે. મનમાં પરમાત્માને લાવવા માટે અનેકવિધ ઉપાય મહાપુરૂષોએ બતાવ્યા છે.
નામ રહે આવી મળે, મન ભીતર ભગવાન, મંત્રબળે જેમ દેવતા, હાલે કીધ આહાન.
શ્રી માનવિજયજીત પદ્મપ્રભુનું સ્તવન. જેમ કોઈ મંત્ર-દેવતાનું આહ્વાન કરવાથી મંત્રદેવતાને હાજર થવું પડે છે, તેમ પ્રભના ના મરૂપ મંત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org