Book Title: Salamban Dhyanana Prayogo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Babubhai Kadiwala Charitable Trust

View full book text
Previous | Next

Page 426
________________ ૩૭૦ પ્રમાણે જગતમાં અનેક પ્રકારના ખેલ કરતી વખતે તેના મનમાં શું વિચારે છે ? મે તે બારમા કપકે, દેવ મહા ઋદ્ધિવંત, અનુપમ સુખ વિલસું સદા, અદ્દભુત એહ વિરવંત. એ ચેષ્ટા જે મેં કરી, તે સવિ કૌતુક કાજ; રંક પર્યાય ધારણ કરી, તિનકે એ સવિ કાજ. જેમ સુર એહ ચરિત્રને, નવિ ધરે મમતા ભાવ; દીન ભાવ પણ નહિ કરે, ચિંતવે નિજ સુર ભાવ. (સમાધિ વિચાર) આપણું આ બારમા દેવલેકના દેવ પૃથ્વી ઉપર અનેક અવસ્થામાંથી પસાર થતાં અંદર વિચારે છે કે – હું તે બારમા દેવકનો દેવ છું.” આ પરિસ્થિતિમાંથી પસાર થતાં તેને દીનપણું નથી, અને કેઈ આસક્તિ પણ નથી. કારણ કે હું બારમા દેવલોકનો મહાન સુખી દેવ છું તેવું મનમાં ધારણ કરે છે. તેને પરિસ્થિતિનું સુખ- દુઃખ કે રાગ દ્વેષ નથી. આ પ્રમાણે આપણે પણ પરવશપણે જ્યારે કર્મના કારણે અનેક વિચિત્ર સંગે ઉપસ્થિત થાય, તે વખતે તેમાં સુખ-દુઃખ કે રાગ દ્વેષ ન કરતાં અંદરથી વિચારીએ કે– ભગવાન સીમંધરસ્વામી પરમાત્માએ કહ્યું છે તે મુજબ હું સત્તાએ શુદ્ધ, સચ્ચિદાનંદ સ્વરૂપ-અનંત સુખ અને આનંદનો પરમ ભંડાર છું. અચિંત્ય શક્તિને સ્વામી છું. કેવળજ્ઞાન આદિ અનંત ગુણ-લક્ષ્મીને નિધાન છું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450