Page #1
--------------------------------------------------------------------------
________________
બહાર-વાણા
એ.પ.બેચરદાસ જીવરાજ દોશી
Jain
Page #2
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
: સંપાદક : બેચરદાસ જીવરાજ દોશી
: Publisher : Jain Institute of North America
812, Charles James Circle Timber Point, MD. 21043 (USA)
Page #3
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી સં. બેચરદાસ જીવરાજ દોશી
ગ્રંથ આયોજન : શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર ‘દર્શન', શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪.
• પ્રકાશન વર્ષ : ફેબ્રુઆરી ૧૯૭
૦ કિમત : $8
પ્રાપ્તિસ્થાન : Jain Institute of North America 812, Charles James Circle Timber Point, MD. 21043 (USA)
Page #4
--------------------------------------------------------------------------
________________
સ્વ. શ્રી દિલીપભાઈ માયાભાઈ મહેતાના
સ્મરણાર્થે
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
ભગવાન મહાવીરનો ઉપદેશ આગમ ગ્રંથોમાં ગણધર ભગવંતો દ્વારા ગૂંથવામાં આવ્યો છે. આ ગ્રંથો પ્રાકૃત ભાષામાં હોવાથી તથા સૂત્રાત્મક શૈલીમાં રચાયેલા હોવાથી સર્વ માટે સુગમ નથી. આજના યુગમાં તો તે વિશેષ દુર્ગમ બન્યા છે. વર્તમાનયુગમાં સૌ કોઈને ભગવાન મહાવીરનો ઉપદેશ જાણવાની અને સમજવાની ભાવના થાય ત્યારે તેમના ઉપદેશનો સાર ખૂબ જ ઉપયોગી નીવડે. ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશના સારસ્વરૂપ મહાવીરવાણી ગ્રંથમાં વર્ષો પૂર્વે (સ્વ) પંડિત શ્રી બેચરદાસ દોશીએ આગમ ગ્રંથોનું દોહન કરી તેમાંથી ઉપયોગી ગાથાઓનો સંગ્રહ કરેલો અને અનુવાદ સાથે વર્ષો પૂર્વે પ્રકાશિત કર્યો હતો, પરંતુ વર્તમાનમાં સુલભ ન હોવાને કારણે તેનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં જૈનધર્મના સિદ્ધાંતોનો અન્ય ધર્મોના સિદ્ધાન્તો સાથે તુલનાત્મક અભ્યાસ ટીપ્પણોમાં રજૂ કરવામાં આવ્યો છે તે પણ ખૂબ જ મનનીય છે. અમને આશા છે કે, પ્રસ્તુત ગ્રંથ જૈનધર્મના મૌલિક સિદ્ધાંતો જાણવાની જિજ્ઞાસા રાખનાર સૌ કોઈને ઉપયોગી થશે.
અમદાવાદ, ૧૯૯૭
જિતેન્દ્ર શાહ
Page #6
--------------------------------------------------------------------------
________________
વિષયસૂચી વિવેચનમાં વાપરેલાં પુસ્તકો સંતોની સમજણ સંપાદકીય : મહાવીર વાણીનો પરિચય કરુણાનું અમૃત આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીનો હાર્દિક સદ્ભાવ પૂ. વિનોબાજીનું પુરોવચન પ્રસ્તાવના વીતકોની રાત વીતી
૧. મંગલ-સૂત્ર ૨. ધર્મ-સૂત્ર ૩. અહિંસા-સૂત્ર ૪. સત્ય-સૂત્ર ૫. અસ્તનક-સૂત્ર ૬. બ્રહ્મચર્ય-સૂત્ર ૭. અપરિગ્રહ-સૂત્ર ૮. અરાત્રિભોજન-સૂત્ર ૯. વિનય-સૂત્ર ૧૦. ચાતુરંગીય-સૂત્ર ૧૧-૧. અપ્રમાદ-સૂત્ર
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૧-૨. અપ્રમાદ-સૂત્ર
૧૨. પ્રમાદુસ્થાન-સૂત્ર
૧૩. કષાય-સૂત્ર
૧૪. કામ-સૂત્ર
૧૫. અશરણ-સૂત્ર
૧૬. બાલ-સૂત્ર
૧૭. પંડિત-સૂત્ર
૧૮. આત્મ-સૂત્ર ૧૯. લોકતત્ત્વ-સૂત્ર
૨૦. પૂજ્ય-સૂત્ર
૨૧. બ્રાહ્મણ-સૂત્ર
૨૨. ભિક્ષુ-સૂત્ર
૨૩. મોક્ષમાર્ગ-સૂત્ર
૨૪. જાતિમદનિવારણ સૂત્ર
૨૫. સામણા-સૂત્ર
દ્
પ્રથમ પરિશિષ્ટ : અકારાદિ અનુક્રમણિકા દ્વિતીય પરિશિષ્ટ : છંદ અને અલંકાર
Z
૮૭
૯૩
૧૦૩
૧૦૯
૧૧૮
૧૨૮
૧૩૫
૧૪૨
૧૬૭
૧૭૩
૧૮૨
૧૯૧
૨૦૧
૨૦૫
૨૦૯
૨૧૭
Page #8
--------------------------------------------------------------------------
________________
પુસ્તકના વિવેચનમાં વાપરેલાં પુસ્તકો આવશ્યક સૂત્ર ગીતા આશ્રમ ભજનાવલી લઘુપાઇ (પાલી ભાષા) ધમ્મપદ (પાલી ભાષા) મહાભારત મનુસ્મૃતિ ઈશુખ્રિસ્ત, પર્વત પરનો ઉપદેશ હજરત મહમદ અને ઈસ્લામ કલ્પસૂત્ર વસુદેવહિંડી કલ્પસૂત્રકિરણાવલી ટીકા ઉત્તરાધ્યયન સૂત્ર પંચતંત્ર-અપરીક્ષિતકારક મંત્ર દેશીનામમાલા હૈમ અનેકાર્થસંગ્રહ દિવ્યાવદાન વિષ્ણુપુરાણ ખોરદેહ અવતા (પારસી ધર્મનો ગ્રંથ)
Page #9
--------------------------------------------------------------------------
________________
સકતોની સમજણ
સં. – સંસ્કૃત પ્રા. – પ્રાકૃત શ્લોક – શ્લોક અ. – અધ્યયન દશ - દશવૈકાલિક સૂત્ર ગા. – ગાથા ઉત્તરા) - ઉત્તરાધ્યયન સૂત્ર સૂટ શ્રુ - સૂત્રકૃતાંગ સૂત્ર, શ્રુત સ્કંધ ઉ – ઉદ્દેશક ઈ. ખ્રિ. ૫. ઉ૦ – ઈશુ ખ્રિસ્ત પર્વત પરનો ઉપદેશ હ. મ. ઈ. – હજરત મહમદ અને ઇસ્લામ ગી. અ. - ગીતા અધ્યાય ધમ્મ - ધમ્મપદ આચાશ્રુ – આચારાંગ ધ્રૂત્ર, શ્રુત સ્કંધ મહાભા – મહાભારત ૦િ - દ્વિતીય પૃ. – પૃષ્ઠ
Page #10
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય “મહાવીર વાણી નો પરિચય
મહાવીર વાણીની આ પાંચમી આવૃત્તિ, આગલી ચારે આવૃત્તિઓ કરતાં જે ખાસ વિશેષતા ધરાવે છે તે આ છે :
૧. સમગ્ર મૂળનો ગુજરાતીમાં અનુવાદ ૨. અનુવાદ સાથે જ ટિપ્પણો પણ ગુજરાતીમાં ૩. તુલનાત્મક અને વિવેચનાત્મક એમ બે પ્રકારનાં ટિપ્પણી ૪. માનનીય શ્રી વિનોબા ભાવેનું પુરોવચન ૫. માનનીય શ્રી સ્વામી આનંદની પ્રસ્તાવના ૬. મહાવીર વાણીમાં આવેલાં પદ્યોના છંદોનો અને અલંકારનો
પરિચય સર્વધર્મસમભાવની વૃત્તિ મનુષ્યમાત્રના જીવનને ઉન્નતિના માર્ગ ભણી દોરી જાય છે. જેમ જેમ એ વૃત્તિ આપણા જીવનમાં વધારે સ્થિર થાય, જામે અને પરિપકવ થાય, તેમ તેમ આપણા જીવનમાં વિશેષ શાંતિ પ્રગટે છે, માણસમાત્ર સાથે-પછી ભલે તે ગમે તે ધર્મ પાળતો હોય – સહાનુભૂતિ અનુભવી શકાય છે, માણસમાત્ર તરફ આપણું નિર્મળ પ્રેમઝરણું વહેવા લાગે છે. ચિત્ત અને ભાવના વિશાળ થતાં જાય છે અને સત્યગ્રહણ માટે, સારગ્રહણ માટે જિજ્ઞાસા વધતી જાય છે. એથી એ રીતે આપણે વધુને વધુ અહિંસાના – તેજસ્વી અહિંસાના – ધર્મને મન, વચન અને શરીરે આચરતાં થઈ શકીએ છીએ,
Page #11
--------------------------------------------------------------------------
________________
જેને પરિણામે વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વમાં શાંતિ સ્થાપવામાં આપણે પણ નિમિત્તરૂપ બનીએ છીએ.
સર્વધર્મસમભાવની વૃત્તિનો આવો અદ્ભુત પ્રભાવ છે, એમ સમજીને જ આ આવૃત્તિમાં આપેલાં ટિપ્પણો બધાં એ દૃષ્ટિએ પ્રધાનપણે લખેલાં છે એટલે વિદ્યાર્થીઓ તથા બીન્ન અભ્યાસીઓ પણ એ તરફ વિશેષ લક્ષ્ય આપે એવી નમ્ર ભલામણ છે.
આભાર :
૧. તુલનાત્મક ટિપ્પણો આપતી વખતે બ્રાહ્મણધર્મનાં પવિત્ર વચનોનો અને બૌદ્ધધર્મનાં પવિત્ર વચનોનો ઉપયોગ કરવાનો ખ્યાલ મનમાં આવેલો પરંતુ કરુણાથી ભરપૂર વંદનીય શ્રી ઈસુ ખ્રિસ્તનાં અને પયગંબર મહમદ સાહેબનાં વચનોનો ઉપયોગ કરવાનો ખ્યાલ તત્કાળ નહીં આવેલો. માનનીય પંડિત શ્રી સુખલાલજી સાથે આ તુલનાત્મક ટિપ્પણોની વાત કરતો હતો અને તેમને એ ટિપ્પણોનો નમૂનો સંભળાવતો હતો ત્યારે તેમણે તરત જ કહ્યું કે આની સાથે બાઇબલ અને કુરાનનાં વચનોને મૂકીને સરખામણી કરો તો ઘણું વધારે સારું થશે. આ સૂચના મનમાં એકદમ સોંસરવી ઊતરી ગઈ અને તરત જ અહીંના માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયમાં પહોંચ્યો, ત્યાંથી ‘ઈસુ ખ્રિસ્ત અને તેમનો ઉપદેશ' એ નામનું તથા ‘હજરત મહમ્મદ અને ઇસ્લામ' એ નામનું એમ બન્ને પુસ્તક લઈ આવ્યો. તે બન્નેને તત્કાળ વાંચી તેમાંથી ‘મહાવીર-વાણી'માં આવેલાં વચનો સાથે અને ભાવ સાથે સરખાવવાં જેવાં વચનો વીણી કાઢ્યાં અને તે તમામ વચનોનો અહીં યથાસ્થાન ઉપયોગ કરેલ છે. આવી મહામૂલી સૂઝ આપવા બદલ અહીં માનનીય પંડિત શ્રી સુખાલાલજીના નામનું ઉપકાર સાથે સંકીર્તન કરવું એ મારી
Page #12
--------------------------------------------------------------------------
________________
११
ખાસ ફરજ સમજું છું.
૨. ટિપ્પણોમાં અને મૂળમાં અહીં જે જે પુસ્તકોનો મેં ઉપયોગ કરેલ છે તે તમામ પુસ્તકોના સંપાદકોનો, પ્રકાશકોનો અને પુસ્તક આપનાર ઉકત પુસ્તકાલયનો પણ વિશેષ આભાર માનું છું.
૩. ભારતવર્ષની પ્રજાની ગરીબીનું ભારે દુ:ખ અનુભવી જેમનામાં કરુણાનું પ્રેમનું અહિંસાવૃત્તિનું પૂર ઊછળ્યું છે એવા વંદનીય વિનોબાજીએ - પોતે અસાધારણ પ્રવૃત્તિના બોજા નીચે હમણાં હમણાં નિરંતર દબાયેલા રહે છે, આરોગ્ય પણ બરાબર નથી તેમ છતાં - મારી નમ્ર વિનંતિના ધ્યાનમાં લઈ જે પુરોવચન લખી મોકલાવેલ છે તે માટે તેમનો સવિશેષ ઋણી છું એમ કહેવું પૂરતું નથી છતાં તે માટે બીજા કયા શબ્દો લખવા એ જ સૂઝતું નથી.
૪. ગુજરાતથી ઘણે દૂર કૌસાની (જિ. અલમોડા) જેવા તદ્દન એકાંતમાં આવેલા નાના ગામડામાં વસતા અને પોતાની ઉગ્ર સાધનામાં તથા કર્તવ્યનિષ્ઠામાં રહેતા સ્વામી આનંદે આ પુસ્તકની જે પ્રસ્તાવના લખી મોકલેલ છે તે અર્થે તેમનો પણ સવિશેષ આભાર માનવાનું ચૂંકું તો નર્યો નાલાયક જ ગણાઉ.
વિશ્વવંદ્ય મહાત્મા ગાંધીજીના વારસાને મેળવી પોતાના જીવનમાં યથાર્થ ઉતારનારા એવા શ્રી ભાવેજી અને શ્રી સ્વામી આનંદનો આ પ્રવૃત્તિમાં મને જે સહકાર મળ્યો છે તેથી મારી જાતને પણ હું ધન્ય ધન્ય માનું છું.
પૂજ્ય સ્વામી આનંદ સાથે પ્રસ્તાવના લખવા બાબત લાંબો પત્રવ્યવહાર ચાલેલ, તેમણે તો પોતાની જાતને ‘ઢ’ કહી આ કામ કરવાનો
Page #13
--------------------------------------------------------------------------
________________
ર
સાફ ઈન્કાર ફરમાવેલ; પરંતુ મેં મારું લખાવવાનું પૂંછડું એવું મજબૂત પકડી રાખેલું, જેથી તેમણે અકળાઈને પણ સ્વીકારવાની હા પાડી અને જે માનસિક તકલીફ વેઠી તે કેવળ મારી મૂર્ખાઈને વશ થઈને વેઠી છે તે કદી ભુલાય તેવી નથી. મારું પૂંછડું ઢીલું મૂક્યું હોત તો પોતે શુદ્ધ સનાતની છતાં ય જૈનધર્મ અને બૌદ્ધધર્મ પ્રતિ અને જૈન આલમ પ્રતિ નિષ્પક્ષ એવા તેમના મનમાં જે અસાધારણ સહાનુભૂતિ છે, તેમના જે અમૂલ્ય અનુભવો છે, તેમની એ નર્યું સત્ય સંભળાવી દેવાની નિર્ભય વૃત્તિ છે તે બધું તેમના ચિત્તમાં જ પડ્યું રહેત. અહીં અપ્રસ્તુત છે છતાં કહી દેવું જરૂરી છે કે બીજા મહાનુભાવો ય તેમને સતાવીને પણ તેમના અનુભવો શબ્દોમાં બહાર કઢાવે એવી મારી નમ્ર વિનંતી તથા ખાસ ભલામણ છે. આ અંગે પૂ. સ્વામી આનંદનો ફરી ફરીને અત્યંત સદ્દભાવ સાથે આભાર માનવાની જે તક મને સાંપડી છે તેથી વળી વિશેષ ધન્યતા અનુભવું છું.
૫. મારી આ પ્રવૃત્તિમાં જેમણે જેમણે ભૂતકાળમાં સહકાર આપેલ છે તે તમામ સજ્જનો (૧. ડૉ. બાબુ ભગવાનદાસજી કાશીવાળા - શ્રી પ્રકાશજીના પૂજ્ય પિતાજી, ૨. ભાઈ ગુલાબચંદ જૈન દિલ્લીવાળા, ૩. કવિ મુનિશ્રી અમરચંદજી ઉપાધ્યાય આગ્રા, ૪. ભાઈ શાંતિલાલ શેઠ – માનનીય કાકા કાલેલકરના દિલ્લીથી છપાતા “મંગળપ્રભાત'ના પ્રકાશન સાથે એમનું નામ સંકળાયેલ છે તથા જૈનપ્રકાશ' નામના પત્રના સંપાદકરૂપે એમનું નામ પ્રખ્યાત છે, ૫. નેહી શ્રી રિષભદાસજી રાંક, સંપાદક જૈન જગત, ૬. સ્નેહી ભાઈ માનમલજી જૈન ખીચનવાળા - મદ્રાસમાં ઝવેરાત તથા સોનાચાંદીનો વેપાર કરનાર વગેરે)નું આભાર સાથે અહીં નામ સંકીર્તન કરું છું.
Page #14
--------------------------------------------------------------------------
________________
१३
૬. મારા આ કાર્યમાં સહાનુભૂતિ દાખવનાર અને તેમાં સક્રિય રસ લેનાર માનનીય મુનિ શ્રી પુણ્યવિજયજી આગમપ્રભાકરનું નામ વિશેષ આદર ને શ્રદ્ધા સાથે અહીં યાદ કરું છું.
૭. આ આવા પ્રકાશન માટે પ્રેરણા આપનાર અને તે માટે અર્થ વેરનાર ભાઈ મનસુખલાલ તારાચંદ મહેતા ખરેખર ધન્યવાદને પાત્ર છે. તેઓ મારા ખાસ સગા તો છે જ, ઉપરાંત અસાધારણ સ્નેહી છે તથા મારી કેટલીક મૂંઝવણો અને અગવડોને દૂર કરવામાં ભારે રસ લે છે એટલે ‘એક સગા’ સમજીને તેમનો આભાર ન માનું તો ભીંત ભૂલ્યો જ ગણા
Inre
સંપાદક.
Page #15
--------------------------------------------------------------------------
________________
કરુણાનું અમૃત મહાવીર’ એમને શા માટે કહ્યા હશે? નાનપણથી મનને કુતૂહલ થતું. કોઈ રણાંગણની લડાઈ સાથે તો એમને કશી લેવાદેવા નથી. જેનો “જિન”ના અનુયાયી. જિન એટલે જીતનાર. કોના જીતનાર ? ધીમે ધીમે એ બંને શબ્દો યોજાવા પાછળ રહેલા ઔચિત્યનો પરિચય થયો. હૃદયે સાક્ષી પૂરી :
તમે મહાવીર, ન શસ્ત્ર હાથમાં સંજીવનીશું નિજ આત્મ-કોષે સંચી અહિંસામૃત, જીવમાત્રની સમક્ષ ઊભા અભયે મુઘભર્યા. તમે જયસ્વી જિન, લોકમાત્રને રાખો સદાયે અભયે; કર્યા વશ તે માન, માયા, વળી ક્રોધ, લોભ,
દુય ચારે રિપુ, ને થયા જિન. મહાવીર વાણીના આવા હાથવગા સંગ્રહની ઘણી જરૂર હતી. પં. બેચરદાસજીએ વિષયવાર સ્તબકો પાડી, ૩૧૪ અમૃતવચનો એકત્ર કરી, તેની સંસ્કૃત છાયા આપવા ઉપરાંત, સરળ ગુજરાતી અનુવાદ અને મદદરૂપ નીવડે એવાં ટિપ્પણ આપ્યાં છે એથી ગુજરાતી વાચક ઉપર મોટો ઉપકાર થયો છે.
જૈન આગમ સાહિત્યમાંથી એકત્ર કરેલા આ ઉદ્દગારો ભગવાન
Page #16
--------------------------------------------------------------------------
________________
१५
મહાવીરના જ મુખના છે એવું સમજવાનું નથી. અહિંસા વિશેના શ્લોક(૧૧)માંનો ‘“તે તે તમામ ધર્મસ્થાનોમાં ભગવાન મહાર્વીરે પ્રથમ સ્થાન આ (અહિંસા) બતાવેલું છે.’’ – એવો ઉલ્લેખ મહાવીર – દાખવી વસ્તુઓ આગમ ગ્રંથોમાં સંગ્રહાયાનું દર્શાવે છે. પાછળના ગણધરો અને સ્થવિરોને મુખે શબ્દબદ્ધ થયેલા સાહિત્યમાંથી વીણેલા આવા સૂક્તિસમુચ્ચયને મહાવીર ભગવાનના ધર્મબોધના નિચોડરૂપે જોઈ
શકાય.
પૃથ્વી ઉપર માનવનો પગ ઠરવા માંડ્યો એ સાથે સાથે બાહ્ય પ્રકૃતિને સમજવાની એની મથામણ શરૂ થઈ ચૂકી. દસવીસ લાખ વરસથી પૃથ્વી ઉપર એ વિચરે છે, પણ છેલ્લા ત્રણ સૈકાઓમાં અને ખાસ કરીને છેલ્લા ત્રણ દસકાઓમાં એ દિશામાં એની ગતિ ઘણી વધી છે. પોતાની અંત:પ્રકૃતિને સમજવાની મથામણ પણ કાંઈ એણે ઓછી કરી નથી. છેલ્લાં પાંચેક હજાર વરસમાં જુદા જુદા દેશોમાં એ અંગેની કેટલીક મહાન પ્રયોગશાળાઓ ચાલી છે.
બાહ્ય પ્રકૃતિને સમજવા દ્વારા તેની ઉપર ‘વિજય’ મેળવવાની વાત પણ માણસ કરવા લાગ્યો છે. પણ એને અંત:પ્રકૃતિ અંગેની સમજ કેળવવાની, એની ઉપર વિજય મેળવવાની, આજે - કદાચ પહેલાં કદી ન હતી તેટલી જરૂર છે. એ વસ્તુઓની ગેરહાજરીમાં બાહ્ય પ્રકૃતિ અંગેની સમજ કે તેની ઉપર મેળવેલા વિજયનો ઝાઝો અર્થ દેખાતો નથી, કેમ કે એના અસ્તિત્વને જ સંશયમાં લાવી મૂકનારાં એ નીવડ્યાં છે.
વિજ્ઞાને આપેલી રિદ્ધિઓ, સિદ્ધિઓ, શક્તિઓ જે માનવને ખાઈ જવાની ન હોય, અને જો એના વિકાસમાં ઉપકારક નીવડવાની
Page #17
--------------------------------------------------------------------------
________________
१६
હોય, તો ધર્મ વગર અધ્યાત્મ વગર એને ચાલવાનું નથી. ધર્મનાં-અધ્યાત્મનાં સત્યો આત્મસાધકોની પ્રયોગશાળાઓમાં હારો વરસોથી તારવવામાં આવ્યાં છે અને વારંવાર સ્વાનુભૂતિથી નાણી જોવામાં આવ્યાં છે, એથી તો જુદા જુદા ધર્મોની, પાયાની વાતોમાં એકમતી છે.
ભગવાન મહાવીરની પ્રયોગશાળાનાં તારણો શાં જોવા મળે છે ? સંસાર એમનાં કરુણાર્દ્ર નેત્રોને દુ:ખસંભૂત લાગે છે. સૌ જીવોને એમાં કલેશ સહન કરતા જોઈ એમનું હૃદય કકળી ઊંઠે છે
:
અહો દુ:ખિલ સંસાર, જીવો સૌ કલેશ જ્યાં સહે ! (૧૬૭) પહેલી વાત એમને જે સૂઝે છે તે સૌ જીવો પ્રત્યેની અનુકંપા, અહિંસા.
સૌ જીવો જીવવું ઇચ્છે, મરવું કો ન ઇચ્છતું. (૧૫)
એથી તમામ પ્રાણધારીઓ પ્રત્યે સંયમપૂર્વક વ્યવહાર કરવો, સમતાભાવથી વર્તવું એ યોગ્ય છે.
અસત્ય વચન કે આચરણમાં હિંસા રહેલી જ હોય છે, એનું સૂચન માર્મિક રીતે થયું છે :
આત્માર્થે, અન્ય અર્થે વા, ક્રોધથી, ભયથી 'થવા, નહીં હિંસાભર્યું જૂઠ વદવું કે વદાવવું. (૨૨)
આત્માના મુખ્ય દુશ્મનો ચાર ગણવામાં આવ્યા છે : માન, માયા (શઠતા, કપટ), ક્રોધ અને લોભ. એમને શી રીતે વશ કરવા ?
Page #18
--------------------------------------------------------------------------
________________
ઉપશમે હણો ક્રોધ, મન માર્દવતા વડે,
માયા આર્જવભાવેથી, લોભ સંતોષથી છતો. (૧૪૬) આત્માથીને પ્રમાદ ન પોષાય. તેથી પુરાણ અને લોકકથાના ભાર્ડપંખી (જેને બે મુખ હોઈ અસાવધપણે એક મુખથી કોઈ ઝેરી પદાર્થ ખાઈ બેસે તો મરી જ જાય)ની જેમ અપ્રમત્ત રહીને વર્તવાનું કહ્યું છે :
ભાડ પંખી સમ સંચર અપ્રમત્ત. (૧૬) આત્માનું રક્ષણ કરવા ઈચ્છનારે સદા અપ્રમત્ત જ રહેવું રહ્યું :
આત્માનુરક્ષી ચર અપ્રમત્ત. (૧૦૯) અપરિગ્રહ અંગે મહાવીર ભગવાનનું નિરીક્ષણ એવું છે કે ટકી રહેવા માટે અનિવાર્ય એવી સામગ્રી સાધક પાસે હોય તે પરિગ્રહ ગણાય નહિ, પણ સામગ્રી અંગેની મૂછ (આસક્તિ, મમતા) એ પરિગ્રહ છે.
મૂછ પરિગ્રહ કથી.' (૫૮) સાધકે જીવનધારણા માટે કેવી રીતે વર્તવું ?
જે રીતે ભમરો ચૂસે દ્રુમનાં પુષ્પનો રસ,
પુષ્પને ન વિલાવે, ને પોતે પામે પ્રસન્નતા...(૬૫) એ રીતે સાધકે પોતાનો નિર્વાહ અકલેશકર રીતે કરવો જોઈએ.
જે સાધક બાહ્ય પદાર્થોની ઉત્તેજના અનુભવવા લાગ્યો, તો તેની ઉપર કામનાઓ ચારે તરફથી આક્રમણ કરવાની :
Page #19
--------------------------------------------------------------------------
________________
१८
ઉદ્દીપ્તને ઘેરતી કામનાઓ, વિહંગ સ્વાદુળ વૃક્ષને યથા. (૧૩૫)
ઇચ્છા-કામના-ના બળને એક ઉદ્ગારમાં સુરેખ રીતે વર્ણવવામાં આવ્યું છે :
ઇચ્છા ખરે આભ સમી અનન્તિકા. (૧૫૦)
સાધકને વળી વળીને વિષયો વળગે તો તેથી એણે કંટાળી જવાનું નથી, બલકે અકંપ રહીને લક્ષ્ય તરફ આગળ વધવાનું છે :
મથી રહ્યો સાધક મોહ જીતવા, તેને સ્પર્શે જે વિષયો વળી વળી અછાજતા કૈંક અનેકરૂપ,
એનો ઘટે દ્વેષ કર્યો ન ભિક્ષુએ. (૧૧૦)
સાધકે મનમાં એટલી એક ગાંઠ વાળવાની છે કે આત્મા પોતે તારનાર છે, બધું વાંછિત આપનાર છે;
‘આત્મા વૈતરણી નદી... આત્મા કામદુધા ઘેનુ...’ (૨૧૧) માણસે યુદ્ધ બીજા કોઈની સામે કરવાનું નથી, પોતાની સાથે જ કરવાનું છે.
પોતા સામે જ ઝૂઝી લે, બાહ્ય યુદ્ધેથી શું વળે ? તે પામે સુખ જે જાતે જીતે પોતાની જાતને. (૨૧૬)
અને પછી ગોળઘીના બે અક્ષર ઉમેર્યા છે :
‘આત્મા જીત્યે જીત્યું સર્વ.’ (૨૧૭)
Page #20
--------------------------------------------------------------------------
________________
માણસ પોતે જેટલું પોતાનું બૂરું કરી શકે છે તેટલું ગળાકાપુ દુશ્મન પણ કરી શકતો નથી :
- ન કંઠછેત્તા અરિ બૂરું આચરે,
કરે દુરાત્મા નિજ જેટલું ખરે. (૨૧૮) ધર્માચરણને નિશ્ચયપૂર્વક જે વળગ્યો છે તે ઈન્દ્રિયોનાં પ્રલોભન સામે અકંપ ઊભો રહી શકે છે :
આત્મા થયો નિશ્ચિત જેહનો કે ‘તજીશ હું દેહ, ન ધર્મશાસન', તેને ચળાવી નવ ઈન્દ્રિયો શકે,
ઝંઝાનિલો મેરુ મહાદ્રિને યથા. (૨૧૯) એ જ વાત ફેરવી ફેરવીને કહેવામાં આવી છે :
સમાધિવાળી સહુ ઈન્દ્રિયો વડે;
આત્મા સદા રક્ષિત રાખવો ઘટે. (૨૨) ઉપનિષદના ઋષિએ “આત્મા રથારૂઢ જાણો, શરીર એ જ છે રથ' એવા રૂપકથી વાત કરી છે. “મહાવીર વાણી'માં નૌકાનું રૂપક છે :
શરીરને કહ્યું નાવ, જીવ નાવિક છે કહ્યો,
કહ્યો અર્ણવ સંસાર, તરે જેને મહર્ષિઓ. (૨૧) આવા આત્મજિત, સંસારને તરી જનારાઓની ક્ષમાશકિત અખૂટ હોય છે, અને તેથી તે સૌના પૂજ્ય ઠરે છે :
ઉત્સાહથી કંટક લોહના જનો આશાભર્યા કે ગરજે સહી લે;
Page #21
--------------------------------------------------------------------------
________________
२०
આશા ત્યજી કર્ણશરો સહેજે
કાંટાળ વાણીમય, તેહ પૂજ્ય. (ર૪૮) શમની આવી શક્તિ વડે શ્રમણ થવાય, બ્રહ્મ-ચર્યાથી બ્રાહ્મણ થવાય, બાહ્ય આળપંપાળથી નહિ :
ન મુંડને શ્રમણ કોઈ કારથી ન બ્રાહ્મણ. મુનિ ના વનવાસોથી, કુશવસે ન તાપસ. (૨૬૫) શમે કરી શ્રમણ, ને બ્રહ્મચર્યેથી બ્રાહ્મણ,
શાને કરી મુનિ થાય, તપથી થાય તાપસ. (૨૬૬) સાચા શ્રમણ કે બ્રાહ્મણ કે મુનિ કે તાપસનો પ્રાણીમાત્ર પ્રત્યે અવૈરભાવ, અહિંસાભાવ, પ્રેમભાવ જ ઊછળવાનો. વિશ્વના ચોકમાં એના હૃદયનો મધુર ઉઘોષ ગાજી રહેવાનો :
મિત્ર હું સર્વ જીવોનો, વેર મારે ન કોઈથી. (૩૧૩) મહાવીર વાણી' આ રીતે સુલભ કરી આપવા માટે પં. શ્રી બેચરદાસજીનો આભાર માનીએ તેટલો ઓછો. - હું પોતે અક્ષરશ: અનુવાદનો પક્ષપાતી છું. પંડિતજી જેવા ભાષાની તેમ જ ધર્મની ઝીણવટો સમજનાર વિદ્વાન અનુવાદમાં અર્થવિસ્તાર કરે ત્યારે મૂળ અર્થને હાનિ ન જ થાય. આત્મા જ દમવો જોર્યું, આત્મા ખરે જ દુર્દમ,” (૨૧૩)એનો અર્થ અને અર્થવિસ્તાર “આત્માને જ દમવો જોઈએ સંયમ અને તપની પ્રવૃત્તિ વડે બરાબર પલોટવો જોઈએ. ખરેખર આત્મા પોતે જ દુર્દમ છે – સંયમ અને તપની પ્રવૃત્તિ વડે આત્માને પલોટતાં તો નાકે દમ આવી જાય છે.” – એ રીતે થયો છે, જે સુંદર છે. તેમ છતાં અનુવાદ તરીકે તો આત્માને જ દીવો જોઈએ, આત્મા પોતે જ દુર્દમ છે એટલું જ આપવામાં આવે અને
Page #22
--------------------------------------------------------------------------
________________
બાકીના અંશો કૌંસમાં આપવામાં આવે એ પદ્ધતિ વધુ ઈચ્છવા જેવી ગણાય.
તૃતીય પરિશિષ્ટમાં (આવૃત્તિ છઠ્ઠી, પૃ. ૬૩, પંક્તિ ૧૮-૧૯) “ઉપેદ્રવજાના છંદના ચારે ચરણોમાં અગિયારમો અક્ષર લઘુ હોય તેનું નામ વંશસ્થવૃત્ત' એમ કહેવામાં આવ્યું છે તેમાં શરતચૂક થઈ લાગે છે, “ઉપેન્દ્રવજા છંદના ચારે ચરણોમાં દસમા અને અગિયારમા અક્ષર વચ્ચે એક લઘુ અક્ષર ઉમેરાયો હોય ત્યારે તેનું નામ વંશસ્થવૃત્ત' - એ રીતે એ વસ્તુ મુકાવી જોઈએ.
ટિપ્પણોમાં અન્ય ધમોંમાંથી સરખા અર્થવાળાં વચનો ઉતાર્યા છે એમાં સંગ્રાહકની ધાર્મિક ઉદારતાનું – સાચા ધર્મરસનું સુચારુ દર્શન થાય છે. ટિપ્પણી કદાચ ટૂંકાવી શકાય. કોઈને અરાત્રિભોજનસૂત્ર જેવા, વ્રત અંગે આવશ્યક છતાં, ઉકિતચસ્કૃતિ વિનાના સ્તબકની ખાસ ઉપકારકતા ન પણ જણાય.
ઉપર આપેલી, ચાલતી કલમે આ લખનારે કરેલી, ગુજરાતી પદ્યાનુવાદ-પંકિતઓથી મૂળ આગમવાણીનાં માધુર્ય અને સૌદર્યનો કંઈક ઈશારો મળ્યો હશે. ગીતા, ધમ્મપદ આદિની જેમ “મહાવીર વાણી” પણ ઉક્તિભંગિને લીધે ઘણી વાર હૃદયંગમ નીવડતી હોય છે. સ્લોકાન્ત આવતી સમર્થ જોય! મા માલિg,” “જે 7 મિç.” પંક્તિઓ કે અર્થપંક્તિઓ તે તે સૂક્તિ-સ્તબકની મંત્રશકિતને સચોટ રીતે ફુટ કરવામાં મદદરૂપ બને છે. ૨૩મા મોક્ષમાર્ગ સૂત્રના ૨૮૯ થી ૩૦૦ સુધીના લોકોમાં એક શ્લોકમાંની વાત બીજામાં આગળ વધતી જતાં સમુદ્રની ભરતીના એક મહાતરંગની જેમ કથયિતવ્ય ભવ્ય સૌંદર્યપૂર્વક પ્રસ્તુત થાય છે. અમદાવાદ, તા. ૨૧-૪-૧૯૬૫
ઉમાશંકર જોશી
Page #23
--------------------------------------------------------------------------
________________
આગમપ્રભાકર મુનિરાજ શ્રીપુણ્યવિજયજીનો હાર્દિક સદ્ભાવ
પં. શ્રીયુત બેચરભાઇએ કરેલ “મહાવીર વાણી‘“ પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ શ્રીમાન સ્વામી આનંદની વિદ્વત્તાભરી પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થાય છે, એથી આપણને ખાતરી થાય છે કે આજની પ્રજાની જિજ્ઞાસા કેવી વ્યાપક દિશામાં જઈ રહી છે !
યુગબળ એ એક અજબ વસ્તુ છે. એક યુગમાં આપણી જિજ્ઞાસા સ્વ-દેશ અને સ્વ-સંપ્રદાય પૂરતી સીમિત-મર્યાદિત હતી પણ આજે એ જિજ્ઞાસા દૂરદૂરના દેશ અને વિશ્વસંપ્રદાય સુધી પહોંચવા સજ્જ બની છે. આ સ્થિતિમાં સમગ્ર પ્રજાને તેને લગતાં સાધનો પ્રાપ્ત થાય તો જ એ જિજ્ઞાસા સંતોષાય અને પ્રજાનું જીવન વ્યાપકભાવનામય બને. આ હકીકતને લક્ષમાં રાખીને પં. શ્રી બેચરભાઈએ ‘“મહાવીર વાણી'' પુસ્તકનું નિર્માણ કર્યું છે. આ પુસ્તકની રચના માટે તેમણે સૂત્રકૃતાંગ સૂત્ર, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર અને આવશ્યક સૂત્રને જ મુખ્ય રીતે પસંદ કર્યાં છે અને તેમાંથી લોકરુચિને પ્રેરણા મળે તે રીતે શ્રી મહાવીર પરમાત્માએ ઉપદેશેલ આંતરજીવનને સ્પર્શતાં ગંભીર તત્ત્વોને લગતી ગાથાઓ અને છંદો ચૂંટી કાઢ્યાં છે. સાથે સાથે આ ગાથાઓ અને છંદોનો અર્થ અને વિવેચન આપવા ઉપરાંત બૌદ્ધ-વૈદિક સાહિત્ય સાથે તે તે વિષયની તુલના અને સમન્વય કરેલ છે. તેથી સામાન્ય વાચકને રુચિકર થવા ઉપરાંત વિશિષ્ટ અભ્યાસીને અભ્યાસની દિશાની ખાસ સૂઝ પણ આમાંથી મળી શકે તેમ છે. પ્રસંગે પ્રસંગે
Page #24
--------------------------------------------------------------------------
________________
२३
કેટલાક વિષયોની અમુક રીતે છણાવટ કરવામાં આવી છે એ આ પુસ્તકની મહત્તામાં ઉમેરો કરે છે.
અંતમાં મને સહજભાવે એક વિચાર સ્ફુરે છે કે – શ્રી બેચરભાઈએ ઘણાં વર્ષો અગાઉ ‘ભગવાન શ્રી વીર પરમાત્માનું જીવનચરિત્ર કઈ પદ્ધતિએ લખાવું જોઈએ'' એ વિષે એક લેખ લખ્યો હતો. એ લેખને તે પછીનાં વર્ષોમાં થયેલા અનુભવને આધારે પુન: વિશદ રીતે આલેખવામાં આવે તો પોત-પોતાની પદ્ધતિએ ભગવાન મહાવીરના જીવનને આલેખનાર કોઈ પણ લેખકને એમાંના વિચારો સવિશેષ માર્ગદર્શક થઈ પડશે.
જૈન સોસાયટી, અમદાવાદ, સં ૨૦૧૧, માઘ શુકલ ૧, સોમવાર
મુનિ પુણ્યવિજય
Page #25
--------------------------------------------------------------------------
________________
માનનીય વિનોબાજીનું પુરોવચન महावीर वाणी का गुजराती संस्करण निकल रहा है, यह खुशी की बात है। इधर बिहार में भूदान-यज्ञ के सिलसिले में घूमते हुओ बुद्ध और महावीर का मुझे निरंतर स्मरण रहा है। लोग जानते है मैंने बोधगया में समन्वय आश्रम शुरू कर दिया है। कोई नया आरंभ करने की वृत्ति अपने में मैं नहीं देखता । लेकिन भूदान की प्रवृत्ति में से समन्वय की प्रवृत्ति अनिवार्य रूप से निकल पडी।
भारत भूमि में आत्मा का चिंतन, मनन और संशोधन बहुत प्राचीन काल से आजतक होता आया है। उसमें वैदिक बौद्ध और श्रवण तीन शाखाऐं चली आई हैं। तीनो शाखाओं में अनेक संत पुरुष निर्माण हुए
और उनके विविध पंथ चले । इन पंथो में सीखों का भी एक पंथ है, जो कि आज विशेष संघटना के कारण अपने को अलग धर्म मानने लगे हैं। पर है वह एक उपासना पंथ ही । भारत के बाहर के धर्म प्रवाह भी भारतीय संस्कृति में दाखिल हो गये हैं। पारसी तो भारत के ही हो गये हैं, याने भारत के बाहर के वे मिट गये हैं। ख्रिस्ती, मुसलमान, यहूदी तीनों जमातों ने भारत को अपनाया और आज इन तीनों का अपना एक भारतीय रूप भी है। इस तरह औतिहासिक प्रवाह में भारत देश धर्म-विचारों का संगम स्थान हो गया है।
यह तिहासिक कार्य तभी पूर्ण होगा जब की हमारे जीवनदर्शन में ईन सब का हम समन्वय कर लेंगे। इस के लिये हर धर्म की सारभूत कोई चीज हमे मिल जाती हैं तो बडी सहूलियत होती है।
Page #26
--------------------------------------------------------------------------
________________
.
२५
वैदिक धर्म का सार, सूत्र रूप में ईशोपनिषद में और कुछ विस्तार से भगवद्गीता में मिल जाता है। ख्रिस्ती धर्म का सार, ईसा का गिरि-प्रवचन मशहूर है । बौद्ध धर्म का सार बौद्धों का ही चुना हुआ धम्मपद है। सीखों का पूरा धर्म-विचार ‘जपुजी' में आ जाता है । जैन धर्म का सार थोडे में देनेवाली किताब की बहुत जरूरत थी, वह, मेरा ख्याल है ‘महावीर वाणी ने अच्छी तरह पूरी की है।
इस पुस्तक में सिर्फ ३१४ वचन दिये हैं, तो यह एक छोटीसी चीज हो जाती है। अध्ययन करनेवाले पर शब्द का बहुत ज्यादा बोझ नहीं पडता, और जीवन के लिये पाथेय पूरा मिल जाता है। परिभाषा का जंगल कुल टाला गया है। सामान्य पाठक को पचास एक नये शब्द इस में मिलेंगे, जो उसको भयावने नहीं होंगे बल्कि सुहावने होंगे। १९ वे सूत्र में वे बहुत सारे दाखिल हैं । यह सूत्र यहां नहीं दिया होता तो पाठकों को अपरिचित कोई शब्द नहीं मिलता । लेकिन फिर पुस्तक का वजन भी कम होता । उस सूत्र के बिना जैन-विचार के दर्शन से ही पाठक वंचित रह जाता।
समन्वय आश्रम के लिये इसका बहुत उपयोग होगा। लेकिन समन्वय आश्रम सिर्फ बुद्ध-गया में ही नहीं चलाना है। सारे देशभर में अध्ययन के और सेया कार्य के जितने स्थान हैं, उन सब को हमें समन्वय आश्रम बनाना है। उसके लिए यह एक अनमोल देन होगी। दलसिंगराय, बिहार
विनोबा के प्रणाम १०-८-१९५४
Page #27
--------------------------------------------------------------------------
________________
प्रस्तावना
सन् १९३५ से सन् १९३८ ई० तक, सेन्ट्रल लेजिस्लेटिव असेम्बली का सदस्य होने के कारण मुजको प्रति वर्ष ढाई तीन महीने माघ फाल्गुन चैत्र में नई दिल्ली में रहना पड़ा। दिल्ली निवासी श्री गुलाबचन्द जैन वहाँ कई बार मुझसे मिलने को आये और किसी प्रसंग में श्री बेचरदासजी की चर्चा उन्होंने की । सन् १९३९ में मार्च के महीने में गुलाबचन्द जी किसी कार्य के वश काशी आये; मुझसे कहा कि श्री बेचरदास जी ने जो अब अहमदाबाद कालिज़ में प्राकृत भाषा और जैन दर्शन के अध्यापक है, "महावीर वाणी" नाम से एक ग्रन्थ का संकलन किया है और उनकी बहुत इच्छा है कि तुम (भगवानदास) उनकी प्रस्तावना लिख दो। मैंने उनको समझाने का यत्न किया; मेरा वयस ७२ वर्ष का, आँखे दुर्बल, सब शक्ति क्षीण, तीन चार ग्रंथ अंग्रेजी, हिन्दी, संस्कृत के जिनके कुछ अंश लिख और छप भी गये हैं पूर्ण करने को पड़े हुए; अन्य सामाजिक जीवन में अनिवार्य झंझटो की भी कमी नहीं; थोड़ा भी नया काम उठाना मेरे लिये नितांत अनुचित; सर्वोपरि यह कि मैं प्राकृत भाषा और जैन साहित्य से अनभिज्ञ । पर गुलाबचन्द जी ने एक नहीं माना; दिल्ली जाकर पुन: पुन: मुझको लिखते रहे कि श्री बेचरदास जी ने निश्चय कर लिया है कि बिना मेरी प्रस्तावना के ग्रंथ छपेगा ही नहीं । इस प्रीत्याग्रह के आगे मुझको मानना ही पड़ा ।
श्री गुलाबचन्द जी "महावीर वाणी" की हस्त लिखित प्रति ले कर स्वयं काशी आये मैने समग्र ग्रंथ अधिकांश उनसे पढ़वा कर शेष स्वयं देख कर समाप्त किया । महावीर स्वामी की लोक के हित के लिये कही,
Page #28
--------------------------------------------------------------------------
________________
करुणामयी, वैराग्यभरी वाणी को सुन और पढ़ कर चित्त में श्रान्ति के स्थान में प्रसन्नता ही हुई और सात्त्विक भावों का अनुभव हुआ। ... महावीर स्वामी और गौतम बुद्ध कुछ वर्षों की छुटाई बढ़ाई से समकालीन हुए-यह निर्विवाद है। किन्तु इन दोनों महापुरुषों के जन्म और निर्वाण की ठीक तिथियों के विषय में ऐतिह्यविदों में मतभेद है; तथापि यह सर्व-सम्मत है कि विक्रम पूर्व छठी शताब्दी में दोनों ने उपदेश किया। जैन सम्प्रदायों का विश्वास है कि महावीर का जिनका पूर्वनाम "वर्धमान" है, जन्म विक्रम पूर्व ५४२ और निर्वाण वि० पू० ४७० में हुआ।
___ उस समय में “लिपि" कम थी, “श्रुति" और "स्मृति" की ही रीति अधिक थी, गुरु के, ऋषि के, महापुरुष के, आचार्य के वचनों को श्रोतागण सुनते और स्मृति में रख लेते थे। महावीर के निर्वाण के बाद दूसरी शताब्दी में बड़ा अकाल पड़ा; जिनानुयायी “क्षपण" वा "श्रमण" कहलाने वाले साधुओं का संघ बहुत बिखर गया; कंठ करने की परम्परा में भंग हुआ; बहुत उपदेश लुप्त हो गये। अकाल मिटने के बाद स्थूलभद्राचार्य की देखरेख में पाटलिपुत्र में संघ का बड़ा सम्मेलन हुआ; बचे हुए उपदेशों का अनुसन्धान और राशीकरण हुआ; पर लिखे नहीं गये । महावीर निर्वाण की नवीं शताब्दी (वीर निर्वाण ८२७-८४० तक) में, मथुरा में स्कंदिलाचार्य
और वलभी में नागार्जुन के आधिपत्य में सम्मेलन होकर उपदेशों का संग्रह किया गया और उन्हें लिखवाया भी गया । निर्वाण की दसवीं शताब्दी में बहुत से श्रुतधारी साधुओं का विच्छेद हुआ । देवर्धिगणिक्षमा श्रमण ने अवशिष्ट संघ को वलभी नगर में एकत्र करके उक्त दोनों - माथुरी और वलभी - वाचनाओं की समन्वयपूर्वक लिपि कराई। जिनोक्त सूत्र के नाम
Page #29
--------------------------------------------------------------------------
________________
-
२८
से प्रसिद्ध वाक्यों के संग्रहीता यह देवर्धिगणि ही माने जाते हैं। उमा-स्वाति के “तत्त्वार्थाधिगम सूत्र" जो प्राय: जिननिर्वाण के ४७१, अर्थात् विक्रम संवत के प्रारम्भ के लगभग किसी समय में लिखें गये और जिनमें जैनदर्शन का सार बहुत उत्तम रीति से कहा है वे इनसे भिन्न है। देवर्धिगणि के संकलित सूत्र, आचारांग, सूत्रकृतांग, व्याख्याप्रज्ञप्ति, दशवैकालिक सूत्रादि को देखने का मुझे अवसर नहीं मिला । श्री बेचरदासजी ने उन्हीं सूत्रों में से स्वयं महावीर स्वामी के कहे श्लोकों का उद्धरण और संदर्भण प्रस्तुत ग्रंथ “महावीर वाणी" में किया है।
२५ सूत्रों वा अध्यायों मे ३४६ प्राकृत श्लोकों और उनके हिन्दी अनुवादों का संग्रह है। मुझको नहीं ज्ञात है, कि जैन वाङ्मय में इस प्रकार का कोई ग्रंथ, प्राचीन हैं वा नहीं प्राय: न होगा अन्यथा श्री बेचरदास जी को यह परिश्रम क्यों करना होता । बौद्ध वाङ्मय में एक छोटा पर बहुत उत्तम ग्रंथ “धम्म-पद" के नाम से वैसा ही प्रसिद्ध है, जैसा वैदिक वाङ्मय में "भगवद्गीता"; “धम्म-पद" भी स्वयं बुद्धोक्त पद्यों का संग्रह कहा जाता है। संभव है कि “महावीर वाणी" जैन संप्रदाय में प्राय: वही काम देने लगे, जो बौद्ध सम्प्रदाय में धम्म-पद देता है।
भेद इतना है कि “महावीर वाणी" के अधिकतर श्लोक संसार की निन्दा करने वाले, वैराग्य जगाने वाले, यतिधर्म-संन्यासधर्म सिखाने वाले हैं; गृहस्थोपयोगी उपदेश कम हैं, पर हैं; विनय सूत्राध्याय में कितने ही उपदेश गृहस्थोपयोगी हैं।
मुझे यह देख कर विशेष आनन्द हुआ कि बहुतेरे श्लोक ऐसे हैं जिनके समानार्थ श्लोक प्रामाणिक वैदिक और बौद्ध ग्रंथो में भी बहुतायत से मिलते हैं। प्रथम मंगलाध्याय के बाद के ६ अध्यायों में पाँच धर्मो
Page #30
--------------------------------------------------------------------------
________________
२९ की प्रशंसा की है- अहिंसा, सत्य, अस्तेय, ब्रह्मचर्य, अपरिग्रह। मनुस्मृति, बौद्ध पंचशील, योग-सूत्र आदि इन्हीं पाँच का उपदेश करते हैं। ये गृहस्थ, श्रावक, उपासक के लिये भी देशकाल - समय के (शर्त के) अवच्छेद के साथ उपयोगी हैं; और यति संन्यासी भिक्षु, क्षपण, श्रमण के लिये भी अधिकाधिक मात्रा में उन अवच्छेदों को दिन दिन कम करते हुए परमोपयोगी हैं, जब वह सर्वथा समयों (शर्तो) से अनवच्छिन्न हो जाते है तब “महाव्रत' होकर सद्य: मोक्ष के हेतु होते है।
अहिंस-सच्चं च, अतेणगं च, तत्तो य बम्भं, अपरिग्गहं च, पडिवज्जिया पंच महव्वयाणि, चरिज धम्मं जिणदेसियं बिदू ।
- धम्मसुत्त, श्लोक २ ब्राह्मण सूत्राध्याय के भाव वैसे ही है जैसे महाभारत के शांतिपर्व में कहे हुए प्राय: वीस श्लोकों के हैं; जिनमें से प्रत्येक के अन्तिम शब्द यह हैं "तं देवा ब्राह्मणं विदुः" । धम्मपद में भी “ब्राह्मण वग्गो' में ऐसे ही भाव के श्लोक हैं।
न जटाहि न गोत्तेहि न जच्चा होति ब्राह्मणो; यम्हि सच्चं च धम्मो च, सो सुची सो च ब्राह्मणो। न चाहं ब्राह्मणं ब्रूमि योनिजं मत्ति-सम्भवं,
अकिंचनमनादानं, तमहं ब्रूमि ब्राह्मणं । (धम्मपद) "महावीर वाणी" में कहा है,
अलोलुपं, मुहाजीविं अणगारं अकिंचनं, असंसत्तं गिहत्थेसु, तं वयं बुम माहणं । कम्मुणा बंभणो होइ, कम्मुणा होई खत्तियो, वइसो कम्मुणा होई, सुद्दो हवइ कम्मुणा ।
- जैन आगम उत्तराध्ययन, अ० २५, गाथा २८-३२
Page #31
--------------------------------------------------------------------------
________________
३०
कुछ लोगों को यह भ्रांति होती है कि महावीर और बुद्ध ने वर्णव्यवस्था को तोड़ने का यत्न किया ऐसा नहीं है, उन्होंने तो उसको केवल सुधारने काही काम किया है। महाभारत में पुनः पुनः स्पष्ट शब्दों में वही बात कही है, जो महावीर ने कही है।
न योनिर्नापि संस्कारो, न श्रुतं न च संततिः ;
कारणानि द्विजत्वस्य; वृत्तमेव तु कारणम् । न विशेषोऽस्ति वर्णानां सर्वं ब्राह्मणमिदं जगत्; ब्रह्मणा पूर्वसृष्टं हि कर्मभिर्वर्णतां गतम् ।
महावीर ने और बुद्ध ने, दोनों ने “कर्मणा वर्ण: " के सिद्धान्त पर ही ज़ोर दिया । यही सिद्धान्त उत्तम वर्ण-व्यवस्था का मूल मंत्र है; इसके न मानने से इसके स्थान पर "जन्मना वर्ण: " के अपसिद्धान्त की स्थापना कर देने से ही, भारतीय जनता की वर्तमान घोर दुर्दशा हो रही है ।
I
यह खेद का स्थान है कि जैन सम्प्रदाय मैं भी व्यवहारतः जिनोपदिष्ट सिद्धान्त का पालन नहीं होता; प्रत्युत उसके विरोधी अप - सिद्धान्त का अनुसरण हो रहा है । मैं आशा करता हूँ कि "महावीर वाणी" के द्वारा जैन सम्प्रदाय का ध्यान इस और आकृष्ट होगा और सम्प्रदाय के माननीय विद्वान् यति जन इस महावीर के समाज और गार्हस्थ्य के परमोपयोगी उपदेश, आदेश का जीर्णोद्धार अपने अनुयायियों के व्यवहार में करावेंगे ।
अन्त में इतना ही कहना है कि मैं प्रकृत्या, समन्वयवादी, सम्वादी, सादृश्यदर्शी, ऐक्यदर्शी हूँ; विरोधदर्शी, विवादी, वैदृश्यान्वेषी, भेदावलोकी नहीं हूँ। मेरा यही विश्वास है कि सभी लोकहितेच्छु महापुरुषों ने उन्हीं सत्यो, तथ्यों, कल्याण मार्गों का उपदेश किया है, जीवन के पूर्वार्ध में लोक - यात्रा के साधन के लिये और परार्ध में परार्थ- मोक्ष- निर्वाण निःश्रेयस
Page #32
--------------------------------------------------------------------------
________________
के साधन के लिये, भातर में तो महर्षियों ने महावीर स्वामीने बुद्ध देवने मुख्य मुख्य शब्द भी प्राय: वही प्रयोग किये हैं।
“महावीर वाणी" के अन्तिम 'विवाद सू' में, कई वादों की चर्चा कर दी है। और उपसंहार बहुत अच्छे शब्दों में कर दिया है -
एवमेयाणि जम्पन्ता, बाला पंडितमाणिणो,
निययानिययं सन्तं, अयाणन्ता अबुद्धिया। अर्थात्,
एवमेतानि हि जल्पन्ति, बाला: पण्डितमानिन:,
नियताऽनियतं सन्तम् अजानन्तो ह्युबुद्धयः । यही आशय उपनिषत् के वाक्य का है;
अविद्यायामन्तरे वर्तमाना:, स्वयंधीरा: पण्डितम्मन्यमाना:, दन्द्रम्यमाणा: परियन्ति मूढाः,
अन्धेनैव नीयमाना यथान्धाः । आज कल के पांडित्य में शब्द बहुत अर्थ थोड़ा; विवाद बहुत सम्बाद नहीं; अहमहमिका विद्वत्ता प्रदर्शनेच्छा बहुत सज्झानेच्छा नहीं; द्वेष द्रोह बहुत, स्नेह प्रीति नहीं; असार-पलाल बहुत, सार-धान्य नहीं; अविद्या-दुर्विधा बहुत सद्विधा नहीं; शास्त्र का अर्थ, मल्लयुद्ध । प्राचीन महापुरुषों के वाक्यों में इसके विरुद्ध सार सज्ज्ञान सद्भाव बहुत, असार और असत् नहीं । क्या किया जाय, मनुष्य की प्रकृति ही में अविद्या भी है और विद्या भी, दुःख भोगने पर ही वैराग्य और सद्बुद्धि का उदय होता है।
. सा बुद्धिर्यदि पूर्वं स्यात् कः पतेदेवं बन्धने ?
Page #33
--------------------------------------------------------------------------
________________
फ़िर फ़िर अविद्या का प्राबल्य होता है; वैमनस्य, अशांति, युद्ध, समाज की दुर्व्यवस्था बढ़ती है; सत् पुरुषों, महापुरुषों का कर्तव्य है कि प्राचीनों के सदुपदेशों का पुन: पुन: जीर्णोद्धार और प्रचार करके और सब की एकवाक्यता, समरसता दिखाके मानवसमाज में सौमनस्य, शांति, तुष्टि, पुष्टि का प्रचार करें, जैसा महावीर और बुद्ध ने किया।
जैन शास्त्र के प्रसिद्ध दो श्लोक - एक हिन्दी का और एक संस्कृत का मैंने बहुत वर्ष हुए श्री शीतलप्रसाद जी ब्रह्मचारी(जैन)से सुने; मुझे बहुत प्रिय लगे।
कला बहत्तर पुरुष की, वा में दो सरदार,
एक जीव की जीविका, एक जीव उद्धार । आम्रवो बन्धहेतु: स्याद् मोक्षहेतुश्च संवरः,
इतीयम् आर्हती मुष्टिः सर्वमन्यत् प्रपञ्चनम् । वैशेषिक सूत्र है,
यतोऽभ्युदय-नि:श्रेयस-सिद्धिः स धर्मः । तथा वेदान्त का प्रसिद्ध श्लोक है, __ बन्धाय विषयाऽऽसक्तं, मुक्त्यै निर्विषयं मनः,
एतज् ज्ञानं च मोक्षश्च, सर्वोऽन्यो ग्रन्थविस्तरः । समय समय के सम्प्रदायाचार्य यदि ऐसे विरोध-परिहार पर संवाद पर अधिक ध्यान दें और दिलावें तो पृथ्वी पर स्वर्ग हो जाय । पर प्राय: स्वयं महा “आम्रव" -ग्रस्त होने के कारण यति-भिक्षु-संन्यासी का रूप रखते हुए भी भेद-बुद्धि, कलह, राग-द्वेष ही मनुष्यों में बढ़ाते हैं । यहाँ तक कि स्वयं महावीर और बुद्ध के जीवनकाल में ही, (यथा ईसा और मुहम्मद के जीवनकाल में ही) प्रत्येक के अनुयायियों में भेद हो गये; और
Page #34
--------------------------------------------------------------------------
________________
३३
एक के अनुयायी क्षपणों और दूसरे के अनुयायी श्रमणों में मारपीट तक हुई, जिसका वर्णन क्षेमेन्द्र ने “ अवदान - कल्पलता" काव्य में किया हैं । और उन दोनों के निर्वाण के पश्चात् तो कितने ही भिन्न भिन्न 'पंथ' प्रत्येक के अनुयायियों में हो गये। मैं आशा करता हूँ कि इन भेदों के मिटाने में और संवाद बढ़ाने में, यह " महावीर वाणी" सहायता करेगी ।
काशी सौर १०-४-१९९६ वि०
भगवानदास
Page #35
--------------------------------------------------------------------------
________________
વીતકોની રાત વીતી પૂર્વપુણ્યના ઉદયબળે કે કોણ જાણે, પણ જુદા જુદા પ્રાન્તો, કોમો અને નાતજાતોના લોકો જોડે આત્મીયતાની સગાઈનો આશીર્વાદ આખી ઉમર મારા પર રહ્યો. તેમાંયે જૈન સમાજ અને કુટુંબોનો તો કેમ જાણે હું જિંદગીભર પોષ્યપુત્ર રહ્યો. ઘરના માણસ કે કુટુંબને નાતે વર્ષોનાં વર્ષ એકથી વધુ જૈન કુટુંબોમાં વીત્યાં. તેમાં પિતૃતુલ્ય વડીલ કે સગા ભાઈ કહું એવા અનેક આત્મીય ચાલ્યા ગયા. પારણે હીંચોળેલાં ને ખોળે રમીને મોટાં થયેલાં અનેક બાળકો આંખ સામે મોટા કરતાં સ્ત્રી-પુરુષો થયાં.
પણ આ બધા ભાગ્યનો ધણી હું ભણતરમાં ભોપો રહ્યો. નિશાળેથી નાસી બચપણથી જ સાધુઓની દુનિયામાં પેઠેલો; અને
ત્યાં તો ‘તા મેં બહુ સોચ-પોચને ‘બાતન કી એક બાત”* વાળા જ સંસ્કાર પડ્યા. દૈવયોગે ટૂંક વખતમાં જ રામકૃષ્ણ મિશનના
* અલખ તો અવધિ ભઈ, તામેં બહુ સોચ-પોચ કરિબે કુ બહુત હૈ – કાહ કાહ કીજિયે ? પાર ન પુરાન હૂ કો, બેદ હૂકો અંત નાંહિ બાની તો અનેક, - ચિત્ત કહાં કહાં દીજિયે ? કાવ્ય કી કલા અનન્ત, છન્દ કો પ્રબન્ધ બહુ રાગ તો રસીલે, - રસ કહાં કહાં પીજિયે? બાતન કી એક બાત, તુલસી બતાય જાત, જનમ જે સુધાર ચહો, - રામનામ લીજિયે.
Page #36
--------------------------------------------------------------------------
________________
३५
સાધુઓના સંસર્ગમાં આવ્યો ને ભાગ્યનાં ફાટક ઊઘડ્યાં. આ જમાતના ત્રણ ગુણ : નિર્વ્યસન, કેળવણી અને સેવા. અભણ અવળચંડો એક ન જડે. બસ, ત્યારથી આતમખોજ, સંતોની ચરણસેવા ને સર્વધર્મસમભાવના સંસ્કાર સિંચાયા ને હું ન્યાલ થઈ ગયો.
ભણવાનીયે મથામણો તો પછી ઘણીયે કીધી; ગીતા, ઉપનિષદ, ભાષ્યો, ભાગવતાદિ. અંગ્રેજીયે આણંપાતળું ભણી નાખ્યું પણ બધું સટરપટર. કર્પૂજિયો જ રહ્યો.
આમ હિંદુ ધર્મસંસ્કૃતિ, શાસ્ત્રદર્શન અને વિચારણાનો પરિચય તો થોડોક ભાગ્યને બળે પામ્યો; પણ જૈનો વચ્ચે જિંદગી વીત્યા છતાં જૈનદર્શન, શાસ્ત્ર-વિચારણાની બાબતમાં કોરોધાકોર રહ્યો. દેરે-અપાશરે જાઉં, સાધુ-સાધ્વીઓનાં વખાણ સાંભળું, ઘરઆંગણે ગોચરી કરવા આવે ત્યારે ય વાતો થાય પણ મન કૉળે નહિ. વાતાવરણ બધું તંગ સાધુ-સાધ્વીઓ બધાં લકીરનાં ફકીર, ઢીંગરાયેલાં ઓશિયાળાં જેવાં લાગે. એમની પ્રાચીન પરિભાષા ને સંકીર્ણ આચારવિચારની સૃષ્ટિમાં મને સળ ન સૂઝે.
આમ ઉંમર વધતી ગઈ તેમ હિંદુ શાસ્ત્ર સંસ્કૃતિ આદિની વિચારણામાં જેમ કંઈક ચંચુપાત કરી શકયો. તેમ જૈન સાહિત્ય જે કંઈ ઉપલબ્ધ હતું તે તરફ મને કશું ખેંચાણ થઈ શક્યું નહિ. બે જ પ્રસંગો વહેલેના ફકત યાદ રહ્યા છે. રામાયણ-મહાભારતના વિખ્યાત પંડિત કલ્યાણવાળા રાવબહાદુર ચિંતામણિરાવ વૈદ્ય મારા ગુરુજનોમાં હતા. રિટાયર થયા પછી રોજ બપોરે મુંબઈ ટાઉનહૉલની રૉયલ ઍશિયાટિક સોસાયટીની લાઇબ્રેરીમાં આવે ને હું એમની પાસે ભણું. કામધેનુ પારસો મૂકે તેમ એમની જ્ઞાનગંગાના ધોધ છૂટે ને
Page #37
--------------------------------------------------------------------------
________________
હું ચસચસ પીઉં. બે-ત્રણ વર્ષની એ શ્રવણ-ભકિતમાંથી મને ઘણું ઘણું મળ્યું. એક વાર બૌદ્ધ ચાર્વાક જૈન મીમાંસકોની કંઈક ચર્ચા નીકળતાં એમણે બ્રાહ્મણ અને જૈન જીવનદર્શન અંગે વિસ્તારથી સમજણ આપેલી. બીજો પ્રસંગ લોકમાન્ય જોડેનો. માંડલનાકારાવાસ દરમ્યાન લખીને આપેલા એમના વિખ્યાત “ગીતા રહસ્ય' ગ્રંથની ૧૯૧૫ની સાલમાં પ્રેસનકલ તૈયાર થતી હતી તે દરમ્યાન પેન્સિલથી લખાયેલી મૂળ હસ્તપ્રતમાં ઠેર ઠેર નરી યાદદાસ્ત ઉપરથી કાંઉસો મૂકીને એમણે ટાંકેલા શ્રુતિસ્મૃતિ ઉપનિષદ્ શાસ્ત્રપુરાણ કાવ્યાદિ ગ્રંથોના આધારના આંકડા મૂળ ગ્રંથોમાંથી તે તે પ્રસંગો કાઢી તપાસી સરખાવી જોવાનું કામ બીજાઓ સાથે પૂના ગાયકવાડ વાડામાં દાદાની લાઈબ્રેરીમાં બેસીને હું કરતો, એ દિવસોમાં કપિલ મુનિની એક લુપ્ત સાંખ્ય કારિકા પોતે મહેનત કરીને કેવી રીતે શોધી જીવતી કરી એનો ઇતિહાસ અમને સંભળાવીને સાંખ્યોના નિરીશ્વરવાદ અને જેનોના સ્યાદ્વાદ વિષે લાંબી સમજ દાદાએ અમને આપેલી ને તેની ખૂબીઓ તેમજ ખામીઓ બતાવેલી.
સદ્ગત મોતીચંદ કાપડિયાના કુટુંબમાં વર્ષો લગી કુટુંબના નાતે હું રહેલો. એમની જૈન સાહિત્ય તેમજ સમાજની એકનિષ્ઠ સેવા ગુજરાતી જૈન આલમમાં જાણીતી છે. ધીકતા ધંધાનાં દબાણો અને રોકાણો વચ્ચે ચંદ્રસૂર્યની નિયમિતતાથી પોતે સવારના સામાયિક પછી દોઢ કલાક શાસ્ત્રગ્રન્થોના અનુવાદ, વાર્તિક, ટિપ્પણ-ટાંચણો કરવા પાછળ આપતા. પારાવાર આદરભાવે રોજેરોજ આ હું જોતો પણ એમના જાડાપાડા ગ્રંથો વાંચવાનું તો દરકિનાર, એ બધાંના
* કોરે રહ્યું.
Page #38
--------------------------------------------------------------------------
________________
३७
નામ પણ હું કદી યાદ ન રાખી શક્યો. તેવું જ શ્રી મોહનલાલ દલીચંદ વગેરે બીજા પણ સમકાલીન આંગ્લવિદ્યાવિભૂષિત આધુનિક જૈન વિદ્વાનો વિષે મને લાગતું. ત્રીજાય એક મહાપંડિતને હું ઓળખતો પણ એ તો મને નરા ધસમસિયા ને ધમરોળિયા જ લાગેલા. લેભાગુ પણ એક-બે મળેલા. આ બધાંઓની રચનાઓ અને લખાણોમાં પંડિતો અને અભ્યાસુઓને ભલે કીમતી સામગ્રી લીધી હોય, મારા જેવા ‘ઇતરે જના:' (Layman)ના દિલને તે સ્પર્શ કરી શકયાં નહિ.
રજૂઆત એક કળા છે; બલ્ક ઈશ્વરી પ્રસાદ છે. અંતરની અનુભૂતિમાંથી એ ઊગે છે ને અભણની જીભે-કલમે આવીને બેસે છે. પંડિત હોય તો સોનાથી પીળું પણ એ પાંડિત્ય-વિદ્વત્તાની મોહતાજ નથી. તુલસી, નાનક, સૂર, કબીર, જ્ઞાનબા, તુકારામ, નરસી, મીરાં આદિ મધ્યયુગીન સંતોમાંના ઘણા આજના રૂઢ અર્થમાં અભણ હતા. પણ તેમનાં ભાવભકિત ને કવિતાના જુવાળને હેલે ચડીને હિંદના સામાજિક ઈતિહાસની ચાર સદીઓ ઘસડાઈ ગઈ. આજને કાળે પણ એ સંતોની રચનાઓની, અને એમને જેમનો વારસો મળ્યો તે પ્રાચીન પૂર્વજોનાં રચેલાં ગીતા ઉપનિષદ્ ભાગવત મહાભારત રામાયણની જે રજૂઆત રામકૃષ્ણ, વિવેકાનંદ, ટાગોર, અરવિંદ, રાધાકૃષ્ણન કે ગાંધીજીએ કરી, અથવા તો મહાભારત-કથાઓની રાજાજીએ ને રામાયણ-મહાભારતનાં પાત્રોની મુ નાનાભાઈએ કરી, – એ બધામાં રજૂઆતનો કીમિયો પડેલો છે. દષ્ટિવિહોણા જૂના સાંપ્રદાયિક હરદાસો કીર્તનકારોની રજૂઆત વચ્ચે અને બાઉલોનાં ગાન કે કબીર-સાખીઓની ગુરુદેવ ટાગોરે કરેલી રજૂઆત વચ્ચે, – અથવા તો પંઢરીના પારકરીઓને મુખે આઠે
Page #39
--------------------------------------------------------------------------
________________
પહોર ગવાતા તુકારામના અભંગોની જે રજૂઆત મરહુમ જસ્ટિસ ચંદાવરકરને મુખે મુંબઈ પ્રાર્થનાસમાજ મંદિરની વ્યાસપીઠ પરથી થતી અમે નાનપણમાં સાંભળેલી તે વચ્ચે, એટલો જ ફેર છે જેટલો દિવાસાની રાત ને કોજાગરી વચ્ચે.
એ રજૂઆતનો કીમિયો બૌદ્ધ જૈન સાહિત્યના ક્ષેત્રમાં આપણી વચ્ચે પહેલ પ્રથમ કોસંબી, સુખલાલજી વગેરે મહાનુભાવોએ બતાવ્યો. મરહુમ કોસંબીજનું “બુદ્ધલીલા સારસંગ્રહ' મરાઠીમાં પહેલવહેલું પ્રગટ થયું ત્યારથી બુદ્ધ અને બૌદ્ધ સંસ્કૃતિનો ભકત હું બન્યો. તેવો જ રોમાંચ પ્રજ્ઞાચક્ષુ પૂ પંડિત સુખલાલજીની જૈનદર્શન વિચારણાદિની રજૂઆત પહેલવહેલી જોઈ ત્યારે મેં અનુભવ્યો – જાણે જૈનદર્શન જેવી કોઈક વસ્તુ છે એની પહેલી જ વાર મને ભાળ લાગી હોય !
