________________
૩૮
નનું દિવ્ય પાનું ખૂલ્યું. પરમાત્માના ધ્યાનની આરાધના દ્વારા આત્મસ્વરૂપને અનુભવ અને આતમસ્વરૂપની પ્રાપ્તિ માટેનું નવું દ્વાર ખૂલ્યું
આપણું આ નાનકડી જિંદગીમાં પરમાત્મા સાથે. આપણું આત્માને ભાવસંબંધ બાંધવા માટે દેવગુરૂ કૃપાથી જે કાંઈ આ ગ્રંથમાં લખાયું છે, તેમાં જે કાંઈ સારું છે તે પૂજ્ય પંન્યાસજી મહારાજની કૃપાનું ફળ છે. જે કાંઈ ભૂલચૂક છે તે મારા છઘસ્થપણાના દેષના કારણે છે. પરમાત્મા સૌના હૃદયમાં વસે ! સૌ ભાવપૂર્વક પરમાત્મા. અરિહંતદેવને પિતાના હૃદયમંદિરમાં પધરાવે ! અને પરમે. પકારી, પરમપૂજ્ય, નમસ્કાર ભાવ સંનિષ્ઠ, પંન્યાસજી મહારાજ ભદ્રકવિજયજીની આ ભાવના સર્વત્ર જગત ઉપર પહોંચે તેવા ભાવ સાથે આ ગ્રંથ પૂર્ણ થાય છે,
લિ. સંતોની ચરણરજ સમાન ગિરનાર મહાતીર્થ, બાબુભાઈ કડીવાળાના ૨૦૪૨, વૈશાખ સુદ ૩
આ ગ્રંથના વાચકને તા. ૧૨–૫-૮૬
ભાવભર્યા વંદન. પ્રણામ. મેરી ઈચ્છા બસ એક પ્રભુ, એક બાર તુઝે મિલ જાઉં મં; ઈસ સેવકકી એક રગ રગડા, હે તાર તુમારે હાથમેં..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org