________________
રહેતી નથી. તેમ ભવચક્રમાં એક જ વખત આવી અમૃતકિયા પ્રાપ્ત થઈ જાય છે તે મોક્ષે જવામાં કઈ વસ્તુ આડે આવતી નથી. મયણે કહે છે -
એહવે રે પૂજામાં મુજ ભાવ, આવ્યો રે ભાગ્યે ધ્યાન સેહામ છે; હર્ષિય ન માયે મન આણંદ, ખિણ ખિણ હવે પુલક નિ:કારણજી.
આજે પૂજામાં મને આવા પ્રકારનો ભાવ ઉત્પન્ન થયે. તે ભાવમાં સુંદર રીતે પરમાત્માનું ધ્યાન થયું તે પરમાત્માની પૂજા અને ધ્યાનને આનંદ હજી પણ મારા હૃદયમાં ઊભરાય છે. સંધ્યાકાળે કરેલી પૂજાને આનંદ હજી મધ્યરાત્રીએ પણ મારા હૃદયમાં ઊભરાઈ રહ્યો છે. ક્ષણે ક્ષણે અત્યારે પણ રોમાંચ થાય છે.
પરમાત્માની આરતી મંગળદી અને ધૂપની પૂજ, તથા તે પૂજા વખતની ભાવના, અને તે ભાવનામાં થયેલું ધ્યાન, અને તે ધ્યાનનો આનંદ...બધુએ મયણનું અલૌકિક છે, અદ્દભુત છે, આશ્ચર્યકારી છે.
માયણ પિતાની સાસુ કમળાપ્રભાને કહે છે: “હે માતાજી! હે મારા વહાલાં સાસુજી ! આજે સંધ્યાકાળે પરમાત્માની પૂજા કરતી વખતે મારા હૃદયમાં આવા અમુતકિયાના ભાવે આવ્યા અને તે ભાવમાં મેં પરમાત્માનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org