બુદ્ધ-મહાવીરનાં જીવન અને શિક્ષણનો પરિચય વધતો ગયો તેમ તેમ જેવી વેદ-ઉપનિષત્કાલીન ઋષિઓ કે વ્યાસવાલ્મીકિએ ગાયેલી ને રચેલી સંસ્કૃતિ પ્રત્યે તેવી જ આદરભક્તિ અને મગરૂબી બૌદ્ધ જૈન સંસ્કૃતિશાખાઓ પ્રત્યે મારામાં સિંચાતી ગઈ અને હિંદુજાતિએ માનવ-વિચારણાના વિકાસમાં જે ફાળો આપ્યો છે તે માટેનાં ગૌરવ અને અભિમાનની મારી ભાવના દ્વિગુણિત થઈ. જૈન બૌદ્ધ, શીખ દ્રાવિડ આદિ વિચારણાઓ જંકશન સ્ટેશનોના યાર્ડમાં એકબીજા જોડે ગુણાકાર ભાગાકાર કરનારા રેલપાટાઓની ભુલભુલામણીભરી ફૂલગૂંથણી જેવી પણ એક જ રેલ સિસ્ટમનાં અંગઉપાંગોની જેમ એક જ કેન્દ્રસ્થ હિંદુ સંસ્કૃતિનાં અવિભાજ્ય અંગ સમી છે. બૌદ્ધો-જેનોએ વેદબ્રાહ્મણને તેના વૈભવકાળે કુર્નેસ
Page #40
--------------------------------------------------------------------------
________________
ન બનાવી ને તેની માન્યતાપ્રતિષ્ઠાને અનિવાર્ય ન માની અથવા તો ધર્મને નામે યજ્ઞયાગાદિરૂપે ઘેરઘેર ચાલતી કસાઈખોરીનો નિષેધ કર્યો, એટલા જ અપરાધ ખાતર બુદ્ધ-મહાવીરને અને તેમની આખી સાંસ્કૃતિક કમાણીને બ્રાહ્મણોએ ફગાવી દીધી, એ બીના જાણી ત્યારે મારુંઅંતર ચીત્કાર કરી ઊઠ્યું, અને હિંદની ધરતી પરથીને હિંદુજાતિના તમામ સંસ્કારક્ષેત્રમાંથી તેમને તગેડી કાઢીને જ જંપનાર આદિ શંકરાચાર્ય પ્રત્યેના મારા ભકિતભાવને જીવલેણ ફટકો પડ્યો. બુદ્ધિવૈભવના એ કોટિભાસ્કર વિષેનો મારો મત કંગાળ બની ગયો. એક મિત્રને મેં લખેલું :
"1 yield to none in my admiration for Shankar and in paying my homage to that greatest intellectual giant know to mankind. But I may be pardoned if I venture to suggest that he lacked vision. He found no use for Buddha and his noble Eight-fold Path of Righteousness beyond hotly repudiating both and banishing them beyond India's borders.
"And 'where there is no vision people perish', as we very nearly did perish; or worse still, eked out a humiliating existence as slaves with almost a total loss of manly virtues ever since Gazni's hordes started invading, soon after Shankar. I know there is a class of partisan fanatics who maintain that the loss of those manly virtues was to be attributed precisely to the
Page #41
--------------------------------------------------------------------------
________________
80
preceding centuries of Buddhist and Jain influence on India. It is infamous calumny. No chapter of India's history has been more glorious than that of the Buddhist period under Ashok and others, when India accomplished a cultural conquest of the world, and the East became a synonym for Wisdom of life and values everlasting.
"I readily admit that regeneration and decay are the Law of life, - of all living organisms. But if Shankar found contemporary Boddhism steeped in processes of decay, a man of his intellect and gifts should have crusaded against prevailing practices as did Gandhi against the curse of untouchability and brought about a complete reformation. He could have recast Brahmanism and brought about a complete reorientation of Hinduism by a process of assimilation and synthesis as did modern masters, Vivekanand downwards. He should have, besides, known that the retrograde Brahmanical revival with which he sought to replace Buddhism was equally subject to processes of corruption and decay, and could not survive for all time."
આમ હિંદુ સંસ્કૃતિના રક્ષકો અને રજૂઆતદારોએ કોહીનૂરને
Page #42
--------------------------------------------------------------------------
________________
પાંચીકા તરીકે ઓળખાવીને ફગાવી દેવામાં પોતાનો “દિગ્વિજય થયો માન્યો અને પોતાની સંસ્કૃતિના કળશકલગીને સ્થાને શોભે એવી બૌદ્ધ તેમજ જૈન સંસ્કૃતિને ઉખેળી ઉખેડીને પોતાની જ દેદીપ્યમાન સંસ્કૃતિને નિસ્તેજ કરી એના મહિમાવત્તા ધરખમ કલેવરને વિકલ ને વામણું કરી મૂક્યું. આમ એમને હાથે ઘવાઈને અસ્તાચળે ગયેલી બેમાંની બૌદ્ધ સંસ્કૃતિ આ દેશમાંથી તો દાળોવાટો થઈ ગઈ, પણ તે હાડે પ્રચારક હતી તેથી એણે તો નવાં સાંસ્કૃતિક સામ્રાજ્ય સ્થાપ્યાં ને અરધી દુનિયાને અંક્તિ કરી તે પર પોતાની નિર્મળ પ્રભા પાથરી. જૈન સંસ્કૃતિ જલાવતન* ન થઈ પણ એને અવકળા આવી ગઈ અને હાર્યાલૂંટાયા જેવી થઈને મૂઆ વાકે જીવતી
રહી.
- આમ હિંદુ સંસ્કૃતિના ટિલાયત અંગ્રેજોએ પોતાની જ માજણી બહેનોને દેશપાર કરી કે ગૂંગળાવી એટલું જ નહીં પણ પોતાના લાખ લાખ નાનેરાં બાળાભોળાં ભાંડરૂઓ સામે પણ ભોગળો ભીંડીને તેમને માના સંસ્કૃતિ-મંદિરમાં પેસવા – પૂજવા કે એના સ્તવનકીર્તનનો ઉચ્ચાર પણ કરવા સામે જાલીમ પ્રતિબંધો મેલી તેમને ભારવાહી પશુઓની હારમાં મૂક્યાં ને પોતાની જ જણેતાને નાકકાન કાપેલી વાર્પણખા બનાવી. એવી વિકલ વિદ્રપ અવસ્થામાં દુનિયાના મોં આગળ મુમૂર્ખ રહીને હિંદુસંસ્કૃતિ આટલા કાળ જીવી.
જાણું છું કે આ કડવાં વચન કાઢવા બદલ ઘણા વાચકોનો રોષ મારા ઉપર ઊતરશે. શ્રી નાનાભાઈ જેવા મુરબ્બીઓ કોચવાશે,
કે દેશવટો પામેલો.
Page #43
--------------------------------------------------------------------------
________________
છતાં આ નિપુર સત્ય ઉચ્ચારવાની ધૃષ્ટતા મેં એ દાવે કરી કે હું એ જ કડવી તુંબડીનો વેલો, એ જ સંસ્કૃતિની પેદાશ, એની સાર૫ તેમજ શરમનો વારસને એ જ માનું ફરજંદ છું. હેમ્લેટે એની જણેતાની ઉગ્ર નિર્ભર્સના કરી. મારી મા એના જ પેટજગ્યા મારા પિતરાઈઓની કરેલી મારી આ નિર્ભર્સેના સામે પુત્રો ગાત વિજ કુમતિ ન મવતિ'વાળું આશ્વાસન લે તે સામે મને વાંધો નથી.
પણ આજે એ બધાં વસમાં વીતકોની રાત વીતી છે. સંસારની ઘટમાળમાં પતન-અભ્યદયનાં ડોલચાં નિરવધિ કાળની કૂખે ચક્રનેમિક્રમે ચાલ્યા પછી આજે પાછું ઉદયકાળનું આગમન થયું છે અને તે બધે નવજીવન વેરી રહ્યું છે. હજાર વર્ષના અસ્તઅંધાર પછી ફરી એક વાર હિંદ આત્મભાનની મજલે પહોંચ્યું છે. આજે જવાહરલાલજીથી માંડીને એકેએક હિંદી દેશમાં નવી હવા ને નવી તાજગી અનુભવી રહ્યો છે; હિંદનું નવું દર્શન કરી રહ્યો છે. સમન્વયની પ્રક્રિયાઓ અને બળો પ્રજા શરીરમાં ને પ્રજામાનસમાં આજે કામ કરવા લાગ્યાં છે. હિંદુ સંસ્કૃતિને મહાવૃક્ષની બૌદ્ધ, જૈન, શીખ એકેએક શાખા-પ્રશાખાઓના નિર્મળ અને શાશ્વત અંશો પરત્વે એકેએક શિક્ષિત હિંદુ આજે સભાન અને મગરૂબ છે. લીલવૂણાના બાઝેલા પોપડા ઝાડીઝાપટી ભોંયભતો લીંપીગૂંપી ઘોળીને ઘરઆંગણેનાં સંસ્કૃતિ-મંદિરોની સમગ્ર વસાહતનો જીર્ણોદ્ધાર કરવા એ મથી રહ્યો છે. બૌદ્ધો, જૈનો, શીખો, સનાતનીઓ, સુધારકો, ઉદ્ધારકો તેમજ દેશના લાખો કરોડો હરિજન આદિવાસી અને ભૂમિહીનોને માનવી જેવાં માનવીનો દરજજો ને પ્રતિષ્ઠા આપીને હારમાં લાવવા માગનારા તરફદારો કે ભૂદાન સેવકો, બધાં જ એ જીર્ણોદ્ધાર કરવાવાળા પથકના
Page #44
--------------------------------------------------------------------------
________________
४३
સૈનિકો છે. વિરાટના પગરવે એ વસાહતને રેઢેરે દેવ જાગ્યાની આલબેલ આપતા નાનામોટા ઘંટારવ સંભળાવા લાગ્યા છે. સંસારની સંસ્કૃતિઓની આપણી આ દાદીમા કે માતામહી સંસારની તમામ સંસ્કૃતિઓ અને વિચારધારાઓ વચ્ચેથી આપસના ડંખ કાઢીને એક વિશાળ સમન્વય સાધશે અને એની આંખનાં અમી હેઠળ સંસારનાં તમામ કાળાં ગોરાં પીળાં સંતાનો, છોડ્વાછરૂને અને દીકરાંદોઈતરને નાતે એને ખોળે જંપશે એવી મારી શ્રદ્ધા છે.
દિલગીર છું, હું ચગડોળે ચડી ગયો. જૈન તીર્થંકરો અને જૈન સંસ્કૃતિને બુદ્ધ અને બૌદ્ધ સંસ્કૃતિથી પ્રાચીન ગણવામાં આવે છે. બેઉ વચ્ચે તફાવત પણ એટલો ઓછો છે કે સામાન્ય માણસ એ ભેદ ભાગ્યે પારખી શકે. જૈનોના વિશાળ સાહિત્યભંડારો હજાર વર્ષથી ખાંજરે પડ્યાં છે. એને અંગે એક જાતની ગૂઢતા (mystery) સેવાય છે. છતાં એમાં અસંખ્ય મણિરત્નો પડ્યાં છે એમ મનાય છે.
પ્રસ્તુત પુસ્તક ‘‘મહાવીર વાણી'ની પાંચમી નવેસરની આવૃત્તિ છે. તેના સંપાદક પંડિત બેચરદાસજી દોશી હું પાછળ કહી ગયો તે ગુજરાતની નવી જમાતના અગ્રેસર જૈન ધુરંધરોમાંના એક જાણીતા વિદ્યન્મણિ છે. જૂના જૈન સાહિત્યના ધૂળધોયા તરીકે એમની જીવનભરની નિષ્ઠા અને ભક્તિપરાયણતા જાણીતી છે. મહાવીર પ્રભુના જીવનમાંથી અને જૈનસાહિત્ય રત્નાગારમાંથી અણમૂલાં રત્નો ઢૂંઢીવીણીને તે ઉપર ચડેલા કાળાંતરના મેલપોપડા ને ધૂળ ઝાપટી ખંખેરીને અને ભીતરનાં નંગ ધોઈ નિખારીને પ્રજાને ભેટ કરવાના વ્યવસાયને એમણે પોતાના જીવનનું મિશન બનાવ્યો છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
જૈન વિદ્વાનોનો દાવો ઊંચો છે. છેલ્લાં સો વર્ષ દરમ્યાન આપણી ગુલામ પ્રજાને પાશ્ચાત્ય વિદ્વાનોમાંથી આપણા તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ અને જ્ઞાનગ્રન્થોના રડ્યાખડ્યા પ્રશંસકોનાં સર્ટિફિકેટો ટાંકવાની ને તે ઉપર આનંદસમાધિએ ચડી જવાની લત લાગી. જૈન વિદ્વાનો આથી અસ્કૃષ્ટ રહે એ અશક્ય હતું પણ હવે એ મૂછ વળી રહી છે. પાછળ મેં ગણાવ્યા તે પૂ. પંડિત સુખલાલજી વગેરે મહાનુભાવોની પ્રેરણા અને આગેવાની હેઠળ જૈન પંડિતો અને વિદ્વાનો જૈન સાહિત્યને મથીમથીને તેમાંથી અમૃત સમાં નવનીત ઉતારી આજે પ્રજાને પીરસવા લાગ્યા છે એ આપણું ભાગ્ય છે. જેમ જેમ આપણે સ્વભાન ઉપર આવતા જઈશું, હજારો વર્ષની આપણી પ્રજાકીય કમાણીમાં જે જે કંઈ કીમતી ને શાશ્વત મૂલ્યનું છે તેને ઓળખતા જઈશું, જેમ જેમ સમર્થ સંપાદકો ને રજૂઆતના કીમિયાગરો આપણી વચ્ચે પેદા થશે, તેમ તેમ આપણને અવનવાં દર્શનો થતાં જશે અને જીવનસાધના, પરમસહિષ્ણુતા તથા સર્વધર્મસમભાવમાં આપણે ઝડપભેર આગળ વધીશું. કારણ કે આપણા પ્રજાકીય અને સાંસ્કૃતિક હાડને એ વસ્તુ ભાવતી છે. માનવીમાત્રને સારુ એ નરવી ને તંદુરસ્તી બક્ષનારી છે.
એ દિશાએ આપણને અગાડી લઈ જવામાં પ્રસ્તુત ગ્રન્થ જેવાં રત્નો ધનની ખાણ સમાં છે. એનું વાંચન મનન ચિંતવન સૌ કોઈને મોટો ધર્મલાભ બક્ષશે અને એવી ખાણોનાં માટી-પથરા જોડે દિનરાત બાથોડિયાં ભરીને પોતાની એવી જીવનભરની જહેમતો અને સાધના—તપસ્યાઓના ફળ રૂપે આવી સાંગોપાંગ સંઘાડાઉતાર કૃતિઓ (Finished Products) ભેટ કરનારા એના નિષ્ઠાવંત પરાયણ
Page #46
--------------------------------------------------------------------------
________________
४५ સેવકો પ્રત્યે પ્રજાને કૃતજ્ઞભાવે તરબોળ કરશે.
બસ, આજથી વધુ કશા અભ્યાસુ પ્રવેશક પુરોવચનની અપેક્ષા મારા જેવા ટૂંકપૅજિયા પાસેથી કોઈ ન રાખે. તેવો કશો પ્રયત્ન કરીને હું મારી જાતને હાંસીપાત્ર ન બનાવું એમાં જ મારી ને મને આ ગોરખધંધામાં ઉતારનાર મારા યજમાન પંડિત બેચરદાસજીની શોભા સચવાય એમ છે.
એટલે માત્ર એટલું જ કહીને રૂખસદ લઈશ કે આ “મહાવીર વાણી” કોઈ વાદ, દર્શન, ઉપપત્તિ કે તત્ત્વમીમાંસા નથી. આ તો ગીતા, ધમ્મપદ, કુરળ કે ગિરિપ્રવચનની હારનું માનવજીવનને સારુ અખૂટ ભાતું દેનારું રોજિંદા સ્વાધ્યાયનું રત્ન છે. હીરની ગાંઠ ઉપર તેલને ટીપે ગંઠીને સૌએ સદાય ને હરઘડી હૈયે વળગાડી રાખવાનું. કૌસાની, આલમોરા બળેવ, ૧૪-૮-'૫૪
સ્વામી આનંદ
Page #47
--------------------------------------------------------------------------
________________
Page #48
--------------------------------------------------------------------------
________________
॥१॥ मंगल-सुत्तं
नमोकारो नमो अरिहंताणं।
नमो सिद्धाणं। नमो आयरियाणं। नमो उवज्झायाणं।
नमो लोए सव्वसाहूणं। एसो पंच नमुक्कारो, सव्वपावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥
(आवश्यक सूत्र)
भंगा-सूत्र'
નમસ્કાર मरिहंतोने'-महतोने-नमार,
સિદ્ધોને નમસ્કાર, આચાયોને નમસ્કાર,
ઉપાધ્યાયોને નમસ્કાર,
લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર, આ પાંચ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે, તથા સર્વ મંગલોમાં પ્રથમ મંગલરૂપ છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી मंगलं अरिहंता मंगलं । सिद्धा मंगलं।
साहू मंगलं । केवलिपन्नत्तो धम्मो मंगलं ।
(आवश्यक सूत्र)
મંગલ महती भंस छ, સિદ્ધો મંગલ છે,
સાધુઓ મંગલ છે, કેવલીએ નિરૂપેલો ધર્મ મંગલ છે.
लोगुत्तमा अरिहंता लोगुत्तमा। सिद्धा लोगुत्तमा।
साहू लोगुत्तमा । केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो।
(आवश्यक सूत्र)
Page #50
--------------------------------------------------------------------------
________________
મંગલ-સૂત્ર
લોકોત્તમ અહંતો લોકોત્તમ છે, ' સિદ્ધો લોકોત્તમ છે,
સાધુઓ લોકોત્તમ છે, કેવલીએ નિરૂપેલો ધર્મ લોકોત્તમ છે.
सरणं
अरिहंते सरणं पवज्जामि । सिद्धे सरणं पवजामि ।
साहू सरणं पवजामि। केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ।
(નાવશ્યક સૂત્ર)
શરણ અહિતોનું શરણ સ્વીકારું છું. સિદ્ધોનું શરણ સ્વીકારું છું.
સાધુઓનું શરણ સ્વીકારું છું. કેવલીએ નિરૂપેલા ધર્મનું શરણ સ્વીકારું છું.
૧. મંગલસૂત્ર - આ મહાવીરવાણીમાં જે જે વચનોને મૂકેલાં છે તે બધાંય જૈનથુત્ર – જૈન આગમ-આચાર અંગ, સૂત્રકૃત અંગ, ઉત્તરાધ્યયન
Page #51
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી સૂત્ર, દશવૈકાલિક સૂત્ર અને આવશ્યક સૂત્ર એ પાંચ ગ્રંથોમાંથી ચૂંટેલાં છે. નંદીસૂત્ર નામના જૈન આગમમાં પ્રાચીન જૈનશ્રુતનો સવિસ્તર પરિચય આપેલ છે. તેમાં જણાવેલું છે કે જૈનથુતના બે પ્રકાર છે : એક અંગશ્રુત અને બીજું અંગ બહારનું શ્રુત. જે શ્રુત તીર્થંકરના ખુદના ગણધરોએ રચેલું છે તેનું નામ અંગશ્રુત અને જે શ્રુત તીર્થંકરના સાક્ષાત્ અથવા પરંપરાના સ્થવિર એટલે મુનિઓએ લખેલું છે તેનું નામ અંગ બહારનું કૃત. ગણધર એટલે પ્રધાન આચાર્ય અને સ્થવિર એટલે અનુભવી મુનિરાજ. તીર્થંકરનાં વચનોને સાંભળ્યા પછી જૈન શાસ્ત્રોની રચના થાય છે અને જૈન શાસ્ત્રો જ્યારે બન્યાં ત્યારે કંઠાગ્ર રાખવામાં આવેલાં અને પછી એકબીજા પાસેથી સાંભળી સાંભળીને તે બધાને સાચવવામાં આવ્યાં છે માટે તેમનું એક નામ “શ્રુત” (યુત-સાંભળેલું) એવું પ્રસિદ્ધ છે. વેદોનું નામ “શ્રુતિ' છે, તે પણ પ્રસ્તુત “શ્રુતનામને મળતું છે અને એ બને નામો એકસરખા કારણથી પ્રચારમાં આવ્યાં છે. મહાવીરવાણીનાં વચનો અંગશ્રુત-સૂત્ર-માંથી અને અંગ બહારનાં શ્રુત-સૂત્ર-માંથી એમ બન્ને પ્રકારના શ્રુતમાંથી લીધેલાં છે.
આ ચૂંટેલાં વચનોનો મોટો ભાગ પદ્યરૂપ છે. ગવભાગ ઘણો જ ઓછો છે; મંગલસૂત્રમાં "નમસ્કારમાં નમો અરિહંતા વગેરે પ્રથમ પાંચ પદો છે તે, તથા “મંગલ' ભાગ, લોકોત્તમ' ભાગ, “શરણ' ભાગ અને ૨૪મા જાતિમદનિવારણ સૂત્રમાં આવેલો પ્રથમ સૂત્રવાળો ભાગ, એટલું આમાં ગદ્યરૂપ છે. આ સિવાય બાકીનો બધો ભાગ પધરૂપ છે.
આ આખા ય પુસ્તકમાં જે જાતની વિચારધારા બતાવેલી છે તે જાતની વિચારધારા વૈદિક પરંપરાના એટલે બ્રાહ્મણધર્મના વેદ, ઉપનિષદ, ગીતા, મનુસ્મૃતિ, મહાભારત, પુરાણ વગેરે ગ્રંથોમાં ય મળે છે તથા બૌદ્ધ ધર્મના પાલિ ભાષામાં લખાયેલા પ્રાચીન હીનયાન પરંપરાના મૂળ પિટક ગ્રંથોમાં તેમ જ મહાયાન બૌદ્ધ પરંપરાના સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથોમાં પણ મળે છે. આ ઉપરાંત પારસી ધર્મપુસ્તક ખોરદેહઅવેસ્તામાં, ખ્રિસ્તી ધર્મપુસ્તક
Page #52
--------------------------------------------------------------------------
________________
મંગલ-સૂત્ર બાઈબલમાં અને ઈસ્લામી ધર્મપુસ્તક કુરાનમાં પણ આ જાતની વિચારધારને મળતી વિચારધારા મળે છે.
આ ટિપ્પણોમાં તે તે ઉપર્યુકત ગ્રંથોમાંથી વચનોને ટાંકી બતાવી યથાસ્થાને અહીંનાં વચનો સાથે તેમની સરખામણી કરી બતાવી છે. તે તરફ વિદ્યાર્થીઓ અને વાચકો જરૂર લક્ષ્ય રાખે. કેટલાંક ટિપ્પણો વિવેચનાત્મક પણ છે.
તુલનાત્મક ટિપ્પણો ઉપરથી તમામ ધર્મોનો પાયો કેટલો બધો પરસ્પર મળતો આવે છે તેનો ખ્યાલ આવશે.
સરખાવેલાં વચનોમાં કેટલાંક તો શબ્દશ: પણ સરખાં છે. સરખામણી કરવા માટે બ્રાહ્મણ ધર્મનાં અને બૌદ્ધ ધર્મનાં મૂળ વચનોનો વિશેષ ઉપયોગ કરેલ છે.
૨. અરિહંત- આ શબ્દનું સંસ્કૃત ઉચ્ચારણ મત છે. . ગ અને . દિ ધાતુ ઉપરથી આ શબ્દ આવેલ છે. દિ ધાતુને વર્તમાન કૃદંતનો મત પ્રત્યય લાગવાથી રિહંત, મહંત અને અહિત એવાં ત્રણ પદો બને છે. પાલિ ભાષામાં કહત રૂપ પ્રચલિત છે. રિહંતા એ છઠ્ઠી વિભકિતનું બહુવચન છે, એકવચનમાં મરિહંતસ અથવા મરદત એવાં રૂપ થાય છે. નમ (નમ:) શબ્દ સાથે જોડાયેલ નામને ચોથી વિભકિતમાં વાપરવાની પ્રથા વ્યાકરણે બતાવેલી છે પરંતુ પ્રાકૃતભાષાઓમાં ચોથી વિભકિતને બદલે મોટે ભાગે છઠ્ઠી વિભક્તિ વપરાય છે. અહીં આપેલાં ગદ્ય કે પદ્ય તમામ વચનોનું સંસ્કૃત રૂપાંતર આ પુસ્તક પૂરું થયા પછી પરિશિષ્ટમાં આપેલું છે.
મત કે રિહંત શબ્દનો પ્રયોગ ઘણા પ્રાચીન સમયથી પ્રચલિત છે. મથુરામાંથી મળેલા ઈ.સ. પૂર્વેના શિલાલેખમાં “નમો કરતો વન' એ વાકયમાં પરત શબ્દ વધમાનસના વિશેષણરૂપે વપરાયેલ છે. વધમાન (વર્ધમાન) એ ભગવાન મહાવીરનું જન્મનામ છે. તથા કલિંગાધિપતિ મહામેઘવાહન મહારાજા ખારવેલનો એક મોટો શિલાલેખ ઓરિસા પ્રાંતમાં
Page #53
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાગી આવેલી ખંડગિરિ અને ઉદયગિરિની ટેકરીઓમાંની હાથીગુફામાં કોતરાયેલો મળે છે. તેની શરૂઆત નમો અરહંતાનું, નમો સર્વાનિયાનું એ પદોથી થાય છે. અહીં જે નમો અહિંતા અને નો સિદ્ધા એમ બે પદો આપેલાં છે તેને બરાબર મળતાં જ એ શિલાલેખનાં આદિનાં બે પદો છે. શિલાલેખમાં વપરાયેલો સવ શબ્દ “સબ' અર્થને સૂચવે છે. સબ એટલે સર્વ-બધા-તમામ. અહીં પાંચમા પદમાં સર્વશકૂિવાકયમાં એ શબ્દ સવરૂપે વપરાયેલ છે. વર્તમાન ગુજરાતીમાં અને હિન્દી વગેરે ભાષાઓમાં વપરાતો “સવ' કે 'સબ' શબ્દ કેટલો બધો પ્રાચીન છે તેનો પણ ખ્યાલ આ શિલાલેખનું એ વચન આપે છે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે મંગલસૂત્રનાં પાંચ પદોમાં ફક્ત પાંચમા પદમાં સત્ર શબ્દ છે છતાં તેને દરેક પદમાં સમજવાનો અર્થાત્ જેમ “સર્વ સાધુઓને' અર્થ કરેલ છે તેમ “સર્વ અરિહંતોને,” “સર્વ સિદ્ધોને' એમ પણ અર્થ સમજવાનો છે.
બૌદ્ધ ગ્રંથોમાં નમ તસમાવતો રહત સમસંવૃદ્ધ' આ વાક્ય મંગલરૂપે પ્રારંભમાં જ મૂકેલું હોય છે. આ વાકયમાં મરતો (સં. મરંત:) એ પછી વિભકિતનું એક વચન છે.
વિષ્ણુસહસ્ત્રનામ નામના સ્તોત્રમાં મરું નામ શ્રીવિષ્ણુ માટે વપરાયેલ છે. આ રીતે . રિ અને સં. મ ધાતુ ઉપરથી નિષ્પન્ન થયેલો અરિહંત, ગરદન અને મર્દ શબ્દ જૈન પરંપરામાં, બૌદ્ધ પરંપરામાં અને બ્રાહ્મણ પરંપરામાં તે તે પરંપરાના પૂજ્ય પુરુષને માટે વપરાયેલ છે.
* જૂની ગુજરાતીમાં સવ કે સન્ન શબ્દનો પ્રયોગ મળે છે. ચાલુ ગુજરાતીમાં એ પ્રયોગ ઓછો થઈ ગયો છે. છતાં તે મળે છે તો ખરો જ્યારે નોતરિયો જમણનાં નોતરાં આપવા આવે છે ત્યારે તે “આ નોતરું સવે જણનું છે' એમ પણ કહે છે. આ વાકયમાં વપરાયેલું સ’ વિનું બહુવચન સવે રૂ૫ ગુજરાતીમાં સવ' શબ્દના પ્રયોગનું સૂચક છે. સર્વ પ્ર. સર્વે નં૦ સર્વે એટલે બધા.
Page #54
--------------------------------------------------------------------------
________________
મંગલ-સૂત્ર
મરિહંતનો અર્થ-અરિહંત, અરહત કે અર્ધ શબ્દનો સીધો અર્થ ‘પૂજા કરનાર થાય છે. અર્થાત્ જે, પૂજા કરતો હોય તે અરિહંત, અરહત કે અર્ધ કહેવાય છે. અહીં શંકા થવાનો સંભવ છે કે ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ કે ભગવાન વિષ્ણુ વળી શું બીજા કોઈની પૂજા કરનારા છે? એનું સમાધાન આ છે: પૂજાના બે પ્રકાર છે : અંતરંગ પૂજા-માનસ પૂજા અને બીજી બાહ્ય પૂજા. તમામ આત્માઓ-જીવો, પ્રાણીઓ પછી ભલે તે નાનામાં નાના કીડા હોય અને મોટામાં મોટાં ઈંદ્ર કે ચક્રવર્તી હોય, તેમની તમામની તરફ સમભાવે વર્તવું – કોઈનો લેશ પણ અનાદર, તિરસ્કાર કે અપમાન ન થાય તેમ વર્તવું – કોઈ વંદન કરે કે કોઈ નિંદા કરે તો પણ તે બન્ને જાતનાં પ્રાણી તરફ સર્વથી સ્વાભાવિક સમતાભાવે વર્તવું - સમદર્શી રહેવું - મન, વચન અને શરૃર એમ ત્રણે પ્રકારે સહજ સમતા ધારણ કરી રાખવી - એક રોમમાં ય દ્વેષ, ક્રોધ, ઈર્ષ્યા કે રાગ કે મોહ ન આવે તેવી વૃત્તિ રાખી પ્રવૃત્તિ કરવી તેનું નામ અંતરંગ પૂજા ના માનસપૂજા વા આત્મપૂજા કહેવાય અને ચંદન ચડાવવું, ટીલા ટપકાં કરવાં, સ્નાન કરાવવું, ફૂલ ચડાવવાં, નિવેદ ધરવું, ચામર કે વીંજણાં કરવા તથા ધૂપ વગેરે કરવો તે બધી બાહ્યપૂજા કહેવાય. જે પુરુષ આવી બાહ્ય પૂજામાં નથી પડતો પરંતુ ઉપર કહી તેવી જગતની અંતરંગપૂજા મનસા વચસા અને શરીરણ એમ ત્રણે પ્રકારે નિરંતર કરતો રહે છે તે પુરુષ અરિહંત, અરહત કે અહિં કહેવાય. અર્થાત્ અરિહંત, અરહત કે અહિનો આ વ્યુત્પત્યર્થ છે અને તે જ અહીં બરાબર સીધી રીતે ઘટમાન છે. ગીતામાં કહ્યું છે કે,
यस्मात् नोद्विजते लोक: लोकान्नोद्विजते च यः। ઈ - અમf - મ - કુંવર (અધ્યાય ૧૨, શ્લો૧૫)
તથા
विद्या-विनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । શુનિ વૈવ થપાવે રષ્કિતા સમર્શિનઃ II (અધ્યાય ૫, શ્લો. ૧૮)
Page #55
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી જેને લીધે લોકોને ઉગ થતો નથી તથા લોકોને લીધે પણ જેને ઉગ થતો નથી એવો તથા જે રાગ દ્વેષ ભય અને ઉદ્વેગથી મુક્ત છે તે સમદર્શી કહેવાય. (૧૫) વળી, વિદ્યા તથા વિનયથી યુકત એવા ઉત્તમ મનુષ્યના પ્રતીક સમા બ્રાહ્મણ તરફ, અધમ મનુષ્યના પ્રતીક સમા ચાંડાળ તરફ અને સમગ્ર પશુના પ્રતીક સમા ગાય, હાથી અને કૂતરા તરફ પંડિત લોકો સમદર્શી હોય છે. (૧૮)
અરિહંત, અરહત કે અહિં પુરુષમાં આવી જ સમદર્શિતા હોય છે માટે પ્રસ્તુતમાં આદિ કેમ ધાતુનો સીધો જ વ્યુત્પન્યર્થ ઘટાવવો એ જ વિશેષ અગત્યનું છે.
અરિહંતને બીજો અર્થ: દેવોએ અને મનુષ્યોએ કરેલી પૂજાને જે યોગ્ય છે તે અરિહંત, અરહત કે અહં. આ ઉપરાંત રિહંત એવો પદચ્છેદ કરીને ‘રાગદ્વેષરૂપ શત્રુઓને હણી નાખનાર' એવો પણ અર્થ બતાવેલ છે.
તાત્પર્ય એ છે કે, ભારતવર્ષની ધર્મત્રિવેણીમાં એટલે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ પરંપરામાં આ શબ્દ એકસરખા અર્થમાં ઘણા પ્રાચીન સમયથી વપરાતો આવેલ છે. આ દષ્ટિએ વિચારીએ તો
राम कहो रहेमान कहो कोई कान कहो महादेव री। पारसनाथ कहो कोई ब्रह्मा सकल एक सरूप री॥
(આશ્રમ ભજનાવલી) જૈન સંત શ્રી આનંદઘનજીનું આ ભજન એકદમ સમુચિત છે.
૩. લોકમાં સર્વ- આ પાંચે પદના નમસ્કારપાઠનો ઘણો વિશાળ આશય છે. જૈન સંસ્કૃતિ અને બૌદ્ધ સંસ્કૃતિ ગુણોની પ્રધાનતાનો જ સવિશેષ આદર કરે છે અને બ્રાહ્મણ સંસ્કૃતિ પણ “ તિર્જ થામ (મનુસ્મૃતિ અધ્યાય ૬, બ્લો. ૬૬) કહીને ગુણોની જ મુખ્યતાને સ્વીકારે છે એટલે કોઈ વ્યકિત પરત્વે તેના આદરસત્કાર સારુ કેવળ સંપ્રદાયની પ્રતિષ્ઠા હોય, માત્ર વેશ
Page #56
--------------------------------------------------------------------------
________________
મંગલસૂત્ર હોય, બીજે કર્મકાંડનો કે ભાષાનો આડંબર હોય, કુલ, વંશ કે જાતિની મહત્તા હોય, રંગરૂપ કે વર્ણનું પ્રાધાન્ય હોય તેવા ખાસ દેશની ખ્યાતિ હોય વા શારીરિક લાવણ્ય કે સૌંદર્યનું આકર્ષણ હોય તે બધું પછી અને ગુણોને પહેલાં જેવા એવું ત્રણે સંસ્કૃતિનું મૂળ બંધારણ છે તથા અહિંસાપ્રધાન સંસ્કૃતિમાં એમ હોય તે જ ઉચિત છે. એટલે આ નમસ્કારપાઠમાં એમ કહેવાનો આશય છે કે સમગ્ર લોકમાં જે જે અરહતો છે, સમગ્ર લોકમાં જે જે સિદ્ધો છે, સમગ્ર લોકમાં જે જે આચાર્યો છે, સમગ્ર લોકમાં જે જે ઉપાધ્યાયો છે અને સમગ્ર લોકમાં જે જે સાધુ સંતો છે તે તમામને નમસ્કાર. આવો આ નમસ્કાર પાઠનો ઉદાર ગંભીર આશય છે. કોઈ ખાસ સંપ્રદાય કે વેશ વગેરેની અપેક્ષા હોત તો તેવા શબ્દો નમસ્કારપાઠના પ્રણેતાએ આ પાઠમાં જરૂર મૂકયા હોત; પરંતુ તેમ નથી દેખાતું માટે જ આ પાઠનો ઉદાર આશય સમજવો જોઈએ. ૪. મંગલ- સરખાવો બૌદ્ધ પરંપરામાં બોલવામાં આવતો મંગલપાઠ:
असेवना च बालानं पंडितानं च सेवना । पूजा च पूजनीयानं एतं मंगलमुत्तमं ।। मातापितुउपट्ठानं पुत्तदारस्स संगहो। अनाकूला च कम्मंता एतं मंगलमुत्तमं ।। दानं च धम्मचरिया च बातकानं च संग्रहो। अनवज्जानि कम्मानि एतं मंगलमुत्तमं । आरति विरति पापा मज्जपाना च संयमो । अप्पमादो च धम्मेसु एतं मंगलमुत्तमं ।। खंति च सोवचस्सता समणानं च दस्सनं । कालेन धम्मसाकच्छा एतं मंगलमुत्तमं ।
– (લઘુપાઠ મંગલસૂત્ર) અજ્ઞાનીઓની સોબતનો ત્યાગ, જ્ઞાનીઓની સોબતનો પ્રસંગ, પૂજ્ય
WWW.jainelibrary.org
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૦
મહાવીર વાણી પુરુષોની પૂજા એ મંગલ ઉત્તમ છે.
માતાપિતાની સેવા કરવી, સ્ત્રી અને પુત્ર વગેરે કુટુંબની સંભાળ રાખવી, વ્યાકુળતા વિનાના ધંધા રોજગાર એ મંગલ ઉત્તમ છે.
દાન દેવું, ધર્મનું આચરણ કરવું, પોતાના નાતીલાઓની સંભાળ રાખવી, પાપ વગરની પ્રવૃત્તિઓ કરવી એ મંગલ ઉત્તમ છે.
પાપથી અટકવું, મદ્યપાનનો સંયમ રાખવો, ધર્મમાં સાવધાન રહેવું એ મંગલ ઉત્તમ છે.
ક્ષમા રાખવી, સારી વાણી બોલવી, શ્રમણોનું દર્શન કરવું અને વખતસર ધર્માચરણ કરવું એ મંગલ ઉત્તમ છે.
૫. કેવલીએ- કેવલી એટલે કેવલજ્ઞાની-કેવલજ્ઞાનવાળો. પૂરેપૂરી રીતે આત્માને જેણે જાણી લીધો છે એવો પુરુષ જૈન પરિભાષામાં કેવલી' કહેવાય છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ, ભય વગેરે અઢાર દૂષણો એનામાં હોતાં નથી અને પૂર્ણ વીતરાગની ભૂમિકાએ એવો પુરુષ પહોંચી ગયો હોય છે. જેણે આત્માને જાણ્યો તેણે બધું જ જાણ્યું એવું જૈન આગમનું વચન છે, એ દષ્ટિએ કેવલીને “સર્વજ્ઞ' કહી શકાય. જૈન દષ્ટિએ વીતરાગની ભૂમિકા માનવના- આત્માની – પૂર્ણ વિકાસની ભૂમિકા છે.
૬. અહંતોનું શરણ- અહીં જેમ ચાર શરણ સ્વીકારેલાં છે તેમ બૌદ્ધ પરંપરામાં ય ત્રણ શરણોને સ્વીકારેલાં છે : “. વૃદ્ધ સર ગચ્છામિ, ૨. ઉન્ન સM Tછાનિ, રૂ. સંઘે જ છાજિ' અર્થાત્ બૌદ્ધ ધર્મની દષ્ટિએ ૧. બુદ્ધ, ૨. ઘર્મ, અને ૩. સંઘ શરણરૂપ છે. “મને શર વ્રમાં- (ગીતા અ. ૧૮, શ્લો, ૬૬) “તમે શUT '- (ગીતા અ. ૧૮, શ્લો. ૬૨) “મને એકલાને જ શરણે જા' 'તું તેને જ શરણે જા' એવું એવું કહીને ગીતા ઈશ્વરનું એક શરણ સ્વીકારવાની ભલામણ કરે છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
ધર્મ-સૂત્ર
॥२॥
धम्म-सुत्तं (१) धम्मो मंगलमुक्टुिं अहिंसा संजमो तवो। देवा वि तं नमंसन्ति जस्स धम्मे सया मणो ॥१॥
(दश० अ० १, गा० १)
॥ २ ॥
ધર્મ-સૂત્ર' ૧. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપએ ધર્મ છે. જેમનું મન સદા ધર્મમાં છે, તેમને દેવો પણ નમન ३ छे.. (२) अहिंस सच्चं च अतेणगं च,
तत्तो य बम्भं अपरिग्गहं च। पडिवज्जिया पंच महव्वयाणि, चरिज्ज धम्मं जिणदेसियं, विदू ॥२॥
(उत्तरा० अ० २१, गा० १२) ૨. પંડિત મનુષ્ય અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોને સ્વીકારીને, શ્રીજિન ભગવાને જે ધર્મ ઉપદેશ્યો छे, ते धभर्ने आय२९॥ ७२पुं. (३) पाणे य नाइवाएज्जा, अदिन्नं पि य नायए। ... साइयं न मुसं बूया, एस धम्मे वुसीमओ ॥३॥
(सू० श्रु० १, अ० ८, गा० १९)
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૨
મહાવીર વાણી ૩. નાના મોટા કોઈ પણ પ્રાણીના પ્રાણનો કે પ્રાણોનો નાશ, ન કરવો, અત્ત ન લેવું, વિશ્વાસઘાત ન કરવો, અસત્ય ન બોલવું આ, સાધુઓને બેસણે બેસનારા મનુષ્યનો આચાર છે – ધર્મ છે. (४) जरामरणवेगेणं, वुज्झमाणाण पाणिणं। धम्मो दीवो पइट्ठा य, गई सरणमुत्तमं ।।४।।
(૩૦ ૦ ૨૩, T૦ ૬૮) ૪. જરા અને મરણના વેગથી ઘસડાતા પ્રાણીઓને માટે એકલો ધર્મ બેટરૂપ છે, ટકી રહેવાના સ્થાનરૂપ છે, આશરા સમાન છે, અને ઉત્તમ શરણ સમાન છે. (५-६) जहा सागडिओ जाणं, समं हिच्चा महापहं ।
विसमं मग्गमोइण्णो, अक्खे भग्गम्मि सोयई ॥५॥ एवं धम्मं विउक्कम्म, अहम्म पडिवज्जिया। बाले मन्चुमुहं पत्ते, अक्खे भग्गे व सोयई ॥६॥
( To , To ૨૪,૨૧) પ-૬. જેમ કોઈ ગાડાખેડુ કે ગાડીવાળો જાણી જોઈને સમ-સપાટ-રાજમાર્ગને છોડી દઈ વિષમ-વાંકાચૂકા માર્ગે પોતાના વાહનને ઉતારે, અને ધરી ટૂટી જાય ત્યારે શોક કરવા બેસે, તેમ મનુષ્ય જાણી જોઈને ધર્મમાર્ગને છોડી દઈ, અધર્મમાર્ગને પકડે અને છેવટે મૃત્યુના મુખમાં સપડાતાં જીવનની ધરી ટૂટી જાય, ત્યારે શોક કરવા બેસે છે. (૭-૮) ના ના વાયuff, ન સ દિનિયર
- अहम्मं कुणमाणस्स, अफला जन्ति राइओ ।।७।।
Page #60
--------------------------------------------------------------------------
________________
ધર્મસૂત્ર
जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तई। धम्मं च कुणमाणस्स, सफला जन्ति राइओ ॥८॥
(૩૦ ૩૦ ૨૪, ૧૦ ર૪,ર૫) ૭-૮. જે જે રાત વીતી જાય છે, તે પાછી આવતી નથી. જે મનુષ્ય અધર્મને આચરે છે તેની તે વીતી ગયેલી રાત નિષ્ફળ જાય છે.
જે જે રાત વીતી જાય છે, તે પાછી આવતી નથી. જે મનુષ્ય ધર્મને આચરે છે, તેની તે વીતી ગયેલી રાત સફળ જાય છે. (૧) ના નાવર વડે, વાદીનાવ વ . जाविंदिया न हायंति, ताव धम्मं समायरे ।।९।।
(તા૮, ૦ ૨૬) ૯. જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, જ્યાં સુધી વ્યાધિઓ વધતા નથી, અને જ્યાં સુધી આંખ વગેરે જ્ઞાનેન્દ્રિયો, તથા હાથ વગેરે કર્મેન્દ્રિયો નબળી પડી નથી, ત્યાં સુધી ધર્મનું આચરણ કરી લેવું જોઈએ. (૨૦) પિહિરિ ! નયા તથા વા,
मणोरमे कामगुणे विहाय । एक्को हु धम्मो नरदेव ! ताणं, न विज्जई अन्नमिहेह किंचि ॥१०॥
(૩૨૫૦ ૨૪, ૦ ૪૦) ૧૦. હે રાજા ! તું આ પ્રત્યક્ષ મનોહર દેખાતા કામભોગોને છોડી દઈને જ્યારે ત્યારે મરવાનો છે.
હે નરદેવ ! તું યાદ રાખ કે એ વખતે તારે સારુ એક માત્ર ધર્મ શરણરૂપ છે. આ જગતમાં માત્ર ધર્મ સિવાય કોઈ ચીજ કે પ્રવૃત્તિ મરણસમયે તને ખપમાં આવવાની નથી.
-
-
-
Page #61
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
૧. માનવના સર્વ સામાન્ય ધર્મની વાતને આ સૂત્રમાં સમજાવવામાં આવેલ છે.
૧૪
૨. અહિંસા- સર્વ આત્માઓ સાથે પોતાનો વાસ્તવિક અભેદભાવ અનુભવવાની વૃત્તિ અથવા મને જેવાં સુખદુ:ખ થાય છે એવાં જ તે તમામ જીવોને થાય છે એમ સમજી કોઈપણ પ્રાણીને ન દુભાવવાની વૃત્તિ અથવા આત્મામાં રહેલા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરે દુર્ભાવોને નિગ્રહમાં લાવવાની વૃત્તિ એ અહિંસાનું લક્ષણ છે. જેટલે જેટલે અંશે ઉપર જણાવેલી કોઈ ગમે તે એક વૃત્તિ કેળવાય-થોડી પણ કેળવાય તેટલે તેટલે અંશે આત્મામાં અહિંસાનો ગુણ પ્રગટ થાય. બીજી રીતે વિચારીએ તો અહિંસા અને સંયમ એ બન્ને એક જ અર્થના વાહક જેવા શબ્દો છે. અહિંસાવૃત્તિ અને સંયમવૃત્તિ એ બન્ને વૃત્તિનો પરસ્પર સહચરભાવ છે-અવિનાભાવ છે. અને એમ છે માટે જ સર્વભૂતસંયમને-સર્વ ભૂતો તરફના સંયમયુકત વર્તનને જૈનશાસ્ત્રમાં ‘અહિંસા' કહેવામાં આવેલ છે.
૩. સંયમ એટલે બાહ્ય પ્રવૃત્તિઓની મર્યાદા અને આંતર વૃત્તિઓનું શોધનએ બન્નેનું સાહચર્ય. અકુશલ વા પાપયુક્ત મનનો નિરોધ કરી તેને કુશલ તરફ વા પવિત્ર પ્રવૃત્તિ તરફ વાળવું તેનું નામ મનસંયમ. એ જ રીતે અકુશલ વચનનો નિરોધ કરી કુશલ વચન બોલવા તરફ્ના વલણનું નામ વચનસંયમ અને અકુશલ પ્રવૃત્તિઓને રોકી કુશલ પ્રવૃત્તિઓ તરફ શરીરનું વલણ તે શરીરસંયમ તથા જેટલાં જરૂરી હોય તેટલાં સાધનોનો-ઉપકરણોનો, રાચરચીલું તથા જીવિકાનાં નિમિત્તોનો, કપડાં, આસનો, રમતગમતનાં સાધનો, રહેવાનાં `સાધનો વગેરેનો ઉપયોગ તેનું નામ ઉપકરણસંયમ. ટૂંકાણમાં જે જે પ્રવૃત્તિઓ કરવાની આવશ્યક હોય તેમને વિવેક સાથે અને યતના સાથે કરવી તેનું નામ સંયમ : આ સંયમ સર્વોદયકર છે.
૪. તપ- ચિત્તશુદ્ધિના હેતુ માટે વિવેકપૂર્વક મનનું દમન કરતાં, વચનનું દમન કરતાં અને શરીરનું દમન કરતાં જે કાંઈ દુઃખ, પીડા વા સંકટ સહવું
Page #62
--------------------------------------------------------------------------
________________
ધર્મ-સૂત્ર
૧૫ પડે તેનું નામ તપ, તપ સંયમપ્રાપ્તિનું સાધન છે. તે બે પ્રકારનું છે : બાહ્ય તપ અને આંતર તપ. બાહ્ય તપ છ પ્રકારનું છે : ૧. અનશન, ૨. ઊનોદરી, ૩. વૃત્તિ સંક્ષેપ, ૪. રસત્યાગ, ૫. કાયફલેશ અને ૬. સંલીનતા. અનશન એટલે સમયની મર્યાદા કરીને ખાનપાનનો સર્વથા ત્યાગ વા આંશિક ત્યાગ. જેમ કે, ઉપવાસ, એકાસણું વગેરે. વૈદિક દષ્ટિએ ચાંદ્રાયણ, નિર્જલા એકાદશી વગેરે. ઊનોદરી એટલે જમતાં જમતાં કે પીતાં પીતાં પેટને ઊણું રાખવું. આ ભોજનપાનની ઊનોદરી. બીજી ઉપકરણની ઊનોદરી. ઉપર જણાવેલો ઉપકરણસંયમ અને ઉપકરણોની ઊનોદરી એ બન્ને સરખાં છે. વૃત્તિસંક્ષેપ એટલે આપણી વિવિધ વૃત્તિઓનો-ટેવોનો-વ્યસનોનો અને વધારે પડતી બીજી પ્રવૃત્તિઓનો સંક્ષેપ કરવો એટલે તેમને જરૂર કરતાં વધારે ન વધવા દેવી. રસત્યાગ એટલે સ્વાદેન્દ્રિય કે જે તમામ દુ:ખનું મૂળ છે તેનો અને
સ્પર્શ, ગંધ, શબ્દ તથા રૂપની ઇંદ્રિયોનો નિગ્રહ કેળવવા વિવિધ રસોને તેમજ વિવિધ સ્પર્શીને, વિવિધ ગંધોને, વિવિધ શબ્દોને અને વિવિધ રૂપોને મેળવવાની વધારે પડતી પ્રવૃત્તિનો ત્યાગ કરવો. કાયક્લેશ એટલે સંયમપ્રાપ્તિ માટે શરીરને ખડતલ બનાવવા અને સંયમ કેળવતાં જે જે કો આવે વા પોતાનો શુદ્ધ સંકલ્પ સિદ્ધ કરવા જતાં જે જે શારીરિક કષ્ટો આવે તેમને પ્રસન્ન ભાવે સહવા માટે શરીરને તૈયાર કરવા, જે જે પ્રકારનો શરીરને દુઃખકર પણ વ્યાયામ કરવો પડે વા જે જે વિવિધ આસનો વગેરે કરવાં પડે વા ટાઢ, તાપ, શરદી વગેરે જે જે પ્રાકૃતિક પીડા સહવી પડે તે અર્થે શરીરની તાલીમ લેવી. સંલીનતા એટલે કોઈપણ પ્રયોજન વિના શરીરને વા શરીરના કોઈપણ એક વા બધા અવયવોને ચંચળ ન થવા દેવા અર્થાતુ શરીરને બરાબર સ્થિર રાખવાની ટેવ પાડવી. ઈદ્રિયોને હાથ પગ વગેરે ભાગોને અને મનને પણ સ્થિર રાખવાની ટેવ પાડવી, આ છ પ્રકાર બહારના તપના છે. આંતર તપના છ પ્રકાર આ પ્રમાણે છે : ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. કાયોત્સર્ગ. પ્રાયશ્ચિત્ત એટલે વિવિધ પ્રવૃત્તિઓ કરતાં નાનાં મોટાં શારીરિક વાચિક કે માનસિક જે કોઈ દૂષણો લાગે તેમનું નિરંતર શોધન કર્યા જ કરવું. વિનય એટલે વિદ્યાગુરુ, ધર્મગુરુ, લોકમાન્ય
Page #63
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી પુરુષો, વડીલજનો, માતાપિતા, સાધુસંતો વગેરે તરફ ભક્તિ, બહુમાનથી વર્તવું. વૈયાવૃચ એટલે અશકતો, માંદાઓ, બાળકો, વૃદ્ધજનો, દુઃખી વા રોગી સ્ત્રીઓ વગેરેની ફરી ફરીને વારંવાર સેવા કરવી તથા કુટુંબીજનો, સમાજ કે દેશની સેવા કરવી. સેવા કરવા જતાં કોઈ નાત, જાત, કુલ, વંશ, ધર્મ, સંપ્રદાય, રંગ કે દેશ વગેરેનો ભેદ ન રખાય તો તે ઉત્તમ સેવા કહેવાય. સ્વાધ્યાય એટલે પોતાની સવૃત્તિને જાગ્રત રાખવા સારુ શાસ્ત્રનાં વચનોનો, સાધુસંતોની વાણીનો, ભજનોનો, સ્તવનોનો, સજઝાયોનો તેમના અર્થની વિચારણા સાથે વારંવાર પાઠ કરવો-તે તે સદ્ધચનોને સ્થિર ભાવે વારંવાર વાંચ્યા કરવાં. ધ્યાન એકાન સ્થાનમાં જ્યાં કોઈ બીજો વિક્ષેપ ન આવે એવું હોય તેવા સ્થાનમાં બેસીને પોતાના ગુણદોષોનું નિરીક્ષણ કરવું અથવા પોતાનાં દૂષણો દૂર થાય અને ગુણો પ્રગટે એ માટે કોઈ આદર્શ આલંબનનું ચિંતન કર્યા કરવું. કાયોત્સર્ગ એટલે ગમે તે કાળે અને ગમે તે સ્થળે શુદ્ધ હેતુ માટે ચાલી નીકળવું પડે તેટલી નિર્ભયતા કેળવવા એકલા રહેવાની ટેવ પાડવી-જંગલમાં કે એવી કોઈ ભયવાળી જગ્યાએ જતાં કે રહેતાં વસમું ન લાગે અને પ્રસન્ન ભાવે રહી શકાય તે માટે અભ્યાસ કરવો અને ઉપયોગ પૂરો થઈ જતાં શરીર વગેરે આલંબનોને છોડી દેવાં પડે તો તે માટે પણ તૈયારી કરવાનો અભ્યાસ કરવો અર્થાત્ સાધકે સાધના માટેનાં આલંબનો તરફ ઉપયોગ પૂરતું જ લક્ષ્ય રાખવું.
કેવળ બાહ્ય તપ ચિત્તશુદ્ધિ માટે લગભગ નિષ્ફળ જેવું છે. બાહ્ય તપ અને આંતર તપ બને સાથે સાથે ચાલતાં રહે તો જ તે ચિત્તશુદ્ધિનું નિમિત્ત બને છે, નહીં તો નહીં; એ વાત જરૂર યાદ રાખવાની છે.
૫. દેવો પાણ- જ્યારે વૈદિક કર્મકાંડોમાં યજ્ઞયાગ વગેરેની પ્રધાનતા હતી, દેવોને પ્રસન્ન રાખવા એ કર્મકાંડો કરવામાં આવતાં અને દેવો સુધ્ધાં યજ્ઞમાં ભાગ લેવા આવતા એમ મનાતું ત્યારે દેવોની ભારે પ્રતિષ્ઠા હતી એટલે આ પદ્યના કર્તા શäભવસૂરિ જણાવે છે કે જેમનું મન અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ તરફ સદા વળેલું છે તેમને એ પ્રતિષ્ઠિત દેવો પણ નમસ્કાર
Page #64
--------------------------------------------------------------------------
________________
ધર્મ-સૂત્ર કરે છે. વૈદિક પરંપરા અને તેના ગ્રંથોમાં દેવોનું જેટલું મહત્વ છે તેટલું મહત્વ જૈન પરંપરામાં કે તેના સાહિત્યમાં નથી.
આચાર્ય શÁભવસૂરિએ ધર્મસૂત્રના આ પદને પોતે રચેલા દશવૈકાલિક સૂત્રમાં પ્રથમ મૂકેલ છે. તેઓ પ્રખર કર્મકાંડી બ્રાહ્મણ હતા. પાછળથી તેઓએ જૈન દીક્ષા સ્વીકારેલી. પછી જ્યારે મનક નામનો તેમનો પુત્ર પિતાને શોધતો શોધતો તેમની પાસે આવ્યો ત્યારે તેમણે તે નાના મનકને પણ જૈન દીક્ષા આપી. જ્યારે તેમને ખબર પડી કે મનક હવે વધારે આવે તેમ નથી તેથી તેના વાચનને માટે જેમાં સંક્ષેપે કરીને તમામ જૈન આગમોનો સાર આવી જાય એવું દશવૈકાલિકસૂત્ર રચી કાઢ્યું. પૂર્વાવસ્થાના પ્રખર કર્મકાંડી એ બ્રાહ્મણના સમયમાં તે વખતના સમાજમાં દેવોની પ્રતિષ્ઠા હોય એ સ્વાભાવિક છે.
જૈન ધર્મની દષ્ટિ ચિત્તશુદ્ધિપ્રધાન છે અને ચિત્તશુદ્ધિનાં મુખ્ય સાધન અહિંસા, સંયમ અને તપ છે એટલે તે દષ્ટિએ દેવો કરતાં શ્રેયાર્થી મનુષ્યો જ વિશેષ પ્રતિષ્ઠિત છે, જ્યારે દેવો મોટે ભાગે નર્યા ભોગપરાયણ હોઈ શ્રેયાર્થી મનુષ્યની સરખામણીમાં તેમનું મૂલ્ય નહિવત્ છે એ ખ્યાલમાં રાખવાનું છે.
૬. પાંચ મહાવ્રતોને-સરખાવો: 'પદ્વૈતાનિ પવિત્ર સર્વેષ ધર્મવFI હિંસા સત્યમફેર્યા ત્યારે મૈથુનવર્બન આ સુપ્રસિદ્ધ શ્લોક, અર્થાતુ તમામ ધર્મને અનુસરનારાઓએ આ પાંચ આચારોને પવિત્ર માનેલાં છે; અહિંસા, સત્ય, અચૌર્ય, ત્યાગ અને બ્રહ્મચર્ય એ પાંચ મહાવ્રતોના ઉલ્લેખવાળું પાણીનું આ પદ્ય ઉત્તરાધ્યયન સૂત્રમાં સમુદ્ર પાલિત નામનો મુનિ બોલે છે. તેની કથાનો સાર આ છે:
ચંપાનગરીમાં વર્તમાન ભાગલપુર પાસેના ચંપાનગરમાં-પાલિત નામનો એક મોટો સાર્થવાહ-વેપારી-રહેતો હતો. તે ભગવાન મહાવીરનો ઉપાસક-શ્રાવક હતો. એક વખત વહાણમાં વિવિધ કરિયાણાં ભરી તે, સમુદ્રમાર્ગે ચંપાથી નીકળી પિહુંડ નામને ગામે પહોંચ્યો. તે ગામના કોઈ
Page #65
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
વાણિયાએ પાલિતને પોતાની પુત્રી પરણાવી. પાલિત પોતાની પત્નીને લઈને ચંપા તરફ પાછો ફરતો હતો તેવામાં વચમાં જ વહાણમાં તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો તેથી તેનું નામ ‘સમુદ્રપાલિત' પાડ્યું. આ નામમાં પિતાનું નામ જોડાયેલ છે. એ ઉપરથી જણાય છે કે, પુત્રનાં નામો સાથે પિતાનું નામ જોડવાનો જૂનો રિવાજ હતો. સમુદ્રપાલિત યોગ્ય ઉમરમાં આવતાં તેને કલાચાર્ય પાસે ગણિત, લેખન, નૃત્ય, સંગીત, શસ્ત્રવિદ્યા વગેરે બોતેર કળાઓ શીખવા મોકલ્યો. પછી તો તે બોતેર કળાઓને શીખી યુવાન થયો ત્યારે સંગીત, નૃત્ય, રાંધણ, કાવ્ય વગેરે ચોસઠ કળાઓને શીખેલી એવી રૂપિણી નામની કન્યાને પિતાએ તેને પરણાવી. પાસે અઢળક સંપત્તિ હોવાથી તે બન્ને વરવધૂ સંસારના કામવિલાસનાં સુખોને અનુભવવા લાગ્યાં. દેવભવન જેવાં રહેવાનાં ઋતુઋતુનાં જુદાં જુદાં ભવનો, આજુબાજુ દાસદાસીઓનો મોટો પરિવાર, વિપુલ ભોગસામગ્રી તથા ખીલતું બન્નેનું યૌવન પછી મોજમા માણવામાં શી કમી રહે? એવામાં એક વાર સમુદ્રપાલિત પોતાની પત્ની સાથે ભવનના ગોખમાં બેઠો હતો ત્યાંથી તેણે શૂળીએ ચડાવવા લઈ જવાતો એક ચોર જોયો. ચોરને જોઈને તરત જ તેને વિચાર આવ્યો કે જે કર્મ-કામ-ચોરે કર્યું છે તેનું ફળ-મરણ તેને અહીં જ ભોગવવાનું આવ્યું અર્થાત્ જે જેવાં કામ કરે છે તેને તેવાં ફળો અવશ્ય ભોગવવાં પડે છે. આ વિચાર સાથે તેને તેની પોતાની અમર્યાદ વિલાસપ્રવૃત્તિ વિશે અને તેનાં દુષ્પરિણામો વિશે પણ તીવ્ર વિચાર આવ્યો, તેથી તેનું મન એ વિલાસોથી ઉદાસ થઈ ગયું અને તે, એ બધા વિલાસો તથા અનર્ગળ સંપત્તિવૈભવ છોડી દઈને ભગવાન મહાવીરને શરણે આવ્યો અને તેમની પાસે શ્રમણદીક્ષા લઈ તેમના શ્રમણસંઘમાં રહી પાંચ મહાવ્રતોને આચરવા લાગ્યો. તે મુનિ થયેલ સમુદ્રપાલિત આ બીજા પદ્યને બોલે છે.
૧૮
૭. જિન- આ શબ્દ નિ નયે ધાતુ ઉપરથી આવેલ છે. જે રાગદ્વેષ વગેરે આંતર શત્રુઓને જિતનાર છે તે જિન કહેવાય છે. જૈન એટલે જિનનો અનુયાયી. આ શબ્દ જૈન તીર્થંકરો માટે વપરાય છે. તેમ બૌદ્ધ તીર્થંકરો માટે
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૯
ધર્મ-સૂત્ર અને શ્રી વિષ્ણુ ભગવાન માટે પણ વપરાય છે. સંસ્કૃત કોશકાર અમરસિંહ, હેમચંદ્ર અને પુરુષોત્તમ પંડિત વગેરેએ 'જિન' શબ્દના એ ત્રણે અર્થો બતાવેલા છે.
૮. શરણ- આ પદ્યમાં ધર્મને “શરણ” સમાન બતાવેલ છે તેનો આશય આ છે: જે શ્રેયાર્થી શુદ્ધનિષ્ઠાથી ધર્મનું એટલે સદાચરણ, સંયમ, તપ વગેરેનું આચરણ કરે છે તેને જરામરણ વગેરેની વેદના સતાવતી નથી. શરીરધારી માત્રને જરામરણ આવવાં એ તદ્દન સ્વાભાવિક છે. શરીરનો એવો જ સ્વભાવ છે એટલે એ વેદનાઓ મોટા ભૂપ તો શું તીર્થકરોથી પણ ટાળી ટળતી નથી. ફકત ધર્મારાધન સમતાનું કારણ બને છે. એથી એ વેદનાઓ તદ્દન હળવી થઈ જાય છે એ દષ્ટિએ દુઃખમાત્રમાં ધર્મ'ને શરણ સમજવાનો છે.
. ઘડપણ- સંયમ, તપ, સદાચરણ, શ્રેયની પ્રવૃત્તિ વગેરેની સાધના વિવેક પ્રાપ્ત થતાં યુવાવસ્થાથી જ શરૂ કરી દેવી જોઈએ. એમ કરવાથી એનો સારો એવો અભ્યાસ પડી જશે અને આપણાં મન, વચન અને શરીરનાં વલણો એ તરફ વળી જશે અને યુવાવસ્થા પછીની આધેડ ઉમર આવતાં કે ઘડપણ આવતાં ય આપણું એ ધર્મમય વલણ ટકી રહેશે એટલે યુવાવસ્થાથી માંડી છેક છેલ્લી અવસ્થા સુધી બીજી કોઈ અશાંતિનો સંભવ નહિ રહે. વળી, નાનપણમાં જ આપણે જે ટેવ પાડીએ, જેવાં વલણો રાખીએ, તે જ ટેવ અને તેનાં વલણો ઠેઠ સુધી ટકે છે. માટે જ આ પદ્યમાં ઘડપણ આવતાં પહેલાં જ શ્રેયપ્રવૃત્તિ કરવાની ભલામણ કરેલી છે. પ્રેય તરફનાં વલણ ભારે જોરદાર હોય છે, એને મર્યાદામાં રાખવા માટે બળની-શકિતની-જરૂર છે. ઘડપણમાં શરીરબળ, ઈદ્રિયબળ, હાથપગની શકિત અને મનોબળ ઘણાં ઓછાં થઈ જાય છે-એટલે તે સ્થિતિમાં પ્રેય તરફનાં વલણ ઊલટાં વધારે જોરાવર બની માનવને સતાવે છે. એથી એ પ્રેય તરફનાં વલણોને મર્યાદામાં રાખવાની ટેવ ધરે ધરિ વિવેક સાથે યુવાવસ્થાથી જ પાડવી શરૂ કરી દેવી જોઈએ. ખરી વાત આ છે કે જીવનવ્યવહાર માટે જે જે પ્રવૃત્તિ કરતા હોઈએ તે તમામ પ્રવૃત્તિ શ્રેય તરફના વલણ સાથે કરવી ઘટે, એ પ્રવૃત્તિઓ કરતી
Page #67
--------------------------------------------------------------------------
________________
૨૦
મહાવીર વાણી વખતે જ પ્રેય તરફના વલણને મર્યાદામાં રાખવાનું પ્રબળ લક્ષ્ય રાખવું જોઈએ તો જ વલણો બદલી શકાય. જીવનવ્યવહારની પ્રવૃત્તિની દિશા પરિશ્રમની હોય અને સંયમ, તપ વગેરે અનુષ્ઠાનોની સાધનાની દિશા પૂર્વની હોય અથતું એ અનુષ્ઠાનો જીવનને અડતાં જ ન હોય, વિવેક વગર મનને તાણ ન પડે એ રીતે, એક વ્યસન થઈ ગયું હોય એવી શુષ્ક રીતે કરવામાં આવતાં હોય વા મૂળ લક્ષ્ય ચૂકી જઈ ધનની આશા, સ્ત્રીપુત્રની આશા, રૂપલાવણ્ય સૌંદર્યની પ્રાપ્તિની આશા એવી અનેક આશાઓ સાથે એ અનુષ્ઠાન કરવામાં આવતાં હોય તો સમજવું કે સાધનાની દિશા લક્ષ્યથી ઊંધી છે. જ્યાં શ્રેય તરફનું વલણ અને સાધના વચ્ચે કશો જ મેળ ન હોય તે પરિસ્થિતિ જીવનને શનિ - કરે છે એટલું જ નહિ એવી મેળ વગરની સાધનાથી ઘણી વાર વિપરીત પરિણામો ય આવે છે અને પોતાને શ્રેયાર્થી માનતા મનુષ્યનું જીવન વણસી જાય છે એ ધ્યાનમાં રાખવાનું છે. આ બધું સ્પષ્ટ સમજવા એક ડોશીની આ વાત ધ્યાનમાં રાખવાની છે:
એક ડોશી હતી, શરીર ખડતલ અને ભગવાનની ભારે ભગત, રોજ ને રોજ મંદિરે જાય અને રડવું આવી જાય એ રીતે કલાકેક સુધી ભગવાનની સેવા પૂજા ભકિત દીવો આરતી બધું જ કરે અને છેલ્લે સંસારમાંથી છુટકારાની માંગણી કરે. સૂરજ ઊગવાનું કદાચ ભૂલી જાય પણ ડોશી મંદિરે આવવાનું ન ચૂકે એવો તેનો દઢ નિયમ. પૂજારી પણ ડોશીની ભક્તિ ઉપર ફિદા થઈ ગયો. એમ કરતાં એક દિવસ ડોશી મંદિરે ન આવી શકી. પૂજારીએ વિચાર્યું કે આમ કેમ થયું-શું ડોશી મોક્ષધામમાં પહોંચી ગઈ ? એ સિવાય તે આવ્યા વિના ન રહે, પૂજારી તો લોટ માગવાનું બહાનું કરીને ડોશીને ઘરે પહોંચ્યો. ડોશીએ પૂજારીને ખાસો મજાનો આવકાર આપ્યો અને દોથો ભરીને તાજો હાથે દળેલો ઘઉનો લોટ આપ્યો. વાતનો તાગ લેવા પૂજારી તો બેઠો અને ડોશીમા સાથે વાતે વળગ્યો. વાત કરતાં ખબર પડી ગઈ કે આજે ડોશીની ભેંશને મરેલું પાડું આવેલું, તેથી ભેંસ કેમ કરીને દોહવા ન દે, એની મથામણમાં જ ડોશી મંદિરે આવવું ચૂકી ગયાં. પૂજારી સમજ્યો કે ડોશીના મનમાં મોક્ષધામની કલ્પના કાંઈ જુદા પ્રકારની લાગે છે. ફરી વળી ડોશીમાએ મંદિરનાં
Page #68
--------------------------------------------------------------------------
________________
ધર્મ-સૂત્ર
૨૧ પગથિયાં ઘસવા શરૂ કરી દીધાં અને એ જ ભક્તિ, પૂજા, આરતી, ધૂપ સાથે આંખમાં આંસુ આવી જાય એવા પ્રાર્થનાના સૂરો નીકળવા લાગ્યા. પૂજારીને થયું કે લાવને ડોશીને મોક્ષધામનું સ્વરૂપ સમજાવું એટલે એક દિવસ એ દેવમૂર્તિની પાછળ લપાઈ ગયો અને જેવાં ડોશી પૂજા પ્રાર્થના કરીને ઊઠ્યાં તેવો જ જાણે કે દેવ ન બોલતા હોય એ રીતે બોલ્યો : ડોશીમા ! આજ તો હું તારી ભકિતથી નુકસાન થઈ ગયો છું, માગ માગ તું માગે તે આપું. મારું વચન અફર છે. ડોશીને મોક્ષધામની જ જરૂર હતી એટલે તેણે તરત જ મોક્ષધામની માંગણી કરી. દેવ બોલ્યા : સાંભળ, હમણાં જ તારું પાડું મરી ગયું ને ? તે જ રીતે તારી ભેંશ મરી જશે, તારા દીકરા મરી જશે, તેમની વહુઓ ય મરી જશે, પછી છેલ્લે તું ય મરી જઈશ એટલે મોક્ષધામ તને મળી જશે. ડોશી તો ફાટ્ય ડોળે આ બધું સાંભળીને હેબતાઈ જ ગઈ અને ગળગળી થઈને કહેવા લાગી કે હે જિન ભગવાન ! હે વિષ્ણુ ભગવાન : હે ભોળાશંકર ! આવું મોક્ષધામ મારે ન ખપે, મારે તો જ્યાં પાડી હોય, ભેંશ હોય, દીકરાઓ હોય, તેમની વહુઓ ય હોય અને હું તેમના ઉપર રોક જમાવતી મારું રાજ્ય ચલાવતી હોઉ એવું મોક્ષધામ જોઈએ. આ સાંભળીને બિચારા દેવ જ શરમાઈ ગયા. અને ડોશી ત્યાંથી વંજે માપી ગઈ છતાં ય તે, પગથિયાં ઘસવાનું હજુ સુધી ચૂકતી નથી. આનું નામ લક્ષ્યની દિશા અને સાધનાની દિશા ઊલટી કહેવાય.
