Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અથાણાજ - અથાગ (.) (જયાં ઋણ સંબંધી તકરાર કરવાની મનાઈ કરવામાં આવેલી હોય તેવું નગરાદિ 2. પ્રાણ ધારણ કરવાને અસમર્થ) જે તે ભાવમાં રહેલો આત્મા આહાર, શરીર, ઇંદ્રિય, પર્યાપ્તિ વગેરે પ્રાણોને ત્યાં સુધી જ ધારણ કરવામાં સમર્થ છે જયાં સુધી આયુષ્ય કર્મ વિદ્યમાન છે. તદ્દભવ સંબંધી આયુષ્ય પૂર્ણ થતાં જ જીવ પ્રાણોને ધારણ કરવા અસમર્થ બની જાય છે. જેને વ્યવહારમાં મૃત્યુ કહેવામાં આવે છે. જે વ્યક્તિ જીવનયાપન કરવા અસમર્થ હોય તેને પણ અધારણીય કહેવાય છે. ધિ (હિ) - ધિ ( વ્ય.) (અધિકપણું, અવિકતાસૂચક અવ્યય) રાધિ (f) 3- મથુતિ (સ્ત્રી.) (ધર્યનો અભાવ, અકૃતિ, અધીરતા) ()T -- ઋધિ (ત્રિ.) (વિશેષ, વધારે, અધિક). મથ (દ) ગમ - ધિામ (પુ.) (ગુરુના ઉપદેશથી થતો બોધ, સમ્યક્તનો હેતુ) સમ્યક્તપ્રાપ્તિ બે પ્રકારે કહેલી છે. 1. નિસર્ગથી અને 2. અધિગમથી. ધર્મસંગ્રહ ગ્રંથમાં કહેલું છે કે, ગુરુના ઉપદેશને આલંબીને જીવને જે સમ્યક્તની પ્રાપ્તિ થાય છે તેને અધિગમજ સમ્યક્ત કહેવાય છે. બહુલતયા જીવોને અધિગમ સમ્યક્ત હોય છે. કોઈક ભવ્ય જીવને નિસર્ગથી નિર્મલ સમ્યત્વ પ્રાપ્ત થતું હોય છે. મfધ (f)(દિ) ગુમડું - ધ (f) અમર (5, રુ.) (ગુરુના ઉપદેશથી થયેલી તત્ત્વજિજ્ઞાસા, સમ્યક્તનો એક પ્રકાર). સમ્યત્ત્વના દસ પ્રકારમાંનો એક પ્રકાર છે અધિગમરૂચિનો. જે જીવ હળુકર્મી છે અને નિકટ મોક્ષગામી છે તેવા જીવને ગુનો ઉપદેશ સાંભળીને અગ્યાર અંગ, ઉપાંગ અને પૂર્વે સંબંધી તત્ત્વજિજ્ઞાસા થાય છે તેને અધિગમરુચિ સમ્યક્ત કહેવામાં આવે છે. अधि (भि ) गमसम्मदंसण - अधिगमसम्यग्दर्शन (न.) (ગુરુના ઉપદેશથી પ્રાપ્ત થયેલો સમ્યક્ત-તત્ત્વાવબોધ) fધ (હિ) જય - #iaa (ન.) (અધિકાર) રામાયણ અને મહાભારતમાં આસમાન જમીનનો ફરક છે. રામાયણમાં પિતૃભક્તિ, પ્રેમ, નિઃસ્વાર્થ ભાવ, ત્યાગની ભાવના, સંસ્કારાદિ જોવા મળે છે. જ્યારે મહાભારતમાં છળ, પ્રપંચ, સ્વાર્થ, અધિકારની લડાઇ અને મારા-તારાની ભાવના જોવા મળે છે. - માટે જ તો કોઈ ઝઘડો થાય તો કહેવાય છે કે, મહાભારત થઈ ગયું અને કોઈ સારો સંસ્કારવર્ધક પ્રસંગ દેખાય તો કહેવાય છે કે આ તો રામાયણની યાદ અપાવે છે. * ત (ત્રિ.). (પ્રાપ્ત, જાણવામાં આવેલું, જ્ઞાત) ધિ (હિ) ગરબા - ર (જ.) (કલહ, ઝઘડો 2. હિંસાનું ઓજાર 3. જેનાથી આત્મા નરકગતિ પામે તે-કર્મ 4. આધાર 5. અસંયમ 6. આત્મભિન્ન વસ્તુ) ઉપકરણ અને અધિકરણમાં તફાવત એ છે કે, ઉપકરણ સ્વ અને પરના ઉપકાર માટે થાય છે. સાધુ ભગવંતોના ઉપકરણો, જિનાલયના ઉપકરણો વગેરે ધાર્મિક સાધનો કલ્યાણના હેતુ બને છે. તેમજ જે સાધનો કલહ અને અપકારમાં કારણ બને તેને અધિકરણ કહેવામાં આવે છે. શાસ્ત્રગ્રંથોમાં અધિકરણની અઢાર પ્રકારની વિસ્તૃત નિરુક્તિઓ-ભેદો કરાયેલા છે.