Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ગધ (હિ) TRUરિયા - ધિરક્રિયા (ત્રી.). (અધિકરણ-આરંભ વિષયક ક્રિયા, તલવાર વગેરે હથિયાર નિમિત્તે થતો કર્મબંધ, કલહ વિષયક વ્યાપાર) પ્રશ્ન વ્યાકરણ સૂત્રના આશ્રદ્વારમાં અધિકરણ ક્રિયાનું વિવેચન કરાયેલું છે. તેમાં લખેલું છે કે, અધિકરણક્રિયા બે પ્રકારની છે. 1, નિર્વસ્ત્રનાધિકરણ ક્રિયા અને 2. સંયોજનાધિકરણ ક્રિયા. તેમાં લખ્યું છે કે, અધિકરણક્રિયા વડે જીવ સ્વ-પરનું અહિત કરનારા અનેક પ્રકારના હિંસાદિ અનર્થો સર્જે છે. મ (મ) fધ (હિ) બાથ - ધિક્ષfક્કી (રા.) (ક્લેશ કે હિંસાદિના સાધનો પેદા કરવાથી લાગતી ક્રિયા, આધિકરણિકી પાપક્રિયા) સ્થાનાંગસૂત્રાદિમાં જણાવેલું છે કે, જે પાપક્રિયા વડે આત્મા નરકાદિ દુર્ગતિમાં ઠેલાય તેવી ક્રિયાને અધિકરણિકી અથવા આધિકરણિકી ક્રિયા કહી છે. અર્થાત તલવાર, ભાલા, બરછી કે પિસ્તોલ વગેરે બાહ્ય નિમિત્તભૂતકરણો દ્વારા કરવામાં આવતી હિંસક પ્રવૃત્તિ. fથ (હિ) Rufi - f urt (સ્ટી) (એરણ, લોઢું ટીપવાનું લુહારનું ઓજાર વિશેષ) ધ (દિ) નાર - યાર (પુ.) (પ્રસ્તાવ, પ્રસંગ 2. પ્રયોજન 3. વ્યાપાર 4. ગ્રંથવિભાગ 5. સત્તા, હક્ક) ગધ (હિ) કુંત - ગથિતિષ્ઠવ (.) (રહેતું, નિવાસ કરતું) શ્રમણ ભગવંતોને કેવા આશ્રમમાં રહેવું અર્થાત, કેવી વસતિમાં રહેવું તે માટે આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે, જ્યાં સ્ત્રી, પશુ, પંડગ યાને નપુંસકાદિ ન રહેતા હોય, વળી જ્યાં સ્વાધ્યાયમાં વ્યાઘાત ન થતો હોય, વિપુલ પ્રમાણમાં ગોચરી પાણી સુલભ હોય અને જયાં સર્પાદિ હિંસક જીવજંતુઓનો ઉપદ્રવ ન હોય તેવી નિર્દોષ અને સંયમની પોષક વસતિમાં રહેવું એમ જણાવેલું છે. જયારે સાધનાશીલ સાધુ માટે સ્મશાનાદિક નિર્જન ભૂમિમાં ધ્યાનાદિ કરીને પરિષહવિજયી બનવા માટે જણાવેલું છે. ધ (દિ) વ - અધિસ્થાપન (1.) (પાટ-પાટલા પર આચ્છાદિત રજોહરણાદિ પર બેસવું તે, ઉપર રાખવું તે) નિશીથસૂત્રની ચૂર્ણિમાં સાધ્વાચારના પાલનમાં થતી અલના વિશે અતિચારના પ્રસંગમાં જણાવેલું છે કે, સાધુ અથવા સાધ્વીજી પાટ કે પાટલા અથવા નાની ખાટ પર રજોહરણ રાખીને તેના પર આશ્રય કરે કે બેસે તો તે પ્રાયશ્ચિત્તવાળું અધિસ્થાપન બને છે. ધ (હિ) ફેરા - ધિષ્ઠાય (અવ્ય.) (આ મારું છે એમ માનીને ગ્રહણ કરેલું) મોક્ષની આરાધનામાં ઉજમાળ બનેલો આરાધક આત્મા દુન્યવી ચીજ વસ્તુઓ પર ક્યારેય “આ મારું છે એમ માનીને માયા મમતા રાખતો નથી. તેની વૃત્તિ હંમેશા ત્યાગ પ્રધાન હોય છે. તે ક્યારેય મન વચન અને કાયાથી એમ નથી ઇચ્છતો કે કર્મો ઉપાર્જિત કરી, હું મારો સંસાર વધારું. ધિ (હિ) માણI - અધિકાર(S.) (અધિક માસ) નિશીથચૂર્ણિના ૨૦મા ઉદેશામાં અધિમાસક માટે જણાવ્યું છે કે, આ અધિકમાસ વર્ષના બારમા ભાગ રૂપે સંભવે છે જે સૂર્ય ચંદ્રની ગતિથી નિષ્પન્ન થાય છે. જેને જ્યોતિષીય ગણિત પ્રમાણે ઓગણત્રીસ દિવસ વીસ ભાગ અને બત્રીસ અંશે ગણાવેલો છે. ધિ (હિ) મુત્ત - ધાિ (સ્ત્રી) (શાસ્ત્ર વિશે શ્રદ્ધાળુ, શાસ્ત્ર પર શ્રદ્ધાવાળો) મધ (f) વરૂ (તિ) - ધિપતિ (પુ.) (પ્રજાનું અતીવ રક્ષણ કરનાર, પ્રજાનો રક્ષક, અધિપતિ)