૧૦. હે રાજા! આ દસમું પદ્ય એક રાજરાણી બોલે છે. તેનો પ્રસંગ આ છે: કુરુ દેશમાં “ઇપુકાર' નગરમાં પુકાર નામે રાજા હતો. કમળાવતી તેની રાણી. ભૃગુ નામનો તેનો પુરોહિત. ભૃગુની પત્ની જશા વસિષ્ટગોત્રની. પુરોહિત અને તેની પત્નીએ ઘણી ઘણી માનતાઓ કરી, બાધા આખડીઓ રાખી, પથ્થર એટલા દેવ કર્યા ત્યારે માંડ દીકરાનું મોઢું જોયું. પછી તો બીજો પણ દીકરો તેમને થયો. ભૃગુએ પોતે છોકરાનું ભવિષ્ય જોયું તો માલૂમ પડ્યું કે આ તો બન્ને યુવાન થતાં જ શ્રમણોની દીક્ષા લઈ લેવાના છે. જ્યારે
Page #69
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
૨૨
'
છોકરા સમજણા થયા ત્યારથી તેમનાં માબાપ તેમની સામે શ્રમણોની નિંદા જ કરતા રહે; એઓ તો ગંદા હોય છે, કોઈ દી નહાય પણ નહીં, એમના શરીરમાંથી ભારે દુર્ગંધ છૂટે તથા શ્રમણો નાનાં નાનાં બાળકોને પકડી જાય છે; પછી તેમને મારી નાંખી તેમનું માંસ ખાઈ જાય છે માટે તમે બન્ને કદી પણ શ્રમણોનો પડછાયો લેશો નહીં. આવી આવી વાતો સાંભળી આ બન્ને ભાઈઓ શ્રમણોને જોતાં જ ગભરાઈ જાય અને બીને ઘરમાં સંતાઈ જાય. છોકરાંઓ ઉપર પોતાની ધારી અસર પડેલી જોઈ માબાપને નિરાંત થઈ. એવામાં બનવાકાળ એટલે તે બન્ને ભાઈઓ રમતાં-રમતાં ગામ બહાર નીકળી આવ્યા. ત્યાં તો રસ્તા ઉપર તેમણે સામા આવતા શ્રમણોને જોયા. જોતાં જ તે બન્ને ભાઈઓ ભયભીત થઇ ગયા અને ગભરાઈને પાસેના વડના ઝાડ ઉપર ચડી ગયા. દૈવયોગે એ શ્રમણો પણ એ જ વડના ઝાડની નીચે બેસીને પોતાના મહિનાના ઉપવાસનું પારણું કરવા ખાવા બેઠા. વડ ઉપર બેઠેલા તે છોકરાઓએ તેમનું ખાવાનું બરાબર જોયું તો માલૂમ પડ્યું કે તેમના ખાવામાં માંસ કે એવું બીજું કશું અભક્ષ્ય ન હતું. ઊલટું શ્રમણોનો સરળ સ્વભાવ, મધુર ભાષણ અને સૌમ્ય આકાર જોઈને તેઓ તેમના તરફ એવા આકર્ષાયા કે તેમને એમના શિષ્ય થઈને રહેવાનો વિચાર એકાએક થઈ આવ્યો. પછી તેઓ બન્ને માતા-પિતાની સમ્મતિ મેળવવા ગયા ત્યારે તેમના પિતા તેમને કહે છે કે, બેટા ! આપણે બ્રાહ્મણ કહેવાઈએ, તેમાં ય આપણું કુટુંબ ઊંચું પુરોહિતનું એટલે ગૃહસ્થાશ્રમ માંડ્યા વિના આપણી સદ્ગતિ જ ન થાય, ‘અપુત્રસ્ય ગતિઽસ્તિ’ એવું વેદવચન છે તે તમે કયાં નથી જાણતા ? તમારો વેદોનો અને બીજાં બીજાં વૈદિક કર્મકાંડનાં શાસ્ત્રોનો અભ્યાસ પૂરો થઈ જાય પછી તમે ગૃહસ્થાશ્રમ માંડો, પુત્રોના પિતા થાઓ, અગ્નિની સ્થાપના કરો, બ્રાહ્મણોને જમાડો અને પછી વાનપ્રસ્થ થઈ સંન્યાસ લેવાનો વિચાર કરી શકાય. પુત્ર સિવાય ગત થયેલા પિતાને બીજો કોણ પિંડ આપે? તમને ખબર તો છે કે પિંડ વિના પિતા અવગતિયો થાય છે. આવી અનેક વાતો
Page #70
--------------------------------------------------------------------------
________________
૨૩
ધર્મ-સૂત્ર ભૃગુએ પોતાના પુત્રોને સમજાવી પણ તેઓ તો એકના બે ન થયા અને દીક્ષા લેવાનો જ આગ્રહ કરવા લાગ્યા. છેવટે પિતાએ તેમને કહ્યું કે જેના નિર્વાણ માટે તમે વિચારો છો તે આત્મા જ કયાં છે? કોણે જોયો છે? આ રીતે છોકરાઓને તેમના સંકલ્પથી ચળાવવા ભૃગુએ નાસ્તિકવાદનો આશરો લઈ સમજાવવા માંડ્યું; પરંતુ પિતાની તમામ તકાળનો પુત્રોએ બરાબર જવાબ વાળતાં કહ્યું કે આ હિંસાવિધિપ્રધાન વેદોના અભ્યાસથી અમારું શું ભલું થવાનું છે? આ નામના બ્રાહ્મણોને જમાડીને પણ અમને શો ફાયદો થવાનો છે? મરી ગયેલો પિતા કયાં છે ? તેની જ ખબર નથી તો પછી તેને પિંડ કયાં પહોંચે ? (જુઓ મહાવીર વાણી અશરણસૂત્ર પદ્ય પાંચમું) છેવટે થાકીને પિતાએ અને માતાએ પોતાનાં અને સંતાનોને શ્રમણ થવાની સંમતિ આપી. જ્યારે પોતાના જુવાન પુત્રો જ શ્રમણ થવાની તૈયારી કરે છે ત્યારે પછી ભૃગુ પોતે અને તેની પત્ની જશા જે ઘરડાં ખંખ થઈ ગયાં છે તે હવે ગૃહસ્થાશ્રમમાં કેમ રહી શકે? એટલે લોકલાજે તે બન્ને પણ પત્રોની સાથે જ શ્રમણદીક્ષા લેવા તૈયાર થયાં. આમ આખુંય બ્રાહ્મણકુટુંબ શ્રમણદીક્ષા માટે તૈયાર થયું જાણીને અને તેમની પછવાડે બીજો કોઈ વારસ ન હોવાથી તેમની સંપત્તિનો, ઘરબારનો કબજો લેવા ત્યાં રાજા પોતે પોતાના કબજેદાર માણસો સાથે આવી પહોંચ્યો. એ વખતે રાણી કમલાવતી પોતાના પતિ રાજાને સમજાવે છે કે, રાજા! જે ધન-માલ અને ઘરબાર આ બ્રાહ્મણોએ વમી નાખ્યાં છે – છોડી દીધાં છે તેને લઈને ભૂંડા! તું કેટલુંક વધુ મેળવી શકીશ? તારી પાસે કયાં સંપત્તિ ઓછી છે? હે રાજા ! તૃષ્ણા તો અંત વિનાની છે. તેનો છેડો કદીય આવવાનો નથી. આમ કહેતાં કહેતાં રાણી છેવટે જે કહે છે તે જ આ દસમા પદ્યમાં કહેલું છે. આ સાંભળીને રાજાને પણ બોધ થયો એટલે આ છએ જણા-ઈષકાર રાજા, કમલાવતી રાણી, ભૃગુ, તેની પત્ની જશા અને તેના બે પુત્રો-એક સાથે દીક્ષા લઈ આત્મયની સાધનામાં લાગી ગયા. પ્રસ્તુત ધર્મસૂત્રમાં જે સાતમું અને આઠમું
Page #71
--------------------------------------------------------------------------
________________
૨૪
પદ્ય છે તે, પોતાના પિતાને સમાવવા ભૃગુના પુત્રો બોલે છે.
ભૃગુના પુત્રોનો પોતાના પિતા સાથે જે સંવાદ થયેલ છે તેવો જ સંવાદ મહાભારતના બારમા શાંતિપર્વના ત્રીજા મોક્ષધર્મ પર્વના ૧૭૫મા અધ્યાયમાં આવે છે. ત્યાં રાજા યુધિષ્ઠિર અને ભીષ્મપિતામહ વચ્ચે શ્રેયસ્કર પ્રવૃત્તિને અંગે ચર્ચા ચાલે છે. તેમાં પિતામહ, બ્રાહ્મણ પિતાપુત્ર વચ્ચે થયેલો જે પ્રાચીન સંવાદ ટાંકી બતાવે છે તે જ આ સંવાદ છે. આવી જ હકીકત )પુકાર જાતકમાં પણ નોંધાયેલી મળે છે. આમ આ એક જ સંવાદ જૈન પરંપરામાં, બૌદ્ધ પરંપરામાં અને બ્રાહ્મણ પરંપરામાં સચવાયેલ છે. એથી માલૂમ પડે છે કે આ વિચાર કેટલો બધો પ્રાચીન છે અને આ સંવાદ જૂના કાળની ધર્મસંબંધી કલ્પનાને પણ ઠીક આકાર આપે છે. આ વિશે વિશેષ જાણવા માટે જુઓ સને ૧૯૫૨ના ફેબ્રુઆરીના ‘અખંડઆનંદ' માસિકમાં 'મહાભારત અને જૈન આગમ' નામનો લેખ.
1/w/21
મહાવીર વાણી
Page #72
--------------------------------------------------------------------------
________________
અહિંસા-સૂત્ર
II રે !
अहिंसा-सुत्तं (११) तत्थिमं पठमं पढ़मं ठाणं, महावीरेण देसियं ।
अहिंसा निउणा दिठ्ठा, सव्वभूएस संजमो ॥१॥
| | ૩ |
અહિંસા-સૂત્ર ૧૧. તે તે તમામ ધર્મસ્થાનોમાં ભગવાન મહાવીરે પ્રથમ સ્થાન આ બતાવેલું છે. નાના મોટા તમામ જીવો સાથે સંયમપૂર્વક વ્યવહાર કરવાની પ્રવૃત્તિમાં તેમણે નિપુણ તેજસ્વી અહિંસા જોયેલી છે; અર્થાત્ એવી અહિંસાને તેમણે પ્રથમ સ્થાને બતાવેલ છે. (१२) जावन्ति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, न हणे नो वि घायए ।।२।।
(૯૦ ૦ ૬૦ ૮,૧) ૧૨. આ દુનિયામાં જેટલાં ત્રસ પ્રાણી છે અથવા જેટલાં સ્થાવર પ્રાણી છે, જાણતાં કે અજાણતાં તેમને કોઈને હણવાં નહિ, તેમ બીજા પાસે હણાવવાં પણ નહિ. (૧૩) સર્ષ તિવાય પાળ, મહુવડનેદું પાણI हणन्तं वाऽणुजाणाइ, वरं वड्ढइ अप्पणो ॥३॥
(સૂત્ર કૃ૦ ? ? ? To ૩) ૧૩. પરિગ્રહધારી મનુષ્ય પોતે જાતે પ્રાણીના પ્રાણોને હણે છે
Page #73
--------------------------------------------------------------------------
________________
૨૬
મહાવીર વાણી અથવા બીજા પાસે હણાવે છે, અથવા હણનારા તરફ પોતાની સંમતિ બતાવે છે, અને એમ કરીને તે, પોતાનું વૈર વધારે છે. (૨૪) નાિિસëિ મૂર્દિ, તસનાર્દિ થાવÉરા नो तेसिमारभे दंडं, मणसा वयसा कायसा चेव ॥४॥
(૮To ૨૦) ૧૪. જગતમાં રહેલા ત્રસ જીવો વડે અથવા સ્થાવર જીવો વડે પીડ પામવા છતાંય તેમની ઉપર મનથી, વચનથી કે શરીરથી દંડનો પ્રયોગ નહિ કરવો જોઈએ. (१५) सव्वे जीवा वि इच्छंति, जीविउंन मरिज्जिउं । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥५।।
(૬ ૦ ૨૦) ૧૫. બધા ય જીવો જીવવા ઇચ્છે છે, કોઈ જીવ મરવા ઈચ્છતો નથી. તેથી નિર્ણયો, ભયંકર એવા પ્રાણીવધનો ત્યાગ કરે છે. (१६) अज्झत्थं सव्वओ सव्वं, दिस्स पाणे पियायए। न हणे पाणिणो पाणे, भयवेराओ उवरए ॥६॥
(૩૪ર૦ ૦ ૬ ૦ ૬) ૧૬. બધી બાજુથી આવી પડનારાં બધાં સુખ દુઃખોનું મૂળ આપણા અંતરમાં છે એમ જાણીને, અને પ્રાણી માત્રને એક પોતાનો જીવ વહાલામાં વહાલો છે એમ સમજીને, જેઓ ભય અને દ્વેષના દોષોથી નિવૃત્ત થયેલ છે તેઓ, કોઈ પણ પ્રાણીના પ્રાણને હણતા નથી*.
Page #74
--------------------------------------------------------------------------
________________
२७
અહિંસા-સૂત્ર (१७) सव्वाहिं अणुजुत्तीहिं, मतिमं पडिलेहिया।
सव्वे अक्कन्तदुक्खा य, अओ सव्वे न हिंसया ॥७॥ ૧૭. મતિમાન મનુષ્ય તમામ પ્રકારની યુક્તિઓથી વિચારીને, અને તમામ પ્રાણીઓને દુ:ખ ગમતું નથી એ હકીક્તને પોતાના જાત અનુભવથી સમજીને, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. (१८) एयं खु नाणिणो सारं, जं न हिंसति किंचण । अहिंसासमयं चेव एयावन्तं वियाणिया ॥८॥
(सूत्र० श्रु० १ अ० ११ गा० ९, १०) ૧૮. કોઈને પણ પીડા ન કરવી; એ, ખરેખર જ્ઞાનીઓ માટે સારરૂપ છે. અહિંસાનું એટલું જ તાત્પર્ય સમજાય તો ય ઘણું છે. (१९) संबुज्झमाणे उ नरे महमं,
पावाउ अप्पाण निवट्टएज्जा हिंसप्पसूयाई दुहाई मत्ता, वेरानुबन्धीणि महब्भयाणि ॥९॥
(सूत्र० श्रु० १ अ० १० गा० २१) ૧૯. દુઃખો હિંસાથી જન્મેલાં છે, વૈરને વધારનારાં છે અને મહાભયંકર છે, એમ જાણીને સમજણવાળો બુદ્ધિમાન મનુષ્ય તો પોતાની જાતને પાપથી અટકાવે. (२०) समया सव्वभूएसु, सत्तु-मित्तेसु वा जगे। पाणाइवायविरई, जावज्जीवाए दुक्करं ॥१०॥
(उत्तरा० अ० १९ गा० २५)
Page #75
--------------------------------------------------------------------------
________________
૨૮
મહાવીર વાણી ૨૦. દુનિયામાં તમામ પ્રાણીઓ તરફ - પછી ભલે કોઈ શત્રુ હોય અથવા મિત્ર હોય - સમભાવે વર્તવું એનું નામ અહિંસા છે. એવી અહિંસામાં અર્થાત્ સમતાભાવમાં રહીને તમામ પ્રાણીઓને પીડા કરવાની પ્રવૃત્તિનો ત્યાગ - નાની મોટી તમામ પ્રકારની હિંસાનો ત્યાગ - જિંદગી પર્યત ટકાવવો - નભાવવો દુષ્કર છે.
૧. નિપુણ - મૂળ ગાથામાં હિંસા નિલ વિજ એ વાક્ય છે. આમાં નિરૂપ અહિંસાનું વિશેષણ છે. વિડળ એટલે નિપુણ. વ્યાખ્યાકારે તેનો અર્થ સૂક્ષ્મ બતાવેલ છે, સૂક્ષ્મ એટલે સંકલ્પમય-ખરેખરી મૂળભૂત-તેજસ્વી. અહિંસા વળી તેજસ્વી કેવી ? અને તેજસ્વી કેવી? તેજસ્વી અહિંસા સંકલ્પપૂર્વકની હોય છે એટલે તેમાં મન, વચન અને શરીરથી થતી તમામ પ્રવૃત્તિઓમાં એકરૂપતા-સંગતિ-હોય છે ત્યારે અતેજસ્વી અહિંસામાં એવું નથી હોતું-એમાં સંકલ્પ જ શુદ્ધ નથી હોતો અથવા તેની બરાબર જાગૃતિ નથી હોતી એટલે ચાલતી પ્રવૃત્તિ ગતાનુગતિક હોય છે. જેમ કે, કોઈ દુકાનદારનું શ્રેયાર્થનું લક્ષ્ય પ્રધાન હોય તો તે તેની તમામ પ્રવૃત્તિ શ્રેયાર્થને અનુકૂળ હોય તેવી જ રીતે ગોઠવશે, તે ધન નહીં કમાય તેમ નહિ પણ શ્રેયાર્થને લેશ પણ આંચ આવે તેમ નહીં જ વર્તે અર્થાત તે પોતાની દુકાનદારી ચલાવતો નીતિના તમામ નિયમોને બરાબર પાળવાનું રાખશે. આ રીતે જાગૃતિ સાથે ધંધો કરતો તે કોઈને છેતરવાનો વિચાર સરખો પણ નહિ કરે, વેચવાના સામાનમાં ભળતી ચીજો ભેળવી દેવા તેની વૃત્તિ જ નહીં થાય, ગ્રાહકને નુકસાન થાય તેવું એક પણ પગલું નહીં ભરે. સંભવ છે કે આમ કરવાથી તે ધન ઓછું મેળવે છતાં તેને ખેદ કે ગ્લાનિ નહીં થાય, જેટલું મળે તેનાથી સંતોષપૂર્વક પ્રસન્ન ભાવે જીવશે-પોતાનો મુખ્ય ધ્યેયાર્થ છે તે બરાબર સચવાયાનું તેને ખાસ સમાધાન હોય છે એટલે તેને અસંતોષનું કે ખેદનું વલણ રહેતું નથી. આવા દુકાનદારની અહિંસા તેજસ્વી કહેવાય-નિપુણ કહેવાય, કેમકે તેની પ્રવૃત્તિમાં સર્વ જીવો તરફ તેનો આત્મવતભાવ તરતમભાવે ખંડિત થતો નથી.
Page #76
--------------------------------------------------------------------------
________________
૨૯
અહિંસા-સૂત્ર ત્યારે એવો જ બીજો કોઈ દુકાનદાર કે જેનો ધર્મમય સંકલ્પ જાગ્રત નથી, તે કોઈને જીવથી મારી ન નાખવાના સ્થૂલ નિયમને પાળતો હોય છે. છતાં લોભવશ થઈ, સ્વાર્થવશ થઈ તે પોતાના શ્રેયાર્થને ગૌણ સમજે છે, એને લીધે ધનને માટે વા બીજી કોઈ સુખસગવડને માટે નીતિના નિયમોને નેવે મૂકી દે છે, તેનું વલણ સર્વ જીવો તરફ જોઈએ તેવું અને જોઈએ તેટલું આત્મવત્ રહેતું નથી. તેથી ગ્રાહકોને હાનિ થાય તેમ કરતાં તે અચકાતો નથી, વેચવાના માલમાં ભળતી ચીજો ભેળવી ગ્રાહકોની જિંદગી જોખમમાં આવી પડે તેમ કરતાં ય અટકતો નથી અને પોતે કોઈને જીવથી નથી મારી નાંખતો એનો સંતોષ માની પોતે કલ્પેલી અહિંસા પાળે છે. તેની આ અહિંસા અતેજસ્વી કહેવાય – અનિપુણ કહેવાય. મનુષ્ય વગેરે તમામ નાનાં મોટાં પ્રાણીઓની સાથેના વ્યવહારમાં સંયમથી વર્તવાનું નામ તેજસ્વી અહિંસા છે. માટે જ ભગવાન મહાવીરે સર્વભૂતસંયમને નિપુણ અહિંસા કહેલી છે. જીવન અને શ્વાસને જેવો અને જેટલો સંબંધ છે તેવો અને તેટલો સંબંધ અહિંસા અને સંયમ વચ્ચે છે. અહિંસા વિના સંયમ ટકી શક્તો નથી અને સંયમ વિના અહિંસા ટકી શકતી નથી. એ જ રીતે જાતમહેનત અને સંયમ વચ્ચે પણ એવો જ સંબંધ છે. જાતમહેનત જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં સંયમ સાધી શકાય છે, વધારે પ્રમાણમાં બીજાના શ્રમ ઉપર રહેનાર અને બીજાના શ્રમનો લાભ લેનાર સંયમને બરાબર સાધી શકતો નથી. અને સંયમ ન સધાય તો અહિંસા તો કેમ કરીને સધાય? આ વાત બરાબર સમજાય એ માટે જ અહીં તેનો અર્થ ‘સર્વભૂતસંયમ' એવો બતાવેલ છે. સાધારણ રીતે હિંસા એટલે કોઈને મારવું કે મારી નાખવું અને અહિંસા એટલે કોઈને ન મારવું કે મારી ન નાખવું એવો "અહિંસા"નો શબ્દાર્થ છે છતાં તે અર્થને પ્રધાનસ્થાન ન આપતાં અહીં સર્વભૂતસંયમને અહિંસા કહેલી છે; તેનો આશય અહિંસા અને સંયમ તથા સંયમ અને શ્રમ એ બન્ને જોડકાં એક બીજા વગર રહી શક્તા નથી એમ બતાવવાનો છે અને એવું વિધાન કરવાનો છે કે અહિંસા આચરનારે સંયમ કેળવવો જ પડશે, જાતશ્રમ કરવો જ પડશે, એ વિના અહિંસા-તેજસ્વી અહિંસા-નિપુણ અહિંસા-સંકલ્પપૂર્વકની અહિંસા-શકય
Page #77
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
૩૦
નથી. વળી, આવી તેજસ્વી અહિંસામાં કોઈને ન મારવાનો અર્થ તો સમાઈ જ જાય છે. અહીં જેમ દુકાનદારનું ઉદાહરણ આપેલ છે તેમ તે જ રીતે રાજ્યના પ્રધાનો વગેરે આખુંય સરકારી કર્મચારીમંડળ, વૈદ્ય, વકીલ, ડૉકટર, મોચી, ઘાંચી, દૂધ વેચનારા, ઘીયા-ઘી વેચનારા, કડિયા, મોટાં મોટાં પુલો કે મકાનો બાંધનારા ઇજારદાર, ઠેકેદાર, કાછિયા, માળી, અત્તરિયા-સરૈયા, કણિયા-ફડિયા, સારવારનો ધંધો કરનારાં નર્સો વગેરે, દવા આપવાનો ધંધો કરનારા કંપાઉન્ડરો વગેરે, દવાને વેચનારા, ગાંધી, મોદી, કાપડિયા, વાળંદ વગેરે અનેક ધંધાદારીઓ વિશે પણ સમજવાનું છે તથા મુનીમ, મહેતા, વાણોતર, ગુમાસ્તા, રસોઈયા, ગૃહપતિ (બોર્ડિંગોના), તારમાસ્તર, ટપાલમાસ્તર, સ્ટેશનમાસ્તર, શિક્ષક, પ્રોફેસર, અધ્યાપક, પ્રિન્સિપાલ-આચાર્ય તે તે તમામ સરકારી કે બિનસરકારી કર્મચારીઓ વિશે અને ઑફિસોમાં કામ કરનારા નાના પટાવાળાથી માંડીને મોટામાં મોટા તમામ જાતના કામદારો વિશે, મજૂર સંસ્થાઓ વિશે, તમામ પ્રકારના મજૂરો વિશે અર્થાત્ વિવિધ જાતની પ્રવૃત્તિ કરનારાઓ પુરુષો કે સ્ત્રીઓ વિશે પણ તેજસ્વી અને અતેજસ્વી અહિંસાની દૃષ્ટિએ સમજી લેવાનું છે. તેઓ ધારે તો જરૂર પોતાની ફરજને બરાબર અનુરૂપ તેજસ્વી અહિંસાને આચરી શકે છે અને એમ ન ધારે તો અહિંસા પાળતાં છતાં તેનું જીવનમાં અને વ્યવહારમાં સ્વાસ્થ્યકર પરિણામ આવતું નથી. એ સૌ કોઈને સ્વાનુભવથી પ્રત્યક્ષ છે.
૨. વિટ્ઠા — જોયેલી છે - અનુભવેલી છે અર્થાત્ ભગવાન મહાવીરે પોતે જાતે મનુષ્ય વગેરે નાનાં મોટાં તમામ પ્રાણીઓ સાથેના વ્યવહારમાં સંયમપૂર્વકનું વર્તન કેળવીને આ તેજસ્વી અહિંસાને-નિપુણ અહિંસાને-અનુભવેલી છે-પ્રત્યક્ષવત્ કરેલી છે-એમણે પોતે જાતે સંયમનો પ્રયોગ કરીને અહિંસાનું જ્વલંત તેજ અનુભવી જોયેલ છે એ આશય બતાવવા જ મૂળ ગાથામાં વિદા શબ્દનો પ્રયોગ કરેલ છે. પરંતુ જોયા, જાણ્યા વિના અનુભવ કર્યા વિના એમ ને એમ જ અહિંસાને વખાણી છે એમ નથી. કોઈ સારી પ્રવૃત્તિ કે સારી વસ્તુ હોય તો તેને ઘણા લોકો અનુભવ્યા વિના
કે
Page #78
--------------------------------------------------------------------------
________________
અહિંસા-સૂત્ર
૩૧
જ એમ ને એમ વખાણવા મંડી પડે છે-ગતાનુગતિક પ્રવાહે તેનું જોરદાર સમર્થન કરવા મંડી પડે છે એવું અહીં નથી એમ સ્પષ્ટ કરવા વિદા શબ્દને વાપરેલ છે. એમ આ ગાથાની વ્યાખ્યા કરનારા પૂર્વાચાર્યોનો ઊંડો આશય છે.
૩. ત્રસ પ્રાણી- જે પ્રાણીઓ ગતિવાળાં છે એટલે ત્રાસ થતાં પોતાના રક્ષણ માટે આમ તેમ ગતિ કરે છે તેમને જૈન પરિભાષામાં, બૌદ્ધ પરિભાષામાં અને વૈદિક પરિભાષામાં ‘ત્રસ’ કહેલાં છે. (જુઓ ધમ્મપદ ૨૬મો બ્રાહ્મણ વર્ગ શ્લો ૨૩, આ માટે જુઓ ૨૧મા બ્રાહ્મણ-સૂત્રના ચોથા પદ્ય ઉપરનું ટિપ્પણ) તથા “મનુઃ પ્રશિહિતો પōન્ ત્રસ-સ્થાવાવર્ગ'- (મહાભારત, શાંતિપર્વ રાજધર્માનુશાસન પર્વ અધ્યાય નવમો, શ્લોક ૧૯) નાની કીડીથી માંડીને માણસ સુધીનાં બધાં પ્રાણીઓ ત્રસ છે.
"
૪. સ્થાવર પ્રાણી- જેમને ગમે તેટલો ત્રાસ પડે તો પણ પોતાના રક્ષણ માટે ગતિ કરી શકતાં નથી તેમને ભારતીય ત્રણે ધર્મના ગ્રંથોમાં ‘સ્થાવર’ કહેલાં છે - (જુઓ મનુસ્મૃતિ અધ્યાય બારમો, શ્લો ૪૨, “સ્થાવા: વૃક્ષાવય:'') ૧. વૃક્ષ, વેલા, નાના નાના છોડ, લીલું જીવતું ઘાસ, તથા ૨. પૃથિવી, ૩. પાણી, ૪. અગ્નિ, અને ૫. પવન એ પાંચ સ્થાવર જીવો છે.
૫. પરિગ્રહધારી- હિંસાનું મૂળ પરિગ્રહ છે એમ ભગવાન મહાવીરે અને ભારતીય તમામ સંતોએ પોતાના અનુભવથી કહેલ છે. જેમ જેમ અંદરની તૃષ્ણા અને આશા વધારે તેમ તેમ બહારનો પરિગ્રહ વધારે મેળવવાનું મન થાય, કદાચ એ મળે કે ન મળે તો પણ એવી વૃત્તિમાંથી જ હિંસા જન્મે છે અને જેઓ એવો બહારનો પરિગ્રહ બીજાની સરખામણીમાં પ્રમાણથી વધારે મેળવે છે તેઓ હિંસા સિવાય તેમ કરી શકતા નથી. જેમ જેમ વૃત્તિમાં સંતોષ તેમ તેમ પરિગ્રહ વૃત્તિ ઓછી, તેને પરિણામે હિંસા પણ ઓછી. આદર્શ તો સર્વપ્રકારે અહિંસાનો છે. પણ તે કાંઈ જીવનમાં ઝટપટ આવી શકતો નથી, તેને મેળવવા ક્રમપૂર્વક ટેવ પાડવાની હોય છે. એવી ટેવ પાડવા સારુ ભગવાન મહાવીરે ગૃહસ્થો માટે બાર વ્રતોની યોજના કરેલી છે અને
Page #79
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી તેમાંય ખાસ પરિગ્રહની મર્યાદા કરી લેવાની યોજના બતાવીને અહિંસાના આદર્શને પામવા સરળ માર્ગ ચીંધી બતાવેલ છે. વ્યક્તિ, કુટુંબ, સમાજ, ગ્રામ વગેરે પ્રત્યેકનો અભ્યદય લક્ષ્યમાં રાખીને પરિગ્રહની મર્યાદા ઉપરાંત પ્રવાસની પણ મર્યાદાનું વ્રત બતાવેલ છે. આ બન્ને નિયમો બરાબર પળાય તો સર્વોદય અવસ્થંભાવી છે. પરિગ્રહની મર્યાદાનું સ્વરૂપ આ છે : માણસે પોતાના જીવનવ્યવહાર માટે જે જે ચીજ જોઈએ-ખાવાની, પીવાની, રહેવાની, ખેતી કરવાની, પહેરવાની, સેવા ચાકરીની એમ તમામ પ્રકારની હાજતો માટે જેની જેની એટલે જે જે સજીવ પ્રાણીની કે નિર્જીવ પદાર્થની અપેક્ષા પડે તે તમામનો ઉપયોગ મર્યાદામાં કરવો-અમુક સંખ્યા બાંધી તેમનો ઉપયોગ કરવો તેનું નામ પરિગ્રહમર્યાદા. પ્રવાસની મર્યાદાનું સ્વરૂપ આ છે : માણસ પોતાના વતનમાં રહેતો હોય, ત્યાં જ તેને પોતાની મર્યાદામાં સ્વીકારેલ જીવનનું ઘારણ પોષણ અને સંવર્ધન કરવા પૂરતી સગવડ મળી રહેતી હોય અર્થાત્ જાતમહેનત દ્વારા વા મર્યાદામાં સ્વીકારેલી બીજાઓની મહેનત દ્વારા પોતાનો અને કુટુંબનો નિર્વાહઆરોગ્ય સાથે ચાલી શકતો હોય એટલે રહેવાનું, કપડાં અને ખાવાપીવાની ચીજો ઉપરાંત બીજી બીજી જરૂરિયાતની સામગ્રી ગામમાં જ વસતાં કુંભાર, સઈ-દરજી, ઘાંચી, મોચી, સુતાર, લુહાર, ચામર વગેરે દ્વારા મેળવી શકતો હોય અને આ રીતે પોતાની અને ગ્રામજનતાની આજીવિકા બરાબર ચાલી શકતી હોય અને એ પ્રકારે ગામનો શેઠ કે ગૃહસ્થ સમાજસાપેક્ષ રહીને પોતાનું અને આખા ગામની વસ્તીનું યોગક્ષેમ અનુભવતો હોય તો પછી આવા માણસે કેવળ ધનના લોભને કારણે વા વધારે મોજશોખ મેળવવાના કારણે વા શરીરનાં કે આંખ કાન વગેરે ઇંદ્રિયોના વિશેષ ભોગો મેળવવાની લાલચને લીધે વા પોતાના વતનમાં જે સામગ્રી સાંપડે છે અને જેને લીધે પોતે અને આખું ગામ સ્વસ્થ રહી શકે છે તે સામગ્રી કરતાં વધારે વિલાસમય દેખાવડી, રૂપકડી વા મોહક સામગ્રી મેળવવાની તૃષ્ણાને લીધે વા પોતાના કેવળ સ્વછંદને લીધે વતન બહાર ન જવું એ ગૃહસ્થો માટે સામાન્ય મર્યાદા છે, છતાં તૃષ્ણા, લોભ કે સ્વછંદનો આવેગ પ્રબળ થઈ જાય અને જ્યારે તે વતન બહાર નીકળવાનું રોકી જ ન શકે ત્યારે તેને એટલે
Page #80
--------------------------------------------------------------------------
________________
અહિંસા-સૂત્ર તે આવેગને મર્યાદામાં રાખવા હરકોઈ સ્ત્રી વા પરુષે બહારના પ્રવાસની મર્યાદા નકકી કરી લેવી અર્થાત્ અમુક દિશામાં કેટલે સુધી જવું અને કઈ દિશામાંથી પોતે ધારેલી સામગ્રી કેટલી મંગાવવી અને કઈ દિશામાં વતનની સામગ્રી કેટલી બહાર મોકલવી. આ પ્રકારની તમામ જાતની મર્યાદા નકકી કરી સર્વોદયમાં બાધક ન થવાય એ રીતે વર્તવાનું નામ પ્રવાસમર્યાદા છે. જૈન પરિભાષામાં આનું જ નામ દિપરિમાણ વ્રત આપેલ છે. જેમ જેમ આ વિશે વિશેષ વિચાર કરીએ છીએ તેમ તેમ માલૂમ પડે છે કે, પરિગ્રહમર્યાદા અને પ્રવાસમર્યાદા આંકી તે પ્રમાણે જ વર્તવામાં આવે તો સર્વોદય, ગ્રામોદ્યોગ, ગ્રામસંરક્ષણ અને પ્રત્યેક ગામની વસ્તીનું સંરક્ષણ બરાબર ટકી રહે છે. બેકારીનો ભય તો તદન ટળી જાય છે. આ ઉપરાંત આવાં જ મર્યાદાવાળાં બીજાં દસ વ્રતો ભગવાન મહાવીરે ગૃહસ્થો માટે યોજી બતાવેલાં છે. આ યોજનામાં તેમની દૂરદેશી, સર્વ મનુષ્યના કલ્યાણની તીવ્ર ભાવના અને સમયના પ્રવાહને ઓળખવાની અસાધારણ કુશળતા એ બધું આપોઆપ જાણી શકાય છે. જે ભગવાન મહાવીરે બતાવેલાં એ વ્રતોનું અર્થશ: પાલન થાય તો પ્રજામાં કયાંય તો મોટા મોટા ટેકરા છે અને બીજે વધારે પ્રમાણમાં ઊંડા ઊંડા ખાડા છે એવી વિષમતા ઘણી જ ઓછી થઈ જાય. ૬. જીવવા ઇચ્છે છે - સરખાવો ધમ્મપદ દસમો દંડવર્ગ:
सव्वे तसंति दंडस्स सव्वे भायंति मच्चुनो। अत्तानं उपमं कत्वा न हनेय्य न घातये ॥१॥ सव्वे तसंति दंडस्स सव्वेसं जीवितं पियं । अत्तानं उपमं कत्वा न हनेय्य न घातये ॥२॥ सुखकामानि भूतानि यो दंडेन विहिंसति ।
अत्तनो सुखमेसानो पेच्च सो न लभते सुखं ॥३॥ તમામ પ્રાણીઓ દંડથી ત્રાસ પામે છે, તમામ પ્રાણીઓ મરણના ભયથી
Page #81
--------------------------------------------------------------------------
________________
૩૪
મહાવીર વાણ થરથરે છે, તમામ પ્રાણીઓને જીવવું વહાલું છે માટે તમામ પ્રાણીઓને પોતા* જેવા જ સમજીને કોઈ પણ પ્રાણીને મારવો નહીં તેમ બીજા પાસે મરાવ " નહીં. ૧-૨
પ્રાણીમાત્ર સુખની ઇચ્છાવાળાં છે, પોતાના સુખની ઈચ્છા રાખતો . કોઈ તેમને દંડ વડે મારે છે તેમની હિંસા કરે છે તે, ભવિષ્યમાં સુખ પામી નથી. ૩
સંયમને જેટલે અંશે જીવનમાં કેળવેલો હોય અને જેટલે અંશે જાતમહેનત ટેવ પાડી હોય તેટલે અંશે હિંસા ઓછી થાય છે, માટે જ અહિંસાને આચરણે ખાસ કરીને સંયમની તથા જાતમહેનતની ભલામણ કરવામાં આવી છે અહિંસાને 'સર્વભૂતસંયમ' કહેલ છે એ ધ્યાનમાં રાખવાનું છે. છે
૭. આપાણા અંતરમાં છે - “મન પર્વ મનુષ્યાળ નું વીમો સિદ્ધાંતનું સૂચન મહાવીરવાણીના આ વાકયમાં છે. તાત્પર્ય એ કે દુઃખ સુખનું કારણ આપણું પોતાનું મન છે. આપણે બહારનાં નિમિત્તોમાં દુઃખ કે સુખની કલ્પના કરીને તે નિમિત્તાની પાછળ દોડ્યા જ કરીએ છીએ એ પરિણામે અસ્વસ્થતા અનુભવીએ છીએ. કોઈ એક નિમિત્ત પછી ભલે જીવંત પ્રાણી હોય વા નિર્જીવ પદાર્થ હોય તે જ આપણાં દુઃખનું કે સુખ નિમિત્ત છે એ માન્યતા વધારે અંશે ભૂલભરેલી છે. જે એક વસ્તુ અ આપણને સુખકર લાગે છે તે જ વસ્તુ કાળ જતાં દુઃખકર લાગે છે . એ જ રીતે જે નિમિત્ત આજે આપણને દુ:ખકર લાગે છે તે જ વખત વિ સુખકર નીવડે છે એવો અનુભવ કોને નથી? મનની ભૂમિકાને સ્વસ્થ છે ધ્યેયનિષ્ઠ કરવા તરફ આપણો પ્રયાસ વિશેષ હોય તો નિમિત્તો આ પીડી શકતાં નથી. એક તરફ આપણી મનની સ્થિતિ સ્વસ્થ હોય અને }. તરફ દરેક સજીવ કે નિર્જીવ પદાર્થના સ્વભાવથી આપણે પૂરેપૂરા પરિ હોઈએ તો નિમિત્તો દ્વારા નીપજતી પરિસ્થિતિ આપણને બાધ નહીં
Page #82
--------------------------------------------------------------------------
________________
અહિંસા-સૂત્ર
૩૫ . ધારો કે આપણને દૂધપાક કે શીખંડ પ્રિય છે, તેને આપણે રોજ ને છે, ખાયા કરીએ તો શું તે આપણને પ્રિય જ લાગવાનાં છે? એ જ રીતે
વી, પુત્ર, બહેન, ભાઈ કે મિત્ર આપણને પ્રિયમાં પ્રિય લાગે છે પણ ગો ફરતાં તે જ સ્ત્રી, પુત્ર, બહેન, ભાઈ કે મિત્ર આપણને અપ્રિય લાગવા આ છે; આ બધી હકીક્ત સૌ કૌઈને અનુભવસિદ્ધ છે. આ ઉપરથી ફલિત થાય છે કે સુખ કે દુઃખ બહારનાં નિમિત્તો ઉપર અવલંબતું નથી, અપિતુ પણા અંતર ઉપર અવલંબે છે. એટલે સુખને મેળવવા માટે કે દુઃખને હવા માટે બહારનાં નિમિત્તોની પાછળ દોડ્યા કરવા કરતાં વિશેષ લક્ષ્ય ક્ષણા અંતર તરફ આપવું એ વિશેષ ઉચિત છે એમ આ પદમાં કહેવાનું છે. * . પ્રાણીના પ્રાણને હાગતા નથી - સરખાવો ઈશુખ્રિસ્ત, પર્વત પરનો ' શ ૧૦ કદી કોઈનો ઘાત કરવો નહીં એ આદેશ તમે જાણો છો. હત્યારો - તિએ જશે એમ તમે માનો છો પણ હું કહું છું કે કેવળ હત્યા એટલી * સા નથી. જો તમે તમારા ભાઈ સામે પણ ગુસ્સો કરો, તો હું કહું : તમે નરકના અધિકારી થવાના, જો તમે તમારા ભાઈને ગાળ દેશો પણ તમે અધોગતિને જ પામશો” ઈત્યાદિ.
સરખાવો હજરત મહમદ અને ઈસ્લામ “ઈમાન માણસને દરેક પ્રકારનો *મ કરતાં અટકાવવા માટે છે. કોઈ મોમિન (ઈમાનદાન) કોઈ પર જુલમ “રી શકે”-(પૃ ૧૩૩) . મિત્ર - સરખાવો ઈ. ખ્રિ. ૫. ઉ. ૧૩ “મિત્ર પર પ્રેમ કરવો અને દ્વેષ કરવો એ લૌકિક નીતિ છે, પણ મારી સલાહ છે કે તમે તમારા જે પણ પ્રેમ કરજો અને કદી કોઈનો દ્વેષ તો કરશો જ નહીં. જે તમને તેનું હિત ઈચ્છજો, જે તમને હેરાન કરે તેના ઉપર ઉપકાર કરજો.”
Page #83
--------------------------------------------------------------------------
________________
૩૬
મહાવીર વાણી | ૪ |
सच्च-सुत्तं (૨૨) નિત્તાત્રા_મuf, મુસવાયવિવMur भासियव्वं हियं सच्चं, निच्चाऽऽउत्तेण दुक्करं ॥१॥
(उत्तरा० अ० १९ गा० २६)
|
૪
|
સત્ય-સૂત્ર ૨૧. નિરંતર અપ્રમાદી બનીને અને સદા સાવધાન રહીને અસત્યનો ત્યાગ કરવો તથા હિતકર સત્ય બોલવું અઘરું જણાય છે. (२२) अप्पणट्ठा परट्ठा वा, कोहा वा जइ वा भया ।
हिंसगं न मुसं बूया, नो वि अन्नं वयावए ॥२॥ ૨૨. પોતાને માટે કે પારકાને માટે, ક્રોધના આવેશમાં આવીને અથવા બી જઈને કોઈની હિંસા થાય એવું અસત્ય વચન બોલવું નહિ અને બીજા પાસે બોલાવવું ય નહિ. (૨૩) મુસવા ય નાભિ, સવ્વસાહૂદ્દેિ રિહિમા
अविस्साओ य भूयाणं, तम्हा मोसं विवज्जए ।।३।।
૨૩. બધા સજ્જન લોકોએ અસત્યવચનને વખોડેલું જ છે. અસત્ય વચન પ્રાણીઓમાં અવિશ્વાસને પેદા કરનાર છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ.
Page #84
--------------------------------------------------------------------------
________________
સતસૂત્ર (२४) न लवेज्ज पुट्ठो सावज्ज, न निरटुं न मम्मयं । अप्पणट्ठा परट्ठा वा, उभयस्सन्तरेण वा ॥४॥
(૩૦ ૩૦ ૨૦ ૧) ૨૪. પોતાને માટે અથવા પારકાને માટે, અથવા બેમાંથી ગમે તેને માટે કશું પૂછવામાં આવે તો પાપવાનું વચન બોલવું નહિ; એ જ પ્રકારે નિર્ધક વચન અગર તો મર્મભેદી વચન પણ બોલવું નહિ. (ર) દેવ સાવISજુમોયર બિરા,
ओहारिणी जा य परोवघायणी। से कोह लोह भय हास माणवो, न हासमाणो वि गिरं वएज्जा ॥५॥
(૦ ૭ ૧૪) ૨૫. તે જ રીતે, મનુષ્ય, ક્રોધના આવેશમાં આવીને કે લોભમાં ખેંચાઈને, બીકને લીધે કે મશ્કરીમાં, અગર તો અમથું હસતાં હસતાં અથવા હસાવતાં હસાવતાં પણ પાપને વખાણનારી, આમ જ કરી નાખીશ' એવા નિયવાળી અને બીજાનો ઘાત કરનારી ભાષાને બોલાવી
(२६) दिलृ मियं असंदिद्धं, पडिपुण्णं वियंजियं । अयंपिरमणुव्विग्गं, भासं निसिर अत्तवं ।।६।।
(૩૦ ૮ ૪૨) ર૬. આત્માર્થી મનુષ્ય, પોતે જોયેલી વાત પણ પરિમિત શબ્દોમાં, સંદેહ ટળે એ રીતે, તમામ રીતે પૂરેપૂરી, સર્વ પ્રકારે સ્પષ્ટતાવાળી, બડબડાટ વિનાની અને ઉદ્ધગ ન કરે એવી ભાષામાં કહેવી.
Page #85
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાગી (ર૭) માસા કોરે ૪ | ય ગાજિયા,
तीसे य दुटे परिवज्जए सया। छसु संजए सामणिए सया जए, वएज्ज बुद्धे हियमाणुलोमियं ॥७॥
(તo Ho To પદ) ૨૭. ભાષાના દોષોને અને ગુણોને જાણીને તેના (ભાષાના) દોષોને સદા તજી દેવા. છ કાયના જીવો સાથે સંયમથી રહેનાર, સદા સાવધાન અને આત્મશુદ્ધિ માટે શ્રેમ કરનાર સમજદાર મનુષ્ય સર્વ જીવોને અનુકૂળ એવી હિતકારી ભાષા બોલે. (૨૮) સ સવા મહુવા વિ સોન્ચ,
___ भासेज्ज धम्मं हिययं पयाणं ॥ जे गरहिया सणियाणप्पओगा, न ताणि सेवन्ति सुधीरधम्मा ॥८॥
(सूत्र० श्रु० १ अ० १३ गा० १९) ૨૮. પોતાની મેળે સમજીને અથવા સંતજનો પાસેથી સાંભળીને પ્રજાનું હિત કરે એવી ધર્મમય ભાષા બોલવી; ધર્મનું આચરણ કરીને કે આકરું તપ કરીને આ જન્મમાં કે આવતા જન્મમાં ધનની, પુત્રની કે ભોગોની આશા કરવી એનું નામ નિદાનપ્રયોગ કહેવાય. આવા નિદાનપ્રયોગોને સંત પુરુષોએ વખોડી કાઢેલા છે. માટે સારી રીતે ધીરતાપૂર્વક ધર્મનું આચરણ કરનારા મનુષ્યો એવા નિદાનપ્રયોગોને સેવતા નથી. (૨૨) સવAદ્ધિ સમુહિયા મુજ,
गिरं च दुटुं परिवज्जए सया।
Page #86
--------------------------------------------------------------------------
________________
સત્ય-સૂત્ર
मियं अट्ठे अणुवीइ भासए,
सयाण मज्झे लहई पससणं ॥ ९ ॥
(दश० अ० ७ गा० ५५ )
૨૯. મુનિજન પોતાની વચનશુદ્ધિનો વિચાર કરે, દુષ્ટ ભાષાનો હંમેશાં ત્યાગ કરે અને માપસર, દોષ વિનાનાં વચન વિચારીને બોલે. આવું બોલનારો, સંત પુરુષોની વચ્ચે પ્રશંસાને પામે છે.
(૩૦) તદેવ ાળું ઢાળે ત્તિ, વંડળ મંડળે ત્તિ વા
वाहियं वा वि रोगि त्ति, तेणं चोरे त्ति नो वए ॥१०॥ (दश० अ० ७ गा० १२ )
૩૦. તે જ પ્રકારે ‘કાણા’ને ‘કાણો’ ન વ્હેવો, ‘હિજડા’ને ‘હિજડો’ ન કહેવો, ‘રોગી’ને ‘રોગી’ ન કહેવો, અને ‘ચોર’ને ‘ચોર’ ન કહેવો.
(૩૨) વિતતૢ વિ તદ્દામુર્ત્તિ, ખ઼ શિાં માસત્ નો ।
તન્હા સો જુઠ્ઠો પાવેળ, પ્તિ પુખ્ત નો મુત્રં વણ્ ? ।।??I (વંશ૦ ૪૦ ૭ To ) ૩૧. ખોટી વાતને પણ સાચી જેવો ઢોળ ચડાવીને બોલનારો મનુષ્ય પાપથી ખરડાય છે, તો પછી જે નરાતાલ ખોટું જ બોલે છે તેના માટે શું કહેવું ?
(૩૨) તદેવ સા માસા, ગુરુમૂઞોવધાળી ।
312
सच्चा विसा न वत्तव्वा, जओ पावस्स आगमी || १२ |
(दश० अ० ७ गा० ११ ) ૩૨. તે જ પ્રકારે, પ્રાણીઓને ભારે આઘાત પહોંચાડે એવી કઠોર ભાષા કદાચ સાચી હોય તો પણ નહિ બોલવી. કારણ કે એવી કઠોર ભાષા બોલવાને લીધે ઘણી વાર પાપ થવાનો-લાગવાનો-સંભવ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી ૧. સરખાવો હર મ. ઈ. “અને હંમેશાં સત્ય બોલ, પછી ભલે તે તારી વિરુદ્ધ જતું હોય.” (પૃ ૧૩૬)
* ચેતનવાળાં પૃથ્વી, પાણી, પવન, અગ્નિ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર કાય અને એક ત્રસ એમ છ કાય જાણવાં.
૨. મુનિજન - “મુનિ' શબ્દ અમુક પારિભાષિક અર્થને બતાવે છે એટલે સંસારનો જેણે ત્યાગ કરેલ છે એવો મનુષ્ય મુનિ, શ્રમણ, ભિક્ષ વા સંન્યાસી કહેવાય છે તે અર્થમાં “મુનિજન’ શબ્દ છે. તેમ છતાં તેનો અર્થ “સાધક જન' એવો વ્યાપક પણ કરી શકાય. સાધક એટલે જે જે મનુષ્ય પોતાના ચિત્તની શુદ્ધિ દ્વારા શમ દમ આદિ ગુણો કેળવી આત્માના વિકાસનો ઈચ્છુક હોય તેને તેને આ શબ્દના અર્થમાં સમાવી શકાય એટલે આ પુસ્તકમાં જે જે વિચારો અને આચારો જણાવ્યા છે તે, સાધક મનુષ્યમાત્રને પછી તે ગૃહસ્થ હોય વા મુનિજન હોય તે તમામને યથોચિત રીતે લાગુ થાય એ રીતે સમજવાના છે પરંતુ આ આચાર કે વિચાર તો માત્ર મુનિ માટે છે, આપણે માટે નથી એટલે વિદ્યાર્થીઓ માટે નથી વા ગૃહસ્થો માટે નથી એમ ન સમજવું.
Page #88
--------------------------------------------------------------------------
________________
અસ્તનક-સૂત્ર
॥ ૧ ॥
अतेणग-सुत्तं
(૩૩-૩૪) વિત્તમંતચિત્તે વા, મળું વા નફ વા વહું । दंतसोहणमित्तं पि, उग्गहंसि अजाइया ॥ १ ॥
तं अप्पणा न गिण्हंति, नो वि गिण्हावए परं । અનં વા શિષ્ઠમાળે પિ, નાખુનાગંતિ સંખયા શા (વા૦ ૪૦ ૬, ૪૦ ૨૩,૨૪)
॥ ૫ ॥
અસ્તનક-સૂત્ર
૩૩-૩૪. વસ્તુ સજીવ હોય વા નિર્જીવ હોય-થોડી હોય વા વધારે હોય-બીજી વસ્તુઓની બાબતમાં તો શું? પરન્તુ, દાંત ખોતરવાની સળી જેવી તુચ્છ વસ્તુને પણ, તેના માલિકને પૂછ્યા વિના સંયમવાળા મનુષ્યો પોતે જાતે લેતા નથી, બીજા પાસે એવી અદત્ત વસ્તુને લેવરાવતા નથી અને જો કોઈ એવું લેતો હોય તો, તેને સંમતિ પણ આપતા નથી.
(૩) ૩ડ્યું અને યતિરિયું વિશ્વાસુ,
तसा य जे थावर जे य पाणा । हत्थेहिं पाएहिं य संजमित्ता,
अदिन्नमन्नेसु य नो गहेज्जा ॥ ३ ॥
૪૧
(સૂત્ર શ્રુ॰ ૨, ૪૦ ૨૦, ૦ ૨)
૩૫. ઊંચી, નીચી અને તીરછી દિશાઓમાં ચારે બાજુ જે ત્રસ પ્રાણો છે અને જે સ્થાવર પ્રાણો છે, તે તમામ તરફ હાથ અને પગને
Page #89
--------------------------------------------------------------------------
________________
૪૨
મહાવીર વાણી સંયમમાં રાખીને વર્તનારાએ, બીજાઓ પાસેથી તેમણે નહિ આપેલું એવું કાંઈ પણ લેવું નહિ. (૩૬) તિવંતરે ળિ થાવર,
ને હિંતિ સયસુદં પડુક્યા जे लुसए होइ अदत्तहारी, જ સિક્યુ સેવિથ વિચિપકા
(સૂત્ર શુo re ૧૩૦ ? To ૪). ૩૬. જે મનુષ્ય પોતાની જાતના સુખને માટે ત્રણ પ્રાણોનો કે સ્થાવર પ્રાણોનો દૂર ભાવે ઘાત કરે છે, જે હિંસક અને ચોર બને છે, એવો એ, પોતે આદરપાત્ર માનેલાં વ્રતોનું લેશ પણ પાલન નથી કરી શકતો. (૩૭) દ્રત્તસોદામાસ, મત્તરૂ વિવMUT , अणवज्जेसणिज्जस्स, गिण्हणा अवि दुक्करं ॥५॥
(ત્તર ? To ર૭) ૩૭. દાંત ખોતરવાની સળી જેવી તુચ્છ વસ્તુને પણ માલિકને વગર પૂછયે વા માલિકે વિના આખે આણી હોય તો તેનો ત્યાગ કરવો જોઈએ; તો પછી મોટી મોટી વસ્તુઓની તો શી વાત ? સંયમીએ પોતાને ખપે એવી નિર્દોષ નિર્દોષ વસ્તુઓને શોધી શોધીને લેવી એ ભારે દુષ્કર છે.
૧. સરખાવો હ મ, ઈ - “જેમ આ નગરમાં આ મહિનામાં આ દિવસ પવિત્ર મનાય છે, બરાબર તે જ રીતે તમારામાંથી દરેકનાં તન, ધન અને માલમિલક્ત એકબીજાને માટે પવિત્ર વસ્તુ છે. કોઈ બીજાનાં જાન કે માલ
Jàin Education International
Page #90
--------------------------------------------------------------------------
________________
૪૩
અસ્તનક-સૂત્ર મિલકતને હાથ ન લગાડી શકે. (પૃ ૧૦૫) ૨. જે મનુષ્ય – સરખાવો ધમ્મપદ એકવીસમો પ્રકીર્ણક વર્ગ શ્લોક ૨:
परदुक्खूपधानेन अत्तनो सुखमिच्छति ।
वेरसंसग्गसंसट्ठो वेरा सो न पमुच्चति ।। બીજાને દુઃખ દઈને જે પોતાનું સુખ ઈચ્છે છે તે વૈરભાવવાળો થાય છે અને વૈરભાવથી છૂટી શકતો નથી.
૩. સંયમીએ - જુઓ સત્યસૂત્ર ટિપ્પણ બીજું મુનિજન.
૪. નિર્દોષ નિર્દોષ વસ્તુઓ – વસ્તુઓ ઉત્તમ પ્રકારની હોય, સુંદર હોય, આકર્ષક હોય, મોહક હોય, મનને કે ઈદ્રિયોને ગમી જાય તેવી હોય વા પરિશ્રમ વગર વા ઓછે શ્રેમે નીપજતી હોય વા શરીરને અનુકૂળ હોય તેવા અર્થમાં અહીં 'નિર્દોષ' શબ્દ વપરાયો નથી, તેવા અર્થમાં આ શબ્દને સમજવાનો નથી. સર્વોદયની અહિંસક દષ્ટિએ વિચારતાં માનવમાત્ર જે જે વસ્તુનો ઉપયોગ કરે છે તે તમામ વસ્તુઓની નિદોંપતાને સમજવાની રીત આ છે: ખપમાં આવતી વસ્તુને બનાવતાં વા મેળવતાં બનાવનારને વા મેળવનારને તેની-વસ્તુની-પાછળ અસત્ય, અનીતિ, હિંસા, છળકપટ, બીજાની આજીવિકાનો નાશ અને બેકારીના પ્રમાણમાં વધારો વગેરે કેવી કેવી જાતની દૂષિત કરણી કરવી પડી છે ? એ બાબત પ્રત્યેક વસ્તુ વિશે વિચાર કરવાનો છે. જે વસ્તુની પાછળ એવી દૂષિત કરણી ઓછી માલૂમ પડે તેટલે અંશે તે વસ્તુ નિર્દોષ અને જે વસ્તુની પાછળ એવી દૂષિત કરણી વધારે માલૂમ પડે તેટલે અંશે તે વસ્તુ સદોષ. પ્રત્યેક વસ્તુને મેળવતી વા ખરીદતી વખતે નિર્દોષતા-સદોષતાનો આ વિચાર સામે રાખવાનો છે એવો આશય શોધી શોધીને લેવી એ વાકયનો છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૪૪
મહાવીર વાણી || ૬ ||
वंभचरिय-सुत्तं (३८) विरई अबंभचेरस्स, कामभोगरसन्नुणा । उग्गं महव्वयं बंभं, धारेयव्वं सुदुक्कर ॥१॥
(૩૪૦ ૩૦ ૨૧. ૨૮)
બ્રહ્મચર્ય-સૂત્ર ૩૮. જે માણસ કામભોગોના રસને જાણે છે - અનુભવી છે, તે અબ્રહ્મચર્યનો ત્યાગ કરે અને ઉગ્ર બ્રહ્મચર્ય મહાવ્રતને સ્વીકારે તે ભારે દુષ્કર છે. (૩૨) વંમાર્જ ઘર, પાઉં ટુદ્ધિ.
नाऽऽयरन्ति मुणी लोए, भेयाययणवज्जिणो ॥२॥ ૩૯. સંયમઘાતક દોષોનો ત્યાગ કરનારા મુનિજનો દુનિયામાં રહેતાં છતાં, મહાભયંકર, પ્રમાદરૂપ અને દુઃખનું કારણ એવા અબ્રહ્મચર્યને આચરતા નથી. (४०) मूलमेयमहम्मस्स महादोससमुस्सयं । तम्हा मेहुणसंसग्गं, निग्गंथा वज्जयन्ति णं ॥३॥
(ર.૦ ૬ ૦ ૨૬,૨૬) ૪૦. નિગ્રંથ જનો અબ્રહ્મચર્યનો - મૈથુનસંસર્ગનો ત્યાગ કરે છે, કારણ કે, અબ્રહ્મચર્ય અધર્મનું મૂળ છે, તેમ જ મોટા મોટા દોષોનું સ્થાન છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
૪૫
બ્રહ્મચર્ય-સૂત્ર (૪૨) વિપૂલ સ્થિia, gurણં મોયof नरस्सऽत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥४॥
- (
તમ ૮૦ ૭) ૪૧. જે મનુષ્ય પોતાના ચિત્તને શુદ્ધ કરવા-પોતાના સ્વરૂપની શોધ કરવા તત્પર બન્યો છે, તેને માટે, દેહનો શણગાર, ખાતાં જ પ્રાણ જાય એવા તાલપુર ઝેર જેવો ભયંકર છે; વળી તેને માટે સ્ત્રીઓનો સંસર્ગ પણ એવા જ ઝેર જેવો ભયંકર છે; તેમ જ તેને માટે ઉત્તેજક
સ્વાદવાળું તથા દૂધ, મલાઈ, ઘી, માખણ અને વિવિધ મીઠાઈ વગેરેથી યુક્ત વિધવિધ ભોજન પણ એવા જ ઝેર જેવું ભયંકર છે. (૪૨) ન પત્રાવUવિત્રાસદા,
- ifપર્વ નિર-હિયં વા इत्थीण चित्तंसि निवेसइत्ता,
ડું વવજે સમજે તવ ાવા ૪૨. આત્મશોધન માટે શ્રેમ કરનાર તપસ્વી શ્રમણે પોતાના ચિત્તમાં સ્ત્રીઓને લક્ષ્યમાં રાખીને, તેમનાં રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, જલ્પન, ચેનચાળા કે કટાક્ષોને જોવાનો પ્રયાસ કદી ન કરવો. (૪૩) મહંતi વેવ મપત્થur ,
अचिंतणं चेव अकित्तणं च। . इत्थीजणस्साऽऽरियज्झाणजुग्गं, हियं सया बंभवए रयाणं ॥६॥
(૩૦૦ રૂર, જી ૨૪, ૧૧) ૪૩. સ્ત્રીઓ તરફ રાગ વૃત્તિથી નજર ન કરવી, એ જ ભાવે સ્ત્રીઓનો
Page #93
--------------------------------------------------------------------------
________________
જદ
મહાવીર વાણી અભિલાષ ન કરવો, તેમ વિચાર ન કરવો અને તેમનું કીર્તન ન કરવું - એ બધું બ્રહ્મચર્ય પાલન માટે તત્પર થયેલા મનુષ્યોને સારુ સદા હિતરૂપ છે અને આર્યધ્યાન સાધવાની યોગ્ય ભૂમિકારૂપ છે. (૪૪) મUપાયuff, રવિવáil
बंभचेररओ भिक्खू, थीकहं तु विवज्जए॥७॥ ૪૪ બ્રહ્મચર્યપરાયણ ભિક્ષુએ સ્ત્રીઓને લગતી એવી વાતચીતનો તો ત્યાગ જ કરી દેવો જોઈએ કે જે ચિત્તમાં ગલગલિયાં કરાવનારી તથા વિષયોના આનંદને જગાડનારી હોય અને કામરાગને વધારનારી હોય. (४५) समं च संथवं थीहिं, संकहं च अभिक्खणं।
बंभचेररओ भिक्खू, निच्चसो परिवज्जए ।।८।।
૪૫. બ્રહ્મચર્યપરાયણ ભિક્ષુ સ્ત્રીઓની સાથેના પરિચયને અને તેમની સાથેના વારંવાર વાતચીત કરવાના પ્રસંગને રોજ ને રોજ ટાળ્યા જ કરે. (૪૬) સંપર્વમાંdvf, ચાઇવિર-વેજિં
बंभचेररओ थीणं, चक्खुगिझं विवज्जए ।।९।। ૪૬. બ્રહ્મચર્યપરાયણ ભિક્ષુ સ્ત્રીઓનાં અંગ પ્રત્યંગોના આકારોને, સ્ત્રીઓનાં લટકાળાં વચનોયુક્ત હાવભાવોને અને કટાક્ષોને ચક્ષુગ્રાહ્ય ન જ કરે – તે તરફ નજર જ ન કરે. (૪૭) ગૂરૂ દ્ય , સિઘં થf-ન્દ્રિયં
बंभचेररओ थीणं, सोयगेज्झं विवज्जए ॥१०॥
Page #94
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય-સૂત્ર
૪૭
૪૭. સ્ત્રીઓનાં ઊંહકારા, રુદ્દન, ગીત, હાસ્ય, ચીસો અને કરુણા આવી જાય એવા વિલાપોને બ્રહ્મચર્યપરાયણ ભિક્ષ કાન ઉપર ન જ ધરે.
(૪૮) હ્રાસ ડ્યુિં રહું ′′, સહસાવત્તસિયાનિ ય । હંમઘેરો થીાં, નાચિત્તે યાજ્ઞ વિ ।।।।
૪૮. પૂર્વાવસ્થામાં અનુભવેલાં સ્ત્રીઓનાં હાસ્ય, ક્રીડા, રતિ, દર્પ, આકસ્મિક અવત્રાસ અર્થાત્ ગમ્મત માટે કરવામાં આવેલી ઓચિંતી પજવણી – એ બધાંનો બ્રહ્મચર્યપરાયણ ભિક્ષુ કદી પણ પોતાના મનમાં ખ્યાલ સરખો પણ આવવા ન દે.
(४९) पणीयं भत्तपाणं तु खिप्पं मयविवड्ढणं । बंभचेररओ भिक्खू निच्चसो परिवज्जए || १२॥
૪૯. જેમાં દૂધ, ઘી, મલાઈ વગેરે ચીકાશવાળા રસદાર પદાર્થો ભારેભાર આવતા હોય એવાં પ્રણીત ભોજન અને પીણાં તો તરત જ ઉત્તેજન કરનારાં નીવડે છે, માટે બ્રહ્મચર્યપરાયણ ભિક્ષુએ એવા પ્રકારનાં ભોજન તેમ જ પીણાંનો નિરંતર ત્યાગ જ કરવો ઘટે.
જ
(५०) धम्मलद्धं मियं काले, जत्तत्थं पणिहाणवं ।
नाइमत्तं तु भुंजेज्जा, बंभचेररओ सया ||१३||
(૩ત્તર૦ ૩૪૦ ૨૬, ૧૦ ૨-૮)
૫૦. ધર્મપૂર્વક પ્રાપ્ત કરેલું, પરિમિત, વખતસર અને સંયમનો નિર્વાહ કરવા પૂરતું તથા સાધક માટે ખાનપાનની જે મર્યાદા સંતોએ બતાવેલ છે તે કરતાં ન્યૂન કે અધિક નહિ એવું ભોજન અને પાન,
Page #95
--------------------------------------------------------------------------
________________
૪૮
મહાવીર વાણી ધ્યાન સમાધિ સાધક બ્રહ્મચર્ય પરાયણ ભિક્ષુએ હમેશાં લેવું ઘટે. (૧૨) ગઈ રવજન an,
___समारुओ नोवसमं उवेइ। एविन्दियग्गी वि पगामभोइणो, न बंभयारिस्स हियाय कस्सई॥१४॥
* * (૩રર૦ ૦ ૨૨, To?) ૫૧. જેમાં સૂકાં ઈધણાં એકઠાં કરવામાં આવેલાં છે એવા વનમાં દાવાનળ લાગે અને સાથે સાથે તે જ વખતે જોરદાર પવન ફૂંકાવો શરૂ થયો હોય તો પછી, એ દાવાનળ જેમ જલદી ન બુઝાય, એ જ પ્રકારે જે બ્રહ્મચારી ભિક્ષુ ઠાંસી ઠાંસીને ભોજન અને પીણાંનો ઉપયોગ કરે છે, તેનો ઈંદ્રિય દાવાનળ જલદી બુઝાતો નથી પણ ઊલટો વધારે વધે છે, અને તે, તેના હિત માટે નથી. કારણ કે, છેવટે તો એ દાવાનળ તેનાં સંયમ, સાધના વગેરેને બાળીને ખાખ કરી નાખે છે. (૧૨) વિધૂ રિવન્ને, સરપરિમંડr .
बंभचेररओ भिक्खू, सिंगारत्थं न चारए ॥१५॥ પર. માત્ર શરીરની શોભારૂપ શણગારને ભિક્ષુએ તજવો જ ઘટે. બ્રહ્મચર્યપરાયણ ભિક્ષુ એવી કોઈ શોભાને કે આનંબરને કેવળ શણગાર માટે ન ધારે. (૩) દેવે ય જે , રસે રે તહેવ
पंचविहे कामगुणे, निच्चसो परिवज्जए ॥१६॥ પ૩. શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ – એ પાંચ પ્રકારના કામગુણોને
Page #96
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય-સૂત્ર ભિક્ષુ, કેવળ કોઈ વાસનાના વિલાસની દષ્ટિએ તો સદા તજી જ દે. (૧૪) કુળમમ , નિજ રિવVI संकाथाणाणि सव्वाणि, वज्जेज्जा पणिहाणवं ॥१७॥
(૦૫૦ ૨૬, ro ૧,૨૦,૨૪) ૫૪. વાસનાઓ અને ભોગો ઝટપટ જીતી શકાય એવાં નથી; માટે તેમનો સદા ત્યાગ કરે. ધ્યાન સમાધિને સાધનારા ભિક્ષુએ પોતાની સાધનામાં વિઘ્ન કરનારાં જે જે ભયસ્થાનો હોય તે તમામનો. ત્યાગ કરવો. () સામાિિદ્ધપૂમવંgટુઉં,
सव्वस्स लोगस्स सदेवगस्स । जं काइय माणसियं च किंचि, तस्सऽन्तगं गच्छइ वीयरागो ॥१८॥
( T૦ ૦ ૨૨, ) ૫૫. સ્વર્ગમાં ય જે કાંઈ શારીરિક અને માનસિક દુઃખ છે તથા આ નજરે દેખાતા આખા ય સંસારમાં જે કાંઈ શારીરિક અને માનસિક દુઃખ છે, તે બધું ય કામભોગોની લાલચમાંથી જ પેદા થયેલ છે; માટે રાગદ્વેષથી પર થયેલો એવો વીતરાગ જ તે દુઃખોનો અંત પામી શકે છે. (५६) देवदाणवगन्धव्वा, जक्खरक्खसकिन्नरा।
बंभयारिं नमंसन्ति, दुक्करं जे करेन्ति तं ॥१९॥ ૫૬. દુષ્કર બ્રહ્મચર્યની સાધના માટે જેઓ સતત સાવધાન છે એવા બ્રહ્મચારીઓને દેવો, દાનવો, ગાંધર્વો, યક્ષો, રાક્ષસો અને કિન્નરો એ બધા ય નમસ્કાર કરે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
૫૦.
મહાવીર વાગી (૧૭) થને શુ નિ, સા નિવેસિTI सिद्धा सिज्झन्ति चाणेण, सिज्झिस्सन्ति तहाऽवरे ॥२०॥
( ૦ ૨૬, T૦ ૬,૭) ૫૭. બ્રહ્મચર્યની સાધનાનો-બ્રહ્મચર્યના સંરક્ષણનો આ ધર્મ શ્રી જિન ભગવાને બતાવેલ છે, અને એ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે. એ ધર્મની સાધનાને લીધે મનુષ્યો સિદ્ધિપદને પામી ચૂક્યા છે, પામતા રહે છે અને ભવિષ્યમાં પામશે પણ ખરા.
૧. સરખાવો ઈ. ખ્રિ, પ. ઉ. ૧૧ “વ્યભિચાર શાસ્ત્રાશાથી વિરુદ્ધ છે એ તો તમે સાંભળ્યું છે. પણ હું કહું છું કે જે કોઈ કુદષ્ટિથી પરસ્ત્રી સામે જુએ છે તેણે પણ પોતાના મન વડે વ્યભિચાર કર્યો જ છે” ઈત્યાદિ.
૨. શ્રમણ - જુઓ સત્યસૂત્ર-ટિપ્પણ બીજું મુનિજન.
૩. સ્ત્રીઓને – આ બ્રહ્મચર્યસૂત્રમાં જે જે સ્થળે “સ્ત્રીઓ' શબ્દ વપરાયેલ છે અર્થાત્ સ્ત્રીઓને ઉદ્દેશીને જે જે વિધિનિષેધ કરવામાં આવેલ છે તે બધા વિધિનિષેધ પુરુષોને ઉદ્દેશીને પણ સમજી લેવાના છે: અબ્રહ્મચારી પુરુષોને પણ સંસર્ગ ઝેર જેવો ભયંકર છે. વળી, સ્ત્રીઓ તરફની ભાવનામાં જેમ સુધારો સૂચવેલ છે તેમ પુરુષો તરફની ભાવનામાં પણ સુધારાનું સૂચન સમજવાનું છે. સ્ત્રીઓ તરફની પુરુષની દુર્ભાવના વા પુરુષો તરફની સ્ત્રીઓની દુર્ભાવના એ બને, બન્નેના બ્રહ્મચર્યની ઘાતક છે; એ સર્વત્ર ખ્યાલમાં રાખવાનું છે. અબ્રહ્મચર્ય માટે કેવળ સ્ત્રીઓ જ દોષપાત્ર છે એમ નથી તેમ કેવળ પુરુષો જ દોષપાત્ર છે એમ પણ નથી. દુર્ભાવના માત્ર દોષપાત્ર છે; પછી તે ગમે તેની હોય એટલે આ અબ્રહ્મચર્ય દોષ માટે કેવળ સ્ત્રીઓને જ વગોવવી બરાબર નથી.
Page #98
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ સૂત્ર
|| ૭ |
अपरिग्गह-सुत्तं (૧૮) નો રિયા ડુત્તો, નાયપુor તાજ मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥१॥
(ર૦ ૦ ૬
,
| ૭ |
અપરિગ્રહ-સૂત્ર ૫૮. ભિક્ષુ પોતાના સંયમની સાધના માટે વા તેના નિર્વાહ માટે જે કંઈ ઉપકરણો – સાધનસામગ્રી પોતાની પાસે રાખે છે, તેને થાળુ એવા જ્ઞાતપુત્ર મહાવીર ભગવાને પરિગ્રહરૂપે કહેલી નથી - ગણેલી નથી. પણ એ સામગ્રીમાં રાખવામાં આવતી આસક્તિ-મમતાકે મૂઈ જ પરિગ્રહરૂપ છે, એવું તે મહર્ષિએ કહેલું છે – જણાવેલું છે. (૨૨) ઘ-ધન-સવોનુ, રિવિવUi. सव्वारंभपरिच्चाओ, निम्ममत्तं सुदुक्करं ॥२॥
(ત્તર ગo , To ર૧) ૫૯. ધનના, ધાન્યના અને નોકરચાકરના પરિગ્રહનો ત્યાગ કરવો, તમામ પ્રકારના આરંભ-સમારંભોનો પરિત્યાગ કરવો અને મમતા વગરની વૃત્તિ કેળવવી એ ઘણું દુષ્કર છે. (६०) बिडमुन्भेइमं लोणं, तेल्लं सप्पिं च फाणियं ।
न ते सन्निहिमिच्छन्ति, नायपुत्तवओरया ॥३॥ ૬૦. જે સાધકો જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનાં વચનોમાં ભારે
Page #99
--------------------------------------------------------------------------
________________
પર
મહાવીર વાણી રૂચિ ધરાવનારા છે, તેઓ સેંધવ કે દરિયાઈ મીઠાનો પોતા પાસે સંચય કરવા ઈચ્છતા નથી. એ જ રીતે તેલનો, ઘીનો કે ગોળનો પણ તેઓ સંઘરો કરવા ઇચ્છતા નથી. (૨) િવ જ પાર્થ વ, વાવ પુછr. तं पि संजमलज्जट्ठा, धारेन्ति परिहरन्ति य ।।४।।
(૦ ૦ ૬ ૨૭,૨૨) ૬૧. ચિત્તશુદ્ધિ' જેનું ધ્યેય છે એવા સાધકો, જોકે પોતા પાસે વસ્ત્ર, પાત્ર, કંબળ કે રજોહરણ વગેરે ઉપકરણો રાખે છે, પરંતુ તે કેવળ સંયમના રક્ષણ માટે જ રાખે છે, અને તે ઉપકરણોને કેવળ સંયમના રક્ષણ માટે જ ફેંકી પણ દે છે. અર્થાત્ ઉપકરણોનું હોવું કે ન હોવુંએ માત્ર સંયમના રક્ષણ માટે જ છે - મહત્તા ઉપકરણોની નથી પણ સંયમની છે. (દર) સવૅજ્યુવદિ વૃદ્ધ, સરમણ-gરિયાદે
अवि अप्पणो वि देहम्मि, नाऽऽयरन्ति ममाइयं ॥५॥ ૬૨. જ્ઞાની પુરુષો તમામ પ્રકારની ઉપાધિના એટલે વઢ, પાત્ર વગેરે સાધન સામગ્રીના સ્વીકારમાં કે તેને સાચવવામાં આસક્તિ-મમતા-રાખતા નથી. જેઓને પોતાના દેહમાં પણ મમતા નથી, તેઓ શું આવી નજીવી સાધનસામગ્રીમાં મમતા રાખે ખરા? (૬૩) નીદાસે , મને મનાયરામવિલા जे सिया सन्निहीकामे, गिही पव्वइए न से ॥६॥
(સ૬ ૦ ૨૬,૨૮) ૬૩. પોતાના સંયમની મર્યાદાનો ભંગ કરીને ગમે તે કોઈ પણ
WWW.jainelibrary.org
Page #100
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ-સૂત્ર
૫૩ વસ્તુનો સંઘરો કરવાનું મન થવું, એ પોતાના ચિત્તમાં ઊડે ઊડે રહેલા લોભની જ ઝલક છે એમ હું માનું છું. માટે હું એમ કહું છું કે, જેઓ એવો સંઘરો કરવાની વૃત્તિવાળા છે તેઓ પ્રવ્રજ્યામાં પ્રવજિત થયેલા નથી પણ સાંસારિક વૃત્તિઓમાં રાચતા ગૃહસ્થો છે. (૬૪) વિત્તમંતકચિત્ત વા, વિસાવા अन्नं वा अणुजाणाइ एवं दुक्खा ण मुच्चइ ॥७॥
(सूत्र० श्रु० १ अ० १ उ०१ गा० २) ૬૪. સજીવકે નિર્જીવ એવી કોઈ પણ ચીજનો પોતે પરિગ્રહ કરીને એ વિશે જે કોઈ, બીજાને પણ તેમ કરવાની સમ્મતિ આપે તો તે, એ રીતે કદી પણ દુઃખથી છૂટો થઈ શકતો નથી. સજીવ એટલે મનુષ્ય, પશુ અને પક્ષીઓ વગેરે જીવતાં પ્રાણી. નિર્જીવ એટલે ધન, ધાન્ય, સોનું, રૂપું, વાસણ, વાહન, ખેતર, વાડી, જમીન, પથારી, કપડાં, રાચરચીલું, ઘર મહેલાત વગેરે. આમાંની કોઈ પણ ચીજનો થોડો પણ પરિગ્રહ કરીને અર્થાત્ એ એ કોઈ પણ ચીજ ઉપર પોતાનો માલિકીનો હકક સ્થાપવો અને કોઈ બીજો પણ એ ચીજ ઉપર પોતાનો માલિકી હકક સ્થાપે એવી સમ્મતિ આપવી એ બન્ને પ્રકારે દુઃખથી છૂટા થવાતું નથી એમ ભગવાન મહાવીર કહે છે. (६५) जहा दुमस्स पुप्फेसु भमरो आवियइ रसं ।
न य पुष्पं किलामेइ सो य पीणेइ अप्पयं ।।८।।
૬૫. જેમ ભમરો વૃક્ષનાં વિવિધ ફૂલોમાંથી રસ ચૂસે છે અને પોતાની જાતને નભાવે છે છતાં ફૂલોનો વિનાશ કરતો નથી અર્થાત્ ફૂલોને ઓછામાં ઓછી પીડા થાય એમ વર્તે છે તેમ શ્રેયાર્થી મનુષ્ય
Page #101
--------------------------------------------------------------------------
________________
૫૪
મહાવીર વાણી પણ પોતાની વ્યાવહારિક તમામ પ્રવૃત્તિઓ કરતાં પોતાના સહાયકોમાંથી - પોતાનાં ગ્રાહકોરૂપ વિવિધ આલંબનોમાંથી એવી રીતે લાભ ઉઠાવવો ઘટે અને પોતાની જાતને એવી રીતે નભાવવી ઘટે જેથી એ પોતાનાં સહાયરૂપ આલંબનોનો વિનાશ ન થઈ જાય - તેમની આજીવિકા જ ન છીનવાઈ જાય - તેઓ સમૂળગા ચુસાઈ જઈ વિનાશ ન પામે; એ રીતે ધ્યાન રાખીને તેમને ઓછામાં ઓછી પીડા લેશ વા તક્લીફ થાય એમ વર્તવું ઘટે.
