________________
૩૪૮
અને ઉપયોગી છે. પુદ્ગલ રૂપી છે, તું અરૂપી છે. કર્મકૃત ભાવોથી તું ભિન્ન છે.
ષટ દ્રવ્યના સ્વરૂપને ઓળખીને લક્ષણભેદથી પરપુદ્ગલ દ્રવ્યથી તું ભિન્ન છે તે સમજ.
નવ તરવની સહણ કરી જીવ અને અજીવને ભેદ સમજીને, અજીવ પરપુદ્ગલ દ્રવ્ય છે, તે જીવ ચેતનદ્રવ્ય છે તે વિવેક કર. તવ સમજીને પુદ્ગલથી ભિન્ન તારા ચૈિતન્ય સ્વરૂપને ઓળખ અને તેની શ્રદ્ધા કર. પર દ્રવ્ય અને પરભાવને છેડી તું તારા સ્વરૂપમાં રૂચિ કર. અનંત આનંદ અને સુખના પરમ ભંડાર તારા આમસ્વરૂપને પ્રગટ કરવાનો સંકલ્પ કર.
જેવું સિદ્ધ ભગવંતનું પ્રગટ સ્વરૂપ છે, તેવું જ શુદ્ધ આત્મચેતન્ય તારામાં રહેલું છે. તેમાં રૂચિ કરીને તે સ્વરૂપનો અનુભવ કરવા ઉદ્યમવંત બન.
માટે તત્વામૃતનું પાન કરી, પર પુદ્ગલ સંગ છોડી, તારા સ્વરૂપમાં સ્થિર બનવા માટે, જેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે તેવા પરમાત્મામાં, તારી ચેતનાને જેડીને સ્વ સ્વરૂપને અનુભવ કર.
પર વસ્તુનું રાગીપણું, કર્તાપણું, ભક્તાપણું તારું કાર્ય નથી. માટે તે છોડીને તારા સ્વરૂપમાં રૂચિ કર. (દેડ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂ૫ રે, અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org