________________
સુમધુર રસમાં રસનેન્દ્રિયને જોડવી. સાધુ ભગવતેના અતિ મધુર શાતિ આપનાર સ્પર્શમાં સ્પર્શેન્દ્રિયને જોડવી.
ઉપરના પાંચ સર્વોત્તમ વિષયમાં પાંચે ઈન્દ્રિય જોડાઈ -જવી જોઈએ. મનબળ, વચનબળ, કાયબળને નમસ્કારમાં વિશેષ સ્થિરતાવાળું બનાવવું. શ્વાસેવાસને પણ તેમાં જ વણી લે અને આયુષ્યબળના પ્રતીક રૂપે હૃદયના ધબકારામાં નમસ્કારને વણી લે. આ રીતે દશે પ્રાણ નમસ્કારમાં જોડવા. (૪) સાત ધાતુ જોડાય તે રીતે નમસ્કાર કરે –
રંગ લાગ્યો સાતે ધાત પ્રભુશું રંગ લાગ્યો”
નમસ્કારના સ્મરણ વખતે સાતે ધાતુ પ્રભુસ્મરણમાં જોડાઈ જવી જોઈએ. “અહો ! હું ધન્ય છું, કૃતપુ છું કે આજે મને ભવચક્રમાં અતિ દુર્લભ એ નમસ્કાર મંત્ર સમરણ કરવા માટે મળે છે ! કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ અતિ પ્રભાવશાળી પરમેષ્ઠિ પદેના સ્મરણમાં હે પ્રાણ ! હે મન ! હે મારા શરીરની સાતે ધાતુઓ! તેમાં જોડાઈ જાઓ. આજે અનંતકાળનું દુઃખરિદ્રશ્ય અને દર્ભાગ્યનાશ કરવાનો અવસર મળ્યો છે. આજે સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતા તથા આત્મઅનુભવ પ્રાપ્ત કરવા પરમેષ્ઠિઓનો અતિ કીમતી વેગ મળ્યો છે. તે તમે સર્વ સાવધાન થઈ નમસ્કારમાં રક્ત બને.” આવી કોઈ વિશિષ્ટ ભાવની શરૂઆતમાં કરી લેવી, જેથી લિસિત થયેલી સાતે ધાતુ નમસ્કારમાં જોડાઈ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org