________________
૨૨૮
આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં જેની વૃત્તિ કદી પણ જતી નથી, જે શુદ્ધ લેશ્યા અને શુદ્ધ ભાવાથી અલ'કૃત છે, અને જે આત્માના શુદ્ધ ચૈતન્યમાં રમણતાના પરમાનંદ્ય નિર'તર અનુભવે છે – આવા આત્મા તે ચારિત્ર છે. પરમાત્માના ધ્યાનના અભેદ્ય દ્વારા પેાતાના આત્માના વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં રમણતાને પરમાનંદ જે અનુભવે છે – આવા આત્મા તે ચારિત્ર છે. સ્વરૂપ રમણતાના પર માનના સુખને અનુભવતાં બાર મહિનાના ચારિત્ર પર્યાયમાં અનુત્તર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખના અનુભવ હાય છે.
ત૫૫૬:
ઇચ્છારાધે સવરી, પરિણતી સમતા ચેગે રે તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભેાગે રે. વીર જિનેશ્વર
આત્મસ્વરૂપના અનુભવનુ' જે સુખ છે તેની તુલનામાં જગતનુ` કોઈ સુખ આવી શકતું નથી. અને આવા સુખના જીવનમાં અનુભવ થયા પછી જગતના કોઈ પદાથ ની ઇચ્છા રહેતી નથી. સત્તામાં પડેલાં કર્મ ઉદયમાં આવે ત્યારે પણ જે સાધક આત્મા રાગ-દ્વેષ રૂપે, સુખ-દુઃખ રૂપે પરિણમતા નથી, પણ સમતાભાવમાં પરિણમે છે—તેવા આત્મા જે નિજ ગુણુના ભાગમાં પ્રવર્તે છે – તે આત્મા જ તપ છે.
―
નિજ ગુણના ભાગ આત્મા કેવી રીતે કરતા હશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org