________________
૧૮૩
દઈએ છીએ. તેથી બીજી ઓળીમાં આત્માને ફરીથી પાછો નીચેથી ઊચકા પડે. પરંતુ ઊંચે ઊચકેલ પથ્થરની નીચે જે ટેકો મૂકી દઈએ તે બીજી વખત ત્યાંથી આગળ ઊંચે લઈ જવાય. તે રીતે ઓળી પૂરી થયા પછી દરરોજના જીવનમાં ઉપરની આરાધના ચાલુ રાખીએ તે બીજી ઓળી આવે ત્યારે ત્યાંથી આગળ ઊંચે જવાય. નવો વિકાસ સાધી શકાય. આ રીતે નવપદની આરાધના નિયમિત રોજના જીવનમાં ચાલુ રાખવી.
નવપદના ધ્યાનના વિષયમાં હવે વધુ વિચારીએ -
જૈન સંઘમાં નવપદની ઓળીની આરાધના મોટા પ્રમાણમાં થઈ રહી છે. હજારોની સંખ્યામાં ઓળીની આરાધના સર્વત્ર થાય છે. આપણા સંઘના યુવાન વર્ગમાં પણ ઓળીની આરાધના માટે અદ્ભુત આકર્ષણ વધી રહ્યું છે તે આપણું ભાવી શુભ છે તેનું સૂચક છે. હવે આટલે સુધી પહોંચ્યા પછી આ નવપદજીની આરાધના ઉપયોગ જોડવાપૂર્વકની કરીએ તે વધુ ઉદ્યોતના પંથે આપણે આગળ વધી શકીશું, તે નિઃસંશય છે. ઉપગ જોડવાપૂર્વકની ક્રિયા કરવી તે ધ્યાન છે. ઉપગ અન્યત્ર ફરતે હેય અને ખમાસમણાં પણ લેવાતાં હોય અને માળા પણ ગણતી હોય, તેનું ફળ આપે છે. સંપૂર્ણ ફળ મેળવવા ઉપયોગની સ્થિરતાપૂર્વક કિયા કરવી જરૂરી છે. નવપદના ધ્યાનની બીજી ભૂમિકા –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org