૧. પરિગ્રહ - જુઓ અહિંસાસૂત્ર-ટિપ્પણ ૫ પરિચહધારી.
૨. સરખાવો હમ, ઈ. “તમારા ગુલામો વિશે ખબરદાર, તેમને તમે પોતે ખાતા છે તેવું જ ખવડાવજે અને તમે પોતે પહેરતા હો તેવાં જ કપડાં પહેરાવજો, તેમના ગજ ઉપરનું કામ કરવાની તેમને કદી આજ્ઞા ન કરશો અને એવું જ કામ હોય તો તમારો ધર્મ છે કે તે કામ કરવામાં તમે પોતે તેમને મદદ કરો.” ઇત્યાદિ (પૃ ૧૦૬)
૩. રક્ષા માટે જ - આજે રખાય છે એટલાં ઉપકરણો રાખ્યા વિના મુનિજનો માટે સંયમની સાધનાશક્ય નથી એવી શ્વેતાંબર સંપ્રદાયની એકાંગી માન્યતાને અને એક પણ ઉપકરણ હોય તો સાધક જનો માટે સંયમની સાધના શકય નથી અર્થાતુ મુનિએ એક પણ ઉપકરણ ન રાખવું જોઈએ-તદ્દન યથાજાત-નગ્ન-જ રહેવું જોઈએ એવી દિગંબર સંપ્રદાયની પણ એકાંગી માન્યતાને આ પદ્ય સ્પષ્ટ પડકારરૂપ છે તથા ઘણા પ્રાચીન સમયમાં અભિનિવેશપરાયણ આવા બે સંપ્રદાયો નહોતા એમ પણ આ પદ્ય સૂચિત કરે છે. ૪. ભમરો - સરખાવો ધમ્મપદ ચોથો પુષ્પવર્ગ સ્લો- ૬ :
यथा पि भमरो पुप्फ वण्णगंधं अहेठयं । पलेति रसमादाय एवं गामे मुनि चरे ॥
Page #102
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ-સૂત્ર
પપ મહાભારતમાં જ્યાં દુર્યોધન અને વિદુર વચ્ચે વાતચીત ચાલે છે ત્યાં પણ આવી જ હકીક્ત છે.
यथा मधु समादत्ते रक्षन् पुप्पाणि षट्पदः ।
तद्वदर्थान् मनुष्येभ्य: आदद्यात् अविहिंसया ॥ આ બને પદ્યોનો ભાવાર્થ આ છે : જેમ ભમરો ક્લોને બચાવતો બચાવતો-સાચવી સાચવીને-તેમાંથી રસ-મધ-લે છે તે પ્રમાણે મનુષ્પો પાસેથી ધન, અહિંસાપૂર્વક મેળવવું જોઈએ.
શ્રેયાથી મનુષ્ય બીજા કોઈ પાસેથી ઘન વગેરેને મેળવવા જતાં વા તેના શ્રમનો લાભ લેવા જતાં કેવી રીતે વર્તે? એની સૂચના આ પદ્યોમાં આપેલી છે. આખાય સંસારમાં સ્વાર્થ વિશેષ ભાગે પ્રધાન છે. સ્વાર્થને સાધવા જતાં મનુષ્ય પોતાના સહાયકોના જીવન તરફ એવો બેદરકાર બની જાય છે કે તે તરફ ભાગ્યે જ નજર સરખી પણ કરે છે. વળી, મનુષ્યમાત્રમાં સ્વાર્થ લોભ સત્તામદ વગેરે દૂષણો વ્યાપેલાં છે એને લીધે પણ તેને ઉપરની વાત સૂઝતી નથી, તેમ છતાં સ્વ અને પર બન્નેનો બચાવ થાય એવો માર્ગ શ્રેયાર્થીએ આમાંથી કાઢવો જ રહ્યો. જે માર્ગ નીકળી શકે એમ છે અને જે રીતે નીકળી શકે એમ છે તે વાત મહાવીરવાણીનું મૂળ પદ્ય અને ધમ્મપદ તથા મહાભારતનું આ પદ્ય સ્પષ્ટપણે સૂચવે છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૫૬
॥૮॥
अराइभोयण- सुत्तं
(૬૬) અત્યંયંમિ આફત્ત્વે, પુરત્થા ય અનુTQ | आहारमाइयं सव्वं, मणसा वि न पत्थए ॥ १ ॥
(૪૦ ૪૦ ૮૦ ૨૮)
॥ ૮ ॥
અરાત્રીભોજન-સૂત્ર
૬૬. સૂર્ય આથમી ગયા પછી અને સૂર્ય ઊગ્યો ન હોય તે પહેલાં આહાર પાણી વગેરેને લગતી બધી પ્રવૃત્તિને એટલે ખાવા-પીવાની તમામ પ્રવૃત્તિને મનથી પણ ન ઇચ્છવી જોઈએ.
(૬૭) સંતિને યુદ્ઘમા પાળા, તમા અતુવ થાવા I ढ़ई राओ अपासंतो कहमेसणियं चरे ? ||२॥
મહાવીર વાણી
૬૭. આ ત્રસ પ્રાણો અથવા આ સ્થાવર પ્રાણો એવાં સૂક્ષ્મ છે કે જેમને રાત્રીએ જોઈ શકાતાં નથી. આવી સ્થિતિમાં રાત્રીએ નિર્દોષ ભિક્ષા માટે કેમ કરીને ફરી શકાય? તો પછી રાત્રે ભોજન પણ કેમ કરીને લઈ શકાય ?
(૬૮) ૩૬ાં વીવસંસત્ત, પાળા નિષ્વઙિયા મહિં !
दिया ताई विवज्जेज्जा, राओ तत्थ कहं चरे ? ||३|| ૬૮. જમીન ઉપર પાણીની ભીનાશ હોય, જ્યાં ત્યાં બીઆં વેરાયેલાં પડ્યાં હોય અને એ રીતે જમીન ઉપર જ્યાં ત્યાં કીડી, મંકોડી વગેરે
Page #104
--------------------------------------------------------------------------
________________
૫૭
અરાત્રીભોજન-સૂત્ર પ્રાણો કરતાં હોય-એવી પરિસ્થિતિમાં દિવસે પણ હરી ફરી ન શકાય. તો રાત્રે તો એવે સ્થળે ભિક્ષા માટે કેમ કરીને ચાલી શકાય? (६९) एयं च दोसं दळूणं नायपुत्तेण भासियं । सव्वाहारं न भुंजति, निग्गंथा राइभोयणं ॥४॥
(તા. ૦ ૦ ૨૩, ૨૪, ૨૯) ૬૯. આ દોષોને જોઈને ભગવાન જ્ઞાતપુ કહેવું છે કે, નિગ્રંથ મુનિઓ રાત્રીએ તમામ પ્રકારના આહારનો ત્યાગ જ કરે - રાત્રિભોજન ન જ કરે. (૭૦) રવિદેવિ મારે, જોવા
सन्निही-संचओ चेव, वज्जेयव्वो सुदुक्करं ।।५।।
૭૦. રાત્રે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારને છોડી દેવો. અર્થાત્ રાત્રી ભોજનનો ત્યાગ કરવો તથા ખાવા પીવા વગેરેની કોઈ પણ વસ્તુઓને પોતાની પાસે રાખી ન મૂકવી અથવા તેવી વસ્તુઓનો પોતાની પાસે સંઘરો ન કરી રાખવો એ બધું ભારે દુષ્કર છે. (૭૨) પવિરુ-મુલાવાયા--હુ-કાજ વિ . राईभोयणविरओ, जीवो भवइ अणासवो ॥६॥
(૩૦ મ રૂ . ૨) ૭૧. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ; આ પાંચે પાપમય પ્રવૃત્તિઓથી અટકી ગયેલો અને રાત્રી ભોજનની પ્રવૃત્તિઓથી પણ વિરામ પામેલો જીવ, આસવ વગરનો હોય છે - નિદૉષ હોય છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
૧. આવી સ્થિતિમાં જુઓ સત્યસૂત્ર-ટિપ્પણ બીજું મુનિજન સંયમપ્રધાન વૃત્તિવાળો ગૃહસ્થ પણ આવી પરિસ્થિતિમાં ખાનપાન શી રીતે લઈ શકે ? એવો અર્થ પણ અહીં સમજી લેવાનો છે.
૫૮
૨. જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના વંશનું નામ ‘જ્ઞાત' હતું. તેથી તેઓ માટે જ્ઞાતપુત્ર, જ્ઞાતનંદન વગેરે નામો પણ વપરાય છે. બૌદ્ધપિટક ગ્રંથોમાં તો તેમની પ્રસિદ્ધિ ટ્રીયતવસ્તી નિયંો નાતપુત્તો એ રીતે જ છે.
W
૩. આ પાંચે પાપમય આ પાંચે ફુપ્રવૃત્તિઓ એક બીજી સાથે એવી સંકળાયેલી છે કે એમાંની ગમે તે એક કરવા જતાં એ પાંચે સાથે જ આવી જવાની, એવો એ પાંચેનો પરસ્પર સંબંધ છે. એથી ઊલટી પાંચ સત્યપ્રવૃત્તિઓ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચે પણ પરસ્પર એવી જ સંકળાયેલી છે એટલે તેમાંથી ગમે તે એકની આરાધના કરનારે એ પાંચેને આરાધવી પડે તો જ એ આરાધના કલ્યાણકારી બને. એકની આરાધના કરે અને બીજીને પડતી મૂકે તો જીવનશુદ્ધિનો સંભવ નથી જ; એ ધ્યાનમાં રાખવાનું છે.
-
Page #106
--------------------------------------------------------------------------
________________
વિનય-સૂત્ર
॥९॥
विणय-सुत्तं
(७२) मूलाओ खंधप्पभवो दुमस्स, खंधाउ पच्छा समुवेन्ति साहा ।
साह - प्पयाहा विरुहन्ति पत्ता,
तओ सि पुष्पं च फलं रसो अ ॥ १ ॥
112 11
વિનય-સૂત્ર
૭૨. વૃક્ષના મૂળમાંથી થડ ઊગે છે, થડમાંથી પછી જુદી જુદી શાખાઓ ઊગે છે, એ શાખાઓમાંથી બીજી નાની નાની ડાળો ફૂટે છે, એ ડાળો ઉપર પાંદડાં ઊગે છે, પછી તેને ફૂલ આવે છે, ફળ લાગે છે અને ત્યાર બાદ તે ફળોમાં રસ જામે છે.
(७३) एवं धम्मस्स विणओ, मूलं परमो से मोक्खो ।
जे कित्तिं सुर्य सिग्धं, निस्सेसं चाभिगच्छइ ॥२॥
(दश०, अ० ९, ३०२ गा० १-२ )
૩૩. એ જ પ્રકારે ધર્મરૂપ વૃક્ષનું મૂળ વિનય છે અને મોક્ષ તે મૂળમાંથી પ્રગટ થતો ઉત્તમોત્તમ રસ છે. વિનયથી જ મનુષ્ય કીર્તિ, વિદ્યા, શ્લાઘા-પ્રશંસા અને કલ્યાણમંગળને શીઘ્ર મેળવે છે.
(७४) अह पंचहिं ठाणेहिं, जेहिं सिक्खा न लब्भई । थम्भा कोहा पमाएणं, रोगेणाऽऽलस्सएण य ॥३॥ (उत्तरा० अ० ११, गा० ३)
પ
Page #107
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી જ. જે પાંચ કારણોને લીધે મનુષ્ય સાચી વિદ્યા મેળવી શક્તો નથી તે આ છે :
અભિમાનને લીધે, ક્રોધને લીધે, બેદરકારી અથવા વિષયો તરફના પોતાના વલણને લીધે, કોઢ જેવા ભયંકર રોગો થવાને લીધે અને આળસને લીધે મનુષ્ય સાચી વિદ્યા મેળવી શકતો નથી. (७५-७६) अह अट्ठहिं ठाणेहिं, सिक्खासीलि त्ति वुच्चई।
अहस्सिरे सयादन्ते, न य मम्ममुदाहरे ॥४॥ नासीले न विसीले वि, न सिया अइलोलुए। अकोहणे सच्चरए, सिक्खासीलि त्ति वुच्चइ ॥५।।
(૩૦ ૦ ૨૨, ૪,) ૭૫-૭૬. જે આઠ કારણોને લીધે મનુષ્ય શિક્ષાશીલ' કહેવાય છે તે આ છે :
૧. તે વારંવાર હસનારો ન હોય, ૨. નિરંતર ઇંદ્રિયોને કાબૂમાં રાખનારો હોય, ૩. બીજાનાં મમ ભેદાય એવાં વચન બોલનારો ન હોય, ૪. શીલ વિનાનો ન હોય એટલે કે સુશીલ હોય, ૫. શીલ વારંવાર બદલાયા કરે એટલે કે આચાર ઠેકાણા વગરનો હોય એવો પણ ન હોય, ૬. ખાવા પીવામાં કે વિષયોમાં અતિલોલુપ ન હોય, ૭. અક્રોધી-શાંતવૃત્તિનો હોય, ૮. સત્યપરાયણ હોય - આવા ગુણોવાળો મનુષ્ય શિક્ષાશીલ” કહેવાય છે. (७७) आणानिदंसकरे, गुरूणमुववायकारए। इंगियागारसंपन्ने से विणीए त्ति वुच्चई ॥६।।
(૩૦ મ૨, T૦ ૨)
Page #108
--------------------------------------------------------------------------
________________
વિનય-સૂત્ર
૭૭. જે મનુષ્ય ગુરુજનની આજ્ઞા પ્રમાણે વર્તતો હોય, ગુરુજનની દેખરેખમાં રહેતો હોય-ગુરુકુળવાસી હોય, ગુરુજનનાં ઈંગિતોને એટલે સંતોને બરાબર સારી રીતે સમજતો હોય તથા કાર્યપ્રસંગે કરવામાં આવતા તેમના (ગુરુજનના) શારીરિક કે મૌખિક આકારોને બરાબર સારી રીતે સમજી લેતો હોય તે મનુષ્ય વિનીત-વિનય સંપન્ન કહેવાય છે.
(૭૮-૮૨) મહ વનાદિ કાળેહિં, સુવિળીદ્ ત્તિ વુન્નરૂં नयावत्ती अचवले, अमाई अकुऊहले ||७|
अप्पं च अहिक्खिवई, पबन्धं च न कुव्वई । मेत्तिजमाणो भयई, सुयं लद्धुं न मज्जई ॥८ नय पावपरिक्खेवी, न य मित्तेसु कुप्पई । अप्पियस्साऽवि मित्तस्स, रहे कल्लाण भासई || ९ ||
कलहडमरवज्जिए, बुद्धे अभिजाइए । હિશ્મિ કિમંતીને, સુવિળીણ્ ત્તિ મુખ્યરૂં શા
(377To 3To ??, nTo ?o -?3)
૭૮-૮૧. આ પંદર કારણોને લીધે મનુષ્ય સુવિનીત - વધારે સારી રીતે વિનયવાળો ગણાય છે.
૬૧
પહેલું, નમ્ર હોય એટલે ઉદ્ધત ન હોય, બીજું, અચપળ હોય, ત્રીજું, શઠતા-લુચ્ચાઈ-કપટ વિનાનો હોય એટલે કે સરળ હોય, ચોથું, કુતૂહલી ન હોય એટલે ગંભીર હોય, પાંચમું, કોઈનું અપમાન ભાગ્યે જ કરતો હોય, છ, જેને ક્રોધ આવ્યા પછી વધારે વખત ન ટકતો હોય અર્થાત્ જે જલદી શાંત થઈ જતો હોય, સાતમું, પોતા તરફ્ મિત્રભાવે
Page #109
--------------------------------------------------------------------------
________________
૨
મહાવીર વાણી વર્તનારા સાથે પૂરા સદ્ભાવથી વર્તતો હોય, આઠમું, વિદ્યા મેળવીને અભિમાન ન કરતો હોય, નવમું, કોઈના દોષોને બોલ બોલ ન કરતો હોય તેવા દોષગ્રાહી ન હોય, દસમું, મિત્રો તરફ ક્રોધ ન કરતો હોય, અગિયારમું, પોતાને ન ગમતા અપ્રિય મિત્રનું પણ તેની પછવાડે સારું જ બોલતો હોય અર્થાત્ અપ્રિય મિત્રની પણ તેની પાછળ નિંદા ન કરતો હોય, બારમું, ઝઘડો કે ટંટો ન કરતો હોય, તેરમું, બુદ્ધિવાળો હોય - સમજદાર હોય, ચૌદમું, અભિજાત-ખાનદાન-હોય, અને પંદરમું, આંખની શરમ રાખનારો હોય અને સ્થિર વૃત્તિનો હોય. આવા મનુષ્યને સુવિનીત કહેવાય છે. (૮૨) મUT-નિદ્રે , ગુરૂમyવવાથRTI पडणीए असंबुद्धे, अविणीए त्ति वुच्चई ॥११॥
(૩૦ ૦ ૨ ૦ ૩) ૮૨. જે મનુષ્ય ગુરુજનની આજ્ઞા પ્રમાણે વર્તતો ન હોય, ગુરુજનની દેખરેખમાં ન રહેતો હોય - સ્વચ્છંદી હોય, ગુરુજનનો વિરોધી હોય, બેવકૂફ હોય - સમજ વગરનો હોય તે અવિનીત - વિનય વિનાનો કહેવાય છે. (८३-८५) अभिक्खणं कोही हवइ, पवन्धं च पकुव्वई।
मेत्तिज्जमाणो वमइ, सुयं लभ्रूण मज्जई ।।१२।। अवि पावपरिक्खेवी, अवि मित्तेसु कुप्पई। सुप्पियस्साऽवि मित्तस्स, रहे भासइ पावगं ।।१३।। पइण्णवादी दुहिले, थद्धे लद्धे अणिग्गहे । असंविभागी अचियत्ते, अविणीए त्ति वुच्चई ।।१४।।
(૩૫૦ ૫૦ ?? To ૭,૮,૧).
Page #110
--------------------------------------------------------------------------
________________
વિનય-સૂત્ર
૮૩-૮૫. જે મનુષ્ય વારંવાર ક્રોધ કરતો હોય, જેનો ક્રોધ જલદી શાંત ન થતો હોય, જે પોતાના મિત્રો તરફ કોપ કરતો હોય, પોતાના સુપ્રિય મિત્રનું પણ પછવાડે ભૂંડું બોલતો હોય, જે બકવાદી હોય - જેમ ફાવે તેમ બોલ બોલ કરતો હોય, દ્રોહી હોય એટલે પોતાના ઉપકારીઓનો પણ દ્રોહ કરતો હોય, અભિમાની-અકકડ હોય, લાલચુડો હોય, સંયમ વગરનો હોય, પોતે મેળવેલી કોઈ પણ વસ્તુઓને એટલે ખાન, પાન, વસ્ત્ર, પાવ વગેરે વસ્તુઓને પોતાના સાધર્મિકોને ભાગે પડતી ન આપે અને પોતે એકલો જ રાખે – ભોગવે – એવો હોય અર્થાત્ વહેંચીને ખાનારો ન હોય અને અપ્રિય લાગે તેવા સ્વભાવવાળો હોય તે અવિનીત - વિનય વગરનો ગણાય છે. (૬) નત્તિ થHપાડું સિત્તે,
तस्सन्तिए वेणइयं पउंजे । सक्कारए सिरसा पंजलीओ,
-જિારી ! મUT દિવં ઉપા ૮૬. જેમની પાસે ધર્મનાં પદો એટલે ધર્મનાં વચનોને શીખે તેમની પાસે વિનયથી વર્તવું જોઈએ, તેમનો સત્કાર કરવો જોઈએ, તેમને માથું નમાવીને અને હાથ જોડીને પ્રણામ કરવા જોઈએ, તથા હંમેશાં શરીર વડે, વચન વડે, અને મન વડે પોતાને ધર્મશાસ્ત્ર શીખવનાર ગુરુનો હિરેક પ્રકારે વિનય કરવો જોઈએ. (૮૭) શંમા વોહ વ મ -માયા,
गुरुस्सगासे विणयं न सिक्खे। सो चेव उ तस्स अभूइभावो, फलं व कीयस्स वहाय होइ ।।१६।।
(दश० अ० ९ उ० १ गा० १२,१)
Page #111
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી ૮૭. અભિમાનને લીધે, ક્રોધને લીધે, મદ કે પ્રમાદને લીધે જે શિષ્ય યા વિદ્યાર્થી ગુરુનો વિનય ન કરે - ગુરુની પાસે વિનયથી ન વર્તે, તો જેમ વાંસડાનું ફળ વાંસડાના વિનાશનું કારણ બને છે, તેમ તેનું એ અવિનયી વર્તન જ તેના પોતાના વિનાશનું કારણ બને છે. (८८) विवत्ती अविणीयस्स संपत्ती विणीयस्स य । जस्सेयं दुहओ नायं, सिक्खं से अभिगच्छइ ।।१७।।
(૪૦ ૧ ૨ T. ર૨) ૮૮. અવિનયી વિપત્તિ પામે છે અને વિનયી સંપત્તિ પામે છે. આ બે વાતને જેણે બરાબર જાણી લીધી છે તે, શિક્ષાને - વિદ્યાને - મેળવી શકે છે.
૧. વિનય ન કરે - સરખાવો ધમ્મપદ બારમો આત્મવર્ગ સ્લો ૮:
यो सासनं अरहतं अरियानं धम्मजीविनं । पडिक्कोसति दुम्मेधो दिहिं निस्साय पापिकं ॥
फलानि कहकस्सेव अत्तघाय फल्लति ॥ જે દુર્બુદ્ધિ મનુષ્ય પાપમય દષ્ટિ રાખીને ધર્મજીવી આર્ય એવા અરહંતના શાસન ઉપર આક્રોશ કરે અર્થાત એ શાસનનું ભૂંડું બોલે તે, વાંસના ફળની પેઠે પોતાના આત્મઘાતને પામે છે – પોતે જાતે પોતાના વિનાશને નોતરે છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
૬૫
ચાતુરંગીય-સૂત્ર
| ૨૦ |
चाउरंगिज्ज-सुत्तं (૮૨) ચત્તર મં, ગુનાદિકનુ
माणुसत्तं सुई सद्धा संजमम्मि य वीरियं ॥९॥
: ૧૦:
ચાતુરંગીય-સૂત્ર ૮૯. સંસારમાં પ્રાણી માત્રને આ ચાર ઉત્તમ અંગો મળવાં ઘણાં જ દુર્લભ છે એક તો મનુષ્યપણું-મનુષ્યનો અવતાર, બીજું, શ્રુતિ-સારાં સારાં વચનોનું શ્રવણ; ત્રીજું, તે તે સાંભળેલાં સારાં વચનોમાં શ્રદ્ધા થવી અને ચોથું, થયેલી શ્રદ્ધા અનુસારે સંયમની પ્રવૃત્તિમાં પુરુષાર્થ કરવો - શક્તિનો ઉપયોગ કરવો. (૨૦) જય સ્વર્ણિમ દો, તો ચંડાન-જુદા
तओ कीड-पयंगो य, तओ कुन्थु-पिवीलिया ॥२॥ ૯૦. પ્રાણી કોકવાર ક્ષત્રિયનો અવતાર પામે છે તો કોઈક વાર ચાંડાલનો અને કોઈક વાર વર્ણસંકરનો. વળી, કોઈક વાર કીડો થાય છે, કોઈક વાર પતંગિયું થાય છે તો કોઈક વાર કંથવો થાય છે અને કોઈક વાર કીડી થાય છે. (९१) एवमावट्टजोणीसु पाणिणो कम्मकिब्विसा।
न निविज्जन्ति संसारे, सव्वढेसु व खत्तिया ।।३।। ૯૧. પાપકર્મ કરનાર પ્રાણીઓ એ પ્રકારે ફરતી ફરતી - જુદી
Page #113
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી જુદી યોનિયોમાં જન્મ લીધા કરે છે, છતાં ય જેમ ક્ષત્રિયો મોટાં મોટાં યુદ્ધો કરવાની ઘણી મહેનત કરી અને પછી તમામ ધાર્યું મળી ગયા પછી પણ ફરીને એવી ઘોર મહેનત કરતાં કંટાળતા નથી, તેમ તે પ્રાણીઓ આવા જુદા જુદા અવતારો મેળવીને સંસાર સંબંધે ટાળતા નથી; અર્થાત્ ક્ષત્રિયોની જેમ ઊલટા રાજી થાય છે. (९२) कम्मसंगेहिं सम्मूढा, दुक्खिया बहुवेयणा ।
अमाणुसासु जोणीसु, विणिहम्मन्ति पाणिणो ॥४॥ ૯૨. પાપીઓની સોબતને લીધે એટલે વારંવાર પાપમય પ્રવૃત્તિ ક્ય કરવાથી વિશેષ મૂઢ થયેલા, દુઃખી અને ઘણી વેદનાઓને ભોગવતાં પ્રાણીઓ, મનુષ્ય સિવાયની બીજી વિવિધ યોનિઓમાં જન્મી જન્મીને વારંવાર હણાયા કરે છે – માર ખાધા કરે છે. (९३) कम्माणं तु पहाणाए, आणुपुव्वी कयाइ उ।
जीवा सोहिमणुपत्ता, आययन्ति मणुस्सयं ।।५।। ૯૩. એ રીતે અનુક્રમે એથી બીજી એવી વિવિધ યોનિઓમાં ભટકતાં ભટકતાં અકામનિર્જરાને લીધે, જ્યારે પાપકર્મ ઓછાં થાય છે ત્યારે આત્મા થોડો ઘણો શુદ્ધ – નિર્મળ – બને છે; અને એમ થવાથી કોઈક વાર આ પ્રાણી મનુષ્યયોનિમાં આવે છે. (૬૪) માપુ વિર્દ દ્ધ સુ ધમરૂ દુI
जं सोच्चा पडिवज्जन्ति तवं खन्तिमहिंसयं ।।६।। ૯૪. મનુષ્યનો અવતાર મહામુસીબતે કદાચ મળી ગયો તો પણ, જે વચનોને સાંભળીને માણસો તપ, ક્ષમા અને અહિંસાના સંસ્કારોને
WWW.jainelibrary.org
Page #114
--------------------------------------------------------------------------
________________
ચાતુરંગીય-સૂત્ર ચિત્તમાં સ્થિર કરી શકે એવાં ધર્મવચનોનું સાંભળવું ભારે દુર્લભ છે. (९५) आहच्च सवणं लद्धं सद्धा परमदुल्लहा ।
सोच्चा नेयाउयं मग्गं बहवे परिभस्सई ॥७॥
લ્પ. કદાચ એવા સત્સંસ્કાર પાડનારાં વચનોને સાંભળવાનો પણ પ્રસંગ આવી મળે, તો પણ તેમાં શ્રદ્ધા-વિશ્વાસ બેસવો ઘણો જ દુર્લભ છે. કારણ કે એવાં ન્યાયમાર્ગને બોધનારાં વચનોને સાંભળવા છતાં ય કેટલાક માણસો ન્યાયમાર્ગને અનુસરતા નથી. ઊલટું તેઓ ન્યાયમાર્ગથી વ્યુત હોય તેમ વર્તે છે, અર્થાત્ ન્યાયમાર્ગના શ્રવણમાં તેમનો વિશ્વાસ બેસતો નથી. (९६) सुइं च लद्धं सद्धं च, वीरियं पुण दुल्लहं ।
बहवे रोयमाणा वि, नो य णं पडिवज्जए ॥८॥ ૯૬. કદાચ ધર્મમાર્ગના શ્રવણનો પ્રસંગ સાંપડ્યો અને તેમાં શ્રદ્ધા પણ બેઠી. તેમ છતાં ય તે પ્રમાણે વર્તવા સારુ યોગ્ય પુરુષાર્થ કરવાનું વળી ભારે દુર્ઘટ બને છે. ઘણા લોકો એવા હોય છે કે જેઓ ધર્મમાર્ગમાં પોતે શ્રદ્ધા તો રાખે છે એમ કહેતા હોય છે, પણ તે પ્રમાણે વર્તી શકતા નથી અર્થાત્ શ્રદ્ધા થયા પછી તે પ્રમાણે પુરુષાર્થ કરવો ઘણો દુર્લભ બને છે. (૧૭) માપુનત્તજિ માયા, ન ઘí સોલ્વ સદ્દો
तवस्सी वीरियं लद्धं, संवुडे निद्भुणे रयं ॥९॥ ૯૭. મનુષ્ય જન્મમાં આવેલો એટલે ખરેખર મનુષ્ય થયેલો તેને જ સમજવો કે જે, ધર્મવચનોને સાંભળે, પછી તેમાં વિશ્વાસ રાખે,
Page #115
--------------------------------------------------------------------------
________________
- ૬૮
મહાવીર વાણી પછી તે પ્રમાણે તપસ્વી બની સંવરવાળો થઈ પોતા ઉપર લાગેલા પાપમળને ખંખેરી નાખવાનો પુરુષાર્થ કરે. (९८) सोही उज्जुयभूयस्स धम्मो सुद्धस्स चिट्ठई।
निव्वाणं परमं जाइ, घयसित्ते व्व पावए ॥१०॥
૯૮. સરળ માણસ શુદ્ધિ મેળવી શકે છે. જે માણસ શુદ્ધ હોય તેના ચિત્તમાં ધર્મ ટકી શકે છે. જેમ પાણીથી છંટાયેલો અગ્નિ તદ્દન શાંત થાય છે, તેમ તેવો ધર્મમય મનુષ્ય વિશેષ પ્રકાશમાન થઈ ઉત્તમ નિર્વાણને - પરમ શાંતિને પામે છે. (૨) વિર — દેવું, કરં સંવિધુ વૃત્તિ
सरीरं पाढवं हिच्चा, उड्ठं पक्कमई दिसं ।।११॥ .
૯૯. પાપકર્મોના હેતુને અર્થાત્ આસક્તિને છેદી નાખે, ક્ષમા-સરળતા વગેરે ગુણો મેળવીને અતિશય જશ પ્રાપ્ત કરે; આ રીતે કરનારો મનુષ્ય આ પાર્થિવ શરીરને છોડીને ઊંચી દિશા તરફ પ્રયાણ કરે છે. (૧૦૦) ર૩ર, સુનદં મત્તા, સંન ફિન્નિા तवसा धुयकम्मंसे, सिद्धे हवइ सासए ॥१२॥
( T૦ ૦ ૨ ૦ ,૪-૩, ૨૦) ૧૦૦. ઉપર કહ્યા પ્રમાણેનાં એ ચાર અંગોને દુર્લભ માનીને તે અંગો પામ્યા પછી, મનુષ્ય સંયમ માર્ગને સ્વીકારવો જોઈએ. તપ દ્વારા કમોનિ ખંખેરી નાંખનારો મનુષ્ય શાયત સિદ્ધ થાય છે.
E
Page #116
--------------------------------------------------------------------------
________________
અપ્રમાદ-સૂત્ર
| ??? |
अप्पमाय-सुत्तं (૨૦૨) સંવ નાવિક જ પ્રમાણે,
जरोवणीयस्स हु नत्थि ताणं । एवं विजाणाहि जणे पमत्ते,
__ कं नु विहिंसा अजया गहिन्ति ? ॥१॥
|| ૧૧-૧ |
અપ્રમાદ-સૂત્ર ૧૦૧. જીવન તૂટ્યા પછી તેનો સંસ્કાર થઈ શકતો નથી અર્થાત્ તૂટવાની અણી પર આવેલું જીવન સંધાતું નથી, માટે એ બાબત પ્રમાદ ન કરો, વૃદ્ધાવસ્થા આવી પહોંચ્યા પછી તેનાથી બચાવ થઈ શકતો નથી. જેઓ સંયમ વગરના છે અને વિવિધ રીતે હિંસા કરનારા છે, તેઓ અંત સમયે કોને શરણે જવાના? પ્રમાદી માણસે આ બધું બરાબર સારી રીતે જાણી લેવું જોઈએ. (૨૦૨) ને વદિ ઘvi મસા ,
समाययन्ती अमयं गहाय । पहाय ते पासपयट्टिए नरे,
__ वेराणुबद्धा नरयं उवेन्ति ।।२।। ૧૦૨. પાપકર્મો દ્વારા એટલે છળકપટ કરીને, છેતરીને, ભેળસેળ કરીને અને આવી બીજી અનેક નહિ કરવા જેવી પ્રવૃત્તિઓ કરીને, જે મનુષ્યો અમૃતની પેઠે ધનને સમજીને પેદા કરે છે - કમાય છે –
Page #117
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી ભેગું કરે છે, તેઓ ફસામાં બંધાયેલા હોઈ એટલે રાગદ્વેષ, તૃષ્ણા વગેરે દોષોમાં ફસાયેલા હોઈ છેવટે ધનને છોડીને ચાલી નીકળે છે. એવા માણસો કુટુંબમાંકે સમાજમાં વૈર બાંધીને અંતકાળે નરકગતિને પામે છે. (૦૩) વિરેજ તાપ ન ન પમરે,
इमम्मि लोओ अदुवा परत्था । दीवप्पणढे व अणंतमोहे,
नेयाउयं दठुमदठुमेव ॥३॥ ૧૦૩. આ રીતે ધનને ભેગું કરનાર પ્રમાદી મનુષ્ય આ લોકમાં અથવા પરલોકમાં ધન વડે પોતાનો બચાવ કરી શક્તો નથી. જેમ દિીવો હોય ત્યારે બધું પ્રકાશમાન થયેલું દેખાય છે, અને દીવો બુઝાતાં પ્રકાશમાન થયેલું પણ કશું જ દેખાતું નથી, તેમ એવા અનંત મોહવાળા પ્રાણીનો વિવેકદીપક બુઝાતાં તે, પ્રકાશિત-દેખાયેલા-ન્યાયમાર્ગને પણ જાણે અપ્રકાશિત-અણદેખાયેલો-સમજીને ચાલે છે અર્થાત્ એવો મોહી પ્રાણી, ન્યાયમાર્ગ તરફ આંખ આડા કાન કરીને જ કેમ જાણે વર્તતો હોય ? (૨૦૪) તે ન જિમુદે
સાપુ વિશ્વ પવાર I एवं पया पेच्च इहं च लोए।
___ कडाण कम्माण न मुक्ख अत्थि ।।४।। ૧૦૪. જેમ ચોર ખાતર પાડવાની જગ્યાએ જ પકડાઈ જઈ પોતાના જ કર્મ વડે પાપકારી થઈને કપાય છે, એ જ રીતે, આ પ્રજા પોતાના જ પાપ વડે પકડાઈ જઈ આ લોકમાં અને પરલોકમાં પાયા કરે
Page #118
--------------------------------------------------------------------------
________________
અપ્રમાદ-સૂત્ર
૭૧ છે - દુઃખ પામ્યા કરે છે. જે જે પાપકર્મો કર્યા હોય તેનાં દુષ્પરિણામો ભોગવ્યા સિવાય કોઈનો ય છુટકારો નથી જ. (૧૦૧) સંસારમીવન પરસ મ, !
સાદાર નં ૨ વારે વા . कम्मस्स ते तस्स उ वेयकाले,
નવજેવા વન્યવ7િ II ૧૦૫. સંસારમાં રહેનારો મનુષ્ય સાધારણ રીતે તો, પોતાના કુટુંબ કબીલા વગેરે માટે નઠારામાં નઠારાં કાર્યો કરે છે; પરંતુ જ્યારે તે કર્મોનાં દુષ્પરિણામો આવીને ખડાં થાય અને તેમને ભોગવવાનો સમય આવી પહોંચે છે, ત્યારે એ ભોગવવાને વખતે કોઈ બંધુ, પોતાની બંધુતાને દાખવતો નથી અર્થાત્ એ ભોગવવામાં કોઈ સ્વજન પોતાનો ભાગ માગતો નથી - પ્રત્યક્ષ થતાં એ દુષ્પરિણામોને કોઈ સ્વજન પોતે જાતે થોડે ઘણે અંશે પણ ઉપાડી લેવા તૈયાર નથી. (૨૬) સુકુ થાવ ઘડિયુદ્ધનીવી,
- વીસરે પંકિg માસુને घोरा मुहुत्ता अबलं सरीरं,
भारुंडपक्खी व चरऽप्पमत्ते ॥६॥ ૧૦૬. જે મનુષ્ય આશુપ્રજ્ઞ-પંડિત-વિવેકી છે તેને અપંડિત-અવિવેકી એટલે મોહનિદ્રામાં સૂતા રહેતા મનુષ્યો વચ્ચે પણ રહેવાનો પ્રસંગ આવે છે, તે વખતે પંડિત પુરુષે બરાબર સાવધાન રહેવું જોઈએ – તે અવિવેકીઓનો જરા પણ વિશ્વાસ ન કરવો જોઈએ. કાળ ભયંકર છે અને શરીર દુર્બળ છે એમ સમજીને તે પ્રસંગે પંડિત
Page #119
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી પુરુષે ભાડું પક્ષીની પેઠે બરાબર સાવધાન રહીને વર્તવું જોઈએ. (૨૭) જે પાછું રિસંવમો ,
जं किंचि पासं इह मण्णमाणो । लाभन्तरे जीवियं बुहइत्ता,
पच्छा परिन्नाय मलावधंसी ॥७॥ ૧૦૭. આ જગતમાં જે કોઈ ધન, સ્ત્રી, પુત્ર વા બીજી જે કાંઈ સુખની સાધનસામગ્રી છે, તે તમામને એક ફાંસા જેવી માનીને તેના તરફ ફૂંકી ફૂંકીને ડગ ભરવા ઘટે. અર્થાત્ તે સચેતન વા અચેતન તમામ સામગ્રીનો સાધન તરીકે ઉપયોગ કરતાં બરાબર સાવધાન રહેવું ઘટે - ક્યાંય એ સામગ્રી પોતાને ફસાવી ન દે - લલચાવી ન પડે એ જાતની સાવધાની રાખીને બીતાં બીતાં એ સામગ્રીનો ઉપયોગ કરવો ઘટે.
જ્યાં સુધી શરીરસશક્ત હોય ત્યાં સુધી પોતાની ચિત્તશુદ્ધિની સાધનાના ખાસ લાભ માટે જ તેનો વધારેમાં વધારે ઉપયોગ કરવો ઘટે. અર્થાત્ ચિત્તશુદ્ધિની સાધના પૂરતું જ શરીરને સંભાળવું-સાચવવું કે બચાવવું ઘટે, પણ પછી જ્યારે એ શરીર પોતાની એ સાધનામાં ખપ આવે એવું ન જણાય-ઊલટું વિનકારી લાગે ત્યારે મેલની પેઠે તેનો ત્યાગ કરવો ઘટે. (૧૦૮) ઇન્દ્રનિરોફે મોવવું,
_आसे जहा सिक्खिय-वम्मधारी । पुव्वाइं वासाई चरऽप्पमत्ते,
तम्हा मुणी खिप्पमुवेइ मोक्खं ॥८॥ ૧૦૮. જેમ કેળવાયેલો-પલોટાયેલો બખ્તરધારી ઘોડો પોતાના
Page #120
--------------------------------------------------------------------------
________________
અપ્રમાદ-સૂત્ર સ્વછંદને રોક્યા પછી જ વિજયી થાય છે - સ્વતંત્ર બને છે તેમ સાધક મનુષ્ય પોતાના સ્વછંદને રોક્યા પછી જ સ્વતંત્ર બની શકે છે. અપ્રમત્ત સાધકે ઘણા લાંબા સમય સુધી સંયમને આચરવો – સાચવવો – ઘટે. આમ વર્તનારો મુનિ શીધ્ર સ્વતંત્રતાને પામે છે - આ રીતે વર્તતા મુનિને પછી વાસનાકે તૃષ્ણાને પરવશ રહેવું પડતું નથી. (૨૧) વિનસ વિવેગમેવું,
___ तम्हा समुट्ठाय पहाय कामे । समिच्च लोयं समया महेसी,
आयाणुरक्खी चरमप्पमत्ते ॥९॥ ૧૦૯. વિવેક જ્ઞાન કાંઈ ઝટ ઝટ થઈ જતું નથી, તેથી તેને મેળવવા માટે કામોનો-વાસનાઓનો-તૃષ્ણાઓનો ત્યાગ કરીને ભારે સાધના કરવાની જરૂર હોય છે. પાપમય સ્વાર્થી પ્રવૃત્તિઓમાંથી આત્માને બચાવનારા મહામુનિએ સમભાવે સમસ્ત સંસારને સમજી અપ્રમત્ત ભાવે વિચારવું જોઈએ. (૨૦) મુદું જુદું મોજુ યન્ત,
अणेगरूवा समणं चरन्तं । फासा फुसन्ती असमंजसं च,
न तेसी भिक्खू मणसा पउस्से ॥१०॥ ૧૧૦. મોહના સ્વભાવ ઉપર જય પ્રાપ્ત કરવાને સારુ સાધના કરતા ભારે પુરુષાર્થી શ્રમણને ઘણી વાર અનેક પ્રકારનાં અનુકૂળ કે પ્રતિકૂળ વિષયોરૂપ સ્પશઅર્થાત્ વિદ્ગો સાધનામાં અવ્યવસ્થા થાય એવી ભારે નડતર ઊભી કરે છે. તેમ છતાં ય મોહ ઉપર વિજય મેળવવા
Page #121
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
નીકળેલા ભિક્ષુએ, તે વિઘ્નો તરફ મનથી પણ દ્વેષ ન કરવો. અર્થાત્ ભિક્ષુએ, તે વિઘ્નો તરફ ચીડ ન કરતાં પોતાના લક્ષ્ય તરફ્ જ આગળ વધ્યે જવું.
૭૪
(??) મન્વા ય પાસા વઠ્ઠલોળિખા, तहप्पगारेसु मणं न कुजा । रक्खज्ज कोहं विणएज माणं,
मायं न सेवे पयहेज्ज लोहं ॥ ११ ॥
૧૧૧. ઘણી વાર એ અનુકૂળ સ્પર્શોપ વિઘ્નો મંદ હોવા છતાં ય ભારે લલચાવનારાં હોય છે; માટે તેવા પ્રકારનાં વિઘ્નો તરફ સાધકે મનંને ન જ વાળવું - મનને જવા જ ન દેવું. ક્રોધથી બચતા રહેવું, અહંકારને દૂર કરવો, માયાનો છાંયો પણ ન લેવો અને લોભને તજી જ દેવો.
(???) ને સંચયા તુચ્છ વાપ્પવાડું,
ते पिज्ज दोसाणुगया परज्झा । एए अहम्मे त्ति दुर्गुछमाणो,
कंखे गुणे जाव सरीरभेए ॥१२॥
(૩ત્તરT૦ ૪૦ ૪, ૪૦ ૨-૮, ૨૦-૨૩)
૧૧૨. જેઓ ઉપર ઉપરથી સંસ્કારવાળા-ટાપટીપ અને ટીલાટપકાંવાળા-છે, તેઓ ખરી રીતે તુચ્છ છે, બીજાની નિંદા કરનારા છે, રાગ અને દ્વેષને તાબે પડેલા છે અને પરધ્યાયી છે એટલે ‘સ્વ’ને-આત્માને-ભૂલીને ‘પર’નું વાસનાનું-ચિંતન કરનારા છે. એવા તેઓ ‘અધર્મમય’ છે, એમ સમજીને તેમના તરફ દુર્લક્ષ્ય કરતો સાધક
Page #122
--------------------------------------------------------------------------
________________
૭પ
અપ્રમાદ-સૂત્ર મુનિ, શરીરનો નાશ થતાં સુધી ગુણો મેળવવાની જ ઈચ્છા કરે.
૧. સરખાવો ઈ. ખ્રિ, ૫, ઉ. ૫ “ભાઈઓ, તમને તમારો પૈસો શાંતિ નહિ આપી શકે; એનું તમે બળ ન માનશો.” ૨. આશુપ્રજ્ઞ પંડિત - સરખાવો ધમ્મપદ બીજે અપ્રમાદ વર્ગ બ્લોક ૯:
મધ્યમો પમરે, સુસુ વહુના છે અર્થાત્ પ્રમાદીઓની-પ્રેયાર્થીઓની-સાથે રહેવાનો પ્રસંગ આવે તો ત્યાં અપ્રમત્ત રહેવું અને સૂતેલાઓની-અજ્ઞાનીઓની-સાથે રહેવાનો જોગ થઈ જાય તો તેઓની સાથે વિશેષ જાગતા રહેવું.
૩. ભાડ પક્ષી - જૈન સૂત્રોમાં ભાર્ડ કે ભાખંડ નામના પક્ષીનો ઉલ્લેખ જ્યાં અપ્રમત્તતા એટલે સતત સાવધાનતા દર્શાવવી હોય ત્યાં વારંવાર આવે છે. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના શ્રમણજીવનનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે મારુડપથી રૂવ કqHજે અર્થાત્ શ્રી વર્ધમાન, શ્રમણ થયા પછી ભાચુંડ પક્ષીની પેઠે અપ્રમત્ત-સતત સાવધાન-રહેતા.
આશરે છઠ્ઠા સૈકામાં રચાયેલા વસુદેવહિંડી નામના ગ્રંથમાં (પૃ. ૨૪૯) ભાચુંડ નામના પક્ષીનો ઉલ્લેખ મળે છે. પણ ત્યાં તેના શરીરના આકાર વિશે કશી નોંધ મળતી નથી. ત્યાં તો માત્ર એટલું લખેલું છે કે “એ પક્ષીઓ રત્નદ્વીપ નામના દ્વીપમાંથી આવે છે. મારી એટલે તેઓ મોટાં શરીરવાળા હોય છે, તેઓ વાઘ તથા રીંછ વગેરેનું માંસ ખાય છે.”
વસુદેવહિંડીમાં જે કથા આવે છે તેનો ટૂંક સાર આ છે :
કોઈ એક વેપારીનો કાફલો પોતાનો માલ વેચવા, નવો માલ ખરીદવા અને તે રીતે ધન કમાવા પ્રયાસ કરતો કરતો અજપથ નામના દેશમાં આવ્યો. (અજપથ એટલે જે દેશમાં બકરાંઓ ઉપર ચડીને પ્રવાસ કરી શકાય તે દેશ, એ દેશમાં બકરાંઓની આંખે પાટા બાંધીને તેમના ઉપર સવારી કરવામાં આવે છે) અજપથ પહોંચી તે કાલો વજકોટિસંસ્થિત નામના પર્વતને ઓળંગી
Page #123
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
દ
ગયો. ત્યાં આવતાં સખત ટાઢને લીધે બકરાં થીજી ગયાં, તેમની આંખો ઉઘાડી નાંખવામાં આવી.
પછી તો જેમના ઉપર સવારી કરીને અહીં સુધી પહોંચ્યા તે બકરાંઓને મારી નાંખીને તેમનાં ચામડાંની મોટી મોટી મસકો બનાવવામાં આવે છે અને આ પર્વતથી રત્નદ્વીપ જવા માટે પ્રવાસીઓ છરી સાથે ચામડાની એ મોટી મોટી મસકોમાં બેસી જાય છે. મસકને અંદરથી બંધ કરી દેવામાં આવે છે.
આ પર્વતમાં ચરવા માટે રત્નદ્વીપમાંથી ભાચુંડ પક્ષીઓ આવે છે અને તેઓ આ મસકને માંસનો મોટો પિંડ-લોચો સમજીને ઉપાડીને રત્નદ્વીપ લઈ જાય છે. ભારુંડ પક્ષી મસકને જેવી નીચે મૂકે કે તરત જ અંદર બેઠેલો કે માણસ છરી વડે મસકને કાપી નાખીને બહાર નીકળી પડે છે. પછી રત્નદ્વીપમાંથી રત્નોનો સંગ્રહ કરી ફરી પાછો મસકમાં ભરાઈ જાય છે અને એ જ રીતે ભારુંડ પક્ષીઓ વળી પ્રવાસીને પાછા તે પર્વત પાસે લાવે છે. કલ્પસૂત્રની કિરણાવલી ટીકામાં ભારુંડપક્ષીનું જે વર્ણન આપેલ છે તે આ પ્રમાણે છે :
भारुण्डपक्षिणोः किल एकं कलेवरम् पृथग्रीवम् त्रिपादं च स्यात् । यदुक्तम्भारुण्डपक्षिणः ख्याताः त्रिपदा मर्त्यभाषिणः । द्विजिह्वा द्विमुखाश्चैकोदरा भिन्नफलैषिणः ॥
તથા ઉત્તરાધ્યયનસૂત્ર ચોથા અધ્યયન, ગા૰ ૬ની ટીકામાં ભારુડ પક્ષી વિશે જે નોંધ છે તે આ પ્રમાણે છે :
एकोदरा: पृथग्ग्रीवा: अन्योन्यफलभक्षिणः । प्रमत्ता हि विनश्यन्ति भारुण्डा इव पक्षिणः !!
અર્થાત્ એક બીજાં સાથે જોડાયેલાં ભાડ નામનાં બે એવાં પક્ષી છે કે જેમને પેટ એક હોય છે, માથાં જુદાં જુદાં હોય છે. ત્રણ પગ હોય છે. બે જીભ હોય છે, બે મોઢાં હોય છે, વાણી મનુષ્યની હોય છે અને તેઓ પરસ્પર ફળ ખાનારાં છે. એટલે એક પેટ હોવાથી એક મુખ ફળ ખાય એટલે
Page #124
--------------------------------------------------------------------------
________________
અપ્રમાદ-સૂત્ર બન્નેને તૃપ્તિ થઈ જાય. જોકે જીભ જુદી જુદી હોવાથી સ્વાદ તો જે જીભ ખાય તે જ લઈ શકે. આ વિશે પંચતંત્રના પાંચમા અપરીક્ષિતકારક' નામના તંત્રમાં એક કથા આ પ્રમાણે આપેલી છે :
एकोदरा: पृथग्ग्रीवा: अन्योन्यफलभक्षिणः।
પસંદતા વિનતિ મારë વ પક્ષિણ ભારડ નામના એક બીજા સાથે જોડાયેલાં બે પક્ષીઓ છે. તેમને પેટ એક છે, માથાં જુદાં જુદાં છે, અને તેઓ પરસ્પર ફળ ખાનારાં છે. એટલે એક મુખ ફળ ખાય ત્યારે બીજું મુખ પણ એ જ ફળ ખાય અથવા એક મુખ ફળ ખાય ત્યારે બીજું ખાવાની પ્રવૃત્તિ ન કરે, એમ પોતાનાં બે મુખમાંથી ગમે તે એક વડે તેઓ વારાફરતી ફળ ખાનારાં છે. તથા તે બને સંહત-એક બીજાં જોડાયેલાં છે. જે તેઓ અસંહત બનવાનું એટલે જુદાં જુદાં પડી જવાનું મન કરે તો એ બન્ને તરત જ મરી જાય છે.
એક સરોવરમાં એક પેટવાળો, જુદાં જુદાં માથાવાળો એક ભાખંડ પક્ષી રહેતો હતો. સમુદ્રને કાંઠે ભમતાં ભમતાં તેને સમુદ્રના લોઢોને લીધે તણાઈને આવેલાં ઘણાં અમૃતફળ મળ્યાં, તેમને તે ખાઈ ગયો અને તે ફળોનો તેને અપૂર્વ સ્વાદ લાગ્યો. પોતે એક મુખ વડે એ ફળો ખાધાં હતાં અને તેમનો સ્વાદ માણ્યો હતો. એ વિશે એણે કરેલું સુંદર સ્વાદવર્ણન સાંભળીને સ્વાદ મેળવવાના લોભથી તેના બીજા મુખે કહ્યું કે જો એ ફળોનો આવો અપૂર્વ સ્વાદ છે તો મને પણ તેમાંથી થોડુંક તો ચાખવા આપ, જેથી કરીને જીભનું સુખ મને પણ મળે. આ સાંભળીને ભાખંડ પક્ષી બોલ્યો કે આપણા બનેનું પેટ એક જ છે માટે મારા ખાવાથી તને પણ તૃપ્તિ થઈ ગઈ છે, તેથી વળી જુદું જુદું ખાવાથી શો ફાયદો છે? પણ ફળનો આ જે બાકીનો ભાગ છે તે આપણી પ્રિયા ભારંડીને આપીએ, જેથી એ પણ સ્વાદ ચાખીને ખુશી ખુશી થઈ જાય. એમ કહીને બાકીનો ભાગ ભારંડીને આપ્યો. આમ થવાથી બીજું મોટું હંમેશાં ઉદ્ધગવાળું ઉદાસ રહેવા લાગ્યું. પછી એક વાર એ બીજ
Page #125
--------------------------------------------------------------------------
________________
૭૮
મહાવીર વાણી મુખને ક્યાંયથી વિષફળ મળી ગયું. તેથી તેણે પેલા અમૃતફળ ખાનારા મુખને કહ્યું કે હે નિર્દય, અધમ અને નિરપેક્ષ – મારી ગરજ નહીં રાખનારા! મેં આ વિષફળ મેળવ્યું છે. હવે હું તેં કરેલા અપમાનનો બદલો વાળવા તેને ખાઉ છું. પેલું મુખ બોલ્ય: અરે મૂર્ખ! એમ ન કર, એમ કરવાથી તો આપણે બને મરી જઈશું. છતાં બીજ મુખે તે મ જ ગણકાર્યું અને અપમાનનું સાટું વાળવા તે વિષફળ ખાઈ લીધું જેથી તે બન્ને પક્ષી મરી ગયાં.
આ પક્ષી માટે ભાર્ડ અને ભાર્ડ એમ બન્ને શબ્દો વપરાય છે.
આચાર્ય હેમચંદ્ર પોતાની દેશીનામમાળામાં (વર્ગ છઠ્ઠો શ્લોક ૧૮) કહેલું છે કે :
“માડમ મો ” અર્થાત્ ભોરુડ કે ભોડ શબ્દ પણ ભારુડપક્ષીના અર્થમાં વપરાય છે.
ઉપર આપેલી કથા અને વર્ણન ઉપરથી એમ માલૂમ પડે છે કે ભાખંડ નામનાં બે પક્ષીઓ છે; પણ તે બન્ને એકબીજો પરસ્પર સાથે જોડાયેલાં છે અર્થાત્ તેમના શરીરની રચના જ એવા પ્રકારની છે. તેમને ત્રણ પગ છે, બે માથાં છે. એક પેટ છે, બે મુખ છે, એ બેમાંથી ગમે તે એક મુખ વડે વારાફરતી ખાવાનું ખાય છે અને પેટ એક હોવાથી એક જણ ખાય તો પણ તેઓ બને ખાવાની તૃપ્તિ અનુભવે છે. જે તેઓ એકબીજો વિરુદ્ધ પ્રવૃત્તિ કરે તો તરત જ મરી જાય છે એટલે એ બન્નેએ બરાબર સાવધાન રહેવું પડે છે જેથી તેમની જુદી જુદી વિરુદ્ધ પ્રવૃત્તિ ન થાય. માટે જ કહેવામાં આવેલ છે કે ભાખંડ પક્ષીની પેઠે અપ્રમત્ત-બરાબર સાવધાન રહેવું.
આચાર્ય હેમચંદ્ર પોતાના અનેકાર્થસંગ્રહમાં ભાખંડ પક્ષીના અર્થમાં મેટું શબ્દ આપે છે:- મેઇgો બીપજ-” “મેug: T Uક્ષા યથા વિદિતા વિનશ્યતિ મેvG ફર્વ ઉસળ :” - (કાંડ ૩ શ્લોક ૧૭૩) માત્ર આ શબ્દનિર્દેશ સિવાય હેમચંદ્ર આ પક્ષી વિશે બીજું કશું લખતા નથી.
આપણા દેશમાં વર્તમાનમાં કયાંય આ પક્ષી જોવામાં આવતું નથી.
Page #126
--------------------------------------------------------------------------
________________
અપ્રમાદ-સૂત્ર પંચતંત્રમાં પણ એ પક્ષીની કથા આપેલી છે તેથી સંભવ છે કે જૂના સમયમાં તે હોય અને વર્તમાનમાં તેનો વંશ નાબૂદ થઈ ગયો હોય.
૪. સ્પર્શી - મૂળમાં આવેલો સ્પર્શ શબ્દ વિષયોનો-કામભોગોનો સૂચક છે. સરખાવો ગીતાના પાંચમા અધ્યાયના ર૭મા શ્લોકમાં વપરાયેલો “સ્પર્શ શબ્દ : “મનું કૃત્વા વરિર્વાદાનું તથા “ત્રીસ્પતુ તેય !'
(ગી, અ ૨ શ્લોક ૧૪) વાઈસ્પર્શેથ્વાત્મ”- (ગીઅ ૫ શ્લો. ર૧) જે દિ સંપર્શના મો:- (ગી, અ. ૫ શ્લો૨૨).
Page #127
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
अप्पमाय-सुत्तं (११३) दुमपत्तए पंडुयए जहा निवडइ राइगणाण अच्चए।
एवं मणुयाण जीवियं, समयं गोयम ! मा पमायए ॥१॥
_| ૧૧-૨ |
અપ્રમાદ-સૂત્ર ૧૧૩. રાત્રીઓ વીતતાં જેમ વૃક્ષોનાં પાકાં પીળાં પડી ગયેલાં પાંદડાંઓ આપોઆપ ખરી પડે છે તેમ જ મનુષ્યોનું જીવન ગમે ત્યારે ખરી પડનારું છે. માટે હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. (११४) कुसग्गे जह ओसबिन्दुए, थोवं चिट्ठइ लम्बमाणए। ___ एवं मणुयाण जीवियं, समयं गोयम ! मा पमायए ॥२॥
૧૧૪. ડાભની અણી ઉપર ઝાકળનું ટીપું પડવાની તૈયારીમાં હોય એમ લટકતું રહે છે એ જ પ્રકારે મનુષ્યનું જીવન પણ ગમે ત્યારે ખરી પડનારું છે. માટે હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. (११५) इइ इत्तरियम्मि आउए, जीवियए बहुपच्चवायए ।
વિઠ્ઠUTદ ચં પુરેલવું, સમયે જોયમ ! મા પમાયણ રૂા. ૧૧૫. આયુષ્ય એ પ્રમાણે ક્ષણભંગુર છે, જીવન વિનોથી ભરેલું છે, માટે પહેલાંના સંચિત થયેલા કુસંસ્કારોની રજને-મેલને ખંખેરી નાખવાનો જ પ્રયત્ન કર. હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન
કર.
Page #128
--------------------------------------------------------------------------
________________
અપ્રમાદ-સૂત્ર (११६) दुल्लहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्वपाणिणं ।
गाढा य विवाग कम्मुणो, समयं गोयम ! मा पमायए ॥४॥ ૧૧૬. તમામ પ્રાણીઓને માટે લાંબા કાળ સુધી પણ મનુષ્યનો જન્મ મળવો ખરેખર દુર્લભ છે. મેળવેલા કુસંસ્કારોના પરિણામો ય ઘણા ભયંકર આવે છે, માટે હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. (११७) एवं भवसंसारे संसरइ, सुहासुहेहिं कम्मेहिं ।
जीवो पमायबहुलो, समयं गोयम ! मा पमायए ।।५।। ૧૧૭. સારી અને નરસી પ્રવૃત્તિઓ દ્વારા પડેલા વિવિધ સંસ્કારોને લીધે ભારે પ્રમાદી બનેલો પ્રાણી એ પ્રમાણે આ જગતમાં વારેવારે જન્મજન્માંતર પામતો ફર્યા કરે છે. માટે હે ગૌતમ! એક ક્ષણ સારુ પણ પ્રમાદ ન કર. (११८) लळूण वि माणुसत्तणं, आरियत्तं पुणरावि दुल्लभं।
बहवे दस्सुया मिलक्खुया, समयं गोयम ! मा पमायए ॥६॥ ૧૧૮. મનુષ્યનો અવતાર કદાચ મળી ગયો તો પણ આર્યમનુષ્યનો જન્મ મળવો ભારે દુર્લભ છે. દસ્તુઓ અને મ્યુચ્છ લોકો મનુષ્યો જ હોય છે, છતાં તેઓ અનાર્ય હોઈને ધર્માચરણને સમજી શક્તા નથી. માટે હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. (११९) लधूण वि आरियत्तणं, अहीणपंचिन्दियया हु दुल्लहा ।
विगलिन्दियया हु दीसई, समयं गोयम ! मा पमायए ॥७॥ ૧૧૯. આર્યકુલમાં જન્મ કદાચ મળી ગયો તો પણ પૂરેપૂરી પટુ
Page #129
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી એવી પાંચે ઈન્દ્રિયો મળવી ખરેખર દુર્લભ છે. ઘણા મનુષ્યો આર્ય હોવા છતાં કોઈ કોઈ ઈન્દ્રિયોથી હીન હોય છે - બહેરા હોય છે, મૂંગા હોય છે, આંધળા હોય છે, લંગડા હોય છે. આવા આર્ય મનુષ્યો પણ બરાબર ધર્માચરણ સમજી શકતા નથી તેમ કરી પણ શકતા નથી. તું આર્ય છે અને સંપૂર્ણ પંચેંદ્રિયસંપન્ન છે, માટે હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. (१२०) अहीणपंचेन्दियत्तं पि से लहे, उत्तमधम्मसुई हु दुल्लहा।
कुतित्थिनिसेवए जणे, समयं गोयम ! मा पमायए ॥८॥ ૧૨૦. પાંચે ઈન્દ્રિયો સંપૂર્ણ પટુ એવી મળી ગઈ તો પણ ઉત્તમ ધર્મનું શ્રવણ ખરેખર દુર્લભ છે. જેમની પાંચે ઈન્દ્રિયો સંપૂર્ણ અને પટુ છે એવા ઘણા ય આર્ય મનુષ્યો પાખંડી ધર્મગુરુઓને સેવતા દેખાય છે. માટે હે ગૌતમ ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. (१२१) लघृण वि उत्तमं सुई, सद्दहणा पुणरावि दुल्लहा ।
मिच्छत्तनिसेवए जणे समयं गोयम ! मा पमायए ।।९।। ૧૨૧. ઉત્તમ ધર્મનું શ્રવણ પણ સાંપડ્યું; છતાં ય તેમાં વિશ્વાસ બેસવો, શ્રદ્ધા જામવી વળી ભારે દુર્લભ છે. ઘણા આર્ય મનુષ્યો ઉત્તમ ધર્મને સાંભળ્યા પછી પણ અસદાચારને વળગી રહેલા દેખાય છે. તો હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ ન કર. (૨૨) થH પિદુ સહસ્તેય, કુદયા સT |
- इह कामगुणेहि मुच्छिया, समयं गोयम ! मा पमायए ॥१०॥ ૧૨૨. ઉત્તમ ધર્મમાં વિશ્વાસે ય જામી ગયો હોય તેમ છતાં ય
Page #130
--------------------------------------------------------------------------
________________
અપ્રમાદ-સૂત્ર વિશ્વાસ પ્રમાણે શરીરથી, વચનથી અને મનથી આચરણ કરવું વળી ભારે કઠણ છે. તેવો પાકો વિશ્વાસ ધરાવનારા ધર્મી લોકો પણ પોતાના અને પરના હિતને વીસરી જઈને આ જગતમાં કામભોગોમાં રચ્યાપચ્યા દેખાય છે. તો હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. (૨૨૩) પરિકૂન તે સરીરથે, સા પંકુના વન્તિ તે
से सव्वबले य हायई, समयं गोयम ! मा पमायए ॥११॥ ૧૨૩. તારું શરીર જીર્ણ થતું જાય છે. તારા વાળ બધા ધોળા થઈ ગયા છે. તારું બધું બળ પણ ઘસાતું જાય છે. તો હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. (ર૪) મર જવું વિસૂયા, મયં વિવિદ ક્ષત્તિ તે
विहडइ विद्धंसइ ते सरीरयं, समयं गोयम ! मा पमायए॥१२॥ ૧૨૪. વિવિધ પ્રકારના રોગો – અરુચિ, ગૂમડાં, કૉલેરા, ઝાડા વગેરે રોગો તને થવા માંડ્યા છે, તારું શરીર બગડતું ચાલ્યું છે અને વિનાશની અણી ઉપર આવી પહોંચ્યું છે. તો હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. (१२५) वोच्छिन्द सिणेहमप्पणो, कुमुयं सारइयं व पाणियं ।
से सव्वसिणेहवज्जिए, समयं गोयम ! मा पमायए ॥१३।। ૧૨૫. શરદઋતુનું કુમુદ જેમ પોતાની ઉપર પાણીને ચોંટવા દેતું નથી, તેમ તારા ચિત્તમાં રહેલા રાગને - સ્નેહને તું તદ્દન છેદી નાખ, અને તમામ પ્રકારની રાગવૃત્તિ-આસક્તિથી રહિત બની જા. એ માટે હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર.
Page #131
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
૪
(१२६) चिच्चाण धणं च भारियं, पव्वइओ हि सि अणगारियं । मावन्तं पुणो वि आविए, समयं गोयम ! मा पमायए ।। १४ ।।
૧૨ ૬. તું ધનને અને સ્ત્રીને છોડી દઈને ઘરવાસમાંથી બહાર આવેલો છે, તેમ જ અનગારની પ્રવ્રજયામાં દીક્ષિત થયેલ છે. જે તેં વી-છોડી-દીધેલ છે, એવી ચીજને તું ફરીને પીવાનું મન ન રાખ. હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર.
(૨૨૭) અવર્ગીય મિત્તવન્ધર્વ, વિતં ચેવ થળોસંચયં । મા તા વિડ્થ વેસ, સમય ગોયમ ! મા પમાયણ્ IIII
૧૨૭. મિત્રો, બંધુઓ તેમ જ ધનના ભેગા થયેલા મોટા ઢગલાઓને તજી દઈને તું શ્રમણ માર્ગમાં આવેલ છે, તો તે તજી દીધેલ ચીજો તરફ તું ફરી વાર નજર ન કર. હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. (૨૮) સવને ખત્ત મારવાહÇ, મા મળે વિસમે વહિયા ।
पच्छा पच्छाणुतावए, समयं गोयम ! मा पमायए || १६ | |
૧૨૮. જેના માથે મોટો બોજો છે એવો નબળો મજૂર વિષમ માર્ગે ન ચાલે, અને ચાલે તો પાછળથી તેને પસ્તાવું પડે. એ જ રીતે, તું ચિત્તશુદ્ધિનો ઉત્તમ ભાર ઉપાડીને અવળે માર્ગે ન ચાલ, અને ચાલીશ તો પાછળથી તારે પસ્તાવું પડશે. માટે હે ગૌતમ! એક ક્ષણ પણ
પ્રમાદ ન કર.
(૨૨૧) તિો હૈં સિ અળવ મહં, વિં પુળ વિકૃતિ સીમાઓ ? । अभितर पारं गमित्तए, समयं गोयम ! मा पमायए ||१७|| ૧૨૯. તું મોટો દરિયો તરી ચૂક્યો છે, તો વળી કાંઠે આવીને
Page #132
--------------------------------------------------------------------------
________________
અપ્રમાદ-સૂત્ર
૮૫ કેમ બેસી રહ્યો છે - અટકી પડ્યો છે? સામે પાર પહોંચવાને સારુ ત્વરા કર. હે ગૌતમ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. (१३०) बुद्धस्स निसम्म भासियं, सुकहियमट्टपदोवसोहियं ।
रागं दोसं च छिन्दिया, सिद्धिगई गए गोयमे ॥१८॥
(૩૦૨૦, ૨-૪,૨૬,૨૬-૨૦,૨૬-૩૦,૨૩, ૨૪, ૨૭) ૧૩૦. આ રીતે, અર્થ અને પદ જેમાં સુશોભિત છે, તેમ જ જે સારી રીતે કહેવાયેલાં છે એવાં તથા બુદ્ધ-જ્ઞાની-પુરુષે કહેલાં વચનો સાંભળીને ગૌતમ, રાગ અને દ્વેષની જડ ઉખેડી નાખીને સિદ્ધિ ગતિને પામ્યા.
૧. શરીર જીર્ણ - સરખાવો ધમ્મપદ અઢારમો મલવર્ગ સ્લો ૧ તથા ૩:
पंडुपलासो व दानि सि यमपुरिसा पि च तं उपद्विता । उय्योगमुखे च तिट्ठसि पाथेय्यं पि च ते न विज्जति ।। उपनीतवयो च दानि सि संपयातो सि यमस्स संतिके।
वासोऽपि च ते नत्थि अंतरा पाथेय्यं पि च ते न विज्जति ॥ હવે તું ખાખરાના ફીકા પડી ગયેલા પાન જેવો થઈ ગયો છે, જમના માણસો તારી પાસે આવી જ પહોંચ્યા છે અને તું જવાની અણી ઉપર છે, તથા હવે તારી ઉમર પાકી ગઈ છે, યમની પાસે જવાની તૈયારી પણ થઈ ચૂકી છે, વચમાં કયાંય તારે રહેવાનું ઠેકાણું પણ નથી અને વળી તારી પાસે ભાતું પણ નથી માટે તું પંડિત થા–જાગ્રત થા). ૨. શરદઋતુનું કુમુદ - સરખાવો ધમ્મપદ વીસમો માર્ગવર્ગ સ્લો ૧૩:
उच्छिंद सिनेहमत्तनो कुमुदं सारदिकं व पाणिना ।
Page #133
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી અર્થાત્ શરદઋતુમાં ખીલેલું કુમુદ એવું કોમળ હોય છે કે તેને જેમ વિશેષ પ્રયાસ વિના હાથ વડે જ કાપી શકાય છે તેમ તું તારો પોતાનો સ્નેહ સહેલાઈથી કાપી નાખ.
