Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०
“ જૈન સિદ્ધાંતના” તત્રીશ્રીના અભિામાય,
સ્થાનકવાસીઓમાં પ્રમાણુભૂત સૂત્ર બહાર પાડનારી આ એકની એક સંસ્થા છે. અને એના આ છેલ્લા રિપેર્ટ ઉપરથી જણાય છે કે તેણે ઘણી સારી પ્રગતિ કરી છે તે જોઇ આનંદ થાય છે.
મૂળ પાઠે, ટીકા, હિંદી તથા ગુજરાતી અનુવાદ સહિત સુત્રા બહાર પાડવાં એ કાંઇ સહેલું કામ નથી. એ એક મહાભારત કામ છે અને તે કામ આ શાસ્રોદ્ધાર સમિતિ ઘણી સફળતાથી પાર પાડી રહી છે તે સ્થાનકવાસી સમાજ માટે ઘણા ગૌરવને વિષય છે અને સમિતિ ધન્યવાદને પાત્ર છે.
સમિતિ તરફથી નવસૂત્રે બહાર પડી ચૂકયાં છે, હાલમાં ત્રણ સૂત્રેા છપાય છે. નવ સૂત્ર લખાઈ ગયાં છે અને જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ તથા નદીસૂત્ર તૈયાર થઇ રહ્યાં છે.
હાલમાં મત્રી શ્રી સાકરચંદ ભાઈચ'દ સમિતિના કામમાં જ તેમને આખા વખત ગાળે છે અને સમિતિના કામકાજને ઘણા વેગ આપી રહ્યા છે. તેમની ખંત માટે ધન્યવાદ.
અને આ મહાભારત કામના મુખ્ય કાર્યકર્તા તા છે ઘાસીલાલજી મહારાજ, મૂળ પાઠેનું સંશાધન તથા સંસ્કૃત કરે છે. મુનિશ્રીના આ ઉપકાર આખાય સ્થા. જૈન સમાજ એ ઉપકારના બદલે તે વાળી શકાય તેમજ નથી.
વયેવૃદ્ધ પડિંત મુનિશ્રી ટીકા તેએાશ્રી જ તૈયાર ઉપર ઘણા મહાન છે.
પરંતુ આ સમિતિના મેમ્બર બની, તેના બહાર પડેલાં સુત્ર ઘરમાં વસાવી તેનું અધ્યયન કરવામાં આવે તે જ મહારાજશ્રીનુ થોડું ઋણ અદા કર્યું" ગણાય.
ભગવાને કહ્યું છે કે પઢમં નાળ તો થા પહેલ જ્ઞાન પછી દયા, દયા ધર્મને યથાર્થ સમજવા હોય તે ભગવાનની વાણીરૂપ આપણા સૂત્ર વાંચવાંજ જોઇએ તેનું અધ્યયન કરવું જોઈએ અને તેના ભાવાર્થ યથાર્થ સમજવા જોઈએ.
એટલા માટે આ શાસ્ત્રોદ્ધારસમિતિના સર્વાં સૂત્રેા દરેક સ્થા.જૈને પેાતાના ઘરમાં વસાવવાંજ જોઈએ સર્વ ધર્મીજ્ઞાન આપણા સૂત્રામાંજ સમાયલું છે અને સૂત્ર સહેલાઇથી વાંચીને સમજી શકાય છે, માટે દરેક સ્થા. જૈન આ સૂત્ર વાંચે એ ખાસ જરૂરનું છે.
“ જૈન સિદ્ધાંત” ડીસેમ્બર- ૫૬