________________
૨૩૮
કલ્પવૃક્ષના મૂળમાં અરિહંત પદ . સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-આ ચાર પદે કલ્પવૃક્ષની મુખ્ય શાખાઓ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ તેની પ્રશાખાઓ છે. અષ્ટવર્ગ, અડતાલીસ લબ્ધિ દે, આઠ ગુરૂ પાદુકા કલ્પવૃક્ષનાં પાંદડાં છે. જયાદિ આઠ દેવીઓ, અઢાર અધિષ્ઠાયક, સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષ, ચોવીસ યક્ષિણ, ચાર દ્વારપાળ, ચાર વીર, દશ દિકપાલ, નવ ગ્રહ અને નવ નિધિ-આ તે વૃક્ષનાં ફૂલ છે. મોક્ષ એનું ફળ છે. “સે સિદ્ધચક્ક ગુરૂ કમ્પતરૂ, અહ મન વછિય ફલ દિયે”
આવું સિદ્ધચકરૂપ કલ્પવૃક્ષ અમારા સકલ મનવાંછિત પૂર્ણ કરે. આમ કલ્પવૃક્ષ આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું. (૩) ચકાકાર આકૃતિથી સિદ્ધચકનું ધ્યાન – પગ ન ૨૪
તિય વિજય ચકર્મ સિદ્ધચક્ક નમામિ.” તીર્થકર ભગવાનની આગળ ધર્મચક્ર હોય છે, ચકવતી આગળ ચક્રરત્ન હોય છે, તેમ સિદ્ધચક્રના આરાધકે ચક્રાકારે સિદ્ધચક યંત્રને પિતાની આગળ રાખી સિદ્ધચકજીનું ધ્યાન કરે છે. આવી આકૃતિવાળા સિદ્ધચકનું ધ્યાન કરવાથી જેમ ચકવતી રાજાને છ ખંડનું સામ્રાજ્ય મળે છે, તેમ સિદ્ધચકના આરાધકને ત્રણ ભુવનનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે.
ચક્રી ચક્ર ને રથ બલે, સાધે સયલ છ ખંડ લાલ રે, તેમ સિદ્ધચક પ્રભાવથી, તે જ પ્રતાપ અખંડ લાલ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org