આ સ્થળે મહાવીરવાણીમાં પાર્થિપાઠ છે અને તેનો અર્થ પાણી-જળ-છે અહીં કાપવાની-છેદી નાખવાની-ક્રિયાની સરખામણી જોતાં જૈનગાથામાં મૂળમાં પણ (નારીજાતિમાં ળિય) એમ ત્રીજી વિભકિતવાળા પળ (એટલે હાથ) શબ્દનું રૂપ હોવું જોઈએ, પરંતુ મૂળ પાઠમાં તેમ મળતું નથી. વ્યાખ્યાકારો ય વર્ષ નો અર્થ પાણી - જળ – કરે છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન-સૂત્ર
| ૨ |
पमायट्ठाण-सुत्तं (૩૨) પર્વ હિંદુ, મખેમચં તહીવરંગ. तब्भावादेसओ बावि, बालं पंडियमेव वा ॥१॥
(સૂત્ર શુ?, ૦ ૮, To ૩)
પ્રમાદસ્થાન-સૂત્ર ૧૩૧. આસક્તિને પ્રમાદ કહેવામાં આવે છે, અને એનાથી બીજી - ઊલટી - વૃત્તિને - અનાસક્તિને અપ્રમાદ કહેવામાં આવે છે. એ આસક્તિની અને અનાસક્તિની જ અપેક્ષાએ, અનુક્રમે મનુષ્યને બાલ પણ કહેવામાં આવે છે અને પંડિત પણ કહેવામાં આવે છે. અર્થાત્ આસક્ત મનુષ્ય બાલ છે અને અનાસક્ત મનુષ્ય પંડિત છે. (૧૩૨) નદ ય મંડqમવા વત્ની,
एमेव मोहाययणं खु तण्हा,
मोहं च तण्हाययणं वयन्ति ।।२।। ૧૩ર. બગલી ઈંડાંમાંથી જન્મે છે અને ઈંડું બગલીમાંથી જન્મે છે. તેમ જ તૃષ્ણા મોહની માતા છે અને મોહ તૃષ્ણાનો પિતા છે, એમ જ્ઞાની પુરુષો કહે છે. (૨૩૩) રા ય તો વિ જ વમવીર્થ,
कम्मं च मोहप्पभवं वयन्ति ।
Page #135
--------------------------------------------------------------------------
________________
- ૮૮
મહાવીર વાણી कम्मं च जाईमरणस्स मूलं,
दुक्खं च जाईमरणं वयन्ति ॥३॥ ૧૩૩. કર્મનું - કુસંસ્કારનું - બીજ રાગ પણ છે અને દ્વેષ પણ છે. કુસંસ્કાર મોહને લીધે પેદા થાય છે. જન્મ અને મરણની મૂળ જડ કુસંસ્કાર છે, તથા જન્મ અને મરણ દુઃખરૂપ છે, એમ કહેવામાં આવ્યું છે. (૨૩૪) સુવર્ણો સર્જનનો મોટો,
__ मोहो हओ जस्स न होइ तण्हा । तण्हा हया जस्स न होइ लोहो,
लोहो हओ जस्स न किंचणाइं॥४॥ ૧૩૪. જેના ચિત્તમાં મોહ નથી તેનું દુ:ખ હણાઈ ગયું-છેદાઈ ગયું, જેના ચિત્તમાં તૃષ્ણા-વાસના-આશા નથી, તેનો મોહ કપાઈ ગયો; જેની તૃષ્ણા કપાઈ ગઈ તેને લોભ થવાનો સંભવ નથી, અને જે પોતાની પાસે કશું જ રાખવાની કે લેવાની વૃત્તિ ધરાવતો નથી, તેનો લોભ કપાઈ ગયો-નાશ પામી ગયો. (૧૩) રસT Tદં ર નિવિયવ,
પાયે રસ હિત્તિરા નરા ! दित्तं च कामा समभिद्दवन्ति,
તુ હા સાઉનં વ ાધા. ૧૩૫. દૂધ, દહીં, ઘી, માખણ, મલાઈ, ગોળ, સાકર, ખાંડ, તેલ, મધ અને માંસ વગેરે બધા રસવાળા પદાર્થોનો હદ બહાર ઉપયોગ ન કરવો; હદ બહાર ઉપયોગમાં એટલે ખાવાપીવામાં લીધેલા એ પદાર્થો મનુષ્યને ઘણી વાર ઉત્તેજિત કરી મૂકે છે. એવા ઉત્તેજિત થયેલા પુરુષ
.
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન-સૂત્ર
૮૯ કે સ્ત્રીને વાસનાઓ જેમ સ્વાદિષ્ટ ફલવાળા વૃક્ષને પક્ષીઓ ડોલી નાખે છે તેમ હેરાન હેરાન કરી મૂકે છે. (૨૬) વેન દ્વિવેદ તિવું,
__ अकालियं पावइ से विणासं । रागाउरे से जह वा पयंगे, आलोयलोले समुवेइ मच्चुं॥६॥
(૪૦૦ રૂર, TO ૬-૮,૨૦,૨૪) ૧૩૬. પ્રકાશ જોતાં જ ચંચળ-લંપટ-અને રાગાતુર થયેલ પતંગિયું જેમ અકાળે મરણને શરણ થાય છે, તે જ પ્રમાણે મનુષ્ય રૂપો તરફ પ્રબળ આસક્તિ રાખે છે તે પણ અકાળે વિનાશને પામે છે. (૨૩૭) વાપુરસ ના આ પર્વ,
कत्तो सुहं होज कयाइ किंचि ? । તવમો વિ વિનેસ-ટુર્ણ,
निव्वत्तई जस्स कएण दुक्खं ॥७॥ ૧૩૭. જે મનુષ્ય એ પ્રમાણે વિવિધ રૂપો તરફ આસક્તિ-અનુરાગ ધરાવે છે, તેને જરાક જેટલું ય કદી પણ સુખ શી રીતે થાય ? ખરી વાત તો એ છે કે, એવાં રૂપોને મેળવવામાં ભારે દુઃખ રહેલું છે અને તેમનો ઉપભોગ કરતી વખતે પણ કલેશ અને દુઃખ બંને રહેલાં છે. (૧૨૮) gવ વ*િ ૩ ૩,
उवेई दुक्खोहपरंपराओ। पदुद्दचित्तो य चिणाइ कम्म,
जं से पुणो होई दुहं विवागे ॥८॥
Page #137
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી ૧૩૮. એ જ રીતે જે મનુષ્ય, રૂપો તરફ દ્વેષ ધરાવે છે, તે તો વળી ભારે દુઃખની પરંપરાને પામે છે. જેના ચિત્તમાં રૂપો તરફ ટ્રેષ ભરેલો છે તે ભારે કુસંસ્કારોને પોતાના ચિત્તમાં ભેગા કરે છે અને
જ્યારે એ કુસંસ્કારોનું ભયંકર પરિણામ આવીને ખડું થાય છે ત્યારે વળી એ પીને દુઃખ, દુઃખ અને દુઃખ જ થાય છે. (૨૨૬) વે વિરત્ત મજુમો વિરોm,
एएण दुक्खोहपरंपरेण । સ્નિગ્ધ, અવમત્તેવિ સન્તો, जलेण वा पोक्खरिणीपलासं ॥९॥
(૩૦ ૩૦ ૨૨, To રૂર-૩૪). ૧૩૯. મનુષ્ય ભલે ને દુનિયાની વચ્ચે રહેતો હોય, તેમ જ ગૃહસ્થાશ્રમી અને કુટુંબકબીલાવાળો હોય; પરન્તુ તેમ છતાં રૂપો તરફ રાગ ન ધરાવતો હોય, તો તેને રૂપો બાબત શોક થતો નથી; અર્થાત્ રૂપો ન મળતાં તેને અફસોસ કે દ્વેષ થતાં નથી; આવો વિરાગી અને વિશકી પુરુષ, જેમ કમલિનીનું પાંદડું પાણીથી લેવાતું નથી, તેમ દુઃખની પરંપરાઓથી લપાતો નથી. (૪૦) વિન્દ્રિયસ્થા માસ અસ્થા,
दुक्खस्स हेउं मणुयस्स रागिणो। ते चेव थोवं पि कयाइ दुक्खं,
न वीयरागस्स करेन्ति किंचि ॥१०॥ ૧૪૦. રૂપની જ જેમ શબ્દ, ગંધ, રસ અને સ્પર્શ એ બધા ઈદ્રિયોના પદાર્થો અને મનના પદાર્થો રાગવાળા આસક્ત મનુષ્યને દુઃખનાં કારણો
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન-સૂત્ર બને છે. અને તે જ બધા ઇંદ્રિયોના અને મનના પદાર્થો રાગ વગરનાવિરાગી-અનાસક્ત મનુષ્યને કદી ય થોડું ય-જરાક જેટલું પણ દુઃખ પેદા કરતા નથી. (૪૨) = ૫મો સમર્થ કન્તિા
न यावि भोगा विगई उवेन्ति । जे तप्पओसी य परिग्गही य,
__ सो तेसु मोहा विगई उवेइ ।।११।। ૧૪૧. કેવળ કામભોગો સમતાનાં કારણ નથી તેમ વિષમતાનાં એટલે વિકારનાં પણ કારણ નથી. ખરી વાત તો એ છે કે, મનુષ્ય તેમના તરફ આસક્તિ રાખીને તેમને ગ્રહણ કરે છે, અને તે ન મળતાં તેમના તરફ ઢેષ કેળવે છે અને પરિણામે થતા મોહ દ્વારા વિષમતાને-વિકારને પામે છે. (૨૪૨) માડ઼ાત્રqમવ તો,
सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो। वियाहिओ जं समुविच्च सत्ता, कमेण अच्चन्तसुही भवन्ति ।।१२।।
(૩૦ ૦ , ૨૦૦,૦૨,૨૨૨) ૧૪૨. અનાદિ કાળથી આપણી વૃત્તિમાં પેદા થયેલા તમામ દુઃખોને તદ્દન ટાળવાનો આ માર્ગ કહેલો છે, જેને બરાબર સમજીને – આચરીને મનુષ્યો અનુક્રમે વધારેમાં વધારે સુખી થાય છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧
૧. વિરાગી-અનાસક્ત- સરખાવો ગીતા અર, શ્લો૬૪ :
रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् । आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥
ભાવાર્થ એ છે કે જે રાગદ્વેષ વગરનો છે, જેની દશા કેવળ ‘વિચરે ઉદય પ્રયોગ' જેવી છે તેવા વીતરાગ પુરુષોને વિષયો કલેશનું કારણ નહીં પણ પ્રસન્નતાનું કારણ બને છે. ‘વિચરે ઉદય પ્રયોગ' એટલે જે કયાંય આસક્તિથી વર્તતો નથી, માત્ર પ્રારબ્ધને યોગે જ વર્તે છે.
[ri
મહાવીર વાણી
Page #140
--------------------------------------------------------------------------
________________
કષાય-સૂત્ર
૯૩
૨૩ |
कसाय-सुत्तं (૨૪૩) કોદો જમા જાણીયા,
माया य लोभो य पवड्ढमाणा । चत्तारि एए कसिणा कसाया,
सिचन्ति मूलाइं पुणब्भवस्स ॥१॥
+ ૧૩ .
કષાય-સૂત્ર ૧૪૩. તાબે કર્યા વિનાના ક્રોધ અને માન - અહંકાર, વધારે વધતાં જતાં કપટ-માયા અને લોભ આ ચારે કાળા કષાયો જન્મજન્માંતરમય સંસારરૂપ વૃક્ષનાં મૂળને પાણી પાયા કરે છે. (૨૪૪) દંvi ૪ મા ૪, ૪ વવદ્યf .
वमे चत्तारि दोसे उ, इच्छन्तो हियमप्पणो ॥२॥ ૧૪. પોતાના આત્માનું હિત ઇચ્છતા મનુષ્ય પાપને વધારનારા કોધ, માન, માયા અને લોભ આ ચારે દોષોને તજી દેવા જોઈએ. (૪૧) કોદ વીરું પUTIણે, મારે વિયના
माया मित्ताणि नासेइ, लोभो सव्वविणासणो ।।३।। ૧૪૫. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયગુણનો નાશ કરે છે, શઠતા-કપટ મિત્રોનો નાશ કરે છે અને લોભ તમામ સદ્ગણોનો નાશ કરે છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૯૪
મહાવીર વાણી (૪૬) વગેor of é, મા જિ मायं चऽज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥४॥
(તરા૮, ૦ ૪૦,૨૭,૨૮,૩૬) ૧૪૬. શાંતિના ગુણને કેળવીને છોધને હણવો, મૂતાના ગુણને કેળવીને અહંકારને જીતવો, સરળતાના ગુણને કેળવીને કપટને જીતવું અને સંતોષના ગુણને કેળવીને લોભ ઉપર જય મેળવવો. (१४७) कसिणं पि जो इमं लोयं, पडिपुण्णं दलेज्ज इक्कस्स ।
तेणाऽवि से न संतुस्से इइ दुप्पूरए इमे आया ॥५॥ ૧૪૭. કોઈ એક મનુષ્યને કદાચ તમામ પદાર્થોથી હર્યોભર્યો આ આખો ય લોક દઈ દેવામાં આવે તો પણ તેનાથી મનુષ્યને સંતોષ થતો નથી, અને એ રીતે આ આત્મા ભારે દુપૂર અર્થાત્ આત્માની તૃષ્ણા એવી અગાધ છે કે જેથી તેને ગમે તેટલું મળે કે આપવામાં આવે તો પણ કદી તે સંતોષ પામતી નથી. (૨૪૮) ના નાદ ત નોટો, નહિ તો પવદ્યા दोमासकयं कज्ज, कोडीए वि न निट्ठियं ।।६।।
(ત્તર અo ૮, ૬, ૨૭) ૧૪૮. જેમ જેમ લાભ મળતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે; અર્થાત્ લાભ થવાથી સંતોષ ન થતાં લોભ વધારે ને વધારે વધ્યા કરે છે. જુઓને, પેલા કપિલ બ્રાહ્મણને કેવળ બે જ માસા સોનાનું કામ હતું, પણ પછી તો કરોડો માસા સોનું મળવા લાગ્યું તો ય સર્યું
Page #142
--------------------------------------------------------------------------
________________
૫
કપાય-સૂત્ર (૪૨) મવત્તિ હે, મને મદના
माया गईपडिप्वाओ लोहाओ दुहओ भयं ॥७॥ ૧૪૯. વારંવાર કોધ કરવાની ટેવ પડી જવાથી મનુષ્ય દિવસે-દિવસે નીચે પડતો રહે છે - નાલાયક બનતો જાય છે, અહંકારની ટેવ પડી જવાથી મનુષ્ય અધમ દશાએ પહોંચે છે; કપટવૃત્તિની ટેવ પડી જવાથી - હાલતાં ચાલતાં લુચ્ચાઈ કરવાનો સ્વભાવ પડી જતાં સદ્ગતિનો નાશ થઈ જાય છે - સદ્ગતિનાં બારણાં બંધ થઈ જાય છે, અને લોભ કરવાનો સ્વભાવ પડી જતાં આ લોકમાં તેમ જ પરલોકમાં પણ ભારે ભય ઊભો થાય છે. (૨૦) સુવઇur-૫૪૩પન્વય પવે,
सिया हु केलाससमा असंखया। नरस्स लुद्धस्स न तेहि किंचि,
___इच्छा हु आगाससमा अणन्तिया ॥८॥ ૧૫૦. ચાંદી અને સોનાના પર્વતો પોતાની પાસે ખડકેલા હોય, અરે! તે પણ નાનોસૂના નહિ, હિમાલય જેવા ખરેખર ઊંચા હોય, અરે બે ચાર પર્વતો નહીં પણ અસંખ્ય પર્વતો પોતાની પાસે ખડકેલા) હોય તો પણ લાલચુ-લુબ્ધ-લોભિયો મનુષ્ય તેનાથી ય ધરાતો નથી. એ તો તેને મને કશું જ નથી' એમ લાગે છે, કારણ કે તૃષ્ણા બધી રીતે આકાશ જેવી છે, એટલે લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં અનંત છે. (१५१) पुढवी साली जवा चेव हिरण्णं पसुभिस्सह । पडिपुण्णं नालमेगस्स, इइ विज्जा तवं चरे ॥९॥
(૩{To Yo To ૧૪,૪૮,૪૨)
Page #143
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
૧૫૧. એક જ માણસને માટે પણ ચોખા, જવ, સોનું અને પશુઓથી ભરેલી આ આખી ય પૃથ્વી પૂરતી નથી; અર્થાત્ કોઈ એક પણ લોભિયો આટલાથી સંતોષ મેળવી શકતો નથી, એમ સમજીને તપ, સંયમ તરફ વળવું જોઈએ - તપ, સંયમનું આચરણ કરવું જોઈએ. (૨) જોરૂં ચ માળ ચ તહેવ માયું,
लोभं चउत्थं अज्झत्थदोसा । एयाणि वन्ता अरहा महेसी,
દ
न कुव्वई पाव न कारवेई ॥१०॥ (सूत्र० श्रु० ९ अ० ६ गा० २६)
તમામ
૧૫૨. ક્રોધ, માન, માયા અને ચોથો લોભ આ ચારે અંતરાત્માના – અધ્યાત્મના – ભયંકર દોષો છે. અર્હત્ પ્રાણીઓની પૂજા કરતો અર્થાત્ તમામ પ્રાણીઓ તરફ સમભાવ કેળવવા મથતો મહર્ષિ આ ચારે દોષોને હાંકી કાઢી પાપ પ્રવૃત્તિને કરે નહિ અને બીજા પાસે કરાવે પણ નહિ.
૧. કાળા કષાયો ગીતામાં આ કષાયોની જે કાળપ વર્ણવી છે તે અહીં સરખાવવા જેવી છે. જુઓ ગીતા અ ૩ શ્લો ૩૭ થી ૪૧ : काम एष क्रोध एप रजोगुणसमुद्भवः । महाशनो महापाप्मा विद्धि - एनमिह वैरिणम् ॥ धूमेनाऽऽव्रियते वह्निर्यथाऽऽदर्शो मलेन च । यथोवेनाssवृतो गर्भस्तथा तेनेदमावृतम् ॥ आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा । कामरूपेण कौन्तेय ! दुप्पूरेणानलेन च ॥
-
-
-
Page #144
--------------------------------------------------------------------------
________________
કષાયસૂત્ર
इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते। एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् ॥ तस्मात् त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ ! ॥
पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम् ॥ ભાવાર્થ એ છે કે રજોગુણને લીધે ઉત્પન્ન થયેલા આ કામ અને આ ક્રોધ મોટા ખાઉધરા છે, મહાપાપરૂપ છે અને દુશ્મનરૂપ છે. જેવી રીતે અગ્નિ ધુમાડાથી ઢંકાઈ જાય છે, અરીસો મેલથી છવાઈ જાય છે અને ઓરથી ગર્ભ ઢંકાયેલો હોય છે તેમ નિત્યના દુશ્મન અને અગ્નિરૂપ એવા એ કામ અને ક્રોધ વડે જ્ઞાની પુરુષનું જ્ઞાન ઢંકાઈ જાય છે.
એ નિત્યના દુશ્મન એવા કામક્રોધને રહેવાનાં સ્થાન ઈદ્રિયો, મન અને બુદ્ધિ છે. ઈંદ્રિય મન અને બુદ્ધિ વડે એ દુશ્મન, આત્માના જ્ઞાનને ઘેરી લઈને મૂંઝવણમાં નાંખે છે - મોહમાયામાં ફસાવે છે, માટે હે અર્જુન! તું સૌથી પ્રથમ ઈદ્રિયોને તાબે કરવાનો પ્રયત્ન કરે અને એમ કરીને એ પાપરૂપ અને જ્ઞાન તથા વિજ્ઞાનનો નાશ કરનારા એવા કામ તથા ક્રોધને જડમૂળથી હણી નાખ. ૨. શાંતિના ગુણને સરખાવો ધમ્મપદ સત્તરમો ક્રોધવર્ગ લો. ૩:
अक्कोधेन जिने कोधं असाधु साधुना जिने ।
जिने कदरियं दानेन सच्चेन अलीकवादिनं ॥ અક્રોધભાવને કેળવીને ક્રોધને જીતવો. સાધુવૃત્તિને કેળવીને અસાધુને જીતવો, દાન વડે સૂમને જીતવો અને સત્ય વડે ખોટાબોલાને જીતવો.
સરખાવો ઈ. ખ્રિ, ૫, ઉ. ૧ર “ભાઈઓ, જેવાની સામે તેવા થવું એ લૌકિક ન્યાય છે; પણ હું તો કહું છું કે દુષ્ટની સામે પણ દુષ્ટતા ન કરશો. પણ જે તમારા જમણા ગાલ પર તમાચો મારે એને તમે ડાબો પણ અર્પણ કરજો" ઈત્યાદિ.
સરખાવો હ. મ. ઈ. “જે તને અન્યાય કરે તેને તું ક્ષમા આપ, જે તને
Page #145
--------------------------------------------------------------------------
________________
૯૮
મહાવીર વાણી પોતાથી વિખૂટો કરે તેની સાથે મેળ કર, જે તારા પ્રત્યે બૂરાઈ કરે તેના પ્રત્યે તું ભલાઈ કર” (પૃ ૧૩૬)
મહાવીરવાણીમાં જેમ કષાયસૂત્ર છે તેમ ધમ્મપદમાં સત્તરમો ક્રોધવર્ગ છે. એમાં ક્રોધ વગેરે દુર્ભાવરૂપ કષાયોથી કેવાં કેવાં માઠાં પરિણામ આવે છે તે ઘણું જ સ્પષ્ટ બતાવેલું છે.
૩. લોભ વધતો - આ પદ્ય કહેનાર કપિલમુનિ છે. તેનો સંક્ષેપમાં વૃત્તાંત આમ છે : કોસાંબી નગરીમાં (આજકાલ અલાહાબાદની પાસે આવેલા કોસમગામમાં) સમગ્ર વેદશાસ્ત્રનો પારગામી કશ્યપ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે રાજપુરોહિત હતો અને રાજા તેને વર્ષાસન આપવા ઉપરાંત તેનું બહુમાન કરવા તેને માટે આવવા-જવા ખાસ પાલખી સાથે છત્રચારધારી પોતાના નોકરોને મોકલતો; કશ્યપની સ્ત્રીનું નામ જશા. તેનો પુત્ર કપિલ. કપિલને નાનો મૂકીને પુરોહિત મરણ પામ્યો. હવે રાજાએ પુરોહિતને સ્થાને મરુક નામના બીજા બ્રાહ્મણને બેસાડ્યો. આ મકનો ઠાઠમાઠ જોઈને પોતાના પતિને સંભારતી કપિલની મા રોજ મનમાં ઓસવાયા કરે અને રોયા કરે. એક વાર કપિલે તેની માને આમ રોયા કરવાનું કારણ પૂછયું, તો માતાએ જણાવ્યું કે તું અભણ હોવાથી તારા બાપનું સ્થાન તને ન મળ્યું અને બીજો બ્રાહ્મણ એ સ્થાને આવી ગયો. એને આપણા ઘર પાસેથી રોજ જતો-આવતો જોઈને મને તારા પિતા સાંભર્યા કરે છે અને રોકું છું છતાં રૂંગાં આવી જાય છે. તું અભણ છે એટલે બીજો ઉપાય પણ શો ? આ સાંભળીને કપિલે ભણવાની તૈયારી બતાવી; તો માતાએ પુત્રના પિતાના મિત્ર ઈન્દ્રદત્ત બ્રાહ્મણની પાસે જવાની ભલામણ કરી. ઈન્દ્રદત્ત સાવથી-શ્રાવસ્તી (આજકાલ દરભંગા જિલ્લામાં આવેલું સહેટમહેટ ગામ) નગરીમાં રહેતો હતો. કપિલ પગે ચાલતો ચાલતો સાવત્થીમાં પહોંચ્યો અને પિતાના મિત્રને ઘેર જઈ પોતાની બધી પરિસ્થિતિની કથા કહી સંભળાવી. ઈન્દ્રદત્ત સાધારણ સ્થિતિનો હતો એટલે તે પોતાને ઘરે કપિલને જમાડી શકવા અસમર્થ હતો, તેથી ત્યાંના એક
Page #146
--------------------------------------------------------------------------
________________
કાય-સૂત્ર
શાલિભદ્ર શેઠને ઘેર જઈ તેણે કપિલને તેને ત્યાં રહેવાની અને જમવા વગેરેની વ્યવસ્થા કરી આપી અને કપિલ રોજ ઇંદ્રદત્તને ઘરે ભણવા જવા લાગ્યો, એવામાં વાત એમ બની કે શાલિભદ્ર શેઠને ત્યાં જે એક જુવાન દાસી હતી તે એને રોજ પીરસતી અને પીરસતાં પીરસતાં ઘણી વાર તે, એની સાથે હસતી બોલતી તથા ઠઠ્ઠામશ્કરી પણ કરતી. આવા રોજના પ્રસંગ અને પરિચયને લીધે તે બન્ને વચ્ચે સ્નેહ વધવા લાગ્યો અને છેવટે તે, એ દાસી સાથે ફસાઈ પડ્યો. કપિલ પોતે નિર્ધન હતો એટલે દાસીએ તેને કહ્યું કે જો આપણો સ્નેહ કાયમ રાખવો હોય તો ધન કમાવા માંડો, એ વિના આ સંબંધ ટકી શકશે નહીં. કપિલ બિચારો ગરીબ રહ્યો અને આવી વાતથી પણ વિશેષ અજાણ હતો એટલે એ તો મૂંઝાયો. સ્નેહ છોડી શકાય એમ ન હતું પણ ધનનું શું કરવું? તેની તેને ગમ ન પડી. ભણતર તો ભણતરને ઠેકાણે રહ્યું. એવામાં ખાસ દાસીઓનો જ એક ઉત્સવ આવ્યો, તે માટે પેલી દાસીએ કપિલની પાસે સારાં સારાં કપડાં વગેરે માગ્યું અને ધન લાવવાનો ઉપાય બતાવતાં કહ્યું કે આ ગામનો રાજા સવારના પહોરમાં પહેલવહેલો જે યાચક તેને મળે તે યાચકને બે માસા સોનું રોજ આપે છે, તો તમે વહેલા ઊઠીને તેની પાસે જાઓ અને બે માસા સોનું માંગી લાવો, વહેલું ઊઠવાના ફફડાટમાં કપિલને ઊંઘ જ ન આવી અને એ તો અજવાળી રાતને સવાર સમજી મધરાતે જ ઊઠીને રાજા પાસે જવા નીકળી પડ્યો. વચ્ચે તેને ચોકીદારે ટપાર્યો અને ‘ચોર' સમજીને પકડી પોલીસ ચોકીએ બેસાડી રાખ્યો. છેવટે સવાર થતાં રાજ પાસે ખડો કર્યો ત્યારે રાજાએ મધરાતે નીકળવાના કારણ વિશે પૂછતાં ભોળા કપિલે જેવું બન્યું હતું તેવું બરાબર બધું ય કહી સંભળાવ્યું. સાંભળીને રાજાને તેની દયા આવી એટલે તેણે કપિલને કહ્યું કે, હે ભૂદેવ ! તમારે જે માંગવું હોય તે માગી લ્યો. તમે જે માંગશો તે આપીશ. આ સાંભળી હવે બે માસા સોનાને બદલે શું માંગવું? એવો કપિલને વિચાર આવ્યો અને માગવાનો વિચાર નકકી કરવા તે રાજાના ઉપવનમાં જઈને બેઠો. બે માસા
ee
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૦૦
મહાવીર વાણી ઉપરથી ચાર માસા, આઠ માસા, સોળ માસા, એમ કરતાં કરતાં તે કોડ માસા સુધી પહોંચી ગયો; છતાં તે કશું નકકી ન કરી શકયો. છેવટે તેને એ રાજાનું આખું ય રાજ્ય માગી લેવાનો વિચાર પણ આવ્યો. વળી, આમ વિચારતાં વિચારતાં તેને એમ ચોખ્ખું સમજાઈ ગયું કે આ તૃષ્ણાનો તો અંત આવે તેમ લાગતું નથી, આખું રાજ્ય માંગું તો ય હજી વધારે માંગવાનું મન થઈ જાય છે અને આ મારું મન કોઈ રીતે ધરાતું નથી. એમ વિચારતાં તેને તૃષ્ણા તરફ જ તિરસ્કાર આવ્યો અને કશું જ માંગવું છોડી દઈને તેણે સીધો વનમાં જવાનો તથા અપરિગ્રહી શ્રમણદીક્ષા લેવાનો દઢ સંકલ્પ કર્યો. એથી તેણે રાજા પાસે જઈ પોતાની ન માંગવાની અને તેનાં કારણોને લગતી બધી વિચારધારા કહી સંભળાવી. એટલે આ ગાથામાં કહેવામાં આવ્યું છે કે કેવળ બે જ માસા સોનું માગવા આવ્યો હતો પણ પછી તો કરોડ માસા સોનું લેવાનો વિચાર થયો તો પણ મારું કામ સયું નહીં'. આ ગાથા ઉપરાંત આની ઉપરની સિળ Yિ ઈત્યાદિ ગાથા પણ કપિલ મુનિએ કહેલી છે.
૪. સરખાવો છે. ખ્રિ, ૫ઉ. ૧૦ "જો તમે તમારા ભાઈ સામે પણ ગુસ્સો કરો તો હું કહું છું કે તમે નરકના અધિકારી થવાના; જો તમે તમારા ભાઈને ગાળ દેશો, તો પણ તમે અધોગતિને જ પામશો” ઈત્યાદિ.
૫. ચાંદી અને સોનાના પર્વતો - નમિ નામનો ક્ષત્રિય રાજર્ષિ ૧૫૦મો અને ૧૫૧મો શ્લોક બોલે છે. નમિનો ટૂંકો વૃત્તાંત આમ છે : વિદેહ દેશમાં મિથિલા (દરભંગા પાસે) નગરી. ત્યાં નમિ નામનો રાજા. જેવી વાત જનક રાજા માટે આવે છે તેવી જ વાત આ રાજાની છે. તેને એક વાર દાહજ્જર થયો, તેની શાંતિ માટે ઠંડક કરવા સારુ તેની રાણી ચંદન ઘસવા બેઠેલી. તેણીએ હાથમાં અનેક કંકણ પહેરેલાં એટલે જ્યારે ચંદન ઘસવું શરૂ થયું ત્યારે તે કંકણોનો ભારે ખડખડાટ થવા લાગ્યો અને દાહવરથી પીડાતા રાજાના કાનને એ ખડખડાટ ભારે વસમો લાગ્યો એટલે તેણે રાણીને ખડખડાટ બંધ કરવા કહ્યું. ત્યારે રાણીએ એક એક હાથમાં ફક્ત એક એક કંકણ રાખી બીજાં
Page #148
--------------------------------------------------------------------------
________________
કષાયસૂત્ર
૧૦૧
બધાં કંકણ ઉતારી નાખ્યાં એટલે તરત જ ખડખડાટ બંધ થઈ ગયો. તેથી રાજાએ ખડખડાટ બંધ થયાનું કારણ જાણવા માંગ્યું. તો રાણીએ કહ્યું કે હાથમાં એકથી વધારે કંકણો હતાં, તે બધાં ઉતારી નાખી ફકત એક એક હાથમાં એક એક કંકણ પહેરીને ચંદન ઘસતાં ખડખડાટ બંધ થઈ ગયો. આ સાંભળતાં જ રાજાને વિચાર આવ્યો કે જ્યાં બહુ હોય ત્યાં ખડખડાટ-કલેશ-થાય છે અને જ્યાં એકાકી-એકલો હોય છે ત્યાં ક્લેશ થતો નથી. આ વિચારે ચઢતાં રાજાએ દૃઢ નિશ્ચય કર્યો કે આ પીડામાંથી સાજે થઈ જાઉં તો આ મિથિલાનું રાજ્ય, આ અંત:પુર, ધનસામગ્રી અને ભોગવિલાસ વગેરેને તજી દઈને શ્રમણદીક્ષા સ્વીકારું. બનવા જોગ કે રાજા એક રાત પસાર થતાં સવાર પડતાં જ સાજો થઈ ગયો અને એણે સ્મૃતિપુરાણોમાં વર્ણવેલા ક્ષત્રિયવર્ણના ધર્મને તજી દઈ ભિક્ષુ થવાનું સ્વીકાર્યું. આ જાણી એક રાજગુરુ પુરોહિત બ્રાહ્મણ તેને ક્ષત્રિયવર્ણના ધર્મને નહીં છોડવા અને ભિક્ષુ થવું એ તો કાયરનું જ કામ છે એમ સમજાવવા તેની પાસે આવ્યો. અને જે કાંઈ કહેવા લાગ્યો તે બધી હકીકત ઉત્તરાધ્યયનસૂત્રના નવમા નમિપ્રવ્રજ્યા નામના અધ્યયનમાં નોંધાયેલ છે. વૈદિક પરંપરાનું બંધારણ એવું છે કે ક્ષત્રિય સંન્યાસને ન લઈ શકે, એ બાબત સમજાવતાં પેલો રાજગુરુ પુરોહિત તેને કહે છે કે, હે ક્ષત્રિય ! તારે કિલ્લો બાંધીને નગરની રક્ષા કરવી જોઈએ, અંતઃપુરની સંભાળ લેવી જોઈએ, ખજાનો, વાહનો અને સેનાને વધારી શત્રુઓને સંગ્રામમાં જીતવા જોઇએ, યજ્ઞો કરવા જોઈએ, શ્રમણબ્રાહ્મણોને જમાડવા જોઈએ. તેના બદલામાં તું તારાં એ બધાં ફરજરૂપ કર્તવ્યોને છોડી દઈ આમ ભિક્ષુક બનવાનો વિચાર કેમ કરી રહ્યો છે? શું તને બધા આશ્રમોનો આધારરૂપ એવો આ ગૃહસ્થાશ્રમ પાળવો કઠણ લાગ્યો જેથી કાયર લોકો જેમ માગી ખાવાનો ધંધો સ્વીકારે છે તેમ તું પણ આ ભિક્ષુના માર્ગને સ્વીકારવા તૈયાર થયો છે ? આના ઉત્તરમાં નમિ રાજર્ષિ કહે છે કે, હે બ્રાહ્મણ ! હું મારો ખરો ક્ષત્રિયધર્મ પાળવાને માટે જ ભિક્ષુ થાઉં છું. જો, શ્રદ્ધા એ મારી રાજધાની છે, તેને સાચવવા
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૦૨
મહાવીર વાણી તપ સદાચાર અને ક્ષમા એ મારો કિલ્લો છે, પરાક્રમ એ મારું ધનુષ છે, વિવેક એ મારી પણછ છે, વૈર્ય બાણ છે; આ બધી સામગ્રી વડે હું સત્ય અલોભ વગેરે સુભટોને સાથે રાખીને મારા કામ ક્રોધ મોહ લોભ વગેરે શત્રુઓને હણી નાખવા સંગ્રામ માંડવાની તૈયારી જ કરી રહ્યો છું. છેવટ જેમ જનક રાજા કહે છે કે મિથિલ્લાય ઈનાયા ન મે જીતે વિન (મિથિલા નગરી બળતી હોય તો તેમાં મારું કશું જ બળતું નથી, તેમ આ નમિ રાજર્ષિ પણ કહે છે કે બિદિતા ડલ્મનીન દુરૂ કિંવ (મિથિલા નગરી બળતી હોય તો તેમાં મારું કશું જ બળતું નથી). તાત્પર્ય એ કે આ સંવાદમાં વૈદિકસંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિની ચર્ચા છે. પ્રસંગ આવતાં નમિરાજર્ષિ પેલા પુરોહિતને તૃષ્ણાની – આશાની – વાસનાની – અનંતતા અને દુષ્પરતા સમજાવવા ૧૫૦મો અને ૧૫૧મો શ્લોક બોલે છે.
૧૫૦મા શ્લોક સાથે સરખાવો બૌદ્ધ મહાયાન પરંપરાનો ગ્રંથ દિવ્યાવદાન પૃ. ૨૨૪માંનો આ શ્લોક :
पर्वतोऽपि सुवर्णस्य समो हिमवता भवेत् ।
नालम् एकस्य तद् वित्तम् इति विद्वान् समाचरेत् ॥ ૬. સરખાવો વિષ્ણુપુરાણ ૪-૧૦-૧૦ :
यत् पृथिव्यां व्रीहियवं हिरण्यं पशव: स्त्रियः ।
एकस्यापि न पर्याप्तं तद् इति अतितृष्णां त्यजेत् ॥ આ પૃથિવીમાં જેટલા ચોખા અને જવ પાકે છે તે બધા તથા પૃથ્વીમાંથી મળતું બધું સોનું તથા પૃથ્વી ઉપર રહેલાં બધાં પશુઓ તથા બધી સ્ત્રીઓ - એટલું બધું ય એક જણને માટે પણ પૂરતું થતું નથી એમ સમજીને અતિતૃષ્ણાનો ત્યાગ કરવો ઘટે. ૭. સરખાવો ગીતા અ, ૧૫ શ્લોક ૫:
निर्मानमोहा जितसंगदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः । द्वन्द्वैर्विमुक्ता: सुखदुःखसंज्ञैर्गच्छन्त्यमूढा: पदमव्ययं तत् ।।
Page #150
--------------------------------------------------------------------------
________________
કામ-સૂત્ર
૧૦૩
|| ૪ |
काम-सुत्तं (१५३) सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे य पत्थेमाणा, अकामा जन्ति दोग्गइं॥१॥
(૩૪૦ ૩૦ ૧, ૦૧૩)
છે ૧૪
કામ-સૂત્ર ૧૫૩. વાસનાઓ - તૃષ્ણાઓ ભારે શલ્યરૂપ છે, વાસનાઓ ઝેર જેવી છે અને વાસનાઓ ભયંકર સર્પ જેવી છે. જેઓ વાસનાઓને વશ પડી કામભોગોને જ ઝખ્યા કરે છે - માગ્યા કરે છે અને કામભોગોની વારંવાર પ્રાર્થના કરતાં છતાં ય કામભોગોને પામી શકતા નથી એવા તે અકામો છેવટે દુર્દશાને – દુર્ગતિને પામે છે. (१५४) सव्वं विलवियं गीयं, सव्वं नट्टे विडम्बियं । सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥२॥
(૩ત્તરાઇ ગઇ ૨૩, T૦ ૧૬) ૧૫૪. સંગીતમાત્ર વિલાપ સમાન છે, નાટ્ય માત્ર વિડંબના સમાન છે, આભરણ માત્ર ભારરૂપ છે. વધારે શું, પણ વાસનામાત્ર દુઃખ દેનારી છે. (१५५) खणमेत्तसोक्खा बहुकालदुक्खा,
पगामदुक्खा अणिगामसोक्खा।
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૦૪
મહાવીર વાણી संसारमोक्खस्स विपक्खभूया, खाणी अणत्थाण उ कामभोगा ॥३॥
(ઉત્તર) ૦ ૪, ૦૨૨) ૧૫૫. કામભોગો ક્ષણમાત્ર સુખ આપનારા છે અને લાંબા સમય સુધી દુઃખ આપનારા છે, કામભોગોને મેળવતાં અને ભોગવતાં ય દુઃખ વધારેમાં વધારે છે, જ્યારે સુખ તો ન જેવું છે. આ કામભોગો આત્માની પૂર્ણ સ્વતંત્રતાના ભારે શત્રુઓ છે અને અનર્થોની મોટી ખાણ સમાન છે. (૨૬) ના પિન્નાન, પરિપર હું एवं भुत्ताण भोगाणं, परिणामो न सुन्दरो ॥४॥
(૩૦ ૦ ૨, T૦ ૭)
૧૫૬. પિાકનાં ફળો - ઈંદ્રાવણાં – દેખાવમાં ભારે સુંદર હોય છે, પણ તેમને ખાતાં પરિણામ સુંદર નથી આવતું - મોત જ નીપજે છે. તે જ પ્રકારે કામભોગો ય ભોગવતાં તો શરૂશરૂમાં મીઠા લાગે છે, પણ તે ભોગવેલા કામભોગોનું પરિણામ પાછળથી સુંદર નથી હોતું. કામભોગોની અમર્યાદ ઇચ્છા - અમર્યાદ પ્રાપ્તિ જ સંસારમાં વિષમતા ઊભી કરનારી છે – વેરઝેર - વર્ગવિગ્રહ વગેરે ખતરનાક પરિણામોને આણનારી છે. (१५७) जहा य किंपागफला मणोरमा,
रसेण वण्णेण य भुजमाणा। ते खुड्डए जीविए पच्चमाणा। एसोवमा कामगुणा विवागे ॥५॥
(૩૫૦ ૫૦ રૂર, ૨૦)
Page #152
--------------------------------------------------------------------------
________________
કામ-સૂત્ર
૧૦૫ ૧૫૭. પિાકનાં ફળો સ્વાદમાં મધુર લાગે છે તેમ જ રૂપ-રંગે પણ મનહર દેખાય છે; પરન્તુ જ્યારે તેમને ખાવામાં આવે છે અને તેમની પૂરેપૂરી અસર શરીર ઉપર થાય છે, ત્યારે તે જ રૂપાળાં અને મીઠાં ફળો જીવનનો નાશ કરી નાખે છે. એ જ પરિણામ કામભોગોની બાબતમાં પણ સમજી લેવાનું છે. ભોગવતી વખતે તો કામભોગો મધુર, મધુરતર અને મધુરતમ લાગે છે. પણ પરિણામે એટલે જ્યારે તેની પૂરેપૂરી અસર આત્મા ઉપર થાય છે ત્યારે તે જ મધુર કામભોગો આત્માનો, કુટુંબનો અને સમાજનો તો ઠીક પણ સમગ્ર વિશ્વનો ય સંહાર કરી નાખે છે. (१५८) उवलेवो होइ भोगेसु, अभोगी नोवलिप्पई। भोगी भमइ संसारे, अभोगी विप्पमुच्चई ॥६॥
(૪૦૦ ર૧, ૦૨૨) ૧૫૮. ભોગોથી દુસંસ્કારોના મેલનો થર જામ્યા કરે છે, ત્યારે જે મનુષ્ય અભોગ છે અર્થાત્ ભોગોથી ઈચ્છાપૂર્વક વિરક્ત છે, તેના ચિત્તમાં એવો દુર મેલ જામતો નથી. ભોગી જ્યારે સંસારમાં ચારે બાજુ આવડ્યા કરે છે, ત્યારે અભોગી પૂર્ણ સ્વતંત્ર બની જાય છે. (૨) ચીરાનિur fu, નવી-સંપાદિ-કિvi एयाणि विन तायन्ति, दुस्सीलं परियागयं ॥७॥
(૩૪૦ ૦ ૧, ર૧). ૧૫૯. મૃગચર્મ, નગ્નતા, જટા, સંઘાટિકા અને માથાનું મુંડન – આ બધાં કાયકલેશ વા દેહદમન અનાચારી વૃત્તિવાળાને બચાવી શક્તાં નથી - તેના અનાચારને ઢાંકી શક્તાં નથી અર્થાત્ અનાચારી વૃત્તિનો મનુષ્ય ભલે મૃગચર્મ પહેરે, નગ્ન રહે, જટા વધારે, સંઘાટિકા પહેરે
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૦૬
મહાવીર વાણી વા માથું મુંડાવે તો પણ તે સદાચારી બની શક્તો નથી. (१६०) जे केइ सरीरे सत्ता, वण्णे रूवे य सव्वसो। मणसा काय-वक्केणं, सव्वे ते दुक्खसंभवा ।।८।।
( ૦ ૦ ૬, To ૨). ૧૬૦. જે કોઈ મનુષ્યો કેવળ શરીરમાં જ આસક્ત છે, તેમ જ મન વડે, વચન વડે અને કાયા વડે રૂપ અને રંગમાં જ મોહેલા છે, તેઓ પરિણામે – બધાં ય દુઃખોને પેદા કરનારા – વધારનારા છે. (૨૬) જે વાતો તૂરન્તિ છે,
न यावि भोगा पुरिसाण निच्चा। उविच्च भोगा पुरिसं चयन्ति, दुमं जहा खीणफलं व पक्खी ॥९॥
- (ત્તર ૨૩, પ૦ રૂ?) ૧૬૧. સમય પસારાબંધ વહ્યો જાય છે, રાત્રીઓ ય એક એક કરીને વીતી રહી છે. ધ્યાનમાં રાખો કે પુરુષોએ-મનુષ્યોએ-મેળવેલા આ કામભોગો ય કાયમ રહેનારા નથી. જે વૃક્ષ ઉપર ફળો ન હોય તેવા વૃક્ષને જેમ પક્ષીઓ તજી દે છે તેમજ આ કામભોગો ક્ષીણ શક્તિવાળા મનુષ્યની પાસે આવીને પણ તેને તજી દે છે. (१६२) अधुवं जीवियं नच्चा, सिद्धिमगं वियाणिया। विणिअट्टेज्ज भोगेसु, आउं परिमिअमप्पणो ॥१०॥
(૮, To ૩૪) ૧૬૨. જીવનને અધુવ જાણીને અને પૂર્ણ સ્વતંત્રતાના માર્ગને બરાબર
Page #154
--------------------------------------------------------------------------
________________
કામ-સૂત્ર
૧૦૭ સમજીને તથા પોતાનું આયુષ્ય બિલકુલ પરિમિત છે એ પણ ધ્યાનમાં રાખીને કામ ભોગોથી અટકવું જોઈએ - અમર્યાદ અને બાધક કામભોગોથી પાછા હઠવું જોઈએ. (१६३) पुरिसोरम पावकम्मुणा, पलियन्तं मणुयाण जीवियं ।
सन्ना इह काममुच्छिया, मोहं जन्ति नरा असंवुडा ॥११॥ ૧૬૩. હે પુરુષ! મનુષ્યોનું જીવન પલાયમાન - ક્ષણભંગુર છે; માટે તું પાપકમોંધી અટકી જા. જેઓ વાસનાઓમાં ખેંચી ગયેલા છે અને કામભોગોમાં બેહોશ બની ગયા છે એવા સંયમ વિનાના મનુષ્યો આ જગતમાં વધારે ને વધારે મોહદશાને પામે છે. (૨૬૪) સંવૃદ! વિર યુદ?
संबोही खलु पेच्च दुल्लहा। नो हूवणमन्ति राइओ, ___नो सुलभं पुणरावि जीवियं ॥१२॥
(સૂa૦ શ્ર?, ૩૦૨,૩૦, ૨૦,૨) ૧૬૪. સમજે, એટલું પણ કેમ સમજતા નથી કે સમ્યજ્ઞાન ભવાંતરમાં મળવું ખરેખર કેમ દુર્લભ છે. પસાર થઈ ગયેલી રાત્રીઓ કદી જ પાછી ફરતી નથી અને વળી મનુષ્યોનું જીવને ય ફરી ફરીને સુલભ નથી. (१६५) दुप्परिच्चया इमे कामा, नो सुजहा अधीरपुरिसेहिं । अह सन्ति सुव्वया साहू, जे तरन्ति अतरं वणिया वा ॥१३॥
(૩૦ ૩૦ ૮, ૦ ૬) ૧૬૫. આ કામભોગોનો ત્યાગ કરવો ભારે મુશ્કેલ છે. જેઓ અધીર
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૦૮
મહાવીર વાણી પુરુષો છે તેઓ તો એ કામભોગોને એકદમ સહેલાઈથી છોડી શકતા નથી. પરંતુ સારી રીતે મહાવ્રતોને આચરનારા જે સાધુ પુરુષો છે, તેઓ જેમ વ્યવહારી વણિક ન કરી શકાય એવા દરિયાને તરી જાય છે, તેમ આ ન કરી શકાય એવા વાસનાના દરિયાને વા કામભોગોના સમુદ્રને તરી જાય છે.
૧. સરખાવો હમ ઈ. “ભોગવિલાસ માણસને સત્યથી ચલિત કરે છે" (પૃ. ૧૪૦) ૨. મૃગચર્મ - સરખાવો ધમ્મપદ દસમો દંડવર્ગ સ્લો- ૧૩:
न नग्गचरिया न जटा न पंका नानासका थंडिलसायिका वा।
रजो च मल्लं उक्कटिकप्पधानं सोधेति मच्चं अवितिण्णकंखं ।। જે મનુષ્ય તૃષ્ણાને સમૂળગી તજી દીધી નથી તે માણસ નાગો જ રહે, જટા રાખે, શરીરે ગારો ચોપડે ના શરીર ઉપરનો મેલ વધાર્યે રાખે, લાંઘણો કરે, સપાટ જગ્યા ઉપર સૂઈ રહે, શરીર ઉપર મેલના થર જમવા દે અને જગતો જ રહે - મટકું ય ન મારે તો પણ તેની શુદ્ધિ થઈ શકતી નથી. ૩. અધીર પુરષો- સરખાવો ગીતા અ, ૬ શ્લોક ૩૬ : __ असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः ।
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायत: ॥ જેણે પોતાના આત્માને કાબૂમાં રાખ્યો નથી તેવો સાધક મહામુસીબતે યોગને સાધી શકે છે અને જેણે પોતાના આત્માને કાબૂમાં રાખેલ છે તેવો પ્રયત્નશીલ સાધક તો ઉપાયો દ્વારા યોગને અનાયાસે સાધી શકે છે એવો મારો મત છે.
મહાવીરવાણીમાં આવેલું આખુંય કામસૂત્ર ધમ્મપદમાં આવેલા ચોવીસમા તૃષ્ણાવર્ગ સાથે સરખાવવા જેવું છે. અહીં “કામ” શબ્દને મુખ્ય કરીને જે જે વાત કહેલી છે તે બધી ધમ્મપદમાં ‘તૃષ્ણા' શબ્દને મુખ્ય રાખીને કહેલી છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
અશરણ-સૂત્ર
॥૨૧॥
असरण सुत्तं
(૧૬૬) વિત્ત વસવો ય નાડ્યો, તું વાતે સરળ તિ મનરૂં । તે મમ તેવુ વિ ઞ ં, નો તાળું સરળં ન વિન્નરૂં શા (મૂત્ર શ્રુ૦ ૨, ૪૦ ૨, ૩૦ ૩, ૦ ૨૬)
॥ ૧૫ ॥ અશરણ-સૂત્ર
૧૬૬, અજ્ઞાની` મનુષ્ય પોતાની પાસેનાં ધન અને પશુઓને તથા પોતાના નાતીલાઓને-એ બધાંને પોતાના શરણરૂપ માને છે અર્થાત્ એ એમ સમજે છે કે એ બધાં પોતાના બચાવનાં સાધનો છે, એટલું જ નહિ પણ તે એટલે સુધી માને છે કે, ‘એ બધાં મારાં જ છે’ અને ‘તેઓમાં પણ હું જ ઓતપ્રોત થઈ ગયો છું,' પરન્તુ જ્યારે કોઈ સંકટ આવી પડે છે ત્યારે એ બધાંમાંથી કોઈ એક પણ તેને અજ્ઞાની મનુષ્યને શરણરૂપ થતું નથી - તેની વારે આવી શક્યું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે અજ્ઞાની મનુષ્ય જ્યારે ભયંકર રીતે બિમાર પડે છે વા જ્યારે મોતના મુખે સપડાય છે ત્યારે ધન ધનને ઠેકાણે પડ્યું રહે છે, પશુઓ પશુઓને ઠેકાણે પડ્યાં રહે છે અને નાતીલાં પણ પોતપોતાના સ્થાને પડ્યા રહે છે - એવે વખતે તેને કોઈ ક્શી પણ સહાય પહોંચાડી શકતું નથી.
(૪૬૭) નાં ટુવસ્તું ના ટુવવું, તેનાપ્તિ મળ િયો। अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जन्तवो ॥ २ ॥
૧૦:
(૩ત્તરા૦ ૪૦ ૨૧, ૦ ૨૬)
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૦.
મહાવીર વાણી ૧૬૭. પહેલું તો જનમ ધરવો એ જ દુઃખ છે, પછી એની પાછળ ઘડપણ આવે એ ય દુઃખ છે, રોગો થવા એ ય દુઃખ છે અને વારે વારે મર્યા કરવું તો ભારે દુ:ખ છે. અરે! આ આખો ય સંસાર એ રીતે દુઃખરૂપ છે કે જ્યાં અજ્ઞાની જીવડા હાથે કરીને કલેશ પામ્યા જ કરે છે. (१६८) इमं सरीरं अणिच्चं, असुई असुइसंभवं । असासयावासमिणं, दुक्ख-केसाण भायणं ।।३।।
(૩૦ ૩૦ ૨, To ૨) ૧૬૮. આ શરીર અનિત્ય છે, અશુચિ-ગંદું છે અને ગંદા પદાર્થોમાંથી બનેલું છે, ભાડૂતી ઘર જેવું કાયમી નથી અને દુ:ખ તથા કલેશોનું ધામ છે. (૬૨) દ્રારા ૪ સુય જેવ, મિત્ત જ તદ વન્યવા जीवन्तमणुजीवन्ति, मयं नाणुव्वयन्ति य ॥४॥
(ા ૦ ૨૮, ૨૪) ૧૬૯. સ્ત્રીઓ, પુવો, મિત્રો અને બંધુજનો એ બધાં જીવતાનાં જ સગાં છે, મર્યા પછી કોઈ યે પાછળ ચાલતું નથી - સાથે આવતું નથી. (૭૦) વેયા મીયા ન મવત્તિ તા,
__ भुत्ता दिया निन्ति तमं तमेणं । जाया य पुत्ता न हवन्ति ताणं, को नाम ते अणुमन्नेज्ज एयं ॥५॥
(૩૪૦ ૩૦ ૨૪, પ૦ ૨૨)
WWW.jainelibrary.org
Page #158
--------------------------------------------------------------------------
________________
અશરણ-સૂત્ર
૧૧૧ ૧૭૦. ખૂબ ખૂબ ગોખી ગોખીને કઠે કરેલા - ભણી નાખેલા વેદો ય અજ્ઞાની મનુષ્યને સંઘરતા નથી - શરણરૂપ નથી. ધરાઈ ધરાઈને જમેલા-જમાડેલા બ્રાહ્મણો તો વળી એક અંધારામાંથી બીજા અંધારામાં અથડાવ્યા કરે છે - અંધારા નરકના ખાડામાં લઈ જાય છે અને જેઓ પોતાના જ શરીર દ્વારા જન્મેલા છે એવા પુત્રો ય શરણરૂપ બનતા નથી - બચાવી શક્તા નથી. તેથી દુનિયામાં રહીને વગર વિવેકે વેદોને ભણવા, બ્રાહ્મણોને જમાડવા, કુલ-વંશને ટકાવવા પ્રજાને પેદા કરવી ને ભોગો ભોગવવા, મોજ કરવી એ બધી તારી વાતને કયો ડાહ્યો માણસ કર્તવ્યરૂપ માની શકે? (१७१) चिच्चा दुपयं च चउप्पयं च,
खेत्तं गिहं धण-धन्नं च सव्वं । कम्मप्पबीओ अवसो पयाइ,
परं भवं सुन्दर पावगं वा ॥६॥ ૧૭૧.પોતે વહાલાં માનેલાં દાસ-દાસીઓને કે વિલાસ માટે પાળેલાં મેના, પોપટ વગેરે પક્ષીઓને અર્થાત્ એ બધાં બે પગાં પ્રાણીઓને, પોતે વહાલાં માનેલાં હાથી, ઘોડા, ગાય, બળદ વગેરે ચોપગાં પ્રાણીઓને, પોતે વહાલાં માનેલાં ખેતર, વાડી, બાગબગીચાને, ઘરમહેલાતને, દરદાગીના, માલમિલક્ત, રોકડનાણું વગેરે સંપત્તિને તથા સંઘરેલાં અનાજના મોટા મોટા કોઠારોને અણછૂટકયે અહીં જ છોડીને - મૂકી દઈને આ પરવશ પડેલો પ્રાણી પોતે સંઘરેલા સારા અને નરસા સંસ્કારો સાથે સારી કે માઠી ગતિ તરફ ચાલી નીકળે છે - સારા કે નરસા પરભવે પહોંચી જાય છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૧૨
મહાવીર વાણી (૭૨) દેદ રણ ૪ મિયં જાય,
मच्चू नरं नेइ हु अन्तकाले । न तस्स माया व पिया व भाया, कालम्मि तम्मंसहरा भवन्ति ॥७॥
(૩૦ ૩૦ ૨૩, ૧૦ ર૪,રર) ૧૭૨. જેમ સિંહ હરણને પરાણે પકડીને ખેંચી જાય છે તેમ જ મૃત્યુ અંતકાલે મનુષ્યને ઢસડી જાય છે. એ વખતે માતા, પિતા કે ભાઈ વગેરે કોઈ પણ, તે મૃત્યુ દ્વારા ઢસડાતા પ્રાણીના દુઃખમાં જરા પણ ભાગ પડાવી શકતાં નથી કે પોતાનું થોડું ઘણું આયુષ્ય આપીને તેને બચાવી શકતાં નથી. (१७३) जमिणं जगई पुढो जगा, कम्मेहिं लुप्पन्ति पाणिणो । सयमेव कडेहि गाहई, नो तस्स मुच्चेज्जऽपुट्ठयं ।।८।।
(સૂત્ર શ્ર૬, ૨, ૪, પ૦૪) ૧૭૩. આ સંસારમાં જે આ જુદાં જુદાં પ્રાણીઓ છે તે બધાં ય પોતપોતાનાં કમોને લીધે - સારા માઠા સંસ્કારોને લીધે જ દુઃખી થાય છે. જે કમ પોતે જ કર્યા છે - જે સંસ્કારોની છાપ પોતાનામાં જ ઊઠવા - પડવા દીધી છે, તેમને ભોગવ્યા વિના - અનુભવ્યા વિના છુટકારો જ નથી. (૨૭૪) સાસણ રીરન્સિ, ડું નવમાનદં पच्छा पुरा व चइयव्वे, फेणबुब्बुयसंनिभे ॥९॥
(ર૦ ૦ ૨૧, ૦૨૨) ૧. આ શરીર પાણીના ફીણમાં ઊઠતા પરપોટા જેવું નાશવંત
Page #160
--------------------------------------------------------------------------
________________
અશરણ-સૂત્ર
૧૧૩
છે, તેને પહેલાં કે પછી ગમે ત્યારે એક વખત છોડવાનું તો છે જ, તો પછી એવા અશાશ્વત શરીરમાં મને ચેન પડતું નથી. અર્થાત્ એવા ગમે ત્યારે પડી જનારા શરીર તરફ મને પ્રેમ થતો નથી. (એમ સાધક પુરુષ વિચાર કરે છે.)
(૨૭) માખુસત્તે અસામિ, વાહિ-ોશાળ આતમ્ । जरामरणघत्थम्मि, खणं पि न रमामहं ॥ १० ॥
(૩ત્તર૪૦ ૩૦ ૨૧, ૬૦ ૨૪)
૧૫. વ્યાધિ અને ભયંકર રોગોના ઘર જેવા આ મનુષ્ય દેહમાં મને જરા ય એક ક્ષણ માટે પણ ચેન પડતું નથી. વળી એ દેહ હંમેશાં ઘડપણ અને મરણથી તો ખવાયેલો - ઘેરાયેલો જ છે, એટલે એમાં રહીને એક ક્ષણ પણ લહેર કરવાનું મન થતું નથી. (એમ સાધક પુરુષ વિચારે છે)
(૨૭૬) નીવિયં ચેવ સ્વયં ધ, વિષ્ણુસંપાયચંષત ।
जत्थ तं मुज्झसी रायं ! पेच्चत्थं नावबुज्झसे ॥। ११ ॥
(IFT૦ ૪૦ ૨૮, ૦ ૨૩) ૧૭૬. હે રાજા ! તું જે દુનિયામાં રાચી રહ્યો છે - જેમાં મોહ પામી રહ્યો છે એટલું જ નહિ પણ જેમાં રાચતો અને મોહ રાખતો તું તારા હિતકર અને મંગલમય ભવિષ્યના પ્રસંગો તરફ પણ ધ્યાન આપતો નથી એવાં આ જીવન અને આ રૂપ બન્ને વીજળીના ચમકારા જેવાં ચંચળ છે - ક્ષણ ભંગુર છે.
(१७७) न तस्स दुक्खं विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया न बन्धवा ।
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૧૪
एक्को सयं पच्चणुहोड़ दुक्खं, ત્તામેવ અનારૂં મં
(૨૦૮) ૬ ચિત્તા તાવણ્ મામા,
જ
૧૭૭. બીજાંઓને જ માટે અર્થાત્ પોતાના માનેલા સ્વજનો માટે, નાતીલાઓ માટે, મિત્રો માટે, પોતાના પુત્રો માટે અને પોતાના બંધુઓ માટે પણ દુષ્ટ પ્રવૃત્તિને કરનારાએ પોતે જાતે એક્કે પંડે જ તે દુષ્ટ પ્રવૃત્તિને લીધે નીપજનારાં બૂરાં પરિણામોને ભોગવવાનાં હોય છે. તે બૂરાં પરિણામોને ભોગવતી વખતે તેમાં બીજું કોઈ ભાગ પડાવતું નથી, અર્થાત્ પોતાનાં માનેલાં સ્વજનો, નાતીલાઓ, મિત્રો, પોતાના ખુદના પુત્રો કે બંધુઓ એ ભૂરાં પરિણામોને ભોગવવામાં જરા પણ ભાગ પડાવી શક્યાં નથી. કારણ કે મનુષ્ય જે દુષ્ટ સંસ્કારોને કેળવી તેમાં લીન થાય છે, તે જ દુષ્ટ સંસ્કારો તેનો પીછો છોડતા નથી. તે તેની પાછળ ને પાછળ પડછાયાની પેઠે ચાલ્યા જ આવે છે.
कुओ विज्जाणुसासणं ? | विसन्ना पावकम्मेहिं,
વાતા પંક્રિયમાણે ।।૩।।
મહાવીર વાણી
શા
(उत्तरा० अ० १३, गा० २३)
(૩ત્તર૦ ૩૪૦ ૬, Tro ૨૦)
૧૭૮. ચિત્રવિચિત્ર ભાષાઓ‘ એટલે પંડિતોએ જેનો ખૂબ ખૂબ આદર કરેલો છે એવી વેદની ભાષા, સંસ્કૃત ભાષા, માગધી ભાષા, અર્ધમાગધી ભાષા, અવેસ્તા ભાષા, હિબ્રુભાષા, અરબી ભાષા કે એવી કોઈ બીજી જૂની કે નવી ભાષાઓ બગડતા મનુષ્યને બચાવી શક્તી નથી, તો પછી વિવિધ પ્રકારની વિદ્યાઓ એટલે મંત્રવિદ્યા,
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૧૫
અશરણ-સૂત્ર શિલ્પવિદ્યા, ઔષધિવિદ્યા વગેરે જુદી જુદી જ્ઞાનશાખાઓને લગતી આધુનિક કે પ્રાચીન વિદ્યાઓ પણ બગડતા મનુષ્યને શી રીતે બચાવે? પાપપ્રવૃત્તિઓમાં ખેંચી ગયેલા જેઓ માત્ર એવી એવી ભાષાઓના જ્ઞાનનો ફાંકો રાખી વા માત્ર એવી એવી વિવિધ વિદ્યાઓ પોતાને આવડે છે એવો ઘમંડ રાખી પોતાની જાતને પંડિત માને છે – વિવેકી વા જ્ઞાની સમજે છે તેઓ નર્યા બાળ જીવો છે – અજ્ઞાની પ્રાણીઓ છે.
૧. અજ્ઞાની - સરખાવો ધમ્મપદ પાંચમા બાલ વર્ગનો ત્રીજો શ્લોક:
पुत्ता मत्थि धनं मत्थि इति बालो विहति ।
अता हि अत्तनो नत्थि कुतो पुत्ता कुतो धनं ? || अर्थात् पुत्रो मारा छे, धन मारुं छे अम समजी समजीने बाल जीव - अज्ञानी प्राणी तरफड्या करे छे. खरी वात तो अम छे के ज्यां पोते ज पोतानो नथी तो पछी पुत्रो अने धन पोतार्नु केवी रीते थई शके?
૨. ગા. ૧૬૭ - સરખાવો હ મ ઈ. “આ દુનિયાનો મોહ રાખવો (તેને અપનાવવી) એ જ બધાં પાપોનું મૂળ છે” (પૃ ૧૪૦). ૩. આ શરીર - સરખાવો ધમ્મપદ અગિયારમો પરાવર્ગ લો. ૩, ૪:
पस्स चित्तकतं बिंब अरुकायं समुस्सितं । आतुरं बहुसंकप्पं यस्स नत्थि धुवं ठिति ।। परिजिण्णमिदं रूपं रोगनिड्डं पभंगुरं ।
भिज्जति पूतिसंदोहो मरणंतं हि जीवितं ।। જુઓ તો ખરા કે આ શરીરનું બીબું વિચિત્ર રીતે ઢાળેલું - ઉપસાવેલું, ગૂમડાંવાળું, રોગી, બહુસંકલ્પવાળું અને જેની સ્થિતિ ચોકકસ નથી એવું છે તથા આ બીબું જીર્ણ છે, રોગનો માળો છે, ક્ષણભંગુર છે અને ગંદકીનો ઢગલો છે. તે નાશ પામી જવાનું છે. જીવનનો અંત જ મરણ છે.
૪. કે કરેલા - આ ૧૭૦મું તથા ૧૭૮મું બને પદ્યો વિવેક વગરની માત્ર
WWW.jainelibrary.org
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૧૬
મહાવીર વાણી જડ ક્રિયા કે જેમાં સંયમ કે સદાચરણનો અંશ સરખો ન હોય તે બાબત આપણું ધ્યાન ખેંચે છે અર્થાત્ વેદો તો શું પણ જૈન શાસ્ત્રો વા બીજાં કોઈ શાસ્ત્રો કેવળ મુખ પાઠ કરવાથી કશું વળતું નથી તેમ જ બ્રાહ્મણોને તો શું જૈનોને પણ વા બીજા કોઈ લોકોને પણ કેવળ જમાડવાથી કશું વળતું નથી. તાત્પર્ય એ કે ક્રિયા સાથે સંયમ અને સદાચારનો મેળ હોય તો જ તે ક્રિયા લાભકર છે.
જુઓ ધર્મસૂત્ર-ટિપ્પણ ૧૦મું હે રાજા!” તેમાં ભૃગુપુરોહિતના બે પુત્રો વિશે વાત કહેલી છે. તે બન્ને પુત્રો પુરોહિત પિતાને સમજાવવા આ ૧૭૦મું પદ્ય બોલે છે.
૫. સિંહ હરણને - સરખાવો મહાભારત-શાંતિધર્મપર્વ, મોક્ષધર્મપર્વ, અધ્યાય ૧૭૫, પૃ. ૨૯૯માંનો શ્લોક ૧૮,૧૯:
तं पुत्रपशुसंपन्नं व्यासक्तमनसं नरम् । सुप्तं व्याघ्रो मृगमिव मृत्युरादाय गच्छति ।। संचिन्वानकमेवैनं कामानामवितृप्तकम् ।
व्याघ्रः पशुमिवादाय मृत्युरादाय गच्छति ।। સરખાવો ધમ્મપદ ચોથો પુષ્પવર્ગ સ્લો ૪,૫:
पुप्फानि हेवं पचिनन्तं व्यासत्तमनसं नरं । सुत्तं गाम महोघो व मच्चु आदाय गच्छति ।। पुप्फानि हेव पचिनन्तं व्यासत्तमनसं नरं ।
अतित्तं येव कामेसु अंतको कुरुते वसं ।। જેમ વાઘ, મૃગ-પશુ-ને ઢસડીને ચાલ્યો જાય છે તેમ પુત્ર અને પશુઓની સંપત્તિવાળાને તથા વાસનાઓમાં જેનું મન ચોંટી ગયેલ છે તથા જે હજુ ઊંઘમાં છે તથા હજુ તો જે કામોનો સંચય કરતો હોય છે અને કામોથી તૃપ્ત થયેલ નથી તેને મૃત્યુ ઢસડીને ચાલ્યું જાય છે. મહાભારત)
સૂતેલા ગામને જેમ પાણીનું મહાપૂર તાણી જાય છે તેમ વાસનાઓમાં
Page #164
--------------------------------------------------------------------------
________________
બાલ-સૂત્ર
૧૧૭ જેનું મન ચોંટી ગયેલ છે તેવો મનુષ્ય હજુ તો પોતાના મનોરથોનાં ફૂલો જ ગૂંથતો હોય છે ત્યાં જ તેને મૃત્યુ તાણી જાય છે. તથા તેવા અને કામોથી હજુ તૃપ્તિ નહી પામેલા મનુષ્યને મૃત્યુ તાબે કરી લે છે. (ધમ્મપદ) ૬. છુટકારો જ નથી - સરખાવો ધમ્મપદ નવમો પાપવર્ગ ઊો૧ર :
न अंतलिक्खे न समुद्दमज्झे न पव्वतानं विवरं पविस्स ।
न विज्जती सो जगतिप्पदेसो यत्थहितो मुंचेय्य पापकम्मा ॥ પાપકર્મી મનુષ્ય આકાશમાં જાય કે દરિયાની વચ્ચે પેસી જાય વા પર્વતોની ગુફામાં સંતાઈ જાય પરંતુ જગતમાં એવું એક પણ સ્થાન નથી કે જ્યાં ગયેલો પાપકર્મી પ્રાણી પોતાનાં પાપોથી છુટકારો પામે.
૭.ગા. ૧૭૬ સરખાવો હ મ ઈ. “આ દુનિયા રહેવાની નથી” (પૃ૧૪૦)
૮. ચિત્રવિચિત્ર ભાષાઓ - જુઓ ટિપ્પણ ગા૧૭૦ “કો કરેલા.” જે લોકો સંયમ કે સદાચારના લક્ષ્ય વિનાના કેવળ પ્રાચીન કે અર્વાચીન કોઈ પણ ભાષાના પવિત્રતાના આગ્રહમાં પડ્યા છે અને અમુક રીતે થતાં ઉચ્ચારણો જ સ્વર્ગ કે મોક્ષને આપનારાં છે તથા અમુક રીતે થતાં ઉચ્ચારણો જ અધોગતિએ પહોંચાડનારાં છે એવું માનનારા છે અને સદ્ગણોની તરફ ધ્યાન ન આપી કેવળ અમુક ભાષા બોલનારો વર્ગ ઉત્તમ અને અમુક ભાષા બોલનાર વર્ગ અધમ એમ માની મનુષ્યોનાં માન અપમાન કરનારાં છે તેમને લક્ષ્યમાં રાખીને આ પદ્યનો આશય સમજવાનો છે તથા સંયમ સદાચરણ વગેરે સવૃત્તિઓ વિનાની કેવળ શુષ્કવિદ્યાઓ પણ જેવી અને જેટલી થવી જોઈએ તેવી અને તેટલી લાભકર થતી નથી એમ પણ સૂચવે છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૧૮
મહાવીર વાણી || ૬ |
बाल-सुत्तं (१७९) भोगामिसदोसविसन्ने, हियनिस्सेयसबुद्धिवोच्चत्थे । बाले य मन्दिए मूढे, बज्झइ मच्छिया व खेलम्मि ॥१॥
(ત્તરી - ૮, T૫)
બાલ-સૂત્ર ૧૯. કામભોગોની મોહ પમાડે એવી પ્રવૃત્તિમાં ખેંચી ગયેલો તથા પોતાનાં હિત અને કલ્યાણની બુદ્ધિને ખોઈ બેઠેલો માણસ, ભલે કોઈ પ્રકારની પોતાની ચતુરાઈને લીધે પોતાની જાતને ભારે કુશળવા પંડિત કોટિની માનતો હોય, તો પણ જ્ઞાની મનુષ્યો તો એને બાળજીવ-અજ્ઞાની પ્રાણી, મંદ પ્રાણી અને મૂઢ પ્રાણી જ માને છે; અને એવો અજ્ઞાની પ્રાણી વિષયવિલાસોમાં જ ચોંટી રહે છે. જેમ કફના બળખા ઉપર માખી ચોંટી જાય છે તેમ અર્થાત્ જેમ માખી બળખામાંથી છૂટી થઈ શકતી નથી અને ત્યાંને ત્યાં જ રામશરણ થાય છે, તેમ એ અનાડી, મોજશોખોમાં એવો ચોંટી રહે છે કે તેમાં ને તેમાં જ રહી મૃત્યુને શરણે થાય છે. (૧૮) ને જિદ્દે રામમો, જે જ છા
ન જે હિ રે નો, ચર્મવૃદ્ધિા રૂમ પારા ૧૮૦. જે કેટલાક માણસો કામભોગોના લાલચુ બને છે તેઓ ધીરે ધીરે ખોટે માર્ગે વળે છે. ખોટા રસ્તા ભણી જતાં અચકાતા નથી.
