Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ છિ - (.) (ઘણાં હાડકાવાળો કાચબો) કાચબાઓની અનેક જાતિ-પ્રજાતિ અને તેના અવાત્તર ભેદોનું વર્ણન સંગ્રહણી વગેરે પ્રકરણગ્રંથોમાં કરાયેલું છે. પ્રજ્ઞાપના સૂત્રમાં પણ અસ્થિબહુલ કાચબાનું વર્ણન મળે છે. ઢિ - ચિકન (ત્રિ.) (કઠણ હાડવાળો, હાડકાઓથી મજબૂત) અત્યારના કાળમાં કોઈપણ પ્રાણીના હાડકાં એટલા મજબૂત નથી હોતા જેટલા કે, પ્રાચીનકાળમાં વજઋષભનારા સંઘયણવાળા જીવોના હતા. હનુમાનજી જયારે આકાશમાંથી પડ્યા હતા ત્યારે નીચે રહેલી પથ્થરશિલા તૂટી ગયેલી પણ તેમનું એકેય હાડકું ભાંગ્યું નહોતું, તે આવા પ્રકારના વિશિષ્ટ અસ્થિ સંરચનાના કારણે. કરિનાસ્થિ (2.) (જેના હાડકાં મજબૂત છે તે) આજનો માણસ બિચારો પોતે ઇચ્છે તો પણ મજબૂત હાડવાળો થઈ શકે તેમ નથી, કારણ કે, આજે તો ખાણી-પીણીની દરેક વસ્તુમાં ભેળસેળ અને અધૂરામાં પૂરું પાછું રાસાયણિક મિશ્રણોએ તો દાટ વાળી દીધો છે. એના પ્રતાપે જ તો માણસને થોડુંક વાગે કે તરત જ હાડકું ભાંગી જાય છે. ટ્ટિ - અસ્થિ (2.) . (હાડકું 2. કાપાલિકા 3. જેમાં બીજ ઉત્પન્ન ન થયું હોય તેવું ફળ) જૈન શાસનની આચાર સંહિતા ખૂબ જ ઊંડાણવાળી છે. એકેન્દ્રિય જીવોથી લઈને નાના-નાના સૂક્ષ્મજીવોની રક્ષા માટે ખૂબ કાળજી લેવાઈ છે. નિર્દોષ ચર્ચા માટે ભક્ષ્યાભર્યાનો વિચાર રજુ કરતા ઘણા બધા પ્રકરણો રચાયા છે. તેમાં જણાવાયું છે કે, જે ફળમાં બીજ ન થયું હોય તેવા કાચાં ફળો ખાવા માટે નિષિદ્ધ કહ્યા છે. જૈનોના આહાર-પાણી માટેના આચારોનો જગતમાં જોટો જડે તેમ નથી. કમ (મ) fથ (ન.) (મોક્ષ સાધક, મોક્ષના પ્રયોજનવાળો 2. અર્થના પ્રયોજનવાળો 3. અભિલાષી) મોક્ષ એ જ મનુષ્યજીવનનું ધ્યેય હોવું જોઈએ એમ જૈન ધર્મના પ્રવર્તક તીર્થંકર પરમાત્માએ કહેલું છે. માટે જ મહર્ષિઓ કહે છે કે, છોડવા લાયક સંસાર છે, લેવા જેવું સંયમ છે અને મેળવવા જેવો મોક્ષ છે. આ જૈનધર્મનો હાર્દ છે એમ જાણજો. ગઠ્ઠિા (2) ફિર - શિશ્નાસ્થિત (ત્રિ.) ' (મજબૂત હાડકાંનું બનેલું શરીર) નવજાત શિશુને લઈને વિમાનમાં બેસેલા અંજનાદેવીના ખોળામાંથી ઝુમ્મરને પકડવા માટે ઉછળતો હનુમંત અકસ્માતે ખોળામાંથી : પડે છે અને નીચે શિલા ઉપર પડતાં તે શિલાના ચૂરેચૂરા થઈ જાય છે. તે જ ભવમાં જે આત્મા સિદ્ધગતિને પ્રાપ્ત કરવાનો હોય તેમનું શરીર આવા અત્યંત મજબૂત હાડકાઓનું બનેલું હોય છે અર્થાતુ, પ્રથમ સંઘયણવાળું હોય છે. अद्विचम्मसिरत्ता - अस्थिचर्मशिरावत्ता (स्त्री.) (શરીરને વિષે હાડકાં, ચામડી અને સ્નાયુનું રહેવું તે; લોહી, માંસ વગરનું માત્ર હાડ, ચર્મ અને સ્નાયુમય શરીર) પત્નીધેલા સંત તુલસીદાસ કામાંધ બનીને જ્યારે પત્નીને તોફાની વરસાદમાં તેના ઘરેથી લેવા ગયા ત્યારે ધર્મજ્ઞ પત્નીએ તુલસીદાસને કહી દીધું: “અસ્થિવર્ષમય 5 ફેઢ હૈ, તા નૈસી જીત રૂતની પ્રતિ નો દર સે કીત, તો રહે વ ii મીત અરે ! મારું શરીર તો માત્ર લોહી, હાડ, ચર્મને માંસથી બનેલું છે તેમાં શું પ્રીતિ કરવી હતી. જો તમારે પ્રેમ જ કરવો હોય તો હરિથી કરો. જેથી સંસારનો ભય જ ન રહે. આજના કાળમાં આવી પત્ની ક્યાં મળશે? अविचम्मावणद्ध - अस्थिचर्मावनद्ध (त्रि.) (અત્યંત દુર્બળ-કુશ, શરીરમાંથી માંસ સુકાઇ જવાથી ચામડી માત્ર હાડકાને વળગીને રહી હોય તે) પ્રભુ વીરના પરમ ભક્ત મહારાજા શ્રેણિકે ભરી પર્ષદામાં ઊભા થઈને પ્રશ્ન કર્યો. તે પરમાત્મા ! આપના ચૌદ હજાર શિષ્યો છે 206