________________
૧૩૮
Fear nothing but lack of faith in God. પરમાત્મામાં શ્રદ્ધાને અભાવ એનું જ નામ ભય છે.
આખા નગરના લોકો દુશ્મનમાં કેટલી શક્તિ છે તેને વિચાર કરતા હતા તેથી તે ભયગ્રસ્ત બની ગયા છે. મયણ પરમાત્મામાં કેટલી અચિંત્ય શક્તિ છે તેનો વિચાર કરતી હતી તેથી એક મયણા જ આખા નગરમાં નિર્ભય છે. જે વસ્તુનો માણસ નિરંતર પિતાના મનમાં વિચાર કરતો હોય છે તે વસ્તુ તેના જીવનમાં અવશ્ય ફળદાયી થાય છે. ખરાબ વિચાર કરે છે તેને ખરાબ રૂપે તે ફળે છે. સારા વિચારો કરે છે તેને સારા રૂપે ફળે છે. જે જિનેશ્વર ભગવંતના નિરંતર વિચાર કરે છે તેના જીવનમાં પરમાત્મા કલ્પવૃક્ષની જેમ ફળદાયી બને છે. તે માટે શ્રીપાળ અને મયણાનું પ્રત્યક્ષ દષ્ટાંત આપણે જોઈ રહ્યા છીએ.
મયણાએ કહ્યું, નવપદના પ્રભાવથી સર્વ ભયો નાશ પામી જાય છે. ત્યારે માતા પૂછે છે “પુત્રી ! નવપદને આવે અચિંત્ય પ્રભાવ છે, તેનું તારી પાસે પ્રમાણ શું છે ? ત્યારે મયણું કહે છે –
બીજા રે જે કેણ પ્રમાણે, અનુભવ જાગ્યો મુજને એ વાતને છે; હુઓ રે પૂજાને અનુપમભાવ.
આજ રે સંધ્યાએ જગતાતને છે.”
માતાજી! શાસ્ત્રમાં તે નવપદના પ્રભાવનું વર્ણન અનેક સ્થળોએ આવે છે. પરંતુ મને પોતાને જ એ વાતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org