Page #166
--------------------------------------------------------------------------
________________
બાલ-સૂત્ર
૧૧૯ પછી તો એઓ એમ પણ કહેવા લાગે છે કે આ જે પ્રત્યક્ષ કામભોગો છે એ જ સુખરૂપ છે, મેં પુનર્જન્મ કે પરલોક જોયો નથી, એટલું જ નહિ પણ તે પોતાની ભોગપરાયણ કુટેવને લીધે પોતાના જેવા જ મનુષ્યો તરફ તદ્દન બેદરકાર બને છે અને પોતાની લાલસા પૂરી કરવા જતાં બીજા મનુષ્યો વગેરે પ્રાણીઓ દુઃખી દુઃખી થતા હોય તેની પણ પરવા કરતો નથી. (१८१) हत्थागया इमे कामा कालिया जे अणागया।
को जाणइ परे लोए, अत्थि वा नत्थि वा पुणो ? ॥३॥ ૧૮૧. જેઓ કામભોગોના લાલચુ બનેલા છે તેઓ આમ પણ ધારે છે કે આ કામ ભોગો તો હાથમાં આવેલા છે - પ્રત્યક્ષ છે અને કામભોગોનો સંયમ કરવાથી જે સારાં સારાં પરિણામો અમુક વખતે આવનારાં છે તે બધાં ય ભવિષ્યના ગર્ભમાં છે. અર્થાત્ તે કોણે જોયાં છે? વળી, તે ભોગપરાયણ લોકો એમ પણ માનવાને કે કહેવાને અચકાતા નથી કે “આ લોક સિવાય બીજો પણ કોઈ લોક છે અથવા આ લોક સિવાય બીજો પણ કોઈ લોક નથી એમ પણ કોણ જાણી શકે છે?” અર્થાત્ ભોગી મનુષ્ય કામભોગોની આડે તેનાં ભવિષ્યનાં અનિષ્ટ પરિણામોની કશી પંચાતમાં પડતો જ નથી. (૨૮૨) નો સદ્ધિ સ્થાનિ, રૂઃ વાને વીમા
વામમો પુરાણ, સં સંપવિન પાસા ૧૮૨.વળી, તે અજ્ઞાની ભોગી એમ પણ કહેવાને જરા પણ ખચકાતો નથી કે “આ દુનિયામાં હું એકલો જ ભોગી છું એમ તો નથી, બીજા પણ હજારો લોકો ભોગપરાયણ છે એટલે ભોગોનું જે કાંઈ અનિષ્ટ
Page #167
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
૧૨૦
મારું ફળ આવવાનું હશે તો તે બધાંને જ એક સરખું આવશે; મારે માટે તો ભોગોનું અનિષ્ટ ફળ આવે અને બીજાઓ માટે ઇષ્ટ ફળ આવે એમ તો બનવાનું નથી; એટલે કેવળ મારે માટે જ ભોગોનું અનિષ્ટ ફળ આવે એમ તો થોડું જ બનવાનું છે. અર્થાત્ જે સૌનું થશે એ જ મારું પણ થશે.' એમ ધારીને વધુ બેશરમ બનેલો તે કામભોગી કામભોગોમાં પોતાનો વધુ વધુ રસ-રાગ-અનુરાગ બતાવી વિશેષ ક્લેશ પામે છે અને બીજાઓને પણ વિશેષ ક્લેશ થાય એમ વર્તે છે.
(૧૮રૂ) તો તે ટૂંકું સમામછું, તમેનુ થાવોમુ ય । अट्ठाए य अणट्ठाए, भूयगामं विहिंसई ॥५॥
૧૮૩. એવું એવું નટપણે વિચારી વધારે નફ્ટ બનેલો એ ભોગી મનુષ્ય, હાલતા ચાલતા એવા ત્રસ પ્રાણો તરફ ભારે ક્રૂરતાથી વર્તવાનું શરૂ કરે છે, તેમનો ઘાત સુધ્ધાં કરી નાખે છે અને જે પ્રાણીઓ ગતિ વગરનાં છે – સ્થાવર છે, તેમનો પણ ઘાત કરે છે. પોતાનું કાંઈ પ્રયોજન સરતું હોય કે ન સરતું હોય તોપણ તે ભોગી એ રીતે તમામ પ્રાણીઓનો ઘાત કર્યા જ કરે છે.
(૨૮૪) હિંસે વાતે મુસાવાર્ફ, માત્તે પિમુળે સઢે । भुंजमाणे सुरं मंसं, सेयमेयं ति मन्नई || ६ ||
૧૮૪. આમ કરતો કરતો એ અજ્ઞાની ભોગી, ”ભારે હિંસક બની જાય છે; ખોટું બોલવાનો આદી થઈ જાય છે, દંભી બની જાય છે, ચાડિયો થાય છે અને શઠતા સુધી પહોંચી જાય છે, તથા તે, એટલે સુધી અવળે માર્ગે ચડી જાય છે કે માંસ ખાતો અને દારૂ પીતો તે, પોતાને સારુ એ શ્રેયરૂપ છે-કલ્યાણરૂપ છે-હિતકર છે એમ માનતો
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૨૧
બાલ-સૂત્ર થઈ જાય છે.
(૧૮૬) વાયા વય મરે, વિરે નિક્કે ૪ સ્થિi
. दुहओ मलं संचिणइ, सिसुनागु व्व मट्टियं ॥७॥ ૧૮૫. ધનમાં અને સ્ત્રીઓમાં તનથી અને વચનથી આસક્ત બનેલો તે, અળસિયાની પેઠે બહારથી અને અંદરથી એમ બંને રીતે મેલનો સંચય કરે છે. (જેમ અળસિયું બહારથી પણ માટીના મેલથી ખરડાય છે અને અંદર પણ માટીથી ખરડાય છે તેવી જ દશા ભોગી મનુષ્યની પણ થાય છે.) (૨૮૬) તો પુરી માયંv, ત્નિા તપ્પા
पमीओ परलोगस्स, कम्माणुप्पेही अप्पणो ॥८॥
૧૮૬. આમ કરતાં કરતાં જ્યારે તેના શરીરમાં અસાધ્ય રોગો પેદા થાય છે અને ચારે કોર રોગોથી હેરાન હેરાન થઈ જાય છે ત્યારે તે બેહદ માંદો થઈ ગયેલો - લાચાર બની ગયેલો પછી પસ્તાવામાં પડે છે - હાય, હાય, મેં આ શું કર્યું?' હું આ ભોગોમાં આમ કેમ ફસી પડ્યો?' “અરે, મેં કોઈનું ય કશું માન્યું કેમ નહિ?' આ રીતે તે વારંવાર પસ્તાવો કર્યા કરે છે અને અંતકાળે આવી પહોંચેલો તે, પોતાનાં કમનો - પોતાની દુષ્ટ પ્રવૃત્તિઓનો વિચાર કરતો કરતો પરલોક્વી બીવા લાગે છે - હાય, મર્યા પછી હવે મારું શું થશે ?' એ રીતે પરલોકથી ડરવા લાગે છે. (૨૮૭) ને ૬ વાસ્ના નવિય,
पावाइं कम्माई करेन्ति रुद्दा ।
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૨૨
મહાવીર વાણી ते घोररूवे तमसिन्धयारे, तिव्वाभितावे नरगे पडन्ति ॥९॥
(મૂત્ર શુ?, , ૩૦૨, ૦ ) ૧૮૭. જે અજ્ઞાની મનુષ્યો આ જગતમાં કેવળ પોતાનું જ જીવન ટકાવવાને સારુ દૂર બનીને પાપમય પ્રવૃત્તિઓ કરે છે – એવી પાપમય પ્રવૃત્તિઓ કરતાં જરા ય પાછું વળીને જોતા નથી, તેઓ તીવ્ર દુઃખમય મહાભયંકર એવા અંધારાથી ભરેલા નરકમાં પડે છે. (૨૮૮) ના ય ચય થi VM મોગરા से तत्थ मुच्छिए बाले, आयइं नावबुज्झई ॥१०॥
( ૦ પૂર્તિ ?, To ?) ૧૮૮. ભોગોમાં મૂર્ણિત બનેલો તે અનાડી ભોગી, માત્ર પોતાના ભોગોને માટે જ્યારે જયારે ધર્મનો ત્યાગ કરે છે - પોતાના વ્યક્તિગત કે સામાજિક કર્તવ્યનો વિચાર કરતો નથી ત્યારે ત્યારે તે, પોતાના ભવિષ્યની ભયંકર પરિસ્થિતિને બરાબર સમજતો નથી. (१८९) निच्चुग्विग्गो जहा तेणो, अत्तकम्मेहिं दुम्मई। तारिसो मरणंऽते वि नाऽऽराहेइ संवरं ।।११।।
( ૦ ૦ , ૨, ૩૨) ૧૮૯. જેવી રીતે રોજ ભયભીત રહેતો ચોર પોતાનાં કુકર્મો વડે દુઃખી થાય છે, તેવી જ રીતે અજ્ઞાની મનુષ્ય પોતાનાં કુકમોને લીધે દુઃખી થાય છે અને અંતકાલ પાસે આવતાં છતાં તે સંયમની આરાધના કરી શકતો નથી.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૨૩
બાલ-સૂત્ર (१९०) जे केइ पव्वइए, निद्दासीले पगामसो। भोच्चा पेच्चा सुहं सुवइ, पावसमणि त्ति वुच्चइ ।।१२।।
(૩૦મ ?૭, To ૩) ૧૯૦. જે કોઈ મનુષ્ય પ્રવ્રજ્યા લીધા પછી પણ પ્રમાદમાં વખત ગુમાવે છે - ઊંઘણશીની રીતે વર્તે છે અને ખૂબ ખાઈ પીને નિરાંતે - નિશ્ચિત ભાવે - સુખે સોડ તાણીને ઊંધ્યા કરે છે, તે પાપ શ્રમણ કહેવાય છે. (પાપ શ્રમણ એટલે પાપમય પ્રવૃત્તિ કરનાર સાધુ) (૨૨૨) વેરાપું યુગ્ધ વેરો, તો વેરેસ્ટિંના पावोवगा य आरंभा, दुक्खफासा य अन्तसो ॥१३।।
(સૂત્ર શ્ર૧, ૦ ૮, To 9) ૧૯૧. જે મનુષ્ય ગમે તે કોઈની પણ સાથે વૈર રાખે છે તે, વૈરને વધાર્યા કરે છે અને એવો તે, વેર બાંધી બાંધીને રાજી થાય છે. એને એ વાતની ખબર નથી કે તમામ દુપ્રવૃત્તિઓ પાપમય હોય છે અને છેવટ તેમનું પરિણામ દુઃખમય આવે છે. (૨૨) મારે મારે તુ ગોવા, પુસા તુ મુંબઈ न सो सक्खायधम्मस्स, कलं अग्घइ सोलसिं ॥१४॥
(૩૨T૦ અo , To ૪૪) ૧૨. જે અજ્ઞાની મનુષ્ય મહિના મહિના સુધી ભોજનનો ત્યાગ કરે અને પછી પારણામાં ડાભની અણી ઉપર જેટલું સમાય તેટલાથી જ પારણું કરે, તેવો ઘોર તપ કરનારો પણ તે, સંત પુરુષે બતાવેલા સદ્ધર્મને આચરનારા મનુષ્યની સોળમી કળાને પણ પહોંચી શકતો નથી.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૨૪
મહાવીર વાણી (१९३) इह जीवियं अनियमेत्ता, पन्भट्ठा समाहि-जोगेहिं । ते कामभोगरसगिद्धा, उववजन्ति आसुरे काये ॥१५।।
(ઉત્તરામ ૮, To ૨૪)
° * ૧૯૩. આ દુનિયામાં રહેનાર જે મનુષ્યો પોતાના જીવનવ્યવહારને સંયમમાં મર્યાદિત રાખતા નથી, અર્થાત જીવનવ્યવહારને સ્વચ્છંદી બનાવે છે તેઓ સમાધિયોગથી ભ્રષ્ટ થયેલા છે અને એવા તેઓ કામભોગોના રસમાં લાલચુ બનેલા, અસુયોનિમાં જન્મ ધારણ કરે છે. (१९४) जावन्तऽविजापुरिसा, सव्वे ते दुक्खसंभवा । लुप्पन्ति बहुसो मूढा, संसारम्मि अणन्तए ।।१६।।
(ર૦મ ૬, To 8). ૧૯૪. જેટલા મનુષ્યો અવિવેક યુક્ત છે - અવિદ્યાપુરુષ છે – તે બધા ય દુઃખના ભાગી થાય છે અને એવા અવિદ્યાપુરુષો – મૂઢો આ અનંત સંસારમાં વારંવાર મર્યા જ કરે છે. (१९५) बालाणं अकामं तु मरणं असई भवे । पंडियाणं सकामं तु, उक्नोसेण सई भवे ।।१७।।
(૩૦ મે ૧, To ૩) ૧લ્પ. મૂઢ અજ્ઞાની મનુષ્યોનું અકામ મરણ આ સંસારમાં વારંવાર થયા કરે છે અને પંડિત વિવેકી મનુષ્યોનું તો સકામ મરણ આ સંસારમાં વધારેમાં વધારે એક વાર થાય છે અર્થાત્ પંડિત વિવેકી મનુષ્યો વારે વારે મરતા નથી.
Page #172
--------------------------------------------------------------------------
________________
બાલ-સૂત્ર
(૧૬) વાલક્ષ પસ્સ વાનાં, ગ્રહમાં હિનિયા ।
चिच्चा धम्मं अहम्मिट्ठे, नरए उववज्जई ॥ १८॥
૧૯૬. મૂર્ખ મનુષ્યની મૂર્ખતા તો જુઓ કે જે, ધર્મને ફેંકી દઈ, અધર્મનો સ્વીકાર કરી અધાર્મિક થાય છે અને પરિણામે નરકમાં જાય છે - નરગતિને પામે છે.
(૨૧૭) ધીરસ્ત્ર વસ્ય ધીરત્ત, સ=ધમ્માળુવત્તિનો । વિવા ગયાં કેિ, તેવેતુ વવપ્નફ I?I]
૧૯૭. આચરણ દ્વારા સત્ય ધર્મને અનુસરનાર ધીર મનુષ્યનું ધીરપણું પણ જુઓ કે જે અધર્મને ફેંકી દઈ પરમ ધાર્મિક બને છે, અને પરિણામે દિવ્ય દશાને પામે છે.
(૨૧૮) દુનિયાળ વાનમાવું, અવાતં ચેવ મંડિર્ । ચળ વાતમાવું, અવાનું સેવડું મુળી રા
(૩7T૦ ૪૦ ૭, ૦ ૨૮-૩૦)
બાલભાવ
વિવેકી મનુષ્ય મુનિએ અજ્ઞાનીપણું અને અબાલભાવ-જ્ઞાનીપણું એ બંને ભાવની તુલના કરી બાલભાવને તજી દઈ અબાલભાવનો સ્વીકાર કરવો જોઈએ.
૧૨૫
-
-
-
૧. બાળ જીવ બારમા પ્રમાદ્-સ્થાન સૂત્રમાં પ્રમાદમાં એટલે વિષયોમાં અને કષાયોમાં રસ લેનાર પ્રમાદીને ‘બાલ' કહ્યો છે તથા તેમાં રસ નહીં લેનારને એટલે અપ્રમાદીને ‘પંડિત' કહ્યો છે; એ દૃષ્ટિએ આ બાલસૂત્રના ‘બાલ’ શબ્દનો અર્થ સમજવાનો છે. ગીતામાં અને ધમ્મપદમાં પણ ‘બાલ’ અને ‘પંડિત’ની આવી જ વ્યાખ્યા છે. સરખાવો ગીતા અ. ૪ શ્લો, ૧૯ : પંડિત - યસ્ય સર્વે સમારમ્મા: મિસંપનર્નિતા: I
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ||
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૨૬
મહાવીર વાણી જેમની બધી પ્રવૃત્તિઓ કામનાના સંકલ્પ વિનાની છે અને જેમનાં કર્મો જ્ઞાનરૂપી અગ્નિથી બળી ગયેલાં છે તેમને ડાહ્યા પુરુષો પંડિત' કહે છે. બાલ - સાચો પૃથT વાત: પ્રવતિ ફિતાદા
(ગીતા અ૫, શ્લો. ૪) અર્થાત્ વાતા: એટલે અજ્ઞાનીઓ, સાંખ્ય અને યોગને જુદા જુદા કહે છે પણ પંડિતો તેમ કહેતા નથી.
સરખાવો ધમ્મપદ ૬ઠ્ઠો પંડિત વર્ગ બ્લો- ૧: પંડિત - વિહિં કે વિં તાવિ પંડિતું મને
तादिसं भजमानस्स सेय्यो होति न पापियो । ભાષા ઉપર સંયમ રાખીને બોલનારા, મેધાવી એવા પંડિત પુરુષનો સહવાસ-ઉપાસના-કરવા ઘટે. એવા પંડિતની ઉપાસના કરનારનું શ્રેય થાય છે, અય થતું નથી. બાલ - વીષા ગારતો સંતરૂ યોનનં दीघो बालानं संसारो सद्धमं अविजानतं।
(ધમ્મપદ પાંચમો બાલવર્ગ સ્લો- ૧) જાગતાની રાત લાંબી નીવડે છે, થાકેલાને યોજન લાંબું લાગે છે, એ જ પ્રમાણે સધર્મને નહીં જાણતા બાલોને - અજ્ઞાનીઓનો સંસાર લાંબો હોય છે એટલે બાલ જીવો ઝટ ઝટ નિર્વાણનો લાભ મેળવી શકતા નથી.
મહાવીરવાણીના બાલસૂત્ર સાથે ધમપદનો પાંચમો આખો બાલવર્ગ સરખાવવા જેવો છે. જૈન આગમોમાં અને બૌદ્ધપિટકોમાં “બાલ માટે લોન કે પુથુઝન (પૃથઝન) શબ્દો પણ વપરાયેલા છે.
૨. “મારે સારુ તો કામભોગોનો આ આનંદ જ ચક્ષુદષ્ટ છે - આંખે દેખાય એવો છે -- નજરે જોયેલો છે. આ આનંદની આડે આવે એવો બીજો કોઈ લોક એટલે મારા સિવાયનો પરલોક મેં કદી જોયેલો નથી. અર્થાત્ મારા આ આનંદમાં વિશ્ન કરે એવાં જેઓ મારી નજીકમાં નજીક કે આસપાસ વા તેથીય વધારે દૂર વસનારાં બીજે મનુષ્યો વગેરે જે વિવિધ પ્રાણીઓ છે તેમનાં થોડાં ઘણાં પણ સુખસગવડ બાબત મેં કદી ય દરકાર કરેલી નથી - દરકાર કરવાનું યોગ્ય પણ માન્યું નથી. ઊલટું મારી આ આનંદદાયક
Page #174
--------------------------------------------------------------------------
________________
બાલ-સૂત્ર
૧૨૭ ભોગસામગ્રીની આડે આવનારાં બીજો મનુષ્ય સુધ્ધાનાં તમામ પ્રાણીઓનો જાયે - અજાયે વિનાશ કરતાં ય હું અચકાયો નથી'. આમ આ બીજે અર્થ પણ બરાબર ઘટાવી શકાય.
૩. “સૌનું થાય તે વહુનું પણ થાય' એ કહેવત પ્રસિદ્ધ છે. ૪. ભારે હિંસક - સરખાવો ધમ્મપદ અઢારમો મલવર્ગ સ્લો. ૧૨, ૧૩:
यो पाणमतिपातेति मुसावादं च भासति । लोके अदिन्नं आदियति परदारं च गच्छति ॥ सुरामेरयपानं च यो नरो अनुयुञ्जति ।
इधेवमेसो लोकस्मिं मूलं खणति अत्तनो॥ જીવને જે મારે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, પરદારગમન કરે છે, મદ્યપાન તથા મધુપાનમાં લાગેલો છે, તે આ જીવનમાં જ પોતાનાં મૂળિયાં ખોદે છે.
૫. તનથી આસકત થવું એટલે સ્ત્રીઓ સાથે અમર્યાદ શરીરસંબંધ કરવો અથવા સ્ત્રીઓનાં શરીર ઉપર અત્યંત રાગ રાખવો. અને વચનથી આસક્ત થવું એટલે વાણી પણ સ્ત્રીમય બની જવી.
૬. અળસિયાનો ખોરાક જ માટી છે, એથી તે હાલતાં ચાલતાં પેટમાં ય માટીને જ ભર્યા કરે છે. ૭. મહિના મહિના - સરખાવો ધમ્મપદ પાંચમો બાલવર્ગ શ્લો, ૧૧:
मासे मासे कुसग्गेन बालो भुंजेथ भोजनं ।
न सो संखातधम्मानं कलं अग्घति सोळसिं ।। મહાવીરવાણીના ૧૨મા પદ્યનો જે અર્થ છે તે જ અર્થ આ શ્લોકનો છે. ધમ્મપદનો આશ્લોક અને આ ૧૯રમું પદ્ય; બન્નેના શબ્દો પણ યોગાનુયોગ બરાબર મળતા આવે છે. ૮. બીજો પાઠ આમ પણ થઈ શકે –
जावंत विज़्जापुरिसा सव्वे तेऽदुक्खसंभवा। આ બીજા પાઠ પ્રમાણે ૧૯૪મી ગાથાનો અર્થ આ પ્રમાણે પણ કરી શકાય : જેટલા મનુષ્યો વિદ્યાપુરુષો છે - વિવેકી પુરુષો છે તેઓ બધા ય દુઃખના ભાગી થનારા નથી અને જેઓ મૂઢ છે – અવિવેકી છે – તેઓ આ અનંત સંસારમાં વારંવાર મર્યા કરે છે. ીિ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૨૮
।। ૭ ।।
पंडिय - सुत्तं
(૨૧૧) સમિ૬ પંડિત્ તમ્હા, પાલનાપદે વર્તે । અપ્પા સમેસેન્ના, મેત્તિ ભૂત્તુ પ્પણ્ II?I
॥ ૧૭ ॥
પંડિત-સૂત્ર
(૩ત્તર૪૦ ૪૦ ૬, ૦ ૨)
૧૯૯. અવિવેકી મનુષ્ય આ સંસારના પ્રપંચમાં સાઈ પોતાનું અહિત કરે છે, તેથી પંડિત` મનુષ્યે સંસારમાં ફેલાયેલાં જન્મમરણ અને દુ:ખના હેતુભૂત ફાંસલા જેવા અનેક પ્રપંચોને બરાબર સમજી લઈ પોતે જાતે સત્ય માર્ગની શોધ કરવી અને તમામ નાના મોટા જીવો સાથે મૈત્રીભાવે વર્તવું.
(૨૦૦) ને ય તે પિણ્ મોર્, નૃદ્ધે વિપિટ્ટી વડું ।
साहीणे चयइ भोए, से हु चाइ त्ति वुच्चई ॥२॥
મહાવીર વાણી
૨૦૦. પોતાને પ્રિય પ્રિયતર લાગે એવા મનોહર ભોગો મળ્યા હોય - મનોહર મનોહર ભોગોનો જોગ થયો હોય - તેમ છતાં ય જે મનુષ્ય તે ભોગો તરફ્ વિવિધ રીતે પીઠ ફેરવીને વર્તે છે અર્થાત્ એવી સુંદર સાંપડેલી ભોગસામગ્રી તરફ નજર સરખી ય કરતો નથી - પોતાને સ્વાધીન એવા એ ભોગોને પણ તજી દે છે તે જ ખરેખર ‘ત્યાગી’ કહેવાય છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
પંડિત-સૂત્ર
૧૨૯ (૨૦૨) વત્થાનભ્રંવારં, સ્થિમજ સયાજિક अच्छान्दा जे न भुंजन्ति, न से चाइ ति वुच्चई ॥३॥
(તા૦ ૨ ૦ ૨, ૩) ૨૦૧. જે પરવશ પડેલો મનુષ્ય વસ્ત્રો - સારાં સારાં કપડાં, સારાં સારાં સુગંધી તેલો અને અત્તરો, સુંદર સુંદર ઘરેણાં, ઉત્તમોત્તમ પલંગો અને મનગમતી મનોહર સ્ત્રીઓ - એ બધાને માણવાની - ભોગવવાની - ઈચ્છા છતાં ય પરવશતાને કારણે ભોગવી શકતો નથી અર્થાત્ સારાં સારાં કપડાં પહેરવાનું મન તો છે, સારાં સારાં સુગંધો સુંઘવાનું મન તો છે, સારાં સારાં ઘરેણાં પહેરવાનું મન તો છે, સારા સારા પલંગો ઉપર સૂવાની ઉત્સુક્તા ય છે અને સુંદર સુંદર સ્ત્રીઓને ભોગવવાની તીવ્ર લાલસા પણ છે, છતાં પોતાની પરવશતાને લીધે જે મનુષ્ય એ બધું ભોગવી શક્તો નથી, અને નહિ ભોગવી શકતો હોવાથી બહારથી ‘ત્યાગી' જેવો જોકે દેખાય છે ખરો, પણ તેવો મનુષ્ય ખરેખર ત્યાગી ન જ કહેવાય. (૨૦૨) ડા પાને તુ ય પાળે,
તે મત્ત ઘાસફૂસવો ! उन्वेहई लोगमिणं महन्तं, बुद्धो पमत्तेसु परिव्वएज्जा ॥४॥
_ (सूत्र० श्रु० १ अ० १२ गा० १८) ૨૦૨. બુદ્ધ - જ્ઞાની – પુરુષે આ આખા ય લોકમાં રહેનારા નાનાં પ્રાણી તરફ અને મોટા પ્રાણો તરફ આત્મવત્ વર્તવું જોઈએ અર્થાત તમામ પ્રાણોને પોતાના આત્માની જેમ જ જોવા જોઈએ, અને આ આવડા મોટા લોકનું બરાબર નિરીક્ષણ કરવું જોઈએ, તથા પ્રમત્તો
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૩૦
મહાવીર વાણી સાથે પણ રહેવાનો પ્રસંગ પડે તો ય અપ્રમત્તપણે રહેવું જોઈએ અથવા વૃદ્ધોપમનુ એટલે અપ્રમત્તો સાથે અપ્રમત્તપણે રહેવું જોઈએ. (२०३) जे ममाइअमइं जहाइ, से जहाइ ममाइअं। से हु दिट्ठभए मुणी, जस्स नत्थि ममाइअं॥५॥
(आचा० श्रु० १ अ० २ उ० ६ सू० ९९) ૨૦૩. જે મનુષ્ય મમત્વ બુદ્ધિનો ત્યાગ કરી શકે છે તે જ મનુષ્ય મમત્વનો ત્યાગ કરી શકે છે. તે જ મુનિ સંસારનાં ભયસ્થાનોને જોઈ શકેલ છે કે જેના ચિત્તમાં મમતા નથી. (२०४) जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे । एवं पावाइं मेहावी, अज्झप्पेण समाहरे ॥६॥
(ત્ર શું ? 1 TO ૬) ૨૦૪. સંકટ આવી પડતાં કાચબો જેમ પોતાનાં તમામ અંગોને પોતાના દેહમાં સંકોચી સમાવી દે છે, તે જ રીતે મેધાવી – વિવેકી - મનુષ્ય શબ્દાદિ વિષયો તરફ જતી તમામ ઈન્દ્રિયોને અધ્યાત્મદષ્ટિ કેળવી તે દ્વારા સંકોચી લેવી ઘટે. (૨૧) નો સહસં સહસાdf, મારે મારે નવં TI तस्स वि संजमो सेयो, अदिन्तस्स वि किंचण ॥७॥
(ત્તર ૧ ૦ ૪૦). ૨૦૫. જે કોઈ માણસ ભલેને મહિને મહિને લાખ લાખ ગાયોનું દાન કરે, તેના કરતાં ય જે માણસ કશું ય દાન નથી કરતો પણ પોતાની જાતને સંયમમાં રાખે છે તે જ શ્રેય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
પંડિત-સૂત્ર
૧૩૧
(૨૦૬) નાસ્ત સવરણ પસાથ,
अन्नाणमोहस्स विवज्जणाए। रागस्स दोसस्स य संखएणं,
__एगन्तसोखं समुवेइ मोक्खं ॥८॥ ર૦૬. તમામ જ્ઞાન પ્રકાશમય - નિર્મળ થાય તેથી, અજ્ઞાન અને મોહનો ત્યાગ કરી દેવામાં આવે તેથી, અને રાગ દ્વેષનો સમૂળ ક્ષય થઈ જાય તેથી, મનુષ્ય એવી સ્થિતિને પામે છે કે જે સ્થિતિમાં નર્યું સુખ, સુખ ને સુખ જ છે – જરાક પણ પરવશતા નથી. (૨૦૭) તણે મને કુ-વિદ્ધસેવા,
विवज्जणा बालजणस्स दूरा। सज्झायएगन्तनिसेवणा य,
सुत्तत्थसंचिन्तणया धिई य ॥९॥ ૨૦૭. એવી સુખમય સ્થિતિએ પહોંચવાનો માર્ગ આ છે : સદગુરુ તથા અનુભવી વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની - અસંયમી મનુષ્યોની સોબતથી દૂર રહેવું, નિરંતર સ્વાધ્યાય ક્ય કરવો અને એકાંતમાં રહી મનન કર્યા કરવું, તથા શાસ્ત્રના અર્થને વારે વારે વિચાર્યા કરવો અને અડગ વૈર્ય રાખવું. (૨૮) દકિછે નિયર્જાિ ,
सहायमिच्छे निउणत्थबुद्धिं । निकेयमिच्छेज्ज विवेगजोग्गं,
સમાજે સમજે તવાળા
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૩૨
મહાવીર વાણી ૨૦૮. જે તપસ્વી શ્રમણ, સમાધિ મેળવવાની વાંછા રાખતો હોય તેણે પરિમિત અને નિર્દોષ આહાર ઇચ્છવો - પસંદ કરવો. નિપુણ બુદ્ધિવાળો અને શાસ્ત્રાભ્યાસી હોય એવાને જ પોતાનો સાથી ઇચ્છવો - રાખવો તથા પોતાની વિવેકભરી સાધનાને યોગ્ય હોય તેવું જ સ્થાન રહેવા માટે ઇચ્છવું – પસંદ કરવું. (२०९) न वा लभेज्जा निउणं सहायं,
गुणाहियं वा गुणओ समं वा। एक्को वि पावाई विवज्जयन्तो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥११॥
(ઉત્તર) અરૂર To ૨-૧) ૨૦૯ ગુણમાં પોતા કરતાં ચડિયાતો હોય અથવા ગુણમાં પોતાની બરોબરનો હોય એવો નિપુણ સાથી જો ન મળે તો સમાધિ સાધવાની વૃત્તિવાળો શ્રમણ કામભોગોમાં અનાસક્ત રહેતો અને પાપકર્મોનો ત્યાગ કરતો ભલેને એકલો જ રહે. (२१०) न कम्मुणा कम्म खवेन्ति बाला,
अकम्मुणा कम्म खवेन्ति धीरा । मेहाविणो लोभ-भया वईया, संतोसिणो न पकरेन्ति पावं ॥१२॥
(सूत्र० श्रु० १ अ० १२ गा० १५) ૨૧૦. અજ્ઞાની મનુષ્યો કુસંસ્કારો વડે કુસંસ્કારોનો નાશ કરી શકતા નથી. જેઓ ધીર પુરુષો છે તેઓ સંયમમય પ્રવૃત્તિઓ દ્વારા કુસંસ્કારોનો નાશ કરી શકે છે. જેઓ મેધાવી મનુષ્યો છે તેઓ લોભ અને ભયથી
Page #180
--------------------------------------------------------------------------
________________
પંડિત-સૂત્ર
દૂર ખસી ગયા છે, સંતોષી બની ગયા છે અને પાપ કરતા નથી.
1
૧. પંડિત - જુઓ બાલસૂત્ર - ટિપ્પણ ૧ ગા૰ ૧૭૯ પંડિત પ્રસ્તુત પંડિતસૂત્ર સાથે ધમ્મપદનો છઠ્ઠો પંડિત વર્ગ આખો સરખાવવા જેવો છે.
૨. કાચબો - સરખાવો ગીતા અ ૨ શ્લો, ૫૮ : यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥
જેમ કાચબો પોતાનાં બધાં અંગોને ચારે બાજુથી સંકોડી લે છે તેમ ઇન્દ્રિયોને વિષયોમાંથી જે સંકોડી લે છે તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત – સ્થિર છે.
-
૧૩૩
www.
૩. મહિને મહિને - સરખાવો ધમ્મપદ આઠમો સહસ્રવર્ગ શ્લો ૭,૮,૯ : मासे मासे सहस्सेन यो यजेथ सतं समं । एकं च भावितत्तानं मुहुत्तमपि पूजये । सा येव पूजना 'सेय्यो यं चे वस्ससतं हुतं ॥७॥ यो च वस्ससतं जंतु अग्गिं परिचरे वने । एकं च भावितत्तानं मुहुत्तमपि पूजये । सायेव पूजना सेय्यो यं चे वस्ससतं हुतं ॥ ८ ॥
यं किंचि यिट्ठे व हुतं व लोके संवत्सरं यजेथ पुञ्ञपेक्खो । सव्वं पितं न चतुभागमेति अभिवादना उज्जुगतेसु सेय्यो ||९||
મહિને મહિને હજારોનું ધન ખરચીને જે મનુષ્ય સો વરસ સુધી યજ્ઞો કર્યા કરે અને એક જ ઘડી કોઈ ભાવિતાત્માની પૂજા કરે તો પેલો સો વરસ સુધી કરેલા યજ્ઞો કરતાં એ પૂજા જ ઉત્તમ છે. ૭.
જ
એ જ રીતે જે પ્રાણી સો વરસ સુધી વનમાં અગ્નિની પૂજા – ઉપાસના કરે અને એક જ ઘડી કોઈ ભાવિતાત્માની - સંતપુરુષની - પૂજા કરે તો પેલી સો વરસ સુધી કરેલી અગ્નિની પૂજા કરતાં - હોમ - કરતાં એ સંતની પૂજા જ ઉત્તમ છે. ૮.
-
Page #181
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
કોઈ મનુષ્ય પુણ્યની આશા રાખીને એક વરસ સુધી જે કાંઈ યજન કરે, હોમહવન કરે તો ય સરળ સંતપુરુષોની અભિવાદનાથી જે ફળ થાય છે તેના ચોથા ભાગનું પણ ફળ તે યજન કે હોમહવનથી મળતું નથી. ૯. ૪. નિપુણ સરખાવો ધમ્મપદ ૨૩મો નાગવર્ગ શ્લો ૯,૧૦,૧૧ : सचे लथ निपकं सहायं सद्धिचरं साधुविहारिधीरं ।
अभिभूय्य सव्वानि परिस्सयानि चरेय्य तेनत्तमनो सतीमा ||९|| नो चे लभेध निपकं सहायं सद्धिचरं साधुविहारिधीरं ।
૧૩૪
राजा व रट्ठ विजितं पहाय एको चरे मातंगर व नागो ॥ १०॥ एकस्स चरितं सेय्यो नत्थि बाले सहायता ।
एको चरे न च पापानि कयिरा अप्पोस्सुको मातंगर व नागो ॥ ११ ॥ સાથી, નિપુણ સાધુવિહારી અને ધીર મળી શકે તો બીજાં તમામ જોખમોને નહીં ગણકારીને ય તેની સાથે જાગૃતિપૂર્વક રહેવું - ફરવું.
એવો નિપુણ સાથી ન મળ્યો હોય તો જેમ હારેલું રાજ્ય છોડીને રાજા એક્લો ચાલી નીકળે છે વા માતંગવનમાં જેમ એકલો નાગ માતંગ હાથી રહે છે - ફરે છે તેમ એકલા ફરવું અર્થાત્ સારા સાથી વિના એકલા જ રહેવું.
માતંગવનમાં હાથી જેમ એકલો રહે છે તેમ એકલા રહેવું ઉત્તમ છે પણ અજ્ઞાનીની - બાલની – સોબત સારી નથી. એક્લા રહેતાં બીજા વેગો ઓછા આવે તેમ રહેવું અને પાપોને ન આચરવાં.
-
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૩૫
આત્મ-સૂત્ર
| ૨૮ !
अप्प-सुत्तं (૨૨૨) મધ્વ વેર, મા જે સામi.
अप्पा कामदुहा घेणू, अप्पा मे नन्दणं वणं ॥१॥
|| ૧૮ છે. આત્મ-સૂત્ર
ર૧૧. આત્મા પોતે વૈતરણી નદી છે, મારો આત્મા પોતે કૂટ શાલ્મલી વૃક્ષ છે, આત્મા પોતે કામદુધા ગાય છે અને મારો આત્મા પોતે નંદનવન છે. (२१२) अप्पा कत्ता विकत्ता य, दुक्खाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय सुपट्टिओ ॥२॥
(૩૦ અo ૨૦, ૦ ૨૬, ૨૭) ૨૧૨. આત્મા પોતે દુઃખોનો અને સુખોનો પેદા કરનારો છે અને નાશ કરનારો છે. સુપ્રસ્થિત - સમાર્ગગામી – આત્મા મિત્રરૂપ છે, અને દુપ્રસ્થિત – દુર્માર્ગગામી – આત્મા શત્રુરૂપ છે. (२१३) अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो।
अप्पा दन्तो सुही होई, अस्सिं लोओ परत्थ य ॥३॥ ૨૧૩. આત્માને જ દમવો જોઈએ – સંયમ અને તપની પ્રવૃત્તિ વડે બરાબર પલોટવો જોઈએ. ખરેખર, આત્મા પોતે જ દુર્દમ છે - સંયમ અને તપની પ્રવૃત્તિ વડે આત્માને પલોટતાં તો નાકે દમ આવી
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૩૬
મહાવીર વાણી જાય છે, પણ એ રીતે પલોટાયેલો આત્મા આ જગતમાં અને બીજે પણ સુખી જ થાય છે. (૨૪) જેમપ્પા તન્તો, સંગ તેવે યા. माऽहं परेहिं दम्मन्तो, बन्धणेहि वहेहि य ॥४॥
(૩૦ ૩૦ ૨, To 5, ૨૬) ૨૧૪. બીજાઓ કોઈ મારા આત્માને બંધનોમાં નાખી નાખીને માર મારીને મારીને પલોટે, એ કરતાં તો હું જાતે પોતે સંયમ અને તપની પ્રવૃત્તિ વડે મારી ઇચ્છા પૂર્વક આત્માને - પોતાને – પલોટું એ જ વધારે ઉત્તમ છે. (૨૫) નો સદરૂં સદસાઈ, સંગાને દુષણ નિuri
एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ ।।५।। ૨૧૫. જે કોઈ શૂરવીર, રણમેદાનમાં બીજા ન જીતી શકાય એવા લાખ લાખ શત્રુઓને જીતે, તે કરતાં તો તે એકમાત્ર પોતાના આત્માને - પોતાની જાતને – જીતે એ જ તેનો ખરેખરો ઉત્તમ વિજય છે. (२१६) अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ ? ।
अप्पणामेव अप्पाणं, जइत्ता सुहमेहए ॥६॥ ૨૧૬. તું તારા આત્મા સાથે જ - તારી પોતાની જાત સાથે જ યુદ્ધ કર. બહાર યુદ્ધ કરવાથી તારું શું વળવાનું છે? સાધક પોતે જાતે જ આત્મા ઉપર - પોતાની જાત ઉપર વિજય મેળવીને સુખ પામે છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૩
આત્મ-સૂત્ર (૨૭) વંવિત્તિયાળિ હિં, મા માર્યા તવ નોહંસા दुजयं चेव अप्पाणं, सव्वमप्पे जिए जियं ॥७॥
(૩) ૦ ૧, આo ૩૪-૩૬) ૨૧૭. પોતાની પાંચે ઈદ્રિયોને જીતવી, પોતાની ક્રોધ, અભિમાન, શઠતા અને લોભની વૃત્તિઓને જીતવી એ ભારે કઠણ છે, પણ મહામુસીબતે જીતી શકાય એવા આત્માને જીતવા માટે આ જ માર્ગ છે, અને આત્માને જીત્યો એટલે સઘળું આપોઆપ જિતાઈ ગયું સમજવું. (૨૨૮) તંગ છે રે,
जं से करे अप्पणिया दुरप्पा । से नाहिइ मच्चुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥८॥
(૩૨ર૦, ૦ ૪૮) ૨૧૮. જેટલું ભૂંડું પોતાનો દુષ્ટ આત્મા કરે છે, તેટલું ભૂંડું ગળું કાપનારો શત્રુ પણ નથી કરી શકતો. દયા વગરનો દુષ્ટ મનુષ્ય જ્યારે કાળના મુખમાં સપડાશે, ત્યારે જ તે પોતાની દુષ્ટતાને જાણશે અને પછી પસ્તાવો કરશે. (૨૬) નરસેવM૩ હવે નિજી,
चइज्ज देहं न हु धम्मसासणं । तं तारिसं नो पइलेन्ति इन्दिया, उविंतवाया व सुदंसणं गिरि ॥९॥
(૯૦ ચૂતિ ?, ITo B૭) ૨૧૯. દેહને ભલે છોડી દઉં પણ ધર્મના શાસનને તો ન જ છોડું
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૩૮
મહાવીર વાણી એવા દઢ નિશ્ચયી આત્માને, ભયંકર વાવાઝોડું જેમ મેરુ પર્વતને ગાવી શકતું નથી તેમ ઇંદ્રિયો કદી પણ ડગાવી શકતી નથી. (૨૨) મMT નુ સર્વ મિયળ્યો,
सव्विन्दिएहिं सुसमाहिएहिं । अरक्खिओ जाइपहं उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चइ ॥१०॥
(શ૦ પૂતિ ૨, ૦૨૬) ૨૨૦. પાંચ જ્ઞાનેંદ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો તે તમામ ઇંદ્રિયોને બરાબર સમાધિયુક્ત કરીને નિરંતર આત્માને પાપમય પ્રવૃત્તિઓથી બચાવ્યાજ કરવો જોઈએ, કારણ કે, એ રીતે નહિ બચાવવામાં આવેલો આત્મા જ્યારે સંસારના ચોકમાં ભટક્યા કરે છે, ત્યારે એ રીતે બરાબર બચાવવામાં આવેલો આત્મા તમામ દુઃખોથી દૂર રહે છે. (૨૨૨) હરીરમદુ નાવ ત્તિ, નવી ગુરૂ નાવમો . संसारो अण्णवो वुत्तो, जं तरन्ति महेसिणो ॥११॥
(૩૦ ૩૦ ૨૨, To ૭૨) ૨૨૧. શરીરને ‘નાવ’ કહેલ છે, આત્માને ‘નાવિક કહેવામાં આવેલ છે અને આ સંસારને “સમુદ્ર કહેલો છે, જેને મહર્ષિઓ તરી જાય છે. (૨૨) ગજ પબ્લડ઼ત્તા મકવાડું,
सम्मं च नो फासयई पमाया। अनिग्गहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिन्दइ बन्धणं से ।।१२।।
(૩ત્તર૦ મે ૨૦, ro ૩૨)
Page #186
--------------------------------------------------------------------------
________________
આત્મસૂત્ર
૧૩૯ ૨૨૨. જે સાધક પ્રવ્રજ્યા લીધા પછી પોતે પ્રમાદમાં પડીને સ્વીકારેલાં મહાવ્રતોને શુદ્ધ રીતે બરાબર પાળતો નથી – આચરતો નથી, પોતાના આત્માને નિગ્રહમાં - સંયમમાં રાખતો નથી, રસોમાં લાલચુ બને છે તેનાં બંધનો મૂળથી દાતાં નથી.
૧. આત્મા - ધમ્મપદનો બારમો આખો ય આત્મવર્ગ પ્રસ્તુત આત્મસૂત્ર સાથે સરખાવવા જેવો છે. સરખાવો ગીતા અ, ૩ સ્લો, ૧૭ તથા અ, ૬ શ્લો, ૫,૬ :
यस्तु आत्मरतिरेव स्याद् आत्मतृप्तश्च मानवः । आत्मन्येव च संतुष्टस्तस्य कार्यं न विद्यते । उद्धरेत् आत्मनाऽऽत्मानं नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ।। बन्धुरात्माऽऽत्मनस्तस्य येनात्मैवाऽऽत्मना जित: ।
आत्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ॥ ભાવાર્થ એ છે કે જે મનુષ્ય પોતામાં જ આનંદ અનુભવે છે, પોતાની જાતથી જ તૃપ્ત છે અને પોતાનામાં જ સંતુષ્ટ છે તેને કશું કરવાપણું નથી.
મનુષ્ય પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો, પોતે બગડી જાય એવું કશું ય કરવું નહીં. પોતે જ બંધુ છે અને પોતે જ પોતાનો શત્રુ છે.
જેણે પોતે જાતે પોતાને જીતી લીધો છે તેનો આત્મા તેનો બંધુ છે. અને જેણે પોતાને તેલ નથી તેનો આત્મા તેનો દુશ્મન છે. ૨. આત્મા - સરખાવો ધમ્મપદ બારમો આત્મવર્ગ સ્લો ૯ :
अत्तना व कतं पापं अत्तना संकिलिस्सति। अतना अकतं पापं अत्तना व विमुज्झति ।
सुद्धि असुद्धि पच्चत्तं नाचो अचं विसोधये ॥ આત્માએ કરેલું પાપ આત્માને નડે છે અને તેણે નહીં કરેલું પાપ તેની શુદ્ધિ કરે છે. દરેક આત્માની શુદ્ધિમાં કે અશુદ્ધિમાં તે પોતે જ નિમિત્ત હોય છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૪૦
મહાવીર વાણી બીજો કોઈ બીજા કોઈને શુદ્ધ કરી શકતો નથી. ૩. દમવો - સરખાવો ધમ્મપદ બારમો આત્મવર્ગ સ્લો ૩:
अत्तानं चे तथा कयिरा यथञमनुसासति ।
सुदंतो बत दमेथ अत्ता हि किर दुद्दमो ॥ જેમ આપણે બીજાને શિક્ષા કરીએ છીએ તેમ આત્માને શિક્ષા કરવી. આત્માને એવી રીતે દમવો – પલટવો - જોઈએ કે જેથી તે સુદાંત થાય - જ્યારે ત્યારે તોફાન ન કરે, કારણ કે આત્મા ખરેખર દુર્દમ છે - પોતાની જાતને પલોટવી એ મહામુસીબતનું કામ છે. ૪. શૂરવીર - સરખાવો ઘમ્મપદ આઠમો સહસ્ત્રવર્ગ સ્લો, ૪, ૫ :
यो सहस्सं सहस्सेन संगामे मानुसे जिने । एकं च जेय्यमत्तानं स वे संगामजुत्तमो ॥ अत्ता हवे जितं सेय्यो या चायं इतरा पजा।
अत्तदंतस्स पोसस्स निच्चं संयतचारिनो । જે શૂરવીર, સંગ્રામમાં લાખ લાખ માણસોને જીતે તે કરતાં એક પોતાના આત્માને જીતનાર શૂરવીર ઉત્તમ સંગ્રામજિતુ છે.
આમ બીજી પ્રજાઓને જીતવા કરતાં આત્માને જ જીતવો ઉત્તમ છે - શ્રેય છે. જેણે આત્માને પોતાના કાબૂમાં કર્યો છે એવા અને નિરંતર સંયમી પુરુષનું જીત્યું સફળ છે.
સરખાવો હમ, ઈ. “બળવાન તે નથી જે બીજાઓને નીચે પાડી નાખે; આપણામાં બળવાન તે છે જે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે;” (પૃ.
૧૩૪)
૫. આત્મા સાથે જ - જુઓ આત્મસૂત્ર - ટિપ્પણ પહેલું ગીતાના શ્લોકો.
૬. જેટલું ભૂંડું - સરખાવો ધમ્મપદ ત્રીજે ચિત્તવર્ગ શ્લોક ૧૦:
Page #188
--------------------------------------------------------------------------
________________
આત્મ-સૂત્ર
૧૪૧
दिसो दिसं यं तं कयिरा वेरी वा पन वेरिनं।
मिच्छापणिहितं चित्तं पापियो नं ततो करे ॥ દુશ્મન જે ભૂંડું દુમનનું કરે છે, વૈરી પોતાના વૈરીનું જે વેર વાળે છે, દુષ્ટ રીતે જોડેલું ચિત્ત આત્માનું તેથી પણ વધારે ભૂંડું કરે છે. - ૭. બચાવ્યા જ - સરખાવો ધમ્મપદ બારમો આત્મવર્ગ સ્લોક ૧ :
अत्तानं चे पियं जञा रक्खेय्य नं सुरक्खितं ।
तिण्णमञ्जतरं यामं पडिजग्गेय्य पंडितो ।। આત્માને વહાલો ગણતા હો - જાણતા હો – તો તેને બરાબર સાચવો - સુરક્ષિત રાખો. ત્રણમાંથી ગમે તે પહોરે પંડિત પુરુષે આત્માને જગાડતાં રહેવું જોઈએ અર્થાત્ તેને સાફ કર્યા કરવો જોઈએ.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૪૨
મહાવીર વાણી / ૧ /
लोगतत्त-सुत्तं (રર૩) થ દ મારૂં, રાત્નિ પુત્રિ મંતવો!
एस लोगो त्ति पन्नत्तो, जिणेहिं वरदंसिहिं ॥१॥
- ૧૯
“લોકતત્ત્વ-સૂત્ર ૨૨૩. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય - આત્મા, એ બધાને ઉત્તમ દષ્ટિવાળા જિન ભગવંતોએ 'લોક' નામથી જણાવેલ છે. (૨૨૪) જર્નસ્થ 1 થી, મદ કાર્નિવસ્થા
भायणं सव्वदव्वाण, नहं ओगाहलक्खणं ॥२॥ ૨૨૪. ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિ છે, અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિ છે. તમામ દ્રવ્યોનું – પદાર્થોનું ભાન હોવું અર્થાત્ તમામ પદાથોન અવકાશ - અવગાહ - આપવો - સમાવી દેવા એ આકાશાસ્તિકાયનું લક્ષણ છે. (२२५) वत्तणालक्खणो कालो, जीवो उवओगलक्खणो।
ના વંસજ , સુદ્દે ય ટુડે ર ારા ૨૨૫. કાળનું લક્ષણ વર્તના – વર્તવું - છે, આત્મા - જીવનું લક્ષણ ઉપયોગ છે. જ્ઞાન દ્વારા, દર્શન દ્વારા, સુખ દ્વારા અને દુઃખ દ્વારા ઉપયોગ લક્ષણવાળા આત્માને ઓળખી શકાય છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૪૩
લકતત્ત્વ-સૂત્ર (२२६) नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा।
वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥४॥ ૨૨૬. જ્ઞાન, દર્શન, સંયમ, તપ, વીર્ય – શક્તિ - સામર્થ્ય અને ઉપયોગ એ બધાં જીવનાં લક્ષણ છે. (રર૭) સડથયારનો , પદ છાયડત રૂવા वण्ण-रस गन्ध-फासा, पुग्गलाण तु लक्खणं ।।५।।
(૩ અo ૨૮, "To ૭,૧-૨) ૨૨૭. શબ્દ, અંધકાર, ઉદ્યોત – પ્રકાશ - ચળકાટ, પ્રભા - કિરણો, છાયા - છાયો - પડછાયો, તાપ, વર્ણ - રંગ, રસ, ગંધ અને સ્પર્શ એ બધાં મૂર્ત જડ દ્રવ્યરૂપ પુદ્ગલાસ્તિકાયનાં* - લક્ષણ છે. (૨૮) નીવડળીવા જ વન્યો જ પુvi પીવડાવી તા.
संवरो निजरा मोक्खो, सन्तेए तहिया नव ।।६।। ૨૨૮. જીવ, અજીવ, બંધ, પુષ્ય, પાપ, આસવ, સંવર', નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વો તથ્ય – સત્ય છે - સદ્ભુત છે. (રર) તક્રિયof તુ માવા, માવાસf I भावेणं सद्दहन्तस्स, सम्मत्तं तं वियाहियं ।।७।।
(૩૪૦ ૩૦ ૨૮, ૧૦ ૨૪,૨૧) ૨૨૯. એ તથ્ય – સત્ય - પદાર્થોની ખરી અસ્તિતાના ઉપદેશ વિશે જેના ચિત્તમાં પાકો વિશ્વાસ હોય – પાકી શ્રદ્ધા હોય તેનામાં સમ્યત્વનો ગુણ પ્રગટે છે એમ કહેલું છે, અર્થાત્ એ ઉપદેશ વિશે અચળ શ્રદ્ધા રાખવી તેનું જ નામ સમ્યક્ત.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૪૪
મહાવીર વાણી (२३०) नाणेण जाणइ भावे, दंसणेण य सद्दहे। चरित्तेण निगिण्हाइ, तवेण, परिसुज्झइ ॥८॥
(૩રર૦ ૦ ૨૮, To ૩) ૨૩૦. સાધક મનુષ્ય પોતે જ્ઞાન વડે એ તથ્ય ભાવોને જાણી લે છે - સમજી લે છે. પછી દર્શન વડે એટલે જાણી લીધેલા તે ભાવોનું જાતપણું ચિત્તમાં સ્થિર ભાવે જામી જતાં એ ભાવો વિશે સાધકને પાકી શ્રદ્ધા થાય છે - વિશ્વાસ જામે છે. પાકી શ્રદ્ધા થયા પછી એ શ્રદ્ધામાં જે પોતાને ભાસેલ છે તેને આચરણમાં લાવવાની ઉલ્લાસમય અપૂર્વ તાલાવેલી આત્માને થાય છે. આ તાલાવેલીનું જ નામ ચારિત્ર છે. એવા ચારિત્ર વડે - આચરણો દ્વારા સાધક પોતાનાં મન, વચન અને શરીરને નિયમનમાં - નિગ્રહમાં - રાખવા તત્પર થાય છે અને એ નિગ્રહરૂપ તપ દ્વારા સાધક, પોતે શુદ્ધ - પવિત્ર - બને છે, વાસના વગરનો - કષાયો વગરનો સ્થિતપ્રજ્ઞ થઈ વીતરાગની ભૂમિકાએ પહોંચે છે. (૨૩) નાdi ૪ ટૂંavi ચેવ, ચરિત્ત ૨ તો તરત
__ एयं मग्गमणुप्पत्ता, जीवा गच्छन्ति सोग्गइं ॥९॥
૨૩૧. જ્ઞાન અને દર્શન, ચારિત્ર અને તપ - એ માર્ગને બરાબર પામેલા જીવો, એ માર્ગનું બરાબર આચરણ કર્યા પછી સારી ગતિને - સારી દશાને - વીતરાગ દશાને પામે છે. (२३२) तत्थ पंचविहं नाणं, सुयं आभिनिबोहियं । ओहिनाणं तु तइयं, मणनाणं च केवलं ॥१०॥
(૪૦ ૩૪૦ ૨૮, ૦ ૩,૪)
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૪૫
લોકતત્ત્વ-સૂત્ર
૨૩૨. તેમાં, જ્ઞાન પાંચ પ્રકારનું છે. શ્રુતજ્ઞાન; મતિજ્ઞાન - આભિનિબોધિકજ્ઞાન, ત્રીજું અવધિજ્ઞાન, મનજ્ઞાન અને કેવલજ્ઞાન. (૨૩૩-૧૩૪) ના સાવરબિં , સંસાર તા
वेयणिजं तहा मोहं, आउकम्मं तहेव य ॥११।। नामकम्मं च गोत्तं च, अन्तरायं तहेव च । एवमेयाई कम्माइं, अद्वैव उ समासओ ॥१२॥
(૦૦ રૂ૩, T૦૨, ૨) ૨૩૩ - ૨૩૪. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા વેદનીય અને મોહ - મોહનીય, આયુષ્યકર્મ અને નામકર્મ તથા ગોત્રકર્મ અને અંતરાયકર્મ; એ પ્રમાણે સંક્ષેપથી તો એ આઠ જ^ કમોનિ બતાવેલાં છે. (૨૬) જે તવ વિદો પુત્ત વાહિમન્તરો તદ
बाहिरो छव्विहो वुत्तो, एवमब्भन्तरो तवो ॥१३॥ ૨૩૫. દેહ અને ચિત્તને શુદ્ધ કરવા માટે તે નિગ્રહરૂપ તપના બે પ્રકાર કહેલા છે : બાહ્ય તપ અને આંતરિક તપ. નિગ્રહરૂપ બાહ્ય તપના છ પ્રકાર કહેલા છે અને એવા જ આંતરિક તપના છ પ્રકાર બતાવેલા છે. (२३६) अणसणमूणोयरिया, भिक्खायरिया य रसपरिच्चाओ। कायकिलेसो संलीणया य, बज्झो तवो होई ।।१४।।
(૩ર૦ ૦ ૦, ૧૦ ૭,૮) ૨૩૬. બાહ્ય તપના છ પ્રકાર આમ સમજવા: ૧. અનશન", ૨. ઊનોદરિકા, ૩. ભિક્ષુચર્યા', ૪. રસપરિત્યાગ, ૫. કાયક્લેશ અને ૬. સલીનતા.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૪૬
મહાવીર વાણી (૨૩૭) છત્ત વિUT૩, વેલાવવંતદેવ સાજે झाणं च विओस्सग्गो, एसो अन्भिन्तरो तवो ॥१५॥
( RTO મ૩૦, . ૩૦) ૨૩૭. આંતરિક તપના છ પ્રકાર આમ સમજવા: ૧. પ્રાયશ્ચિત્ત', ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. વ્યુત્સર્ગ. (૨૩૮) વિઠ્ઠ ના ય વાય, તેવા તહેવ રા. सुक्कलेसा य छट्ठा य, नामाइं तु जहक्कम ।।१६।।
(ર૦ ૦ ૨૪ ૧૦ ૨) ૨૩૮. લેશ્યા એટલે ચિત્તની વૃત્તિ - આત્માનો પરિણામ - અધ્યવસાય, વેશ્યાઓ છે છે અને તેમનાં નામો અનુક્રમે આ છે : કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા, કાપોત વેશ્યા, તેજોલેશ્યા, પવ લેશ્યા અને શુકલ લેગ્યા. (२३९) किण्हा नीला काऊ, तिन्नि वि एयाओ अहम्मलेसाओ।
एयाहि तिहि वि जीवो, दुग्गइं उववज्जई ।।१७।। ૨૩૯. કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા અને કાપોત લેશ્યા એ શરૂ શરૂની ત્રણ લેશ્યા અધર્મ લેશ્યાઓ છે. આ ત્રણે લેણ્યાયુક્ત ચિત્તવૃત્તિમાં
વ્યકિતગત સ્વાર્થરૂપ અધર્મનો આશય પ્રધાન - મુખ્ય – હોય છે, માટે તે ત્રણેને અધર્મ લેયા કહેલી છે. જે જીવની ચિત્તવૃત્તિમાં તરતમ ભાવે એટલે જેટલે અંશે આ ત્રણ લેશ્યા પ્રમાણે વિચારધારા હોય છે, તે જીવ તેટલે તેટલે અંશે પ્રત્યક્ષમાં તો દુર્ગતિ – દુર્દશા - દુઃખમય - દશાને જ પામે છે અને ભવાંતરમાં ય તે જીવ દુર્ગતિને પામે છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
છે. તત્ત્વ-સૂત્ર
૧૪૭ (ર૪૦) તે સુવ, તિ િવિથ થમ્મસ एयाहि तिहि वि जीवो, सुग्गइं उववजई ॥१८॥
(ર૦મ ૨૪ ૦ ૬,૧૭) ૨૪૦. પાછલી ત્રણ લેશ્યાઓ એટલે તેજ લેશ્યા, પધ લેશ્યા અને શુકલ લેશ્યા એ ત્રણે ધર્મલેશ્યાઓ છે. આ ત્રણે લેશ્યાયુક્ત ચિત્તમાં સમૂહગત સ્વાર્થરૂપ ધર્મનો આશય પ્રધાન - મુખ્ય – હોય છે. માટે તે ત્રણેને ધર્મલેશ્યા કહેલી છે. જે જીવની ચિત્તવૃત્તિમાં તરતમ ભાવે જેટલે જેટલે અંશે આ ધર્મલેશ્યા પ્રમાણે સામુદાયિક હિતની વિચારધારા હોય છે તે જીવ તેટલે તેટલે અંશે વર્તમાનમાં - પ્રત્યક્ષમાં તો જરૂર સદ્ગતિ - સદશા - સુખમય દશાને જ પામે છે અને જન્માંતરમાં ય તે જીવ સદ્ગતિને પામે છે. (૨૪) ક વીમીયા, મિત્ત તદેવ રા.
पंचेव य समिईओ, तओ गुत्तीओ आहिया ॥१९॥ ૨૪૧. પ્રવચનની માતાઓ આઠ છે:- પ્રવચન એટલે જૈનશાસન. તેને ટકાવી રાખનારી જે જે આચરણાઓ છે તેમને પ્રવચનની માતા કહી છે, તે આ છે: પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, સમિતિ એટલે શરીર, વાણી અને વિચારની દરેક પ્રવૃત્તિમાં સાવધાનતા - સંગતતા - એકરૂપતા. અને ગુપ્તિ એટલે એ એકરૂપતા મેળવવા અને મેળવેલી હોય તો તેને સાચવવા શરીર, વાણી અને વિચારનું ગોપન - રક્ષણ અર્થાત્ નિગ્રહ - સંયમ - મર્યાદીકરણ. તાત્પર્ય એ કે સંત પુરુષોએ પોતપોતાની અનુભવવાણીમાં ધર્માચરણની પ્રવૃત્તિરૂપે આઠ પ્રવચન માતાઓને કહેલી છે, તે સમિતિરૂપે અને ગુપ્તિરૂપે છે. તેમાં
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૪૮
મહાવીર વાણ સમિતિને પાંચ પ્રકારે કહેલી છે અને ગુપ્તિને ત્રણ પ્રકારે કહેલી છે આ સમિતિ અને ગુપ્તિનો વ્યવહાર એક સાથે જ હોય છે – સમિ વિના ગુપ્તિ ન સંભવે અને ગુપ્તિ વિના સમિતિ ન સંભવે એ ધ્યાનમાં રાખવાનું છે. એકલી ગુપ્તિનું આચરણ સદાચારને ટકાવવા પૂરતું નથી તેમ એકલી સમિતિનું આચરણ પણ સદાચારને ટકાવી શકતું નથી એ હકીકત પણ ભૂલવી જોઈએ નહીં. (ર૪૨) રિયામાણેકલા, ૩ત્રા સમિયા માગુત્તર વયજુરી, રાયપુર યમ પરના
(Too ૨૪, To ૨૪ર. પાંચ સમિતિનાં નામ આ છે: (૧) ઈર્ષા સમિતિ ભાષા સમિતિ (૩) એષણા સમિતિ (૪) આદાન સમિતિ ( ઉચ્ચાર" પ્રગ્નવણ સમિતિ. ત્રણ ગુપ્તિનાં નામ આ છે (૨) મનોષિ (૨) વચનગુપ્તિ (૩) કાયગુપ્તિ. (ર૪૩) વીઝો વંર મિત્રો, ચરણ ૪ gવત્તા
गुत्ती नियत्तणे वुत्ता, असुभत्थेसु सव्वसो ॥२१।। ૨૪૩. વ્યક્તિગત વા સમૂહગત સદાચારની પ્રવૃત્તિ કરવામાં અથ વ્યક્તિને વા જૂથને સદાચારી રહેવા માટે આ પાંચ સમિતિઓ ખા સહાયક છે અને વ્યક્તિગત કે સમૂહગત અસદાચાથી અટકવા પરિસ્થિતિ ઊભી કરવા માટે અર્થાત્ અસદાચારથી દૂર રહેવા માટે અહિતકર એવા અશુભ વિષયોથી - અશુભ પ્રવૃત્તિઓથી અટક | માટે આ ત્રણ ગુપ્તિઓ ખાસ વધારે સહાયક છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
લોકતત્ત્વ-સૂત્ર
(૨૪૪) સા પવયળમાયા, ને સમાં મારે મુળી । તે વિધ્વં સવ્વસંસારા, વિષ્પમુડ઼ પંકિ ારશા
૧૪૯
(૩ત્તા૦ ૦ ૨૪, ૪૦ ૨૬,૨૭)
૨૪૪. જે સાધક, મુનિ હોય કે ગૃહસ્થી હોય તે જો આ સમિતિઓને અને ગુપ્તિઓને એટલે પ્રવચનની માતાઓને વિવેકપૂર્વક સારી રીતે આચરવા લાગે તો તે પંડિત સાધક જગતનાં તમામ પ્રપંચોથી શીઘ્ર છુટકારો પામી શકે છે - અર્થાત્ આઠ પ્રવચન માતાના ખોળામાં જે રહેતો હોય તે વ્યક્તિગત વા સમૂહગત દુ:ખ ઊભું કરવામાં નિમિત્ત બનતો નથી અને સમગ્ર વ્યવહારનું યોગક્ષેમ બરાબર સાચવી શકે છે.
૧. આ જગતમાં કુલ કેટલાં તત્ત્વો - મૂળભૂત પદાર્થો - છે તે બાબત જૈન પરંપરા જે કંઈ માને છે તે વિશે અને સાથે એ તત્ત્વોનું જ્ઞાન કરીને શ્રેયાર્થીએ કયાં કયાં સાધનોનું અવલંબન લઈને શ્રેયની સાધના કરવી જોઈએ એ વિશે પણ પ્રસ્તુત સૂત્રમાં સંક્ષેપમાં જણાવેલ છે.
-
-
૨. ધર્માસ્તિકાય - જૈનપરંપરાએ આ આખા જગતના ‘લોકજગત' અને ‘અલોકજગત’ એવા બે વિભાગ માનેલા છે. તેમાં અલોકજગતમાં કેવળ એક આકાશતત્ત્વ છે. એ સિવાય ત્યાં બીજું જડ કે ચેતન કોઈ તત્ત્વ નથી. જે લોકજગત છે તે આ આપણું બ્રહ્માંડ છે. તેમાં સમગ્ર લોકજગતમાં એક અખંડ પદાર્થ - કોઈ રીતે જેના ખંડ કરી શકાતા નથી - સર્વત્ર સર્વકાળે વિદ્યમાન છે અને જેના આલંબનથી ગતિ કરવાની શક્તિવાળા ચેતન કે જડ પુદ્દગલ - મૂર્ત - પદાર્થોને તેમની ગતિમાં સહાય મળતી રહે છે. તેનું નામ ધર્માસ્તિકાય અથવા ધર્મ. આ પદાર્થ પોતે જડ છે તો પણ અમૂર્ત છે એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દ વિનાનો છે. માછલીમાં પોતામાં જ ગતિ કરવાની શકિત છે છતાં તે પાણીની સહાય વિના ગતિ કરી શકતી નથી તે રીતે ચેતનમાત્રમાં અને પુદ્ગલમાત્રમાં ગતિ કરવાનું સામર્થ્ય
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૫૦
મહાવીર વાણી તો છે જ પરંતુ તે સામર્થ્યને જો આ ધર્માસ્તિકાયનું આલંબન - નિમિત્ત - ન મળે તો કોઈ પણ પદાર્થ ગતિ કરી શકે નહીં એટલે આ ધર્માસ્તિકાય ગતિમાત્રનું નિમિત્ત કારણ છે – ગતિમાત્રમાં સહાયક છે.
આ રીતે એક બીજો “ધર્મ' શબ્દ સામાન્ય રીતે સમ્પ્રવૃત્તિના અર્થમાં રૂઢ છે, તેનાથી આ ધર્માસ્તિકાય કે ધર્મ શબ્દને તદ્દન જુદા અર્થમાં સમજવાનો છે. અહિંસા સત્ય વગેરે સમ્પ્રવૃત્તિના અર્થમાં રૂઢ એવા “ધર્મ' શબ્દને પણ જૈનપરંપરા માને છે; પરંતુ તેનો ઉપયોગ આ સ્થાને નથી. એ ખ્યાલમાં રાખવાનું છે.
૩. અધર્માસ્તિકાય - સમગ્ર લોકજગતમાં એક એવો અખંડ પદાર્થ સર્વત્ર સર્વકાળે વિદ્યમાન છે અને જેના આલંબનથી સ્થિતિ કરવાની શકિતવાળાં એટલે ગતિને રોકી રાખવાની સ્વયં શકિતવાળા ચેતન કે પુદગલ પદાર્થોમાં તેમની સ્થિતિમાં સહાય મળતી રહે છે, તેનું નામ અધર્માસ્તિકાય અથવા અધર્મ. આ પદાર્થ પોતે જડ છે તો પણ અમૂર્ત છે. પગે ચાલતા મુસાફરમાં ગતિને રોકી રાખવાની શક્તિ આપોઆપ વિદ્યમાન છે છતાં રસ્તામાં જ્યાં વૃક્ષનો છાંયો આવે ત્યાં જ તે ઊભો રહે છે, તે રીતે ચેતનમાત્રમાં અને પુદ્ગલ – મૂર્ત – પદાર્થમાત્રમાં ગતિને રોકી રાખવાનું સામર્થ્ય તો છે જ, પરંતુ તે સામર્થ્યને જે આ અધર્માસ્તિકાયનું આલંબન – નિમિત્ત – ન મળે તો કોઈ પણ પદાર્થ ગતિને રોકી શકતો નથી - સ્થિતિમાં આવી શકતો નથી એટલે આ અધર્માસ્તિકાય સ્થિતિમાત્રનું નિમિત્ત કારણ છે - સ્થિતિમાત્રમાં સહાયક છે.
આ રીતે, એક બીજો “અધર્મ' શબ્દ સામાન્ય રીતે કુપ્રવૃત્તિના અર્થમાં રૂઢ છે. તેનાથી આ અધર્માસ્તિકાય કે અધર્મ શબ્દને તદ્દન જુદા અર્થમાં સમજવાનો છે. હિંસા અસત્ય વગેરે કુપ્રવૃત્તિના અર્થમાં રૂઢ એવા “અધર્મ' શબ્દને પણ જૈન પરંપરા માને છે; પરંતુ તેનો ઉપયોગ આ સ્થાને નથી એ ધ્યાનમાં રાખવાનું છે.
૪. આકાશાસ્તિકાય - આકાશ, ગગન, ખ, અંતરિક્ષ એ બધા શબ્દો સમાન અર્થના છે – પોલાણમાત્રનું નામ આકાશ છે. આ પદાર્થ લોકજગત
Page #198
--------------------------------------------------------------------------
________________
લોકતત્વ-સૂત્ર
૧૫૧ અને અલોકજગત એ બન્નેને વ્યાપીને સર્વત્ર સર્વકાળે અખંડભાવે રહેલો છે. એ અમૂર્ત છે, જૈન પરંપરા ઉપરાંત બૌદ્ધ પરંપરા અને વૈદિક પરંપરા પણ આકાશનું અસ્તિત્વ સ્વીકારે છે. દિશાઓનું અસ્તિત્વ આ તત્ત્વમાં સમાઈ જાય છે. આ તત્ત્વનો ધર્મ કે ગુણ, ચેતન કે જડમાત્રને પોતામાં સમાવી લેવાનો છે. અર્થાત્ અવગાહમાં કે અવકાશમાં આ તત્ત્વ નિમિત્ત છે - સહાયક છે. જૈનપરંપરા એમ માને છે કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ બધા ગુણો મૂર્તપદાર્થમાં હોય છે. આકાશ તત્ત્વ અમૂર્ત છે. આકાશ અને શબ્દ વચ્ચે ગુણગુણીનો અથવા ધર્મધમનો સંબંધ નથી. કારણ કે શબ્દ
સ્વયં મૂર્ત પદાર્થ છે. ગુણો બધા રૂપાદિ ઇંદ્રિયગ્રાહ્ય છે અને જેમાં ઇંદ્રિયગ્રાહ્ય ગુણો હોય છે તે પદાર્થમાત્ર પણ ઇંદ્રિયગ્રાહ્ય હોય છે. આ અપેક્ષાએ આકાશ, રૂપ વગરનું તત્ત્વ છે માટે ઈદ્રિયગ્રાહ્ય નથી અને જે ઇંદ્રિયગ્રાહ્ય ન હોય એવા તત્વમાં સ્વભાવે કરીને કોઈ ઈદ્રિયગ્રાહ્ય ગુણ કદી સંભવી ન શકે; માટે જૈનપરંપરા કહે છે કે સ્વભાવે કરીને આકાશતત્વનો ગુણ શબ્દ નથી. હા, એ વાત ખરી છે કે શબ્દ - ધ્વનિ, આકાશ વિના સંભવી શક્તો નથી - રહી શકતો નથી. પણ એનો અર્થ એમ નહીં કરી શકાય કે શબ્દ એ આકાશનો ધર્મ કે ગુણ છે. એ તો જેમ વાટકો કે એવા કોઈ બીજા આધાર વિના પાણી રહી શકતું નથી તેનો અર્થ એમ નહીં કરી શકાય કે પાણી એ વાટકો કે એવા કોઈ બીજા આધારભૂત સાધનોનો ધર્મ કે ગુણ છે અને એ જ રીતે શબ્દ પણ આકાશના આધાર વિના રહી શકતો નથી, વા સંભવી શકતો નથી એટલે વાટકો અને પાણીની જેમ જ શબ્દ અને આકાશ વચ્ચે આધારઆધેયનો સંબંધ ઘટાવી શકાય; નહીં કે ગુણગુણીનો અથવા ધર્મધર્મીનો.
આકાશ આધાર છે અને શબ્દ આધેય છે. આકાશ વાટકાની જગ્યાએ છે અને શબ્દ પાણીની જગ્યાએ છે. તો પછી શબ્દનું મૂળ કારણ શું? જૈનપરંપરા એમ કહે છે કે સમગ્ર લોકરૂપ આકાશમાં શબ્દની વર્ગણાઓ જે પુદગલવર્ગણાનો જ એક પ્રકાર છે, સ્વત: જ ભરી ઘડી છે. શબ્દની વર્ગણાઓ એટલે શબ્દના પરમાણુઓ. જે સંભળાય છે તે ધ્વનિ, શબ્દની વર્ગણાઓનો એક પરિણામ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫ર
મહાવીર વાણી છે. એ વર્ગણાઓમાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ એ ચારે ગુણો હોવા ઉપરાંત ધ્વનિરૂપે થવાનો પણ તેનો સ્વભાવ છે. નિમિત્ત મળતાં એ વર્ગણાઓમાંથી ધ્વનિરૂપ શબ્દ ઊપજે છે. જૈનપરંપરા શબ્દની ગતિ અને વજન પણ માને છે. આપણા સ્થૂલ તોલાંથી એનું વજન કરી શકાતું નથી. જેમ વરાળનું વજન છે, પવનનું વજન છે એમ શબ્દનું વજન છે. તથા શબ્દની ગતિ ઘણી ઝડપવાળી છે એમ જૈન પરંપરા માને છે. પૂરજોસથી બરાબર પેદા થયેલો
ધ્વનિ લોક – આકાશના છેડા સુધી પહોંચી જાય છે એ હકીકત પણ જૈનપરંપરા કહે છે. શબ્દમાં પવનની ગતિ પ્રમાણે ફેલાવાની પણ શકિત છે અને વીખરાઈ જવાની પણ શકિત છે. આ રીતે શબ્દ, મૂર્ત, જડ, પુદગલ છે; પણ આકાશનો ગુણધર્મ કે સ્વભાવ નથી. આ જોતાં વેદાનુસારી ન્યાય - વૈશેષિક પરંપરા કરતાં જૈનપરંપરાની માન્યતા શબ્દના સ્વરૂપ વિશે જુદા પ્રકારની છે. ન્યાયવૈશેષિક પરંપરામાં શબ્દને આકાશનો ગુણ માનવામાં આવેલ છે.
૫. કાળ - વસ્તુમાત્રમાં જે જે વિવિધ પરિણામો – વિવિધ રૂપાંતરો – થાય છે તેનું નિમિત્ત કારણ કાળ તત્ત્વ છે.
આત્મા જે વિવિધ પરિણામોને પામ્યા કરે છે અને જડ દ્રવ્યો પણ જે વિવિધ રૂપાંતરોને પામ્યા કરે છે તે કાળતત્ત્વ વિના ન સંભવે. વર્તના એટલે વર્તવું - વર્તમાન ભૂત અને ભવિષ્ય રૂપે વર્તવું. આચાર્ય હેમચઢે પોતાના યોગશાસ્ત્રમાં કાલતત્વનો વિચાર બતાવતાં “તી કવિ:” એમ કહીને કાળના અનેક અણુઓ – પરમાણુઓ – હોવાનું જણાવેલ છે. વૈદિક પરંપરા પણ આ કાળદ્રવ્યને સ્વીકારે છે.
૬. ઉપયોગ - એટલે અનુભવ - સુખ, દુ:ખ, જ્ઞાન, અજ્ઞાન, ક્રોધ, અક્રોધ વગેરેનો અનુભવ.
૭. જ્ઞાન - ‘આ કાંઈક છે' એવું તદ્દન સામાન્ય જ્ઞાન થયા પછી વિશેષ જિજ્ઞાસા થતાં તે બાબત જે વધુ માહિતી થાય તેનું નામ જ્ઞાન. જેમકે આ કંઈક છે' એવો બોધ થયા પછી એ જ બાબત “એ તો માણસ છે' એનું નામ શ્રસિંહ છે” “જાતે ક્ષત્રિય છે' “ભારે બહાદુર છે' “મારો પાડોશી છે અને ખાસ સ્નેહી છે' એવા પ્રકારના બોધનું નામ જ્ઞાન.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૫૩
લોકતત્ત્વ-સૂત્ર ૮. દર્શન વસ્તુમાત્ર વિશે તદ્દન સામાન્ય જ્ઞાન એટલે ‘આ કાંઈક છે' એવું ભાન અર્થાત્ આવા સામાન્ય જ્ઞાનમાં જાતિ, નામ, ગુણ વગેરેની ખબર ન પડે. આવું સામાન્ય જ્ઞાન કોઈ પ્રવૃત્તિમાં કારણ બનવાનો સંભવ ઘણો ઓછો છે. માત્ર આવું સામાન્ય જ્ઞાન જિજ્ઞાસા હોય તો વિશેષજ્ઞાનનું પહેલું પગથિયું બને છે એટલે આ સામાન્ય જ્ઞાન વિશેષજ્ઞાનનું કારણ બની શકે છે એ જ એનું મૂલ્ય છે. જ્ઞાન અને દર્શન બન્ને બોધરૂપ છે છતાં તેમાં ઉપર જણાવ્યા પ્રમાણેનો તફાવત સમજવાનો છે.
૯. જીવનાં - જ્ઞાન દર્શન, સુખ, દુ:ખ, ક્રોધ વગેરે વૃત્તિઓ જીવ સિવાય બીજે કયાંય સંભવતી નથી, ફક્ત જીવમાં જ એ સંભવે છે માટે તેમને જીવનાં લક્ષણ સમજવાનાં છે. અર્થાત્ એ ગુણો જીવ ઓળખવાનાં નિશાન - એંધાણ – રૂપ છે.
.
૧૦. શબ્દ - જુઓ લોકતત્ત્વસૂત્ર ટિપ્પણ - ૪ - આકાશાસ્તિકાય.
૧૧. અંધકાર - જેમ શબ્દ, જડ મૂર્ત દ્રવ્ય છે તેમ અંધકાર પણ જડ મૂર્ત દ્રવ્ય છે. જગતમાં એક જડ મૂર્ત પદાર્થ ન હોય તો અંધકાર, છાંયો કે પડછાયો સંભવી શકતો નથી. જીવાસ્તિકાય - આત્મા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ બધાં સ્વભાવે અમૂર્ત છે. તેમનો પડછાયો સંભવી શકતો નથી તેમ તેઓ અંધકારનાં નિમિત્ત થઈ શકતાં નથી. આમ છે માટે તે અમૂર્ત તત્ત્વો સાથે પડછાયા કે અંધકારનો સંબંધ કોઈ પણ રીતે સંભવી શકતો નથી તેથી અંધકાર કે પડછાયો તેમનો ગુણ હોઈ શકતો નથી. અંધકાર કે પડછાયો આંખ વડે જોઈ શકાય છે, આંખ ન હોય તો જોઈ શકાતો નથી માટે ઇંદ્રિયગ્રાહ્ય છે અને ઇંદ્રિયગ્રાહ્ય હોવાથી જ તે, અમૂર્ત નથી અને અમૂર્ત નથી એટલે મૂર્ત છે માટે જ તે, આત્મા આકાશ વગેરે અમૂર્તપદાર્થનો ગુણધર્મ કે સ્વભાવ હોઈ શકે નહીં. જ્યારે જોવાની વસ્તુ સાથે ઇંદ્રિયનો સંયોગસંબંધ થાય ત્યારે જ તેને જોઈ શકાય છે. સંયોગસંબંધ બે મૂર્તવસ્તુનો જ સંભવે; એ રીતે પણ અંધકાર કે પડછાયો મૂર્તરૂપ છે. અંધકાર કે પડછાયો મૂર્ત ન હોય તો તેને ઈંદ્રિય સાથે સંબંધ કેમ કરીને થાય ? સંબંધ ન થાય તો તે દેખાય પણ શી રીતે ? જન્મથી
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૫૪
મહાવીર વાણી આંધળો માણસ અંધારું કે પડછાયાને જોઈ શકતો નથી એ જાણીતી વાત છે. આ ઉપરથી તાત્પર્ય એ સમજવાનું કે અંધકાર કે પડછાયો કાંઈ અવસ્તુ નથી. અભાવરૂપ નથી કિંતુ મૂર્ત જડવસ્તુ – પુદ્ગલ - રૂપ હોઈ ઘટાદિ વગેરેની પેઠે વસ્તુરૂપ છે અને ભાવરૂપ છે, વૈદિક પરંપરામાં વૈશેષિક દર્શન, અંધકાર અને પડછાયાને અભાવરૂપ માને છે, વસ્તુરૂપ નથી માનતું. એ રીતે અંધકાર અને પડછાયાના સ્વરૂપ વિશે જૈનપરંપરા અને વૈશેષિકદર્શન જુદી જુદી વિચારસરણી ધરાવે છે.
૧૨. પુદગલાસ્તિકાય - એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ વગેરે જેના ગુણ છે એવું આકારધારી મૂર્તિ એક જડતત્ત્વ અવરૂપ છે.
૧૩. જીવ - આ ગાથામાં નવ તત્ત્વોને જણાવેલાં છે. તેમાંના અમૂર્ત જીવ તત્ત્વનું સ્વરૂપ ગાથા ૨૨૫ અને ૨૨૬માં બતાવી દીધું છે. અને અજીવ તત્ત્વનું સ્વરૂપ ગાથા ૨૨૪, ૨૨પમાં બતાવેલ છે. ૨૨પમી ગાથામાં બતાવેલ કાળતત્ત્વ અજીવ તત્ત્વરૂપ છે. અજીવતત્ત્વ બે પ્રકારનું છે - અમૂર્ત અને મૂર્ત. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ બધાં અમૂર્ત અજીવ છે.
જીવ અને અજીવ એમ બે તત્વમાં સમસ્ત સંસારનો સમાવેશ થઈ જાય છે. આખા ય સંસારમાં જીવ અને અજીવ સિવાય ત્રીજું કોઈ પણ તત્ત્વ નથી એમ જૈન પરંપરા માને છે અને વૈદિક પરંપરા પણ એમ જ માને છે. આ ઉપરાંત આ ગાથામાં પુણ્ય પાપ વગેરે જે તત્ત્વો જણાવેલ છે તેનો હેતુ આ છે: જૈનપરંપરાનું મુખ્ય ધ્યેય નિર્વાણદશાને મેળવવાનું છે. વીતરાગદશા પામ્યા પછી જ નિર્વાણદશાને મેળવી શકાય. વીતરાગદશાને મેળવવામાં જે જે પ્રકારની સાધના કરવાની છે તે માટેપુણ્ય પાપ વગેરે તત્ત્વોને જાણવાની ખાસ જરૂર છે. એ પુણ્ય પાપ વગેરે તત્ત્વોનું સ્વરૂપ જાણ્યા વિના વીતરાગ દશાની સાધના કરવાનું શક્ય નથી - સંભવિત નથી માટે જ આ ગાથામાં પુણ્ય, પાપ વગેરેને તત્ત્વરૂપે જણાવેલાં છે. તત્ત્વનો અર્થ “મૂળભૂત પદાર્થ છે. એ રીતે જોતાં મૂળભૂત પદાર્થ તો આત્મા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને
WWW.jainelibrary.org
Page #202
--------------------------------------------------------------------------
________________
લોકતત્ત્વ-સૂત્ર
મૂળભૂત
કાળ છે; પુણ્ય પાપ આમ્રવ સંવર નિર્જરા બંધ કે મોક્ષ એ કોઈ પદાર્થ નથી. એ પુણ્ય કે મોક્ષ વગેરે તો બધાં આત્માની એક પ્રકારની પરિસ્થિતિરૂપ છે; તેમ છતાં વીતરાગદશાને અને એની પછી આવતી નિર્વાણદશાને મેળવવા માટેની પ્રક્રિયામાં એ પુણ્ય પાપ વગેરેને અવશ્ય સમજી લેવાં જરૂરી છે માટે તેમને પણ અહીં ‘તત્ત્વ’ રૂપે જણાવેલાં છે અને એ દૃષ્ટિએ આ ગાથામાં નવ તથ્યોને તત્ત્વોને - સૂચવેલાં છે.
-
૧૪. આસવ આમ્રવના બે પ્રકાર છે: અશુભ આસ્રવ અને શુભ આમ્રવ. અશુભ આમ્રવનું સ્વરૂપ આ છે: હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ, છળકપટ, લોભ, દ્વેષ, વૈર, ક્રોધ વગેરે વિવિધ કુપ્રવૃત્તિઓનું નામ અશુભ આસ્રવ છે. આ પ્રવૃત્તિઓ આત્માની દુષ્ટ વૃત્તિઓને લીધે થાય છે. અને જેમ જેમ આ કુપ્રવૃત્તિઓ વધુ ને વધુ પ્રમાણમાં ચાલે છે તેમ તેમ આત્મામાં દુત્તિઓ - દુષ્ટ વૃત્તિઓ - વધતી જાય છે. દુવૃત્તિઓ મજબૂત બનતી જાય છે અને તેના સંસ્કારો એવા દઢમૂળ બને છે કે જેમને કાઢવા ભારે કઠણ પડે છે. આ સંસ્કારો કાઢ્યા વિના આત્મા ખરી માનવતાને અને માનવતાના પૂર્ણ વિકાસરૂપ વીતરાગભાવને પામી શકતો નથી. એથી ખરી માનવતાને અને વીતરાગભાવનો વિરોધી એવો આ અશુભ આમ્રવ પાપબંધનનું કારણ છે માટે તે સદા, સર્વદા, સર્વથા અને સર્વત્ર હેય, હેય ને હેય જ છે.
૧૫૫
શુભ આમ્રવનું સ્વરૂપ આ છે : અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, દાન, દયા, ત્યાગ, સરળતા, સંતોષ, અદ્વેષ, સમતા વગેરે વિવિધ સુપ્રવૃત્તિઓનું કે શુભ પ્રવૃત્તિઓનું નામ શુભ આસ્રવ છે. મનુષ્ય શરૂ શરૂમાં જ્યારે આવી બધી સુપ્રવૃત્તિઓ કરતો હોય છે ત્યારે એ પ્રવૃત્તિઓ સાથે બદલાની કોઈ ને કોઈ સ્થૂલ કે સૂક્ષ્મ આશા લાગેલી હોય છે: કીર્તિ, પ્રતિષ્ઠા, પુત્રલાભ, ઇલોકનો વૈભવ, સ્વર્ગનો વૈભવ વા સામાજિક દેખાવ વા દબાણથી કેટલીક વાર એ સુપ્રવૃત્તિઓ ચાલતી હોય છે તેમ છતાં એ પ્રવૃત્તિઓ થોડે ઘણે અંશે પ્રવૃત્તિ કરનારને શુભકર નીવડે છે એથી એનું નામ શુભ આસ્રવ છે. આ શુભ આસ્રવ પુણ્યબંધનું કારણ છે અને તે સામાજિક દૃષ્ટિએ જરૂર હંમેશાં
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૫૬
મહાવીર વાણી આચરવા જેવો છે.
જ્યારે એમ કહેવામાં આવે છે કે માનવતાના પૂર્ણ વિકાસરૂપ વીતરાગતા મેળવવી એ માનવજીવનનું પ્રમુખ સાધ્ય છે; તો પછી જેમ અશુભ આસવ વીતરાગતાનો વિરોધી છે તેમ શુભ આસ્રવ પણ વીતરાગતાનો વિરોધી છે; તો પછી અશુભ આસવનો ત્યાગ કરવાની ભલામણ કરવામાં આવે છે તેમ શુભ આમ્રવનો પણ ત્યાગ કરવાની ભલામણ કેમ કરવામાં નથી આવતી? આ વિશે સ્પષ્ટ સમજૂતી આ પ્રમાણે છે: જ્યાં સુધી માનવ પ્રેયલક્ષી હોય ત્યાં સુધી એ, જે જે શુભ પ્રવૃત્તિઓ કરે છે તે દ્વારા તે, તેના પ્રેયના લક્ષ્યને પુષ્ટ કરે છે. પરંતુ જ્યારે માનવને પોતાના આત્માની માનવતા લક્ષી શુભ પ્રવૃત્તિઓનું ભાન થાય છે, ત્યારે ભોગવિલાસોના પરિણામે બંધનો વધે છે.' તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે અને આત્માની શુદ્ધિ અર્થે જ પ્રવૃત્તિ કરવાની વૃત્તિ થાય છે ત્યારે તેનું લક્ષ્ય પ્રેય મટીને શ્રેય બને છે; આવો શ્રેયલક્ષી મનુષ્ય દયા, દાન, પરોપકાર, બ્રહ્મચર્ય, માંદાની માવજત, સત્યવાણી, અચૌર્ય, અહિંસા, ત્યાગ, સમતા, સંતોષ વગેરેને માટે જે જે પ્રવૃત્તિઓ કરે છે, તે બધી હવે તેના શ્રેયના લક્ષ્યને પોષનારી નીવડે છે. શુભ પ્રવૃત્તિઓ કરનાર શ્રેયલક્ષી મનુષ્ય કષાયભાવવાળો છે છતાં ય તેની તે પ્રવૃત્તિઓ તેના કષાય મંદ કરવામાં કારણરૂપ બને છે અને એ રીતે તે હવે આ પ્રવૃત્તિઓના બદલામાં બીજા કોઈ સ્થલ લાભો કરતાં વિશેષત: અષાયભાવના લાભને જ વિશેષ ઈચ્છે છે એટલે દાન કરતાં કરતાં તે હવે કીર્તિ-પ્રતિષ્ઠાને બદલે અલોભવૃત્તિને કેળવવા પ્રયાસ કરે છે, દયા કરતાં કરતાં તે સર્વ આત્મસમભાવનાને કેળવવા પ્રયત્ન કરે છે; એ જ રીતે માંદાની માવજત, અશકતોને સહાય, પરોપકાર, તરસ્યાને માટે પાણીની સગવડ, ભૂખ્યાને માટે અન્નની સગવડ, અજ્ઞાનીઓને માટે વિદ્યાનાં સાધનોની સગવડ, નવસ્ત્રો ટાઢથી થરથરતા માટે વસ્ત્રોની સગવડ વગેરે જે જે સપ્રવૃત્તિઓ થાય છે તે દ્વારા પ્રવૃત્તિ કરનાર કોઈ ને કોઈ ઉચ્ચ ગુણનો લાભ મેળવવા બરાબર લક્ષ્ય રાખે છે. એથી જ એ પ્રવૃત્તિઓ સાથે મોહભાવ વા કષાયભાવ રહેલ છે, છતાં તેનું ઝેર એ પ્રવૃત્તિ કરનારને ઘણું ઓછું હાનિકર થાય છે અને
Page #204
--------------------------------------------------------------------------
________________
લોકતત્ત્વ-સૂત્ર
૧૫૭
શ્રેયના લક્ષ્યમાં બરાબર દૃઢતાપૂર્વક સ્થિર રહેવામાં આવે તો એ જ પ્રવૃત્તિઓ વીતરાગભાવનો લાભ મેળવવામાં પણ ભારે સહાય કરે છે એટલે એ શુભ પ્રવૃત્તિરૂપ અશુભ આસ્રવ સદા સર્વદા સર્વત્ર અને સર્વથા આચરવા જેવો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શુભ પ્રવૃત્તિઓ સાથે મોહભાવનો વા કષાયભાવનો સંબંધ હોવા છતાં ય સાવધાનતાપૂર્વક આત્મભાવપ્રાપ્તિના લક્ષ્યથી કરવામાં આવતી તે શુભ પ્રવૃત્તિઓ પણ વીતરાગ ભાવને પોષનારી અને પમાડનારી નીવડે છે એ હકીકત સૌ કોઈના અનુભવસિદ્ધ છે.
આમ છતાં ય આ બાબત કોઈ એમ માને કે જ્યારે હું મારું સ્વરૂપ સમજી લઉં ત્યારે જ એ પ્રવૃત્તિઓનૈ કરવાનો અધિકાર મેળવી શકું, સ્વરૂપ સમજ્યા વિના જો એ શુભ પ્રવૃત્તિઓને કરું તો કષાયભાવવાળો હોવાથી વા મોહભાવવાળો હોવાથી મને એ શુભ પ્રવૃત્તિઓ બંધનરૂપ થવાની. માટે મારે મારું સ્વરૂપ સમજું ત્યાં સુધી એ શુભ પ્રવૃત્તિઓને અશુભ પ્રવૃત્તિઓની પેઠે જ છોડી દેવી રહી. એ વિચારધારા માનવને માનવતાના ગુણથી વિમુખ કરનારી છે એથી ખામીવાળી જણાય છે.
આ અંગે અહીં વિચારવાનું છે કે માનવનો સાધારણ સ્વભાવ અશુભ પ્રવૃત્તિઓ તરફ વળેલો હોય છે. ખાવુંપીવું, એશઆરામ, ભોગવિલાસ, બીજાની મહેનતનો લાભ, પોતે મહેનત ન કરવી - આ બધું માણસમાં વગર શીખ્યું જ હોય છે – સહજ હોય છે અને વધારે ટકા માણસો આવી આવી અશુભ પ્રવૃત્તિઓ તરફ વળેલા હોય છે. આ માણસો એમ સમજે અથવા એમને એમ સમજાવવામાં આવે કે મોહવાળા વા કષાયભાવવાળા વા નિશ્ચય સમકિત વિનાના ગૃહસ્થો શુભ પ્રવૃત્તિઓના અધિકારી નથી. તો પછી તેઓ નિરંતર અશુભ પ્રવૃત્તિઓમાં પડ્યા જ રહેવાના અને એથી તેમનામાં હિંસાના, અસત્યના, ચોરીના, અબ્રહ્મચર્યના, આરંભસમારંભના, ક્રૂરતાના, દ્વેષના, લોભના અને એવી બીજી અનેક દુવૃત્તિઓના જ સંસ્કારો પોષાવાના અને મજબૂત બનવાના. આ રીતે આ માણસો બદતર થઈ જવાના અને એમનો કદી પણ આરો આવવાનો નહીં. કેમકે એ ગૃહસ્થો દયા, દાન, પરોપકાર વગેરે જે જે શુભ પ્રવૃત્તિઓ છે તેઓને કરવાના નથી અને તેથી તેમનામાંથી
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૫૮
મહાવીર શણી પ્રિયનું લક્ષ્ય જવાનું નથી અને શ્રેયનું લક્ષ્ય આવવાનું નથી એટલે તે ગૃહસ્થોમાં સ–વૃત્તિના સંસ્કારો પડવાનો સંભવ ઘણો જ ઓછો છે અને તેથી જ તેમનો વિસ્તાર થવો સંભવિત નથી. જો તેઓ પૂર્વોક્ત શુભ પ્રવૃત્તિઓ કરે અને તેમ કરતાં કરતાં પોતાનું પ્રેમનું લક્ષ્ય તછ શ્રેયના લક્ષ્ય ભણી વળે તેમ કરતાં કરતાં અભ્યાસથી જ્યારે તેમનું શ્રેયનું લક્ષ્ય દઢ થાય ત્યારે જ તેમનો વિકાસ થાય અને સંભવ છે કે ત્યારે તેમને નિશ્ચય સમકિતની નિકટની ભૂમિકાની પ્રાપ્તિ થાય; પણ તેમને તો મૂળથી જ શુભ પ્રવૃત્તિઓ કરવા માટે અધિકારી ગણવામાં આવતા ન હોવાથી તેમની શ્રેયલક્ષી પ્રવૃત્તિ રૂંધાઈ જાય છે. આમ છતાં એમ માનવામાં આવતું હોય કે જે તે ગૃહસ્થો શ્રમણ ધર્મને – સંન્યાસધર્મને સ્વીકારે તો તેમનો નિતાર થવાનો માર્ગ ઊઘડે; પરંતુ આ જાતની દુષ્ટ પ્રવૃત્તિઓના દઢ સંસ્કારવાળા લોકોના મનમાં પવિત્રતમ અને સંયમપ્રધાન શ્રમણધર્મ તરફનું વલણ જ અસંભવિત છે, તેમ છતાં તેઓ જેવી છે તેવી જ પરિસ્થિતિમાં ય સાધુ થઈ જાય તો પણ તેમનું કશું શ્રેય થવું સંભવિત નથી. મૂળ દુષ્ટ સંસ્કાર ન બદલાય અને માત્ર કપડાં બદલાય એટલા માત્રથી કોઈનું શ્રેય થયું નથી, થવાનું ય નથી.
વળી, જૈનપરિભાષા પ્રમાણે આ કાળે આ ક્ષેત્રમાં સમોહ સંયમ જ શકય હોવાથી સમોહ અનુકંપાની પેઠે એ (સંયમ) પણ બંધનકર્તા જ નીવડવાનો એટલે અહિંસાને નામે દયાદાનનો નિષેધ કરનારા દીક્ષારૂપ સંયમને પણ ધારણ કેમ કરી શકે?
આ હકીક્તને બીજાં અનેક દષ્ટાંતોથી આ રીતે વધુ સ્પષ્ટ કરી શકાય:
એક બાળક કે જેને ચાલતાં આવડતું નથી તેને ચાલવાનું શીખવવા સારુ ચાલણગાડીનો ઉપયોગ જરૂરી છે, પરંતુ જ્યારે તે બાળક ચાલગાડી મારફત ચાલવા લાગે છે ત્યારે વારંવાર પડી જાય છે અને વળી ઊભું થઈને ચાલવા લાગે છે છતાં તે ચાલવા કરતાં વારંવાર પડ્યા જ કરે છે. આ જોઈને તેનાં માબાપ એમ ધારે કે આ ચાલણ ગાડી જ બાળકને પાડી નાખે છે માટે જ્યારે બાળક એક વાર પણ પડ્યા વિના ચાલવા શકિતમાન થાય ત્યારે જ તેને ચાલતાં શીખવવું; તો શું એ બાળક કદી પણ ચાલતાં શીખી
Page #206
--------------------------------------------------------------------------
________________
લકતત્ત્વ-સૂત્ર
૧૫૯ શકે ખરું? પ્રસ્તુતમાં બાળકને સ્થાને ગૃહસ્થો છે. ચલણગાડીને સ્થાને શુભ પ્રવૃત્તિઓ છે અને ચાલવાના પ્રયત્નને સ્થાને પ્રેમનું લક્ષ્ય છોડી શ્રેયનું વલણ કરવાનો પ્રયાસ છે તથા માબાપને સ્થાને ધર્મગુરુઓ છે. આ ધર્મગુરુઓ બાળકરૂપ ગૃહસ્થો પાસેથી શુભ પ્રવૃત્તિઓ રૂપ ચાલગાડી છોડાવી દે તો કોઈ પણ જાતનો પ્રયાસ ન કરનારા એ બાળકરૂપ ગૃહસ્થો પોતાનું પ્રેયનું લક્ષ્ય તરુ શ્રેયના લક્ષ્ય ભણી વળવા સમર્થ થાય એવો કદી સંભવ છે ખરો?
માણસ કપડાં પહેરે છે, પરસેવો થતાં તે મેલાં થાય છે, તેમાં જૂઓ પણ પડે છે એટલે માણસ એમ નકકી કરે કે આ કપડાં જ ન પહેરવાં. કેમકે પહેરવાથી તેમાં મેલ થાય છે અને પછી જૂઓ પડે છે, માટે જ્યાં સુધી શરીર ઉપર પરસેવો ન જ વળે એવી સિદ્ધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કપડાં ન જ પહેરવાં. આ પરિસ્થિતિ કદી સંભવિત છે ખરી ? આનો ખરો ઉપાય તો કપડાં નિયમિત રીતે સાફ કર્યા કરવાં અને શરીરને પણ નિયમિત રીતે ચોખ્ખું રાખવું. છતાં જે જડ લોકો પરસેવો જ ન વળે એવી સિદ્ધિની રાહ જોઈને બેસી રહે તેમને સોગંદ દઈને કાંઈ કપડાં પહેરાવી શકાય?
પ્રસ્તુતમાં કપડાંને સ્થાને શુભ પ્રવૃત્તિઓ છે, મેલને સ્થાને વા જૂઓને સ્થાને મોહભાવ છે. એટલે શુભ પ્રવૃત્તિઓ કરતાં કરતાં મનને વારંવાર શોધ્યા કરવું એ જ તેને – મોહ મેલને – દૂર કરવાનો ખરો ઉપાય છે છતાં જેઓ એમ માનીને બેઠા રહે, કે મોહભાવ ન જ થાય એવી સિદ્ધિ મળ્યા પછી શુભ પ્રવૃત્તિઓ કરવી પણ મોહભાવને પહેલેથી દૂર કરવા કશો પ્રયત્ન ન જ કરવો એમને કેવા કહેવા?
છોકરાને નિશાળે પહેલવહેલો બેસાડયો, તે બિચારો તો પાટી ઉપર આડા અવળા લીટા દોર્યા કરે છે અને એમ રોજ ચાલ્યા કરે છે. આ સ્થિતિમાં માબાપ એમ ધારે કે છોકરાને નિશાળેથી ઉઠાડી મૂકો, કેમકે એ તો ત્યાં એકડો કાઢતો નથી અને નર્યા લીટા જ દોર્યા કરે છે તો શું એ છોકરો કદી એકડો કાઢવાનો ખરો? એનો ખરો ઉપાય તો છોકરા પાસે બેસીને છોકરાના હાથને એકડો કાઢવાનો વળાંક આપી તેમ કરવાની ટેવ પાડવી, એમ ન કરતાં તેને નિશાળેથી જ ઉઠાડી મૂકવા જતાં શું કશું ઈષ્ટ પરિણામ આવવાનું?
Page #207
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
પ્રસ્તુતમાં અનન્તાનુબંધી કષાયવાળો વા નિશ્ચય સમક્તિ વિનાનો મોહવાળો ગૃહસ્થ બાળક છે. આડા અવળા લીટા દોરવારૂપ શુભ પ્રવૃત્તિઓ છે. શુભ પ્રવૃત્તિઓ કરતાં જ્યાં કોઈ દોષ થતો હોય તો તે, તેને બતાવી તેનાથી બચીને ચાલવા વિશે વળાંક આપવાનો તેને અભ્યાસ ન કરાવવો અને તેને શુભ પ્રવૃત્તિઓથી તદ્દન વિમુખ કરી દેવો એમાં તેનો વિનાશ નથી તો બીજું શું છે ?
જ્યાં પાણીની ઘણી જ તાણ છે ત્યાં પાણી માટે અનેક મનુષ્યો પશુપંખીઓ વલખાં માર્યા કરે છે અને પાણી વિના તરફડી તરફડીને મરી જાય છે, તે જોઈને એક ગૃહસ્થને વિચાર આવ્યો કે એ સ્થળે એક સારો એવો જળાશય બંધાવવો અને એ માટે પાવડા કોદાળા લઈને એ ગૃહસ્થ પોતે જ જમીનને ખોદવા લાગ્યો. ખોદતાં ખોદતાં તેના શરીર ઉપર ધૂળ જામવા માંડી અને પછી તો ગારો પણ ચોંટવા લાગ્યો. એવામાં જડ એવા બીજા કોઈએ તેને કહ્યું કે અરે! આ તો તમે મેલા થવાનો ધંધો માંડ્યો, તમને જ્યારે એવું ખોદતાં આવડે કે ખોદતાં ખોદતાં શરીર ઉપર ધૂળ ન જામે અને ગારો પણ ન ચોંટે ત્યારે જ આ કામ કરવું. હમણાં બંધ કરો અને જે આ મનુષ્યો અને પશુપંખીઓ મરી રહ્યાં છે તેઓ તેમના કર્મના ભોગે મરી રહ્યા છે, એમાં તમે શું કરો ? એમ કહીને પેલા સજ્જનને કૂવો ખોદતાં અટકાવી દીધો. હવે આ અટકી જનાર ગૃહસ્થ ખોદતાં ખોદતાં શરીર ઉપર ધૂળ ન જામે અને શરીરે ગારો પણ ન ચોંટે એ રીતે ખોદવાની કળા કદી પણ મેળવી શકવાનો ખરો ? અને એ રીતે કયારે પણ કૂવો ખોદી શકવાનો ખરો ?
?
૧૬૦
હવે પેલા અટકી જનાર ગૃહસ્થને કોઈ બીજા સજ્જને પોતાની અનુભવેલી વાત કહીને સમજાવ્યું કે ભાઈ ! તમે ખોદવું બંધ ન કરો પણ પૂરા ઉત્સાહથી વધારે ઊંડું ખોદવાના પ્રયત્ન કરો, એમ કરતાં પાણી નીકળતાં જ તમારા શરીર ઉપરની ધૂળ અને આ ગારો બધું જ નીકળી જશે, તમે પોતે સાક્ થશો અને ઠંડા શીતળ સ્વસ્થ બની જશો. એટલે તે ખોદનારે તેમ કર્યું તો તેણે ખરેખર પેલા ગૃહસ્થે જેવું કહ્યું હતું તેવું જ અનુભવ્યું.
પ્રસ્તુતમાં ખોદનારને સ્થાને ગૃહસ્થ છે, ખોદવાનાં સાધનો અને ખોદવાની
Page #208
--------------------------------------------------------------------------
________________
લોકતત્ત્વ-સૂત્ર
૧૬૧ પ્રવૃત્તિને સ્થાને શુભ પ્રવૃત્તિઓનાં સાધનો અને શુભ પ્રવૃત્તિઓ છે. ધૂળ અને ગારાને સ્થાને નિશ્ચય સમકિત વગરનો ચિત્તસ્થિત મોહભાવ છે, પેલા જડગૃહસ્થને સ્થાને જડ ધર્મગુર છે. સજ્જનને સ્થાને વિચારક ધાર્મિક સજજન છે. પૂરા ઉત્સાહ સાથે વધારે ઊંડું ખોદવાને સ્થાને શ્રેયના લક્ષ્મપૂર્વક અંતરનું નિરીક્ષણ છે અને પાણીને સ્થાને કશા બદલાની આશા વગરની કેવળ કર્તવ્યભાવના છે.
આમ અનેક વ્યાવહારિક ઉદાહરણો આપીને શુભ પ્રવૃત્તિઓ – શુભઆસ્રવ વિશે કર્તવ્યનિષ્ઠા કેળવવાનું સમજી – સમજાવી શકાય એમ છે.
ખેતરમાં બી વાવ્યા પછી બી ઊગવા સાથે બીજું નકામું ઘાસ પણ ઊગી જાય છે તો શું એવો કોઈ ખેડૂત આ દુનિયામાં છે કે જે એમ ધારે કે બીજું ફાલતું ઘાસ ઊગી જ જાય છે માટે ખેતરમાં બી જ ન વાવવાં? પણ ડાહ્યો ખેડૂત બી તો વાવે છે જ અને તેની સાથે નકામા ઊગતા ઘાસને વારંવાર નિંદી નાખે છે અને બીથી ઊગેલો છોડ બરાબર વધે એવી વિશેષ કાળજી રાખે છે.
એ જ રીતે શુભ પ્રવૃત્તિઓરૂપ બી વાવતાં અનંતાનુબંધી કષાયોને લીધે જે કાંઈ નકામું ઘાસ તેની સાથે ઊગી નીકળે તેને વારંવાર લણ્યા જ કરવું અને ચિત્તવૃત્તિને શ્રેયના લક્ષ્યમાં દઢ કરી એ શુભ પ્રવૃત્તિઓથી ઊગતા કર્તવ્યનિષ્ઠાના છોડને બરાબર કાળજીથી સાચવવો એ જ વિચારક શ્રેયાર્થીનું કર્તવ્ય છે; નહીં કે ઘાસના ભયથી ડરીને બીજેને ન જ વાવવાં.
જૈનપરંપરાના અહિંસાના પરમ ઉચ્ચ સિદ્ધાંતને જીવનમાં ઉતાર્યા વિના જેઓ તેને કેવળ શબ્દથી જ સ્પર્શેલા છે અને માત્ર શબ્દસ્પર્શને લીધે જેમણે તેમાંથી એટલે અહિંસામાંથી ઘોર ક્રૂરતાના જેવો વિપરીત અર્થ કાઢ્યો છે તેવા પોતાને જૈનપરંપરાના માનતા કેટલાક લોકો ગૃહસ્થોને મોહભાવનો ડર બતાવી આ શુભ પ્રવૃત્તિઓ કરવાનો નિષેધ કરી રહ્યા છે અને માનવતાના નિશાનરૂપ પરોપકાર, દાન દયા દુઃખીઓને જોતાં થઈ આવતી અનુકંપા વગેરે જેવી શુભ પ્રવૃત્તિઓને અનર્થનું કારણ બતાવી રહ્યા છે. માથામાં જૂઓ પડે છે માટે માથાને સાફ રાખવાનો પ્રયત્ન ન કરતાં માથું જ કાપી નાંખવું
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૬૨
મહાવીર વાણી એવી તે એ લોકોની આ માન્યતા છે. આ કાળે વીતરાગ સંયમ શક્ય નથી તેથી શું સરાગ સંયમની પણ આરાધના ન કરવી? નિમહ દયા, કરુણા, અનુકંપા શકય ન દેખાય તો સમોહ, દયા, કરુણા પણ ન કરવી? ખરી રીતે તો સમોહ સ્થિતિએ રહીને પણ સદ્ગુણો કેળવવાની આદત પાડવાથી ધરિ ધીરે અનાસકત દશા સુધી પહોંચી શકાય છે.
જેમ કોઈ મનુષ્યને મહેલ ઉપર ચડવું હોય પણ તે નિસરણી વિના ચડી શકે તેમ નથી તેમ વિશુદ્ધ ધર્મના મહેલ ઉપર ચડવા માટે શુભ પ્રવૃત્તિઓ નિસરણીરૂપ છે. જેઓ આ શુભપ્રવૃત્તિઓનો નિષેધ કરે છે તેઓ નિસરણી વિના જ ઉપર ચડવાની વાત કરે છે.
ખૂબી તો એ છે કે આવી વાત કરનારા ખુદ, સમાજના દાન ઉપર જ નભે છે છતાં ય આશ્ચર્ય છે કે તેઓ જ દાનાદિકનો નિષેધ કરવા નીકળ્યા છે.
આ ચર્ચામાં વિશેષ પારિભાષિકપણું ન આવે એવો ખ્યાલ તો રાખેલ છે તેમ છતાં તે થોડું ઘણું લાવવું જ પડ્યું છે પણ એ નડતરરૂપ લાગશે નહિ.
૧૫. સંવર - વિવિધ શુભ પ્રવૃત્તિઓ કે સમ્પ્રવૃત્તિઓ કરવા છતાં આત્મા સ્વસ્થ રહે, પ્રસન્ન રહે, બીજી કોઈ વિકૃતિઓ સાથે ન ભળતાં નિર્મળ રહે અર્થાત્ જેટલે અંશે દૂષણો વગરનો રહે તે પરિસ્થિતિનું નામ સંવર. સંવર એટલે ઢાંકવું અર્થાત્ જે પ્રવૃત્તિથી વિકૃતિઓ ઢંકાઈ જાય - દૂર હટી જાય તેનું નામ સંવર.
૧૬. નિર્જરા - ઉક્ત સંવર ભાવે વારંવાર આત્માને કેળવતાં એટલે જેટલે અંશે રાગદ્વેષ વગેરે વિકૃતિઓના સંસ્કારો આત્મા ઉપરથી ખરવા માંડે - કરવા માંડે એટલે તેટલે અંશે નિર્મળ થયેલ આત્માની પરિસ્થિતિનું નામ નિર્જરા.
૧૭. મોક્ષ - સંપૂર્ણ વીતરાગતા, સંપૂર્ણ સમદર્શિતા – માનઅપમાન, સુખદુ:ખ, જીવનમરણ, વા મરણાંતિક કષ્ટ તથા જગતભરમાં માનપૂજા પ્રતિષ્ઠા એવી તમામ પરિસ્થિતિઓમાં આત્માનું એક રૂંવાડું ય ન ફરકે એવી રાગદ્વેષ વા હર્ષશોક વગરની સર્વ પ્રકારે સમભાવવાળી આત્મદશાનો સંદેહાવસ્થામાં
Page #210
--------------------------------------------------------------------------
________________
લોકતત્ત્વ-સૂત્ર
૧૬૩ પણ જે અનુભવ તે મોક્ષ. ૧૮. વીતરાગ દશા - સરખાવો ધમ્મપદ સાતમો અરહત વર્ગ બ્લોક ૪:
यस्सासवा परिखीणा आहारे च अनिस्सितो। જેના આગ્રવો સર્વથા ક્ષીણ થઈ ગયા છે અને જે આહારમાં અનાસકત છે.
૧૯. આઠ જ કર્મોન આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને ઢાંકી દેનારા જે જે સંસ્કારો અનાદિ કાળથી આત્મા ઉપર પડેલા છે અને તેમાં વળી અજ્ઞાન મોહ કષાય વગેરેની પ્રવૃત્તિઓ દ્વારા રોજબરોજ વધારો થયા કરે છે તે તમામ સંસ્કારોનું વર્ગીકરણ કરીને તેમને અહીં આ આઠ કમમાં સમાવી દીધા છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય એ ચાર કમ આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો ઘાત કરનારાં હોવાથી ઘાતકર્મ' કહેવાય છે અને બાકીનાં ચાર નામકર્મ, આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મ અઘાતી કર્મ કહેવાય છે. ઘાતકમનો સર્વથા નાશ થયે વીતરાગતાનો ભાવ આત્મામાં પ્રગટે છે.
૨૦. અનશન - આ છએ પ્રકારના બાધતપના પરિચય માટે જુઓ ધર્મસૂત્ર ટિપ્પણ ૪ – તપ. પાનું ૧૪.
૨૧. ભિક્ષાચર્યા - ગૃહસ્થો માટેના બાહ્યતપમાં ‘કાયકલેશને ત્રીજું બાહ્યતપ ગણાવેલ છે ત્યારે મુનિઓ માટેના બાહ્યતામાં ભિક્ષાચર્યા' ને ત્રીજું બાહ્યતપ ગણાવેલ છે. ભિક્ષાચર્યાનું સ્વરૂપ આ છે : ચિત્તશુદ્ધિના સાધક મુનિ શ્રમણ કે ભિક્ષને પોતાની સાધનામાં શરીરની મદદ લેવી પડે છે. અને એ જ એક કારણે શરીરને ટકાવી રાખવાની તેને જરૂર છે. અન્નજળ વગેરે સામગ્રી સિવાય શરીર ટકી શકે નહીં માટે તેણે ભિક્ષાચર્યા દ્વારા તે બધી સામગ્રી મેળવી લેવાની હોય છે. સાધક અહિંસાને આચરનારો હોય છે એટલે એણે અહિંસક પદ્ધતિએ ભિક્ષાચર્યા કરવાની રહી. ભિક્ષાચર્યા, મધુકરી અને ગોચરી એ બધા શબ્દોનો ભાવ એકસરખો છે. ભિક્ષાચર્યામાં ઘરે ઘરે ફરવાનું હોય છે. જેમ ભમરો ફૂલોમાંથી રસ મેળવવા જુદાં જુદાં અનેક કૂલો ઉપર બેસે છે, તે રીતે મુનિ જુદે જુદે ઘેર ફરીને ભિક્ષા મેળવે તેથી તેનું નામ મધુકરી (મધુકર એટલે ભમરો) તથા જેમ ગાય ચરવા માટે જુદી જુદી જગ્યાએ
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૬૪
મહાવીર વાણી ર્યા જ કરે છે તે રીતે મુનિ ભિક્ષા માટે ર્યા જ કરે છે માટે તેનું નામ ગોચરી. આ સંબંધી વિશેષ જ્ઞાન માટે જુઓ પાનું ૫૪ તથા ૫૫ સાતમું પરિગ્રહસૂત્ર તથા ગા, ૬પમી અને તે ઉપરનું ટિપ્પણ ભમરો તથા જુઓ બાવીસમું ભિક્ષસૂત્ર.
ભિક્ષાચય માટે જે નિયમો જૈન આગમોમાં છે તેવા જ નિયમો બૌદ્ધ પિટકોમાં છે અને તેવા જ નિયમો મનુસ્મૃતિમાં પણ છે. તે બાબત મહાભારત શાંતિપર્વ અધ્યાય નવમામાં જે શ્લોકો આપેલા છે તે અને મનુસ્મૃતિ – અધ્યાય છઠ્ઠામાં પપ થી પ૭ સુધીના જે શ્લોકો આપેલા છે તે આ છે:
विधूमे न्यस्तमुसले व्यङ्गारे भुक्तवज्जने। अतीतपात्रसंचारे काले विगतभिक्षुके । एककालं चरन् भैक्ष्यं त्रीनथ द्वे च पञ्च वा।
શ્લો, ૨૨, ૨૩ (મહાભા.) एककालं चरेत् भैक्षं न प्रसज्जेत विस्तरे। भैक्षे प्रसक्तो हि यतिर्विषयेष्वपि सज्जति ॥ ५५ विधूमे सन्नमूसले व्यङ्गारे भुक्तवजने। वृत्ते शरावसंपाते भिक्षां नित्यं यतिश्चरेत् ।। ५६ अलाभे न विषादी स्यात् लाभे चैव न हर्षयेत् ।
प्राणयात्रिकमात्र: स्यात् मात्रासंगात् विनिर्गत: ।। ५७ ભિક્ષા માટે એક વખત ફરવું અર્થાતુ એક વખત ખાવું. ભિક્ષાથી મળેલા ભોજનમાં આસકિત ન રાખવી, ગામમાંથી રાંધણિયાનો ધુમાડો દેખાતો બંધ થઈ ગયો હોય, રાંધવાને લગતાં પીસવા વાટવા ખાંડવા કે દળવા વગેરેના કામો બંધ પડી ગયાં હોય, રાંધવાના ખપ માટેના અંગારા બુઝાઈ ગયા હોય, ઘરનાં તમામ લોકો ખાઈ ચૂક્યા હોય અને વાસણો માં જવા માટે નીકળી ગયાં હોય ત્યારે – ત્રીજે પહોરે મુનિએ ભિક્ષા માટે નીકળવું. ભિક્ષા ન મળે તો ખેદ ન કરવો અને મળી જાય તો રાજી ન થવું અને કેવળ સાધના સાર
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૬૫
લોકતત્ત્વ-સૂત્ર જરૂરી એવી પ્રાણયાત્રા ચાલે માટે જ ભિક્ષા લેવી અને ભિક્ષુએ પોતાનાં બીજ ઉપકરણો તુંબીપાત્ર દંડ વગેરે બાબતે પણ આસકિત ન રાખવી.
જૈનાચાર્ય હરિભદ્રસૂરિ કહે છે કે જવાબદારી માથા ઉપર ન રખાતી હોય અને પોતાના લક્ષ્ય તરફ બેદરકારી હોય ત્યારે આ ભિક્ષાવૃત્તિ પૌરુષની બને છે એટલે પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા ખાવાની વૃત્તિ મનુષ્યના પુરુષાર્થને હણનારી થઈ જાય છે.
૨૨. પ્રાયશ્ચિત્ત - આ છએ પ્રકારના આંતરિક તપના પરિચય માટે જુઓ ધર્મસૂત્ર ટિપ્પણ ૪ - તપ. પાનું ૧૪.
૨૩. કૃષગલેશ્યા - શુક્લલેશ્યા - સરખાવો ગીતા અધ્યાય આઠમો : શ્લો, ૨૬:
शुक्ल-कृष्णे गती होते जगत: शाश्वते मते।
एकया याति अनावृत्ति: अन्ययाऽऽवर्तते पुनः ।। શુકલગતિ અને કૃષ્ણગતિ આ બે ગતિઓ જગતની શાશ્વતગતિઓ છે : શુકલગતિવાળો ફરી ફરીને જનમતો નથી ત્યારે કૃષ્ણગતિવાળો ફરી ફરીને જનમે છે. સરખાવો ધમ્મપદ છઠ્ઠો પંડિત વર્ગ લો. ૧૨ :
कण्हं धम्मं विप्पहाय सुक्कं भावेथ पंडितो। પંડિત પુરુષે કૃષ્ણધર્મને છોડી દઈને શુકલધર્મની ભાવના કરવી.
૨૪. ઈર્યાસમિતિ - બીજા કોઈને કલેશ ન થાય એનું પ્રથમ ધ્યાન રાખીને સંયમને કેળવવા સારુ જે કોઈ ગતિપ્રધાન પ્રવૃત્તિ કરવી તે ઈર્યાસમિતિ. બીજા કોઈને કલેશ ન થાય એનું પ્રથમ ધ્યાન રાખીને સંયમને પોષે એવી વચનપ્રધાન પ્રવૃત્તિ તે ભાષાસમિતિ, એષણાસમિતિ માટે જુઓ અસ્તનકસૂત્ર ટિપ્પણ ૪ નિર્દોષ નિર્દોપ વસ્તુઓ. આદાનસમિતિ બીજા કોઈને કલેશ ન થાય તેનું પ્રથમ ધ્યાન રાખીને સંયમના પોષણ માટે તેનાં સાધનોને લેવા મૂકવાની સાવધાની ભરી પ્રવૃત્તિ.
૨૫. ઉચ્ચાર-પ્રસવાગસમિતિ - શરીરને મળો-ઘૂંક, બખા, લીટ, ઉચ્ચાર-ઝાડાનો મળ અને પ્રશ્રવણ-પેશાબ તથા કપડાં ધોવાનું પાણી અથવા
Page #213
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
૧૬૬
ન
એવું ફેંકવાનું બીજા કોઈ પ્રકારનું મેલું પાણી વગેરેને એવી જગ્યાએ નાંખવાં કે જ્યાં કોઈ જતું આવતું ન હોય, જ્યાં કોઈ તેને દેખતું ન હોય, જ્યાં નાંખતાં કોઈને કશી તકલીફ થવાની ન હોય અર્થાત્ અહિંસક આચાર સચવાય તે રીતે શરીરના મળોને નાખવાના છે પણ ગમે ત્યાં અને ગમે તેમ નાખવાના નથી. તથા જે જગ્યા ખાડાખડિયાવાળી હોય ત્યાં ન નાખતાં સમતલ જગ્યા ઉપર એ મળોને નાખવાના છે. તથા કોઈ પોલા તાન્ત થયેલા દરમાં કે તાજ પડેલા કાણામાં કે એવી બીજી પોલી જગ્યામાં તે મળોને નાખવા નહીં, પહોળી જગ્યામાં મળોને નાખવાં તથા જ્યાં વસ્તીનો સંચાર હોય તેવાં ગામ, બગીચા વગેરે સ્થળોથી દૂર દૂરને સ્થળે મળોને નાખવાં અને જે જગ્યાએ કોઈ પ્રાણી કે જીવજંતુ હરતું ફરતું હોય ત્યાં મળોને ન નાખવાં. આ બાબત ઉત્તરાધ્યયનસૂત્રના ચોવીસમા સમિતિ અધ્યયનની ગા૰ ૧૭ તથા ૧૮માં સવિશેષ જણાવેલી છે. તાત્પર્ય એ છે કે અહિંસાની સાધના કરનારે વા અહિંસાને પાળનારે પોતાના મળોને કયાં કેવી રીતે નાખવાં એ વિશે અહિંસા સચવાય તે રીતે વર્તવાનું છે, પણ જ્યાં ત્યાં ગંદકી કરવાની નથી. જ્યાં ત્યાં ગંદકી કરવાથી તો નરી હિંસા જ થાય છે અને વધે છે માટે જ એ બાબત ખાસ મૂળસૂત્રમાં ચર્ચવામાં આવેલી છે.
વર્તમાનમાં શાસ્ત્રનું નામ લઈને જૈન સાધુઓ જે મકાનમાં રહે છે તેની આસપાસ જ ગંદકી કરી મૂકે છે. તથા પેશાબ ગંદું પાણી વગેરેને રસ્તા ઉપર લવે છે. અને શૌચ માટે વાડાઓમાં જાય છે તે સ્થિતિ અહિંસાના આચરણનો નાશ કરનારી છે, અને એકદમ શાસ્ત્રના નિયમથી વિરુદ્ધ છે એ ધ્યાનમાં રાખવાનું છે.
ARI
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૬૭
પૂજા-સૂત્ર
| ૨૦ ||
पुज्ज-सुत्तं (ર૪) માયા વિર્ય પjને,
सुस्सूसमाणो परिगिज्झ वक्कं । जहोवइझं अभिकंखमाणो, गुरुं तु नासाययई स पुजो ।।१।।
૨૦
પૂજ્ય-સૂત્ર ૨૫. જે કોઈ સાધક આચારની પ્રાપ્તિ માટે વિનયનો પ્રયોગ કરે છે તથા ગુરુના વાક્યને ધ્યાનપૂર્વક સાંભળવાની ઇચ્છા કરતો, તે વાકયને બરાબર સ્વીકારીને ગુરુના ઉપદેશને અનુસરતો રહે છે અને કદી પણ ગુરુની આશાતના કરતો નથી તેને પૂજ્ય કહેવો. (૨૪૬) મન્નાયdછે ચર્ડ વિશુદ્ધ,
जवणट्ठया समुयाणं च निच्चं । अलद्धयं नो परिदेवएजा,
નવટું ન વિત્ય ૪ પુજ્ઞ પારા. ૨૪૬. પોતાના સંયમના નિર્વાહ માટે, પરિચય વિનાનાં જુદાં જુદાં સ્થળોમાં જઈને વિશુદ્ધ રીતે ઉછવૃત્તિએ, જે નિત્યપ્રતિ ભિક્ષા માટે ફરે છે, અને એમ કરતાં ય જો કશું ય ન મળે તો પણ ખેદ કરતો નથી અને મળે તો ફલાતો ય નથી તેને પૂજ્ય' કહેવો.
Page #215
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
૧૬૮ (૨૪૭) સંથારના મત્તા,
अप्पिच्छया अइलाभे वि सन्ते । जो एवमप्पाणऽभितोसएज्जा,
संतोसपाहन्नरए स पुज्जो ॥३॥
૨૭. સંથારો, શયા, આસન તથા ભાત પાણી ઘણાં વધારે મળતાં હોય તો ય તેમને લેવાની વિશેષ ઇચ્છા ન રાખે અર્થાત્ એ બાબતની ઓછી ઇચ્છા રાખે અને એ ભાત પાણી વગેરેની સામગ્રીને પોતાના ખપ પૂરતી જ લે. જે એ રીતે પોતાના આત્માને સંતુષ્ટ રાખે તથા સંતોષપ્રધાન જીવનમાં મસ્ત રહે તેને પૂજય’ કહેવો. (ર૪૮) સ સર્કમાણી કંટા,
अओमया उच्छहया नरेण । अणासए जो उ सहेज कंटए,
वईमए कण्णसरे स पुज्जो ॥४॥
૨૪૮. વાહ વાહ થશે, શરીર સુખમાં રહેશે, ઈદ્રિયો મજા માણશે એવી એવી આશા રાખીને તો લોહમયકાંટાની-લોઢાના ભાલાની અણીઓ ઉપર પણ સૂવાનું કે બેસવાનું હોંશે હોંશે સહી શકાય છે; પરંતુ જે સાધક કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વિના જ કાનમાં પેસતાં વચન બાણોને - વચનના ભાલાંઓને શાંત ભાવે - ધીર ભાવે - સહન કરે તેને પૂજ્ય’ કહેવો. (૨૪૨) સમવયન્ત વયમિધાયા,
कण्णं गया दुम्मणियं जणन्ति ।
Page #216
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય-સૂત્ર धम्मो त्ति किच्चा परमग्गसूरे,
जिइन्दिए जो सहई स पुज्जो ॥५॥ ૨૪૯. સામેથી આવી પડતા મર્મભેદી વચનના ઘા જ્યારે કાન સુધી આવી પહોંચે છે ત્યારે પીડા પેદા કરે છે-તે સાંભળતાં જ મન દુર્મન થઈ જાય છે, એવી પરિસ્થિતિમાં એ ભયાનક વચનના ઘાને શાંતિપૂર્વક સહન કરવાનો મારો ધર્મ છે એમ સમજીને ક્ષમાના માર્ગે ચાલનાર જે શૂરવીર જિતેંદ્રિય મનુષ્ય તેમને સહન કરે છે, તેને પૂજ્ય" કહેવો. (ર૧૦) મવUUવાથં મુસ,
पच्चक्खओ पडिणीयं च भासं । ओहारिणिं अप्पियकारिणिं च,
भासं न भासेज सया स पुज्जो ॥६॥ ૨૫૦. સત્ય હિત જે કહેવું હોય તે સદા સામે જ કહે પણ કોઈની પાછળ નિંદા ન કરે અને સામે પણ શત્રુવટવાળી ભાષા ન બોલે તથા
આ તો નાલાયક જ છે” એવી ન ગમે તેવી કઠોર ભાષા પણ કદી ન વાપરે તેને પૂજ્ય’ કહેવો. (ર) સત્નોનુપ સમા,
अपिसुणे यावि अदीणवित्ती। नो भावए नो वि य भावियप्पा,
अकोउहल्ले य सया स पुजो ।।७।। ૨૫૧. જે ખાવા પીવાની લાલચુ નથી, જાદુ મંતર વગેરે કરતો નથી, લુચ્ચો નથી – કપટી નથી, ચાડિયો નથી અને માયકાંગલો
Page #217
--------------------------------------------------------------------------
________________
મહાવીર વાણી
૧૭૦
નથી કે કોઈનો ઓશિયાળો નથી અર્થાત્ તેજસ્વી છે તથા લોકો પોતાનાં વખાણ જ કર્યા કરે એવી વૃત્તિવાળો નથી, તેમ પોતે જાતે પણ પોતાનાં જ વખાણ કર્યા કરતો નથી અને નાટક-ચેટક, ગાન-તમાસા, વરઘોડા વગેરેને જોવાનો શોખીન નથી, તેને ‘પૂજય’ કહેવો.
(૨૦૨) મુદ્દેહિ સાદું ઞધુળેડિસાદૂ,
गिण्हाहि साहू गुण मुञ्चऽसाहू । वियाणिया अप्पगमप्पएणं,
जो रागदोसेहिं समो स पुज्जो ||८||
૨૫૨. ‘ગુણો વડે સાધુ થવાય છે, અવગુણો વડે અસાધુ થવાય છે, માટે સારા ગુણોને ગ્રહણ કર, નઠારા અવગુણોને તજી દે' એ રીતે જે, પોતે પોતાની જાતને વિવિધ રીતે બોધ આપે છે તથા રાગના પ્રસંગે વા દ્વેષના પ્રસંગે બરાબર ‘સમ’ રહે છે તેને ‘પૂજય’ કહેવો.
(૨૩) તહેવ ડાં ચ માં વા,
इत्थीं पुमं पव्वइयं गिहिं वा । नो हीलए नो विय खिंसएज्जा,
थंभं च कोहं च चए स पुज्जो ||९||
૨૫૩. નાનો તેમ જ મોટો ભલે ને પછી સ્ત્રી હોય, પુરુષ હોય, દીક્ષિત હોય કે ગૃહસ્થ હોય તેમની-કોઈ પણ જાતની મનુષ્યની નિંદા ન રે, બદબોઈ ન કરે, અહંકારનો ત્યાગ કરે તથા ક્રોધનો પણ ત્યાગ કરે તેને ‘પૂજય’ કહેવો.
(૨૪) તેસિં મુળ મુળસાયરાળ, सोच्चाण मेहावी सुभासियाई ।
:
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૭૧
પૂજ્ય-સૂત્ર चरे मुणी पंचरए तिगुत्तो, चउक्कसायावगए स पुज्जो ॥१०॥
(વા ૧, ૩૦ ૩, ૨, ૪-૬,૦-૨૨,૨૪) ૨૫૪. ગુણના સાગર એવા ગુરુજનોનાં આવાં સુવચનો સાંભળીને, જે બુદ્ધિમાન સાધક મુનિ, પાંચ મહાવ્રતોને બરાબર આચરે; મન, વચન અને શરીરને બરાબર સંયમમાં રાખે તથા ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોથી દૂર રહે તેને પૂજ્ય" કહેવો.
૧. પૂજ્ય-સૂત્ર - ધમ્મપદનો સાતમો અરહતવર્ગ, ચૌદમો બુદ્ધવર્ગ અને ઓગણીસમો ધર્મસ્થવર્ગ આ ત્રણે વર્ગો પૂજ્યસૂત્ર સાથે સરખાવવા જેવા છે. વિશેષ વિસ્તાર ન થાય માટે તે તે વર્ગની એક એક ગાથા આ નીચે આપેલી છે:
यस्मिंद्रियानि समथं गतानि अस्सा यथा सारथिना सुदंता । पहीनमानस्स अनासवस्स देवा पि तस्स पिहयंति तादिनो ॥
(અરતવર્ગ ગ્લો ૫) જેમ સારથિએ પલોટેલા ઘોડા શાંત હોય છે તેમ જેની ઈદ્રિયો શાંત બનેલી છે, જે અહંકાર વિનાનો છે, આઝવો-દોષ વિનાનો છે તેવા કરુણાવાળા અરહંતની તો દેવો પણ સ્પૃહા કરે છે.
अनूपवादो अनूपघातो पातिमोक्खे च संवरो । मत्त ता च भत्तस्मिं पंतं च सयनासनं । अधिचित्ते च आयोगो एतं बुद्धान सासनं ॥
(બુદ્ધવર્ગ લો-૭) બીજા કોઈ સાથે ઝઘડો ન કરવો, કોઈનો ઘાત ન કરવો, ભિક્ષના આપવાદિક નિયમોમાં સંયમ સાચવવો, ખાવાપીવાનું માપ બરાબર જાણી લેવું, જૂનાં પાનાં આસન અને પથારી મેળવવા અને એકાંતમાં રહેવું તથા ચિત્તશુદ્ધિ માટે પ્રયત્ન
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૭૨
મહાવીર વાણી કરવો એ બુદ્ધોની આજ્ઞા છે.
न तावता धम्मधरो यावता बहु भासति । यो च अप्पं पि सुत्वान धम्मं कायेन पस्सति । स वे धम्मधरो होति यो धम्मं न प्पमज्जति ।।
(ધર્મસ્થવર્ગ સ્લો. ૪) ધર્મ વિશે બહુ બોલ બોલ કરે એટલા માત્રથી ધર્મધર થવાતું નથી, થોડું પણ સાંભળીને જે, ધર્મને શરીર વડે આચારમાં લાવે અને જે, ધર્મ બાબત પ્રમાદ કરતો નથી તે ખરેખર ધર્મધર થઈ શકે છે.
૨. પારેવાં જેમ ફરતાં ફરતાં ધાન્યના કણોને ચણે છે તેમ જુદે જુદે અજાણ્યા ઘરે જઈને ભિક્ષા માગવી તેનું નામ ઉછ' છે.
૩. ઘણા સાધુઓ લોઢાના ભાલાની અણી ઉપર આખો દિવસ બેસી રહે છે, સખત તાપમાં, ઊની ઊની રેતી કે પતરા ઉપર સૂઈ રહે છે, અથવા ઘણી બધી લાંઘણો ય ખેંચી કાઢે છે. એ જાતના કાયાફ્લેશનો આ નિર્દેશ છે.
૪. પૂજ્ય - સરખાવો ઈખ્રિ, પ. ઉ. ૪ “ભાઈઓ, જ્યારે લોકો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે, તમારી ઉપર ખોટા આરોપો ચડાવે ત્યારે તમે પોતે પોતાને નસીબદાર સમજજે.' ઇત્યાદિ.
૫. સરખાવો હ મ ઈ. “તમારામાંથી સૌથી મોટો તે છે જે સૌથી વધારે ભલો અને સંયમી હોય' - (પૃ. ૧૨૮)
Page #220
--------------------------------------------------------------------------
________________
બ્રાધામ-સૂત્ર
૧૭૩
| ૨૬ !
माहण-सुत्तं (२५५) जो न सज्जइ आगन्तुं, पव्वयन्तो न सोयई।
रमई अज्जवयणम्मि, तं वयं बूम माहणं ॥१॥
_૨૧ |
બાહ્મણ-સૂત્ર ૨૫૫. પોતાના સ્નેહી-સ્વજનોમાં આવીને જે આસક્ત થતો નથી, તેમ તેમનાથી છૂટો પડીને-દૂર જઈને જે શોક કરતો નથી, આર્યજનોનાં વચનોમાં જે રુચિ રાખે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (ર૬) નવેવંગીકું, નિત્તમ-પાવા
T-ઢોલ-બયા, તે વર્થ લૂમ મહિvi રા. ૨૫૬. અગ્નિમાં નાખીને ધમેલા અને શુદ્ધ કરેલા તદ્દન ચોખા સોળવલ્લા સોનાની પેઠે જે તદન શુદ્ધ છે, નિષ્પાપ છે, તથા રાગ, દ્વેષ અને ભયથી રહિત છે તેને અમે બ્રાહ્મણ’ કહીએ છીએ. (ર૭) તયિં શિસંન્ત, મરિયમંતfઘં
सुव्वयं पत्तनिव्वाणं, तं वयं बूम माहणं ।।३।। ૨૫૭. જે તપસ્વી છે માટે જ દૂબળો છે જેના શરીરમાં માંસ અને લોહી ઓછાં થઈ ગયાં છે તથા જે ઈદ્રિયોને અંકુશમાં રાખનારો છે, શુદ્ધ વ્રતવાળો છે, આત્મશાંતિને-નિર્વાણને-પામેલો છે તેને અમે બ્રાહ્મણ’ કહીએ છીએ.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૭૪
મહાવીર વાણી (ર૧૮) તસપાલે વિયા, સંજે ૪ થવા
___ जो न हिंसइ तिविहेणं, तं वयं बूम माहणं ॥४॥
૨૫૮. સ્થાવર અને ત્રસ એ તમામ પ્રાણોને સારી રીતે જાણીને જે પોતાનાં મનથી, વચનથી અને શરીરથી તે પ્રાણોની હિંસા કરતો નથી તેને અમે બ્રાહ્મણ’ કહીએ છીએ. (ર) ક્ષો વા નવા દાણા, નોદ વ ન વા મા "
__ मुसं न वयई जो उ, तं वयं बूम माहणं ॥५।।
૨૫૯. દોધને લીધે કે હસીને લીધે કે લોભને લીધે કે બીકને લીધે જે અસત્ય બોલતો નથી-ખોટું-મિથ્યા વચન કાઢતો નથી, તેને અમે “બ્રાહ્મણ’ કહીએ છીએ. (२६०) चित्तमन्तमचित्तं वा, अप्पं वा जइ वा बहुं ।
न गिण्हाइ अदत्तं जे, तं वयं बूम माहणं ।।६।। ૨૬૦. સચેતન એવાં દાસ દાસી વગેરે મનુષ્યો અને અચેતન એવાં પોતાને ખપમાં આવે તેવા પદાર્થો; એમાંનું થોડું કે ઘણું કશું જ કોઈના આપ્યા સિવાય જે પોતે સ્વીકારતો નથી અર્થાત્ જે ચોરી કરતો નથી તેને અમે બ્રાહ્મણ’ કહીએ છીએ. (૨૬૨) ત્રિ -પુસ-તેજીં, જે ન સેવ મેદુor I
મસા વાય-વન, તે વયે ગૂમ મહિv Iછી ૨૬૧. દેવદેવીઓ સાથે, માનવ સ્ત્રીપુરુષો સાથે કે પશુપક્ષીઓ સાથે જે પોતાના મનથી, વચનથી અને શરીરથી મૈથુનને-અબ્રહ્મચર્યને સેવતો નથી, તેને અમે બ્રાહ્મણ’ કહીએ છીએ.
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૭૫
બ્રાહગ-સૂત્ર (ર૬ર) 1 નંગ ગાઉં, નવનિug વUિT.
एवं अलित्तं कामेहि, तं वयं बूम माहणं ॥८॥ ર૬૨. કમળનું ફૂલ પાણીમાં જન્મે છે છતાં ય પાણીથી લેવાતું નથી તેમ જે કામોમાં-વાસનાઓમાં- રાગ, દ્વેષ, ક્રોધ, લોભ વગેરે દોષોના વાતાવરણમાં-જન્મે છે છતાં ય તેમનાથી જરા ય લેવાતો નથી તેને અમે બ્રાહ્મણ’ કહીએ છીએ. (२६३) अलोलुयं मुहाजीविं, अणगारं अकिंचणं ।
असंसत्तं गिहत्थेसु, तं वयं बूम माहणं ॥९॥ ૨૬૩. જે અલોલુપ છે, જે અનાસક્ત છે-અર્થાત્ દોષ પોષક સ્વાર્થ રાખ્યા વિના જીવનને નભાવે છે, જે અનગાર છે-માલિકીના ઘર વગરનો છે, જે અકિંચન છે અને જે ગૃહસ્થો સાથેના સંબંધમાં અલિપ્ત છે તેને અમે બ્રાહ્મણ’ કહીએ છીએ. (ર૬૪) દિપ પુવસંગોમાં, જે વન્યા
जो न सज्जइ भोगेसु, तं वयं बूम माहणं ॥१०॥ ૨૬૪. પોતાનાં સ્ત્રી પુત્ર વગેરે સગા સંબંધીઓ સાથેના પહેલાંના સંબંધને છોડ્યા પછી તેમ જ પોતાનાં નાતીલાઓના અને બંધુજનોના પૂર્વ સંબંધને છોડ્યા પછી જે ભોગોમાં આસક્ત થતો નથી તેને અમે બ્રાહ્મણ’ કહીએ છીએ. (२६५) न मुंडिएण समणो न ओंकारेण बंभणो।
न मुणी रण्णवासेणं, कुसचीरेण न तावसो ।।११।। ૨૬૫. કેવળ માથું મુંડાવ્યથી કાંઈ શ્રમણ થવાતું નથી, કેવળ
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૭૬
મહાવીર વાણી “ઓમ” “ઓમ”નો જાપ કરવાથી કાંઈ બ્રાહ્મણ થવાતું નથી, કેવળ વનમાં વાસ કરવા માત્રથી કાંઈ મુનિ થવાતું નથી અને કેવળ ડાભ કે એવા બીજા ઘાસનાં કે છાલનાં બનેલાં વસ્ત્રો પહેરવા માત્રથી કાંઈ તાપસ થવાતું નથી. (૬૬) સમયાઈ સમજે ઢો, વંમરેજ વંમUTI
नाणेण उ मुणी होई, तवेण होइ तावसो ॥१२।। ૨૬ ૬. સમતાનો ગુણ કેળવવાથી શ્રમણ થઈ શકાય છે, બ્રહ્મચર્ય વ્રતના પાલનથી બ્રાહ્મણ થઈ શકાય છે, મનન કરવાથી અર્થાત્ પોતાના જીવન વિશે મનન-ચિંતન કરવાથી મુનિ થઈ શકાય છે અને મન, વચન અને કાયાને જીતવાના હેતુપુરસ્પર તપ કરવાથી તાપસ થઈ શકાય છે. (ર૬૭) —UT વંમ હો, મુNTદો રઘત્તિમ.
वइसो कम्मुणा होइ, सुदो हवइ कम्मुणा ।।१३।। ૨ ૬૭. માણસ પોતાનાં પ્રત્યક્ષ કમનિ લીધે બ્રાહ્મણ બને છે, માણસ પોતાનાં પ્રત્યક્ષ કમોને લીધે ક્ષત્રિય બને છે, માણસ પોતાનાં પ્રત્યક્ષ કોને લીધે વૈશ્ય બને છે અને માણસ પોતાનાં પ્રત્યક્ષ કમોને લીધે શૂદ્ર બને છે. અર્થાત્ વર્ણનો ભેદ જન્મથી હોતો નથી કે વર્ણને લીધે મહત્તા કે નીચતા જન્મથી મળતાં નથી-જે જેવું કામ કરે તે તેવો બને છે-સારાં કામ કરનારો-ગુણવાળો માણસ મહાન બને છે અને નઠારાં કામ કરનારો-ગુણ વગરનો માણસ હલકો બને છે. (ર૬૮) વં પુસ૩, ને મવતિ ૩િdTI ते समत्था समुद्धत्तुं, परमप्पाणमेव य ॥१४॥
(૩ત્તર ઝ૦ ર૬, T૦ ૨૦-૨૧, ૨૨-૩૩,૩૬)
Page #224
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણ-સૂત્ર
૧૭૭
૨૬૮. એ પ્રકારે જેઓ ગુણોથી-પવિત્ર ગુણોથી-યુક્ત છે તેઓ જ દ્વિજોત્તમ છે-ઉત્તમ બ્રાહ્મણ છે; અને જેઓ એવા નથી તેઓ નામના દ્વિજ છે-કહેવા પૂરતા જ બ્રાહ્મણ છે. ખરી રીતે એવા ગુણના ભંડાર સમા બ્રાહ્મણો જ પોતાનો અને પરનો પણ ઉદ્ધાર કરવાને સમર્થ છે ત્યારે કહેવા પૂરતા નામના જ બ્રાહ્મણો પોતાને અને બીજાને પણ ડુબાડે છે.
૧. બ્રાહ્મણસૂત્ર - સરખાવો ધમ્મપદનો છવ્વીસમો આખો બ્રાહ્મણવર્ગ. પ્રસ્તુત બ્રાહ્મણસૂત્રના તમામ પદ્યોના છેલ્લા ચરણમાં ‘તેં વયં વૂમ મારાં' એવું વાકય આવે છે ત્યારે ધમ્મપદના બ્રાહ્મણવર્ગના તમામ શ્લોકોના છેલ્લા ચરણમાં ‘તેં અઠ્ઠું તૂમિ બ્રાહ્મન” એવું વાકય આવે છે.
૨. તપસ્વી - જોકે અહીં આખો ય બ્રાહ્મણવર્ગ સરખાવવા જેવો છે તો પણ નમૂના તરીકે અહીં તેના કેટલાક શ્લોક આપેલા છે: पंसुकूलधरं जंतुं किसं धमनिसंथतं ।
एकं वनस्मिंझायन्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥
જે મેલાં કપડાં પહેરનારો, દૂબળો પાતળો, જેનું શરીર નસોથી ઢંકાયેલ છે અર્થાત્ જેના શરીર ઉપરની બધી નસો દેખાય છે-લોહી માંસ વગરનો છે અને જે વનમાં એકલો રહીને ધ્યાન કરનાર હોય તેને હું બ્રાહ્મણ કહું છું. ૩. સ્થાવર - નિધાય ડં મૂર્તસુ તમેનુ થાવોનુ ૬ । यो न हंति न घाति तमहं ब्रूमि ब्राह्मणं ।।
ત્રસ અને સ્થાવર પ્રાણો તરફ દંડને છોડી દઈને કોઈ પ્રાણીને જે હણતો નથી, તેમ કોઈ પ્રાણીને હણાવતો નથી, તેને હું બ્રાહ્મણ કહું છું.
૪. ક્રોધને - અક્ક્સ વિઞાનિ fi સત્ત્વ ટ્રીયે !
याय नाभिसजे किंचि तमहं ब्रूमि ब्राह्मणं ॥
અકઠોર, સ્પષ્ટ અર્થવાળી એવી સત્યવાણી જે બોલે છે તથા વાણી વડે જે કોઈ ઉપર આક્ષેપ કરતો નથી તેને હું બ્રાહ્મણ કહું છું.
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૭૮
૫. સચેતન योऽध दीघं व रस्सं वा अणुं थूलं सुभासुभं । लोके अदिनं नादियति तमहं ब्रूमि ब्राह्मणं || આ જગતમાં મોટી કે નાની, સૂક્ષ્મ કે સ્થૂલ તથા શુભ કે અશુભ એવી કોઈ પણ ચીજને જે આપ્યા વિના લેતો નથી અર્થાત્ જે ચોરી કરતો નથી તેને હું બ્રાહ્મણ કહું છું.
૬. કમળનું ફૂલ - વારિ વોવવપત્તે વ આરવ સાસો / यो न लिंपति कामेसु तमहं ब्रूमि ब्राह्मणं ।।
કમલના પાંદડા ઉપર જેમ પાણી અને આરની અણી ઉપર જેમ સરસવ ચોંટતો નથી તેમ જે કામોમાં ચોંટતો નથી તેને હું બ્રાહ્મણ કહું છું. ૭. જે અલોલુપ - અસંસનું દàત્તિ અનારેદ ઘૂમરું । अनोकसारि अप्पिच्छं तमहं ब्रूमि ब्राह्मणं ॥
ઘરવાળા ગૃહસ્થો અને ઘરબાર વિનાના ભિક્ષુઓ એમ બન્ને સાથે જે રાગના સંસર્ગ વિનાનો છે, ભિક્ષુઓના માર્ગને અનુસરનારો છે અને ઓછી ઇચ્છાવાળો છે તેને હું બ્રાહ્મણ કહું છું.
यस्स कायेन वाचा मनसा नत्थि दुक्कतं । संवुतं तीहि ठानेहि तमहं ब्रूमि ब्राह्मणं ॥
જે શરીર વડે દુષ્ટ કામો કરતો નથી, વાણી વડે દુષ્ટ વચન બોલતો નથી અને મન વડે દુષ્ટ સંકલ્પ કરતો નથી તથા એવી રીતે જે મન, વચન અને શરીર એમ ત્રણે સ્થાને સંવરવાળો છે તેને હું બ્રાહ્મણ કહું છું.
यस्स रागो च दोसो च मानो मक्खो च पातितो ।
મહાવીર વાણી
सासपोरिव आरग्गा तमहं वूमि ब्राह्मणं ॥
જેમ આરની અણી ઉપરથી સરસવ પડી જાય છે તેમ જેના રાગ દ્વેષ અભિમાન અને તિરસ્કારભાવ વગેરે દોષો પડી ગયા છે અર્થાત જેણે એ દોષોને પાડી નાખ્યા છે તેને હું બ્રાહ્મણ કહું છું.
૮. માથું મુંડાવ્યેથી - સરખાવો ધમ્મપદ ઓગણીસમો ધર્મસ્થ વર્ગ : न मुंडकेन समणो अब्बतो अलिकं भणं । इच्छालोभसमापन्नो समणो किं भविस्सति ? ॥
Page #226
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણ-સૂત્ર
૧૭૯ કેવળ માથે મુંડો કરાવ્યથી કાંઈ શ્રમણ થવાતું નથી. જે વ્રત વગરનો, ખોટાબોલો અને ઈચ્છા તથા લોભથી ઘેરાયેલો છે તે કેવી રીતે શ્રમણ થઈ
શકે?
ભિક્ષુ થવાતું નથી - ન તેને મિક્ષg તો રોતિ યાવતી મિત્તે ? |
विस्सं धम्मं समादाय भिक्खु होति न तावता ॥ ११ બીજા પાસે કેવળ ભીખ માગ્યથી ભિક્ષ થવાતું નથી તેમ ચાલુ રીતભાત કરતાં બીજા પ્રકારની વિષમ રીતભાતો રાખવાથી પણ ભિક્ષુ થવાતું નથી.
મુનિ થવાતું નથી – ન મોનેન મુન દોતિ મૂહુરંપો વિદ્પુ ! ૨૩
કેવળ મૂઢરૂપે જડસા જેવા રહેવાથી અને મૌન ધારણ કરવા માત્રથી મુનિ થવાતું નથી.
_न तेन अरियो होति येन पाणानि हिंसति । १५ પ્રાણીઓની હિંસા કરવાથી આર્ય થવાતું નથી. ૯. બ્રાહ્માણ થવાતું નથી - સરખાવો ધમ્મપદ છવ્વીસમો બ્રાહ્મણ વર્ગ:
न जटाहि न गोत्तेन न जच्चा होति ब्राह्मणो। ११ કેવળ જટાઓ વધાર્યેથી, કેવળ ગોત્રને લીધે કે કેવળ બ્રાહ્મણને ઘરે જનમવાને લીધે બ્રાહ્મણ થવાતું નથી.
किं ते जटाहि दुम्मेध ! किं ते अजिनसाटिया ।
अभंतरं ते गहनं बाहिरं परिमजसि ।। १२ હે દુબુદ્ધિ! જટાઓ વધાર્યું તારું શું વળવાનું છે? તેમ મૃગછાલા પહેર્યેથી પણ તારું શું વળવાનું છે? તારું અંતર ગહન-મેલું છે અને તું બહાર ધોયા કરે છે અર્થાતુ ઉપલક ઉપલક ચોખ્ખાઈ રાખ્યા કરે છે.
न चाहं ब्राह्मणं ब्रूमि योनिजं मत्तिसंभवं । કેવળ બ્રાહ્મણની જાતિમાં જન્મેલાને હું બ્રાહ્મણ કહેતો નથી તેમ કેવળ બ્રાહ્મણમાતાને પેટે અવતરેલાને હું બ્રાહ્મણ કહેતો નથી. ૧૦. શ્રમણ - સરખાવો ધમ્મપદ ઓગણીસમો ધર્મસ્થ વર્ગ :
यो च समेति पापानि अणुं थूलानि सव्वसो । समितत्ता हि पापानं समणो ति पवुच्चति ।। १०
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૦
મહાવીર વાણી નાનાં મોટાં સ્થૂલ સૂક્ષ્મ એવાં તમામ પાપોને જે શમાવી દે છે, એ પાપોને શમાવી દેવાથી જ “શ્રમણ' કહેવાય છે. ભિક્ષુ – થોડા પુષ્મ ર પ ર વાëત્વ બ્રહ્મવયવ .
__संखाय लोके चरति स वे भिक्खू ति वुच्चति ॥ १२ જે પોતે બ્રહ્મચારી હોઈને પુણ્ય અને પાપ એ બન્નેને વહાવીને હાંકી કાઢીને વિવેક સાથે લોકમાં રહે છે તેથી તે ભિક્ષુ કહેવાય છે. ૧૧. મુનિ – ચ ર તુરંત વમવિય પંડિતો ૨૩
पापानि परिवजेति स मुनि तेन सो मुनि ।
___ यो मुनाति उभो लोके मुनि तेन पवुच्चति ॥ १४ જેમ કોઈ ત્રાજવું ઝાલીને ન્યાયને તોળે તેમ જે ઉત્તમ તત્ત્વનું ગ્રહણ કરે, પાપોને છોડી દે તે મુનિ છે અને તેમ કરવાથી મુનિ થવાય છે, વળી જે બને લોકોને માપે છે-જાણે છે તેથી તે મુનિ કહેવાય છે. આર્ય – અહિંસા સવ્વપાળાનં રિયો તિ વૃતિ જે તમામ પ્રાણીઓ તરફ અહિંસાભાવે વર્તે છે તે આર્ય કહેવાય છે. ૧૨. બ્રાહ્માગ - સરખાવો ધમ્મપદ છવ્વીસમો બ્રાહ્મણવર્ગ:
यम्हि सच्चं च धम्मो च सो सुची सो च ब्राह्मणो ॥ ११ જેના ચિત્તમાં સત્ય છે અને ધર્મ છે તે શુચિ-પવિત્ર છે અને તે બ્રાહ્મણ છે.
વિન મનાવાનં તમë કૂષિ ત્રાહ્મr | ૨૪ જે અકિંચન છે-પરિગ્રહવગરનો છે અને લાલચ રાખીને લેવાની વૃત્તિવાળો નથી તેને હું બ્રાહ્મણ કહું છું.
પ્રસ્તુત બ્રાહ્મણસૂત્રમાં અને ધમ્મપદના બ્રાહ્મણવર્ગમાં બ્રાહ્મણનું જેવું સ્વરૂપ બતાવેલું છે તેવું તેનું સ્વરૂપ મહાભારતના શાંતિપર્વમાં આવેલા મોક્ષધર્મપર્વના અધ્યાય ૨૪૫માં બતાવેલું છે. ત્યાં દરેક શ્લોકના ચોથા ચરણમાં તે કેવા દ્રઢિાળ વિવું અર્થાત્ દેવો તેમને બ્રાહ્મણ તરીકે જાણે છે' એવું વાક્ય આવે છે. તેમાંના થોડાક શ્લોકો આ પ્રમાણે છે:
न क्रुध्येत् न प्रहप्येच्च मानितोऽमानितश्च य:। ___ सर्वभूतेप्वभयदस्तं देवा ब्राह्मणं विदुः॥ १४
Page #228
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણ-સૂત્ર
नाभिनन्देत मरणं नाभिनन्देत जीवितम् । कालमेव प्रतीक्षेत निदेशं भृतको यथा ।। १५ विमुक्तं सर्वसंगेभ्यः मुनिमाकाशवत् स्थितम् । अस्वमेकचरं शान्तं तं देवा ब्राह्मणं विदुः ॥ २२ निराशिषमनारम्भं निर्नमस्कारमस्तुतिम् । निर्मुक्तं बन्धनैः सर्वैः तं देवा ब्राह्मणं विदुः ॥ २४
અપમાનિત થયો હોય છતાં જે ક્રોધ કરતો નથી અને માન પામેલો હોય છતાં જે રાગ કરતો નથી તથા તમામ ભૂતોને અભય આપનારો છે તેને દેવો બ્રાહ્મણ જાણે છે. (૧૪)
જે મરણનું અભિનંદન કરતો નથી તેમ જીવિતનું પણ અભિનંદન કરતો નથી અને જેમ નોકર પોતાના શેઠના હુકમની રાહ જોતો રહે તેમ કાળના હુકમની રાહ જોતો રહે. (૧૫) તથા જે તમામ સંગોથી-રાગદ્વેષવાળા સંબંધોથી-વિમુકત છે, મુનિ છે, આકાશની પેઠે વ્યાપકવૃત્તિવાળો છે, અસ્વ-નિર્ધન છે, એકાકી છે એટલે કેવળ આત્માવલંબી છે અને શાંત છે તેને દેવો બ્રાહ્મણ જાણે છે. (૨૨) લાલચને વશ થઈને કોઈને જે આશીર્વાદ આપતો નથી, યજ્ઞમાં પશુવધ રૂપ એવું કશું જ આલંબન કરતો નથી, દીનભાવે નમસ્કાર કરતો નથી તેમ સ્તુતિ કરતો નથી અર્થાત્ કોઈની ખુશામત કરતો નથી તથા તમામ બંધનોથી જે મુક્ત છે તેને દેવો બ્રાહ્મણ જાણે છે. (૨૪) ૧૩. પ્રત્યક્ષ કર્મોને - સરખાવો ગીતા અ ૪, શ્લો૰ ૧૩ : चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः ।
૧૮૧
ગુણ અને કર્મના વિભાગ પાડીને મેં ચાર વર્ણની રચના કરી છે અર્થાત્ અમુક ગુણવાળો અમુક કર્મ-પ્રવૃત્તિ-કરે અને અમુક ગુણવાળો અમુક કર્મ કરે. એટલે વર્ણવ્યવસ્થા કેવળ જન્મ ઉપર નિર્ભર નથી.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૮૨
મહાવીર વાણી
+ ૨૨ |
भिक्खु-सुत्तं (ર૬) રોમનાથપુખ્તવયો,
__अप्पसमे मन्नेज छप्पि काए। पंच य फासे महव्वयाई,
पंचासवसंवरे जे स भिक्खू ॥१॥
| ૨૨ છે.
ભિક્ષુ-સૂત્ર ૨૬૯ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનાં વચનોમાં જેને અસાધારણ રૂચિ છે અને એને લીધે જ જે છએ પ્રકારના જીવોને પણ પોતાના આત્મા સમાન માને છે અર્થાત્ કોઈ પણ જીવને દુઃખ થાય તેવી જેની પ્રવૃત્તિ નથી તથા જે પૂરેપૂરાં પાંચ મહાવ્રતોને સાવધાનતાપૂર્વક સ્પર્શે છે – આચરે છે અને જે પાંચે આમ્રવોથી દૂર રહે છે તેને ભિક્ષુ' કહેવો. (ર૭૦) ચત્તર વ પ વસાણ,
धुवजोगी य हविज्ज बुद्धवयणे। अहणे निज्जायरूव-रयए,
गिहिजोगं परिवज्जए जे स भिक्खू ॥२॥ ૨૭૦. કોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોનો જેણે સદાને માટે ત્યાગ કરી દીધો છે, જ્ઞાની પુરુષનાં વચનોમાં જેનું મન ધ્રુવ છે, વચન અને શરીર પણ એવું જ ધ્રુવ છે. અર્થાત્ જેનાં મન, વચન અને શરીર જ્ઞાની પુરુષનાં વચન પ્રમાણે જ, ધ્રુવ થઈને વર્તે
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૮૩
ભિમુ-સૂત્ર છે; તથા જે ધનની અપેક્ષા વિનાનો છે- પોતાની પાસે સોનું-રૂપું કે બીજુ ચલણી નાણું રાખતો નથી અને ગૃહસ્થના પ્રપંચવાળા સંબંધને જે અનુસરતો નથી તેને ભિક્ષુ' કહેવો. (ર૭૨) સર્વિસિય મૂઢે,
अत्थि हु नाणे तवे संजमे य । तवसा धुणइ पुराणपावगं,
મ-વ-માસુસંધુડે ને ર મિક્વ IDરૂા. ર૭૧. જે સમગ્રદર્શી છે-સત્ય અસત્યનો જાણકાર છે, જે સદા પોતાનાં જ્ઞાન, તપ અને સંયમનાં કર્તવ્યો વિશે મોહ વગરનો છે, તથા પાપનો નાશ કરવાના સંકલ્પ સાથે તપ તપીને જે પોતાના પુરાણાં પાપોને ખંખેરી નાખે છે અને મન, વચન તથા શરીરને સંયમમાં રાખે છે તેને ભિક્ષુ' કહેવો. (ર૭૨) ના રૂદિ વહેં દિગ્ગા,
न य कुप्पे निहुइन्दिए पसन्ते । संजमे धुवं जोगेण जुत्ते,
___उवसंते अविहेडए जे स भिक्खू ॥४॥ ર૭૨. લડાઈ-ઝઘડો થાય એવી-કથા-વાત-જ જે કરતો નથી, કોઈના ઉપર ગુસ્સો કરતો નથી, પાંચે ઈદ્રિયોને સંયમમાં રાખનાર છે, શાંત વૃત્તિવાળો છે, જેનાં મન, વચન અને શરીર ધ્રુવપણે સંયમમાં જ જોડાયેલાં છે, કોઈ નિમિત્તને લીધે જે ગભરાતો નથી-ઉપશાંત છે અને કોઈનો અનાદર કરતો નથી, તેને "ભિક્ષુકહેવો.
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૮૪
મહાવીર વાણી (ર૭૩) નો સદગુ પામવા ,
મોસ-વહાર-તળાજા મય-વ-સદ્-પદાસે,
समसुह-दुक्खसहे अ जे स भिक्खू ॥५॥ ૨૭૩. સ્પર્શ, જીભ, નાક, આંખ તથા કાન અને મન; એમને અણગમતા વિવિધ પ્રસંગો આવતાં જે શાંત ભાવે સહન કરે છે અર્થાત્ કોઈ ગુસ્સો કરે-વઢે, કોઈ માર મારે કે કોઈ તિરસ્કાર-અપમાન કરે તે તમામને શાંત ભાવે જે સહન કરે છે તથા ભયંકરમાં ભયંકર શબ્દોને અને ભયાનક અટ્ટહાસવાળા અવાજોને જે સમભાવે સહન કરે છે, સુખોને પણ સમભાવે સહે છે તેમ જ દુઃખોને પણ સમભાવે જે સહે છે તેને ‘ભિલું કહેવો. (ર૭૪) મૂળ વેT પરીસાવું,
સમુનારૂપદાસ માણ विइत्तु जाई-मरणं महब्भयं,
तवे रए सामणिए जे स भिक्खू ॥६।। ૨૭. સંયમની સાધનામાં વિમ્બરૂપ આવતા પરિષદોને શરીર વડે સમભાવે સહન કરે છે અને એ રીતે સહન કરીને, એ પરિષદોને હઠાવીને આ પ્રપંચમય વાતાવરણમાંથી પોતાને જે બચાવતો રહે છે, અને જન્મ-મરણના ફેરાને મહાભયરૂપ સમજીને શ્રમણધર્મને દઢ કરનારા તપમાં જે તત્પર રહે છે તેને ભિક્ષુ કહેવો. (૨૭) હથi[ gi,
वायसंजए संजइन्दिए।
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૮૫
૧૮૫
ભિક્ષુ-સૂત્ર अज्झप्परए सुसमाहिअप्पा,
सुत्तत्थं च वियाणइ जे स भिक्खू ॥७।। ૨૭૫. હાથે જે સંયમપૂર્વકના વર્તનવાળો છે, એ જ રીતે પગે અને વચને તથા ઈદ્રિયો દ્વારા સુધ્ધાં સંયમપૂર્વકના વર્તનવાળો અધ્યાત્મભાવમાં જે તત્પર છે, જેનો આત્મા સુસમાહિત છે અને સૂત્રના અર્થને બરાબર જે જાણે છે તેને ભિક્ષુ કહેવો. (२७६) उवहिम्मि अमुच्छिए अगिद्धे,
__ अन्नायउंछं, पुलनिप्पुलाए । कयविक्कयसन्निहिओ विरए,
सव्वसंगावगए य जे स भिक्खू ॥८॥ ૨૭૬. સંયમની સાધના માટે જરૂરી એવાં સાધનોમાં ય જે આસક્ત ન હોય, ખાવાપીવામાં લાલચુ ન હોય, અજાણ્યાં કુટુંબોમાં ફરી ફરીને ઉછવૃત્તિથી નિર્દોષ ભિક્ષા મેળવતો હોય, સંયમને બગાડનારા દોષોથી દૂર ભાગતો હોય, ખરીદ કરવું, વેચવું અને ભેગું કરવું એ ત્રણેથી અટકેલો હોય તથા રાગવાળા તમામ સંબંધોથી દૂર ને દૂર રહેતો હોય તેને ભિક્ષુ કહેવો. (ર૭૭) નોન સિલ્વર રસેસુ ખિ,
उंछं चरे जीविय नाभिकंखे। इडिंढ च सक्कारण-पूयणं च,
चए ठियप्पा अणिहे जे स भिक्खू ॥९॥ ૨૭૭. ભિક્ષુ થયા પછી જે અચપળ રહે છે, રસોનો લાલચુ નથી, ભિક્ષા સારુ ઉછવૃત્તિથી ફરતો રહે છે, જીવવા વિશે મોહવાળી તત્પરતા
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૮૬
મહાવીર વાણી દાખવતો નથી, પોતાના ધામધૂમ, સત્કાર, સામૈયાં અને પૂજાનો ત્યાગ કરે છે, જેનો આત્મા સ્થિર છે અને આકાંક્ષા વગરનો છે તેને ખરો "ભિક્ષુ કહેવો. (૨૭૮) રપ વડ઼જ્ઞાતિ ગર્વ યુરીને,
जेणं च कुप्पेज न तं वएजा। जाणिय पत्तेयं पुण्ण-पावं,
अत्ताणं न समुक्कसे जे स भिक्खू ।।१०।। ૨૭૮. “આ કુશીલ છે' એમ જે બીજાને ન કહેતો હોય, સામો માણસ જેથી ક્રોધે ભરાય એવાં વચન ન બોલતો હોય, પ્રત્યેક આત્મા પોતે કરેલાં મુખ્ય કે પાપનાં સંસ્કાર પ્રમાણે ઘડાય છે એમ જે જાણતો હોય અને તેથી જ જે પોતાની જાતનો ગર્વ-બડાઈ-ન કરતો હોય તેને ભિલું કહેવો. (ર૧) નીરૂમ વમત્તે ,
રત્નમમ ન સુ કરે ! मयाणि सव्वाणि विवजइत्ता,
धम्मज्झाणरए जे स भिक्खू ॥११॥ ૨૭૯. હું અમુક ઉત્તમ જાતનો છું એમ જે જાતિમદ ન કરતો હોય, હું ઘણો રૂપાળો છું” એમ જે રૂપમદ ન કરતો હોય, ‘મને જ્યારે જે જોઈએ તે બધું બરાબર મળ્યા કરે છે એમ જે લાભનો મદ ન કરતો હોય, હું જ ખુબખુબ શાસ્ત્રોને ભણેલ છું એમ જે શાસ્ત્રજ્ઞાનનો પણ મદ ન કરતો હોય-આ પ્રમાણે તમામ પ્રકારના મદોને જે તજતો રહેતો હોય અને ધર્મધ્યાનમાં સવિશેષ સાવધાન હોય તેને ભિક્ષુ' કહેવો.
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૮૭
ભિક્ષુ-સૂત્ર (૨૮૦) વેવ, મન મહામુurt,
___ धम्मे ठिओ ठावयई परं पि । निक्खम्म वज्जेज कुसीललिंगं,
न यावि हासंकुहए जे स भिक्खू ॥१२।। ૨૮૦. જે મહામુનિ આર્યપદનો-આર્યમાર્ગનો જાણકાર હોય વા ઉપદેશક હોય અને તેમ કરીને પોતે સંયમધર્મમાં સ્થિર રહેતો હોય અને બીજાને પણ સંયમ ધર્મમાં સ્થિર રાખતો હોય, ઘર બહાર નીકળ્યા પછી એટલે સંસારના પ્રપંચનો ત્યાગ કર્યા પછી દુરાચારીનો વેશ ધારણ ન કરતો હોય તથા કોઈની હાંસી-ઠઠ્ઠામશ્કરી ન કરતો હોય તેને ભિક્ષુ' કહેવો. (૨૨) તે વેઢવાણં મધુરું પાડ્યું,
सया चए निच्चहियट्ठियप्पा। छिंदित्तु जाईमरणस्स बंधणं, उवेइ भिक्खू अपुणागमं गई ॥१३।।
(૮૦ ૫૦ ૨૦, ૦ ૧,૬,૭,૨૦,૨૨,૨૪-૨૨) ૨૮૧. જે ભિક્ષુ નિત્ય નિત્ય પોતાના આત્માનું હિત કરવામાં સ્થિર રહેતો હોય તથા આ દેહવાસને અશુચિ અને અનિત્ય સમજીને તે તરફ મમતા ન રાખી દેહનો સદુપયોગ કરતો હોય અને તેમ કરતાં પ્રસંગ આવતાં તેને તજી દેવા માટે પણ તત્પર હોય એવો તે ભિક્ષુ બંધનરૂપ જનમ-મરણના ફેરાને કાપી નાંખીને; જે સ્થિતિએ પહોંચ્યા પછી ફરી વાર આવાગમન નથી થતું એ સ્થિતિએ પહોંચી જાય છે – નિર્વાણ પામે છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૮૮
મહાવીર વાણી ૧. ભિક્ષુસૂત્ર સાથે ધમ્મપદનો પચીસમો આખો ય ભિક્ષવર્ગ સરખાવવા જેવો છે. ૨. ભિક્ષુ - સરખાવો ધમ્મપદ દસમો દંડવર્ગ સ્લો ૧૪:
अलंकतो चेपि समं चरेय्य संतो दंतो नियतो ब्रह्मचारी। सव्वेसु भूतेमु निधाय दंडं
सो ब्राह्मणो सो समणो स भिक्खु ॥ વસ્ત્રથી અલંકૃત હોય તો પણ જે સમભાવે વર્તે છે, શાંત દાંત નિયમવંત અને બ્રહ્મચારી છે, તમામ જીવો તરફ જેણે દંડને-હિંસાને-છોડી દીધો છે તે બ્રાહ્મણ છે, તે શ્રમણ છે અને તે ભિક્ષુ છે. જુઓ બ્રાહ્મણસૂત્ર ટિપ્પણ દ, ભિક્ષુ થવાતું નથી.
૩. હાથે સંયમવાળો - સરખાવો ઘમ્મપદ પચીસમો ભિસુવર્ગ સ્લો૩, ૪, ૨, ૧:
हत्थसंयतो पादसंयतो वाचाय संयतो संयतुत्तमो। अज्झत्तरतो ममाहितो एको संतुसितो तमाहु भिक्खुं ।। यो मुखसंयतो भिक्खु मंतभाणी अनुद्धतो। अत्थं धम्मं च दीपेति मधुरं तस्स भासितं ॥ कायेन संवरो साधु साधु वाचाय संवरो । मनसा संवरो साधु साधु सव्वत्थ संवरो । सव्वत्थ संवुतो भिक्खु सव्वदुक्खा पमुच्चति ।। चक्खुना संवरो साधु साधु सोतेन संवरो।
घाणेन संवरो साधु साधु जिव्हाय संवरो ।। હાથે સંયમવાળો, પગે સંયમવાળો, વાણીમાં સંયમવાળો, ઉત્તમપ્રકારે સંયમી, અધ્યાત્મમાં પરાયણ, સમાધિવાળો, એકલો અને સંતોષી હોય તેને ભિક્ષુ કહેવામાં આવે છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
ભિક્ષુ-સૂત્ર
૧૮૯ જે મુખનો સંયમવાળો છે, વિચારીને બોલનારો છે, અનુદ્ધત છે-ચપળતા વિનાનો છે તે અર્થને અને ધર્મને દીપાવે છે અને તેનું બોલવું મધુર હોય છે.
કાયાનો સંવર-સંયમ-સારો, વાણીનો સંવર સારો, મનનો સંવર સારો અને સર્વત્ર સાચવવામાં આવતો સંવર સારો. એમ છે તેથી સર્વત્ર સંવરને સાચવનાર ભિક્ષ તમામ દુઃખથી છૂટી જાય છે.
આંખનો સંવર સારો, કાનનો સંવર સારો, નાકનો સંવર સારો અને જીભનો સંવર સારો.
૪. પૂજાનો ત્યાગ કરે છે - સરખાવો ધમ્મપદ પાંચમો બાલવર્ગ ઊો ૧૪,૧૫,૧૬:
असतं भावनमिच्छेय्य पुरेक्खारं च भिक्खुसु । आवासेसु इस्सरियं पूजा परकुलेसु च ।। ममेव कतं मजंतु गिही पव्वजिता उभो । ममेवातिवसा अस्सु किच्चाकिच्चेसु किस्मिचि । इति बालस्स संकप्पो इच्छा मानो च वड्ढति ।। अज्ञा हि लाभूपनिसा अञा निव्वानगामिनी। एवमेतं अभिज्ञाय भिक्खु बुद्धस्स सावको।
सक्कारं नाभिनंदेय्य विवेकमनुब्रूहये ॥ ‘જે સુંદર ભાવના પોતામાં નથી છતાં તે પોતામાં છે એમ લોકો માને છે” એવું જે ઈચ્છે, તથા ભિક્ષુઓ પોતાનો ખૂબ પુરસ્કાર-આદર-સત્કાર કરે એવું જે ઈચ્છે, જ્યાં પોતે રહેતો હોય ત્યાં પોતાનું ધાર્યું થાય એવું ઐશ્વર્ય જે ઈચ્છે, તથા બીજ કુલવાળાઓ ય પોતાની પૂજા કરે-માનસમાન કરે એવું જે ઈચ્છે છે. ૧૪
જે આ ગૃહસ્થો છે અને ભિક્ષુઓ છે તે બન્ને ય મારું જ કરેલું માને એટલે તેઓ મારી જ આજ્ઞા માને અને તે બધા કોઈ પણ પ્રકારનાં કરવાનાં
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૯૦
મહાવીર વાણી વા ન કરવાનાં કામકાજમાં મારે જ તાબે રહીને હું કહું તેમ કરે – આવું આવું જે છે તો તેની આ ઈચ્છાને બાલનો-અજ્ઞાનીનો–સંકલ્પ સમજવો તથા આવા સંકલ્પથી અજ્ઞાનીનાં તૃષ્ણા અને અહંકાર પણ વધુ વધે છે.
ધન, માલ, પૂજા, પ્રતિષ્ઠા, ઐશ્વર્ય વગેરેના લાભનો રસ્તો ય જુદો છે અને નિર્વાણ પામવાનો રસ્તો ય જુદો છે. એમ સમજીને બુદ્ધનો શ્રાવક સત્કાર સંમાનનું અભિનંદન ન કરે અને વિવેકનું ગૌરવ કરે એટલે એકાંતમાં રહીને અલિપ્ત ભાવનું મહત્ત્વ કરે.
સરખાવો છે. ખ્રિ, પ, ઉ, ૭ "તમે તમારી વાહવાહથી રખે કુલાતા; કારણ કે તેથી તમને સાધુતા પ્રાપ્ત નહિ થાય.”
સરખાવો હ, મ, ઈ. “અલ્લાએ મને હુકમ આપ્યો છે કે નમીને ચાલ અને નાનો બનીને રહે, જેથી કરીને કોઈ બીજાથી તું ઊંચો ન થઈ જાય, તેમ જ બીજા કરતાં મોટો હોવાનો ઘમંડ ન કરે”. - (પૃ ૧૩૮) ૫. આ કુશીલ છે - સખાવો ધમપદ દસમો દંડવર્ગ સ્લો. ૫:
मा वोच फरुसं कंचि वुत्ता पटिवदेय्यु तं।
કુક્ષી હિંસામથી પટિવં પુસે તં કોઈને કઠોર વચન ન કહીશ, જેને કહીશ તે, તને સામે કઠોર વચન કહેશે. સામું આવેલું કઠોર વચન દુઃખકર હોય છે. કઠોર વચન બોલવાથી તને સામો આઘાત થશે.
Page #238
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગ-સુત્ર
૧૯૧
मोक्खमग्ग-सुत्तं (૨૮૨) વહેં ?? વિકે? મારે? દંg?
कहं भुंजन्तो भासन्तो पावं कम्मं न बन्धई ? ॥१॥
| | ૨૩ |
મોક્ષમાર્ગ-સૂત્ર ૨૮૨. સાધક કેવી રીતે ચાલે છે કેવી રીતે ઊભો રહે? કેવી રીતે બેસે ? કેવી રીતે સૂવે? કેવી રીતે ખાય? અને કેવી રીતે બોલે ? જેથી તેને પાપકર્મનું બંધન ન થાય. (૨૮૩) ગયે વરે ગયં વિન્ટે મારે નર્વ સાસ
जयं भुंजन्तो भासन्तो पावं कम्मं न बन्धइ ।।२।। ૨૮૩. સાધક વિવેથી ચાલે, વિવેકથી ઊભો રહે, વિવેકથી બેસે, વિવેકથી સૂવે, વિવેન્થી ખાય અને વિવેથી બોલે તો તેને પાપકર્મનું બંધન ન થાય. (२८४) सव्वभूयप्पभूयस्स सम्मं भूयाइं पासओ ।
पिहियासवस्स दन्तस्स पावं कम्मं न बन्धइ ।।३।। ૨૮૪. નાનામોટા તમામ જીવોને તે પોતાના આત્મા સમાન બરાબર સમજતો હોય અર્થાત્ પોતે સર્વભૂતમય છે” એમ બરાબર જે જાણતો હોય, જેને મારા તારાનો ભેદ વા પારકા પોતાનાનો ભાવ મુદ્દલ નથી એવાને તથા ઈદ્રિયનિગ્રહી અને ફરી વાર ન ઊખળે એ
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૯૨
મહાવીર વાગી રીતે દોષસ્થાનોને ઢાંકી દેનારા સાધકને પાપકર્મનું બંધન થતું નથી. (२८५) पढसं नाणं तओ दया एवं चिट्ठइ सव्वसंजए।
अन्नाणी किं काही किंवा नाहिइ छेय-पावगं ? ॥४॥ ૨૮૫. સાધનામાં પ્રથમ સ્થાન જ્ઞાનનું છે અને તે પછીનું સ્થાન દયાનું છે. આ રીતે એટલે પહેલાં જાણકાર થયા પછી જ અહિંસાના વ્રતને સ્વીકારીને તમામ સંયમી સાધકો પોતાના સંયમ ઉપર ખડા રહી શકે છે. અજ્ઞાની શું કરી શકે? અર્થાત્ જ્ઞાન વગરનો સાધક દયાપ્રધાન સંયમને શી રીતે પાળી શકે? અથવા આ શ્રેય છે’ અને ‘આ અશ્રેય છે - પાપ છે', એમ અજ્ઞાની શી રીતે જાણી શકે? (૨૮૬) તોડ્યા નાઝુ ફ્લાઈ તોડ્યા ના રૂપાવા
उभयं पि जाणइ सोच्चा, जं छेयं तं समायरे ॥५॥ ૨૮૬. સાધક, સંત પુરુષોનાં વચનોને સાંભળીને શ્રેયકર માર્ગને જાણી શકે છે. એ જ રીતે (સંત પુરુષોનાં વચનોને) સાંભળીને પાપકર માર્ગને પણ જાણી શકે છે. એ બંને માર્ગને સાંભળ્યા પછી જ તેમનું ખરું જ્ઞાન મળી રહે છે. માટે પ્રથમ શ્રવણ તરફ લક્ષ્ય કરવું અને પછી મનન તરફ સાવધાન બનવું. આમ કર્યા પછી જે શ્રેયરૂપ માર્ગ છે તેનું આચરણ કરવું. (૨૮૭) નો નીવે વિરાછડું, મનીષે વિ રગાર્ડ
जीवाऽजीवे अयाणंतो कहं सो नाहिइ संजमं? ॥६॥ ૨૮૭. ચેતન તત્ત્વને-જીવોને પણ જે જાણતો નથી અને અજીવોને પણ જે જાણતો નથી, તો પછી, આવોને અને અજીવોને ન જાણતો -
Page #240
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગ-સૂત્ર
૧૯૩ ન ઓળખતો એવો તે – સંયમના માર્ગને શી રીતે જાણી શક્વાનો? (૨૮૮) ન નીવે વિવિયા, મનીષે વિવિયાળ
जीवाऽजीवे वियाणंतो, सो हु नाहिइ संजमं ।।७।। ૨૮૮. જે જીવોને પણ બરાબર જાણે છે અને અજીવોને પણ બરાબર જાણે છે, એમ જીવો અને અજીવોને બરાબર જાણતો એવો તે ખરેખર સંયમના માર્ગને સમજી શકે છે. (૨૮૨) વમળી, જે વિવિયા TI.
तया गई बहुविहं, सव्वजीवाण जाणइ ॥८॥ ૨૮૯. જ્યારે જીવ તત્ત્વ અને અજીવ તત્વ એ બન્નેને પણ જે સારી રીતે સમજે છે ત્યારે તે, તમામ જીવોની બહુ પ્રકારની ગતિને પણ બરાબર સમજી શકે છે અર્થાત્ જીવો પોતપોતાના વિવિધ સંસ્કારોને લીધે વિવિધ જન્મો ધારણ કરે છે તે હકીકત તેના ધ્યાનમાં આવે છે. (२९०) जया गई बहुविहं सव्वजीवाण जाणइ।
तया पुण्णं च पावं बंधं मोक्खं च जाणइ ॥९।। ૨૯૦. જ્યારે તમામ જીવોની બહુ પ્રકારની ગતિને જે જાણે છે તે જ, પુણ્ય અને પાપના તથા બંધ અને મોક્ષના સ્વરૂપને સમજી શકે છે. (२९१) जया पुण्णं च पावं च बंधं मोक्खं च जाणइ।
तया निविंदए भोए जे दिव्वे जे य माणुसे ॥१०॥ ૨૯૧. જ્યારે પુષ્ય અને પાપનું તથા બંધ અને મોક્ષનું સ્વરૂપ બરાબર જાણવામાં આવે છે, ત્યારે જ સ્વર્ગીય ભોગો તરફ તથા માનવી ભોગો તરફ અરુચિ થાય છે - કંટાળો આવે છે; અર્થાત તે બન્ને
WWW.jainelibrary.org
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૯૪
મહાવીર વાગી જાતના ભોગો સાર વગરના છે' એમ બરાબર સમજાય છે. (२९२) जया निव्विंदए भोए जे दिव्वे जे य माणुसे।
तया चयइ संजोगं सन्भिन्तरबाहिरं ॥११॥ ૨૯૨. જ્યારે સ્વર્ગીય ભોગો ય સાર વગરના છે અને માનવી ભોગો ય સાર વગરના છે એમ બરાબર સમજમાં આવે છે, ત્યારે જ રાગપોથી થતો આંતર સંબંધ અને બહારનો પણ સંબંધ આપોઆપ છૂટી જાય છે – તજી દેવાય છે. (२९३) जया चयइ संजोगं सब्भिन्तरबाहिरं ।
तया मुण्डे भवित्ताणं पव्वयइ अणगारियं ।।१२।। ૨૯૩. જ્યારે રાગદ્વેષોથી થતો આંતર સંબંધ અને બહારનો સંકુચિત કૌટુંબિક સંબંધ પણ આપોઆપ છૂટી જાય છે ત્યારે સાધક, માથું મુંડાવીને - સઘળા શણગાર છોડી દઈને અનગર ભાવની પ્રવ્રયાને સ્વીકારે છે - અનગારની જેમ અનાસક્ત થઈને રહે છે. (२९४) जया मुण्डे भवित्ताणं पव्वयइ अणगारियं ।
तया संवरमुक्टुिं धम्मं फासे अणुत्तरं ॥१३।। ૨૯૪. જ્યારે તે, માથું મુંડાવીને અને મનને પણ મુંડાવીને અનગાર ભાવની પ્રવ્રજ્યાને સ્વીકારે છે ત્યારે જ ઉત્તમોત્તમ સંવરરૂપ ધર્મને સ્પર્શી શકે છે-અડકી-આચરી-શકે છે; અર્થાત્ ત્યારે જ અનાસક્ત રહીને પોતાની જીવનયાત્રાને બરાબર નભાવી શકે છે. (२९५) जया संवरमुक्किटं धम्मं फासे अणुत्तरं ।
तया धुणइ कम्मरयं अबोहिकलुसं कडं ॥१४॥
Page #242
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગ-સૂત્ર
૧૯૫ ૨૫. જ્યારે અનાસક્ત રહીને પોતાની જીવનયાત્રાને બરાબર નભાવી શકે છે ત્યારે જ તે અજ્ઞાનને લીધે જે જે ઘણા જૂના એવા રાગદ્વેષમય જે સંકુચિત સંસ્કારો ચિત્તમાં પડેલા હોય છે તે તમામને ખંખેરી કાઢે છે. અર્થાત્ અનાસકત ભાવે રહેનારના જીવનમાં જ અહિંસા વગેરેના આચારો વણાઈ જતાં પછી ચિત્તમાં વિશ્વબંધુત્વનો ભાવ પ્રગટ થાય છે, અને એમ થયા પછી મારુતારું અથવા પોતાનું પારકું એવો ભાવ આપોઆપ છૂટી જાય છે. (२९६) जया धुणइ कम्मरयं अबोहिकलुसं कडं ।
तया सव्वत्तगं नाणं दंसणं चाभिगच्छइ ।।१५।। ૨૯૬. જ્યારે અજ્ઞાનને લીધે પેદા થયેલા ઘણા જૂના રાગદ્વેષમય એવા સંકુચિત સંસ્કારોને ચિત્તમાંથી ખંખેરી કાઢે છે ત્યારે જ તે સર્વવ્યાપી જ્ઞાનને અને સર્વવ્યાપી દર્શનને મેળવી શકે છે. (२९७) जया सव्वत्तगं नाणं दंसणं चाभिगच्छद।
तया लोगमलोगं च जिणो जाणइ केवली ॥१६॥ ૨૭. સર્વવ્યાપી જ્ઞાનને અને સર્વવ્યાપી દર્શનને જ્યારે મેળવી શકે છે ત્યારે જ તે, જિન થાય છે - રાગદ્વેષો ઉપર સંપૂર્ણ જય મેળવે છે, કેવળી થાય છે કેવળ આત્મામય થાય છે અને લોક તથા અલોકના સ્વરૂપને જાણી શકે છે. (२९८) जया लोगमलोगं च जिणो जाणइ केवली।
तया जोगे निलंभित्ता सेलेसिं पडिवजइ ।।१७।। ૨૯૮. જ્યારે જિન થાય છે, કેવળી થાય છે અને લોક તથા અલોકના ,
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૯૬
મહાવીર વાણી સ્વરૂપને જાણી લે છે ત્યારે જ તે પોતાના મનની, પોતાના વચનની અને પોતાની કાયાની તમામ પ્રવૃત્તિઓને રોકી ઈને શૈલેશી દશાને એટલે હિમાલય પર્વત જેવી સ્થિર દશાને - અપ દશાને પામે છે. (૨૨૨) ૪ નો નિમિત્તા મેનેજિં ઘડિવના
तया कम्मं खवित्ताणं सिद्धिं गच्छइ नीरओ ।।१८।। ૨૯. જ્યારે પોતાના મનની, પોતાના વચનની અને પોતાની કાયાની તમામ પ્રવૃત્તિઓને રોકી દઈને શૈલેશી દશાને પામે છે ત્યારે જ પોતાના તમામ મલિન સંસ્કારોનો-સંકુચિત સંસ્કારોનો-સમૂળ નાશ કરીને પૂર્ણ નિર્મળ થયેલો તે સિદ્ધિને પામે છે. (३००) जया कम्मं खवित्ताणं सिद्धिं गच्छइ नीरओ।
तया लोगमत्थयत्थो सिद्धो हवइ सासओ ।।१९।। ૩૦૦. અને જ્યારે પોતાના તમામ મલિન સંસ્કારોનો સમૂળ નાશ કરીને પૂર્ણ નિર્મળ થયેલો સાધક સિદ્ધિને-કૃતકૃત્યતાને-પામે છે ત્યારે જ તે, સમગ્ર લોકના માથા ઉપર રહેનારો એવો શાશ્વત સિદ્ધ બને છે. અર્થાત્ કૃતકૃત્યતાના ભાવને પામેલો સાધક સમસ્ત લોકનો શિરોમણિ બને છે અને કાયમી – જેનો કદી વિનાશ નથી એવો - સિદ્ધ બને છે. (३०१) सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स ।
उच्छोलणापहाविस्स दुल्लहा सोग्गई तारिसगस्स ।।२०।। - ૩૦૧. જે શ્રમણ, કેવળ પોતાના શરીરનાં સુખોનો જ સ્વાદિયો
છે, તે માટે જ વ્યાકુળ રહ્યા કરે છે અને જ્યારે જુઓ ત્યારે ખૂબ
WWW.jainelibrary.org
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૯૩
મોક્ષમાર્ગ-સૂત્ર
ખાઈ પીને રાતો માતો થઈ પથારીમાં લંબાવ્યા કરે છે તથા શરીરની જ સાસૂફી માટે ચારે બાજુ દોડ્યા કરે છે, એટલે હાથ સાફ કરવા સારું, પગ સાફ કરવા સારુ, મુખ સાફ કરવા સારું, વાળ સાફ કરવા સારુ, કપડાં સાફ કરવા સારુ તથા સુંદર દેખાવા સારુ; એમ વિવિધ પ્રવૃત્તિઓ માટે જ તલપાપડ થયા કરે છે તેવા શ્રમણને માટે જીવઅજીવનું જાણપણું કે બંધમોક્ષની સમજ હોવી ય ભારે દુર્લભ છે. તો પછી સુગતિની કે સિદ્ધ થવાની તો શી વાત ?
(३०२) तवोगुणपहाणस्स उज्जुमइखन्तिसंजमरयस्स ।
परीसहे जिणन्तस्स सुलहा सोग्गई तारिसगस्स ॥ २१ ॥ (૬૦ ૬૦ ૪, T૦ ૭-૨૭)
૩૦૨. જે શ્રમણની સાધના તપપ્રધાન છે, એટલે જે શ્રમણ સંકલ્પપૂર્વક મનને, વચનને અને શરીરને રાગદ્વેષોથી કોરાં રાખે છે અને એ જ સાધ્યની સિદ્ધિ માટે તમામ પ્રકારનો શ્રમ કરે છે, સરળ બુદ્ધિનો છે, ક્ષમાવાન છે અને નિરંતર સંયમને કેળવવામાં જ લક્ષ્યવંત છે તથા એમ સાધના કરતાં કરતાં જે કોઈ પરિષહો આવી પડે, વિઘ્નો આવી પડે તેના ઉપર સદા જય મેળવતો રહે છે - વિઘ્નોથી કદી પાછો હતો નથી તેવો જ શ્રમણ જીવઅજીવનો જાણ કહેવાય, બંધમોક્ષના સ્વરૂપને સમજનારો ગણાય અને એવા શ્રમણને માટે સિદ્ધ થવું કાંઈ કઠણ નથી; ઊલ્ટું ભારે સુલભ છે.
૧. જૈન પરંપરામાં એક એવી કલ્પના રૂઢ થયેલ છે કે પ્રવૃત્તિ માત્ર બંધનનું કારણ છે. આ કલ્પના જે અપેક્ષાએ નિરાધાર છે તે અપેક્ષા આ સૂત્રમાં ચર્ચેલ છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૦૮
મહાવીર વાણી * ૨. કેવી રીતે ચાલે - સરખાવો ગીતાના અધ્યાય બીજાનો ચોપનમો શ્લોક લોકો એમ માની બેઠેલા છે કે સ્થિર બુદ્ધિવાળા સમાધિમાં રહેનાર ત્યાગપરાયણ મનુષ્યો તો કશી પ્રવૃત્તિ નહીં કરતા હોય, એઓ તો માત્ર પડ્યા રહેતા હશે. તે વાતનું નિરાકરણ કરવા ગીતામાં આ રજૂઆત થયેલ છે. નીચેના શ્લોકોમાં જણાવેલ છે કે સમાધિમાં સ્થિર રહેલા સ્થિતપ્રજ્ઞ પુરુષની ભાષા કેવી હોય? તે કેવી રીતે બોલે ? કેવી રીતે બેસે? અને કેવી રીતે ચાલે?
स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव!।
स्थितधी: किं प्रभाषेत किमासीत व्रजेत किम् ? || તે જ રીતે આ પ્રસ્તુત ૨૮રમા પદ્યમાં એમ પૂછવામાં આવેલ છે કે, સાધક મનુષ્ય કેમ ચાલે? કેમ ઊભો રહે? કેમ બેસે ? કેમ સૂવે? કેમ ખાય? અને કેમ બોલે? તો પાપકર્મનું બંધન ન થાય.
આના ઉત્તરમાં ગીતાના એ જ અધ્યાયમાં શ્લોક પંચાવનથી બોતેર સુધી જે કાંઈ કહેવામાં આવેલ છે તે જ હકીકત અહીં બીજા અને ત્રીજા પદ્યમાં સંક્ષેપમાં કહેવામાં આવેલ છે.
૩. આત્માસમાન - આ માટે પદ્યમાં મૂળ ધ્વમૂયમૂ- (સર્વભૂતાત્મમૂત અથવા સર્વભૂતાત્મયૂય) શબ્દ છે. સરખાવો ગીતા અ, ૫, શ્લો, ૭ :
योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः ।
सर्वभूतात्मभूतात्मा कुर्वनपि न लिप्यते ॥ યોગયુક્ત, વિશુદ્ધ આત્મા, જેણે આત્મા ઉપર તથા ઈદ્રિયો ઉપર વિજય મેળવેલ છે તે વિજિત આત્મા, જિતેંદ્રિય અને જેનો આત્મા પ્રાણી માત્રના આત્મારૂપ બની ગયેલ છે એટલે જે સર્વાત્મભાવને પામેલ છે-અભેદાનુભવી છે તે, પ્રવૃત્તિને કરતો છતાં ય લેપાતો નથી તથા સરખાવો ગીતા અ, ૬, શ્લો. ર૯ :
Page #246
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગ-સૂત્ર
सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ।
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥ તથા સરખાવો ૩ર :
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन !।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ।। જે યોગયુકત આત્મા છે, જે સમદર્શી છે તે, પોતાના આત્માને તમામ પ્રાણીઓના આત્મામાં રહેલો જુએ છે અને પોતાના આત્મામાં તમામ પ્રાણીઓના આત્માને રહેલો જુએ છે.
હે અર્જુન ! જે યોગી પોતાના આત્માની સાથે સરખામણી કરીને સર્વત્ર એકસરખું જુએ છે, પછી તે સુખ હોય કે દુ:ખ હોય. આવો સમદર્શી યોગી સૌથી ઉત્તમ છે. ૪. પ્રથમ સ્થાન - સરખાવો ગીતા અ, ૪, શ્લો, ૩૮,૩૯,૪૦:
नहि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते । આ જગતમાં જ્ઞાનના જેવું બીજું કોઈ પવિત્ર નથી.
श्रद्धावान् लभते ज्ञानं तत्पर: संयतेन्द्रियः।
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥ શ્રદ્ધાવાળો, તત્પર અને જિતેંદ્રિય મનુષ્ય જ્ઞાનને પામે છે, જ્ઞાન પામીને, શીધ્ર પરમ શાંતિને પ્રાપ્ત કરે છે.
अज्ञश्च अश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥ જે અજ્ઞાની છે, શ્રદ્ધા વિનાનો છે, જે સંશયવાળા મનવાળો છે તેનો નાશ થાય છે. સંશયવાળા મનવાળાને નથી આ લોક, નથી પરલોક કે નથી સુખ. ૫. સાંભળીને - સરખાવો ગીતા અ, તેરમો, શ્લો, ૨૫:
अन्ये त्वेवमजानन्तः श्रुत्वाऽन्येभ्य उपासते। तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः ॥
WWW.jainelibrary.org
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૦
મોક્ષમાર્ગ-સૂત્ર અર્થાતુ જે લોકોને આ પ્રકારની સમજણ નથી એવા અજાણ્યા બીજા લોકો, એવી સમજણ ધરાવનારા પાસેથી સાંભળીને આત્મા વિશે વિચાર કરે છે અને એ રીતે સાંભળવામાં તત્પર બનેલા તેઓ પણ મૃત્યુને તરી જ જાય છે.
જેમ મહાવીરવાણીના આ પદ્યમાં શ્રવણને કલ્યાણના જ્ઞાનનું અને અકલ્યાણના જ્ઞાનનું કારણ બતાવ્યું છે તેમ ગીતામાં પણ ઉપરના પદ્યમાં શ્રવણની અગત્ય ઉપર ભાર મૂક્યો છે અને તેને મૃત્યુને તરી જવાનું નિમિત્ત બતાવ્યું છે. ૬. શરીરનાં સુખોનો જ - સરખાવો ધમ્મપદ ત્રેવીસમો નાગવર્ગ સ્લો :
मिद्धी यदा होति महाघसो च निदायिता संपरिवत्तसायी।
महावराहो व निवापपुट्ठो पुनप्पुनं गब्भमुपेति मंदो ॥ જે સાધક મંદ હોઈન એદી હોય, ખાઉધરો હોય, પાસાં ફેરવી ફેરવીને ઊંઘનારો હોય, ખાણ ખાઈ ખાઈને મોટા ડુકકર જેવો મહાપુટ થયેલો હોય તે વારંવાર જનમમરણના ફેરાને પામે છે.
૭. સરખાવો ઈ. ખ્રિ, ૫, ઉ ર “આ સંસારમાં જે દીન, દુઃખી, નમ્ર, સ્વધર્મના ભૂખ્યા, દયાવંત, પવિત્ર મનના અને શાંતિ અને સંપને વધારવાવાળા છે તે જ ખરેખરા ધન્ય છે; એ જ મોક્ષના અધિકારી છે; એ જ શાંતિ પ્રાપ્ત કરી શકવાના છે."
સરખાવો હક મઈ“હું કહું છું કે કોઈ માણસ જે શાંત, સદાચારી અને બીજાના સુખે સુખી રહે છે તે નરકમાં નથી જતો.” (પૃ-૧૩૯).
Page #248
--------------------------------------------------------------------------
________________
જાતિમદનિવારણ સૂત્ર
૨૦૧
जातिमदनिवारण-सुत्तं (३०३) एगमेगे खलु जीवे अईअद्धाए असई उच्चागोए,
ડું નીયા x x x x नो हीणे, नो अइरित्ते, इति संखाए के गोयावाई ? के माणाबाई ? कंसि वा एगे गिज्झे? तम्हा पंडिए नो हरिसे नो कुज्झे। भूएहिं जाण पडिलेह सायं समिए एयाणुपस्सी ॥१॥
(માથામાં સૂત્ર, દિ મધ્યયન, શg૦, મૂત્ર-૨-૩)
છે ૨૪
જાતિમદનિવારણ-સૂત્ર ૩૦૩. ભૂતકાળમાં આ એકેએક જીવ ખરેખર અનેક વાર ઊંચ ગોત્રમાં જન્મેલો છે, અને ખરેખર અનેક વાર નીચ ગોત્રમાં ય જન્મેલો છે. આ વાસ્તવિક હકીકતને ધ્યાનમાં રાખીએ તો પછી કોઈ પ્રાણી હીણો નથી – હલકો નથી – હલકી જાતનો નથી તેમ જ કોઈ ઊંચો નથી – ઊંચી જાતનો નથી. આવું બરોબર સમજ્યા પછી કોણ ગોત્રવાદી બને ? અર્થાત્ ગોવવાદને કોણ મહત્ત્વ આપે ? તેમ જ કોણ માનવાદી બને ? અર્થાત્ ગોત્રને લીધે અહંકારની વાત કોણ કરે – ઊંચા ગણાવાની વાત કોણ કરે? અથવા કેવળ ગોત્રને લીધે કોઈ એક પ્રાણી બીજા કોનામાં મમતા રાખે ? બીજા કયા પ્રાણીમાં રાગ રાખે? માટે ખરી વાત એમ છે કે પંડિત પુરુષે - સમજુ મનુષ્ય - કેવળ ગોવવાદને લીધે ક્યાંય ફુલાવું નહિ, તેમ જ કોઈ ઉપર ગુસ્સો કરવો નહિ - ધૂંઆપૂંઆ થવું નહિ. જે માનવો આ હકીકતને સ્વાનુભાવથી સમજે છે તેઓ
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૦૨
મહાવીર વાણી તમામ પ્રાણીઓ તરફ સુખદુઃખની સ્થિતિમાં સહાનુભૂતિવાળા રહે અને આમ જોનારા – વર્તનારા - જ માનવો સમદર્શી કહેવાય. (૩૦૪) ને મા વત્તિયના વા,
तहुग्गपुत्ते तह लेच्छई वा। जे पव्वइए परदत्तभोई,
गोत्ते ण जे थब्भति माणबद्धे ॥२॥ ૩૦૪. જે કોઈ મનુષ્ય, ભિક્ષુ થયેલો હોય અને બીજા પાસેથી ભિક્ષા મેળવીને પોતાની સંયમસાધના કરતો હોય તે, ભિક્ષુ થયા પહેલાં ભલેને બ્રાહ્મણ જાતનો હોય, ક્ષત્રિય જાતનો હોય, ઉગ્રવંશનો હોય કે કોઈ લિચ્છવીનો બેટો હોય તો પણ ભિક્ષુ થયા પછી પોતાની જાતનો, પોતાના ગોત્રનો ગર્વ ન કરે, - પોતાની જાતના કે પોતાના ગોત્રના અહંકારમાં બંધાયેલો ન રહે. (३०५) जे आवि अप्पं वसुमं ति मत्ता,
संखायवायं अपरिक्ख कुज्जा। तवेण वाऽहं सहिउ ति मत्ता,
अण्णं जणं पस्सति बिंबभूयं ॥३॥ ૩૦૫. “આ બીજા કોઈ સંયમવાળા નથી, ફક્ત એકલો હું જ સંયમવાળો છું એમ સમજીને જે ગર્વ કરે અને પોતાની જાતને પૂરી રીતે ઓળખ્યા વિના જે પોતાને જ્ઞાની માને અથવા પોતે એકલો જ તપસ્વી છે, અને આ જે બીજાઓ છે તે તો ખેતરમાં ઊભા કરેલા ઘાસના ચાયિાંનાં બીબાં છે એમ સમજે તે, 'શ્રમણ' નામને બિલકુલ લાયક નથી.
Page #250
--------------------------------------------------------------------------
________________
. આ
ચરણમાંથી સોયી બચાવી
અતિમદનિવારણ-સૂત્ર
૨૦૩ (३०६) न तस्स जाई व कुलं व ताणं,
णण्णत्थ विज्जाचरणं सुचिण्णं । णिक्खम्म से सेवइग्गारिकम्म,
ण से पारए होइ विमोयणाए ॥४॥ ૩૦૬. વિદ્યા એટલે જ્ઞાનસંપત્તિ અને આચરણસંપત્તિ એટલે સારી રીતે આચરેલા આચારોની સંપત્તિ. આ બે સિવાય બીજું કોઈ એવું ત્રીજું નથી જે ભિક્ષને દુરાચરણથી બચાવી શકે અર્થાત્ અભિમાની ભિક્ષુને તેના દુરાચરણમાંથી તેની જાત કે તેનું કુલ, મુદ્દલ બચાવી શકતું નથી. આવું ખરું સમજ્યા પછી પણ જે ભિક્ષુ જાતનું કે ગોત્રનું કે વંશનું કે કુળનું અભિમાન કરે અને એમ કરીને બીજા માનવોને હલકા માનવાનું પણ ન ભૂલે તે ભિક્ષુ, ભિક્ષુ નથી પણ ગૃહસ્થ છે – સંસારના પ્રપંચમાં પડેલો સંસારી છે, એટલું જ નહિ પણ તે (ભિક્ષુ), પોતાની જાતને રાગદ્વેષનાં બંધનોમાંથી મુકાવવાને ચ સમર્થ થઈ શકતો નથી. (૨૭) હિંડ્યા મિર્દૂ સુહનવી,
जे गारवं होइ सलोगगामी । आजीवमेयं तु अबुज्झमाणे, पुणो पुणो विप्परियासुवेति ॥५।। ૩૦૭. જે ભિક્ષુ અશ્ચિન છે, લૂખું – સૂકું ખાઈને પોતાની સાધના કરતો રહે છે છતાં ય જો તે, ગૃહસ્થોને ત્યાં ભિક્ષા માગવા છતાં પોતાની સુખ સગવડ માટે પોતાના ઊંચા ગણાતા કુળનો, વંશનો કે ગોત્રનો કે જાતનો ગૌરવ કરે છે અર્થાત્ પોતે અમુક ઉત્તમ કુળનો છે વા અમુક ઉત્તમ વંશનો છે વા અમુક ઉત્તમ ગોત્રનો છે વા અમુક ઉત્તમ જાતનો છે એવું કહેતો ફરી પોતાની બડાઈ બતાવી ખાવાપીવા વગેરેની સગવડ મેળવવા પ્રયાસ કરે છે તો તે સંયમમય આજીવિકાને બરાબર સમજ્યો જ નથી અને એમ અભિમાન કરતો તે વારંવાર ભુલાવામાં પડે છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૦૪
અર્થાત્ પેટભરો બની ધ્યેયને ભૂલી જાય છે. (३०८) पन्नामयं चेव तवोमयं च, णिनामए गोयमयं च भिक्खू | आजीवगं चेव चउत्थमाहु, से पंडिए उत्तमपोग्गले से || ६ ||
૩૦૮. જે સંયમપરાયણ ભિક્ષુ પ્રજ્ઞામદને નમાવે છે અર્થાત્ તદ્દન તજી દે છે તથા તપમદને નમાવે છે, ગોત્રમને નમાવે છે અને ચોથા આજીવિકાના મદને નમાવે છે તે ભિક્ષુ, પંડિત છે અને ઉત્તમ કોટિનો આત્મા છે.
(૩૦૧) વાડું મારૂં વિવિંચ ધીરા ! ण ताणि सेवंति सुधीरधम्मा । ते सव्वगोत्तावगया महेसी, उच्च अगोत्तं च गतिं वयंति ॥७॥
-
(સૂત્ર થ્રુ o, ૬૦ ૨૩, ૪૦ ૨૦,૮,૧૧,૧૨,?,૨૬) ૩૦૯. હે ધીર સાધક, તું એ તમામ મદોને કાપી નાખ – સમૂળગા દૂર કર. સુધીરતાના ધર્મને વરેલા સાધકો એ મદોને રાખતા નથી. તમામ ગોત્રોથી દૂર થયેલા તે મહર્ષિઓ ગોત્ર વગરની ઉત્તમ ગતિને પામે છે.
મહાવીર વાણી
૧. કોઈ જાતિ, કુળ કે વંશને લીધે કોઈ પણ મનુષ્યની ઉત્તમતા અથવા અનુત્તમતા વા સ્પૃશ્યતા વા અસ્પૃશ્યતા જૈનપરંપરામાં મૂળથી જ નહીં પણ બ્રાહ્મણોના સંસર્ગથી અને કાંઈક તેજસ્વિતાના અભાવે થોડા સમયથી તે પેસી ગઈ છે. ભગવાન મહાવીર તો એવું કાંઈ જ માનતા જ નહોતા. એ હકીકત આધાર સહિત સ્પષ્ટ કરવા આ સૂત્રની યોજના છે. વિશેષ સ્પષ્ટતા માટે જુઓ ૨૧મું બ્રાહ્મણ સૂત્ર.
||
Page #252
--------------------------------------------------------------------------
________________
સામણા-સૂત્ર
૨૬૫
खामणा - सुत्तं
( ३१०) सव्वस्स जीवरासिस्स भावओ धम्मनिहिअनि अचित्तो । सव्वे खमावइत्ता खमामि सव्वस्स अहयं पि ॥ १ ॥
૫ ૨૫ ૫
-
ક્ષામણા - સૂત્ર
૩૧૦, ધર્મપ્રવૃત્તિમાં અંત:કરણપૂર્વક સ્થિર થયેલો હું, મેં કરેલા અપરાધોની તમામ જીવો પાસે પહેલાં જ ક્ષમા માંગું છું અને પછી તેમણે કરેલા અપરાધોની તેમને ક્ષમા આપું છું.
( ३११) सव्वस्स समणसंघस्स भगवओ अंजलिं करिअ सीसे । सव्वे खमावइत्ता खमामि सव्वस्स अहयं पि ॥ २ ॥
૩૧૧, માથા ઉપર હાથ જોડીને નમ્રતાપૂર્વક સમસ્ત શ્રમણ સંઘની પાસે પહેલાં જ મારા અપરાધોની ક્ષમા માગું છું અને પછી તેમણે કરેલા અપરાધોની નત મસ્તકે તેમને ક્ષમા આપું છું.
(૩૨૨) આયર્િ સવન્ના સીતે સામ્મિદ્ ભ~ાળે ય । जे मे केइ कसाया सव्वे तिविहेण खामेमि ||३||
૨૦૫
( आवश्यक सूत्र आयरिअसू० गा० ३,२, १ ) ૩૧૨. આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, શિષ્યગણ, સાધર્મિક બંધુઓ, શ્રમણોનું કુળ તથા શ્રમણોનો ગણ એ બધા તરફ્ મેં જે કોઈ પ્રકારના ક્યાયભાવો દેખાડ્યા હોય – કોધ કર્યો હોય, અભિમાન બતાવ્યું હોય, લોભ કર્યો હોય અને માયા કપટ કર્યું હોય તો હું તે તમામ
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૦૬
મહાવીર વાણી
કપાયોને મન, વચન અને કાયાએ એમ ત્રિવિધે ત્રિવિધે ખમાવું છું.
( ३१३) खामेमि सव्वे जीवे सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूसु वेरं मज्झं न केाइ ॥४॥ (અવશ્ય સૂત્ર સંવિત્તુમૂ॰ T૦ ૪૬) ૩૧૩. હું તમામ વો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું અને એ તમામ જીવો મને પણ તેમના તરફના મારા અપરાધોની ક્ષમા આપો. તમામ જીવો તરફ મારો મૈત્રીભાવ છે અને મારે કોઈ પણ જીવની સાથે વેરઝેર નથી.
.
(३१४) जं जं मणेण बद्धं जं जं वायाए भासिअं पावं !
जं जं कारण कयं मिच्छा मि दुक्कडं तस्स ||५||
(आवश्यक सूत्र संथारासू० अंतिम गाथा) ૩૧૪. જે જે પાપપ્રવૃત્તિઓને મેં મનમાં સંકલ્પેલી હોય, જે જે પાપપ્રવૃત્તિઓને મેં વાણીથી કહી બતાવી હોય અને જે જે પાપપ્રવૃત્તિઓને મેં શરીર દ્વારા આચરી બતાવી હોય તે મારી તમામ પ્રવૃત્તિઓ અર્થાત્ તે મારાં તમામ પાપો - પાપમય આચરણો વિફળ બની જાઓ – મારું દુષ્કૃત મિથ્યા થાઓ - મિથ્યા મે દુષ્કૃતમ્ -
૧. ક્ષામણા એટલે ક્ષમા આપવી ખમાવવું અર્થાત્ પ્રાણી માત્ર સાથે સંબંધમાં આવતાં પોતાની જે જે ભૂલો થઈ હોય - મનથી, વચનથી કે શરીરથી જે પોતાના અપરાધો થયા હોય તેની ક્ષમા માગી લેવી અને ક્ષમા આપવી.
Page #254
--------------------------------------------------------------------------
________________
મામા-સૂત્ર
२०७ આ પદ્ધતિ વૈદિક પરંપરામાં અને પારસી ધર્મની પરંપરામાં પણ છે. સરખાવો.
करचरणकृतं वाक्कायजं कर्मजं वा
श्रवणनयनजं वा मानसं वाऽपराधम् । विहितम् अविहितं वा सर्वम् एतत् क्षमस्व
ગય નય રુપાળે ! શ્રીમહાદેવ શરમ ! | ૧
. (આશ્રમ ભજનાવલિ – સવારની પ્રાર્થના) હે કરુણાસાગર કલ્યાણકારી મહાદેવ ! જે અપરાધ હાથે થયો હોય, પગે થયો હોય, બોલવાથી થયો હોય, શરીરથી થયો હોય, કામ કરવાથી થયો હોય, કાન વડે થયો હોય, આંખ વડે થયો હોય, મન વડે થયો હોય, વિધિ કરતાં થયો હોય વા અવિધિને કારણે થયો હોય તે તમામ જાતના અપરાધ માટે મને ક્ષમા કરો, તારો જય જયકાર થાઓ.
ખોરદેહ અવેસ્તા નામના પારસી ધર્મગ્રન્થમાં પૃ ૧૦૮ ઉપર પતેત પશેમાની’ નામનું એક પ્રકરણ છે. તેમાં સર્વ પ્રકારના દુષ્ટ વિચારો (હર્વતીનું કુમતિ-સર્વ સુમંત) દુષ્ટ વચનો (કુન્ત-દુરુ) તથા દુષ્ટ વર્તન (કુઝુવા-યુવૃત્ત) જે મન સંબંધી હોય - (મન) વચન સંબંધી હોય – (વરની) અને કર્મ - કાર્ય - પ્રવૃત્તિ - સંબંધી હોય - (કુનર્ની) તથા જે અપરાધો શારીરિક હોય - (તની) આત્માને લગતા હોય - (રવીની) આ જગત સંબંધી હોય - (f) કે પરલોક સંબંધી હોય - (વીનોમાં) તે તમામની પરમેશ્વર પાસે મનથી, વચનથી અને શરીરથી ક્ષમા માગીને પવિત્ર થવાની હકીકત નોંધેલી છે.
૨. મૈત્રીભાવ - સરખાવો બૌદ્ધપરંપરાના લઘુપાઠમાં આવેલ મેસૂત્રના
શ્લોક:
माता तथा नियं पुत्तं सायुसा एकपुत्तमनुरक्खे। एवं पि सव्वभूतेसु मानसं भावये अपरिमाणं ॥
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૦૮
મહાવીર વાગી मेत्तं च सव्वलोकस्मिं मानसं भावये अपरिमाणं ।
उद्धं अधो च तिरियं य असंबाधं अवेरं असपत्तं ।। જેમ માતા પોતાના પુત્રને – એકના એક પુત્રને પોતાનું આયુષ્ય આપીને પણ બચાવે એ જ પ્રમાણે વિશાળ મન રાખીને તમામ જીવોના કલ્યાણની ભાવના કરવી જોઈએ.
ઉપર – ઊંચે નીચે અને તિરછે એમ આખા ય લોકમાં બાધા વગરનાં - વૈરવગરના અસાધારણ મિત્રતાયુક્ત વિશાળ ચિત્તની ભાવના રાખવી જોઈએ.
| માવતર-વાળ સમાપ્ત .
Page #256
--------------------------------------------------------------------------
________________
प्रथम परिशिष्ट
महावीर - वाणीनां पद्योनी अक्षरानुक्रमणिका
पद्यनुं आदिवाक्य पद्यनो अंक पद्यनुं आदिवाक्य
अच्चेइ कालो
अज्झत्थं सव्वओ
अट्ठ पवयण
अणसण
अणाइकालअत्थंगयम्मि
अदंसणं चेव
अधुवं जीवियं
अन्नायउंछं
अप्पणट्ठा
अप्पा कत्ता
अप्पा चेव
अप्पाणमेव
अप्पा नई
अप्पा खलु
अप्पं च अहि
अबंभचरियं
अभिक्खणं
अभिभूय
अरई गण्डं
२४१
अलोल भिक्खू
२३६ अलोलुए अक्कुहए
१४२
अलोलुयं
६६ अवउज्झिय
४३
अवण्णवायं
१६२
२४६
२२
२१२
२१३
२१६
अह पंचहिं
२११
अहीणपंचेन्दियत्तं
२२०
अहे वयंति
७९
अहिंस सच्चं च अंगपच्चंगसंठाणं
३९
८३ | आणाऽनिद्देसकरे
१६१
१६
अवि पावपरि
असासए सरीरम्मि
असंखयं जीविय
अह अट्ठहिं
अह पन्नरसहिं
-
पद्यनो अंक
२७४
१२४
२७७
२५१
२६३
१२७
२५०
८४
१७४
१०१
७५
७८
७४
१२०
१४९
२
४६
८२
Page #257
--------------------------------------------------------------------------
________________
२१०
पद्यनो अंक
१४०
३१२ ।
२६८
११७
२४४
१९३
९३
पद्यनु आदिवाक्य आणानिद्देसकरे आयरिए उवज्झाए आयारमट्ठा आहच्च आहारमिच्छे इइ इत्तरियम्मि इमं सरीरं इरियाभासेसणाइह जीवियं उड्ढं अहे य उदउल्लं बीयउवलेवो होइ उवसमेण हणे उवहिम्मि एगया खत्तियो एगमेगे खलु एमेव रूवम्मि एयाई मयाई एयाओ पंच एयं खु नाणिणो एयं च दोसं एवमावट्टजोणीसु
पद्यनो अंक । पद्यनु आदिवाक्य ७७ | एविन्दियत्था य
एवं गुणसमाउत्ता २४५ एवं धम्मस्स
९५ एवं धम्म २०८ एवं भवसंसारे ११५ एस धम्मे धुवे १६८ एसा पवयण२४२ कम्मसंगेहिं
कम्माणं तु
कम्मुणा ६८ कलहडमर१५८ कसिणं पि १४६ कहं चरे ?
कामाणुगिद्धि
कायसा ३०३ | किण्हा नीला १३८ कुसग्गे ३०९ कूइयं रुइयं
कोहा वा जइ वा
कोहो पीई ६९ | कोहो य माणो य ९१ 'कोहं च माणं च
२६७
८१ १४७
२८२. ५५
२७६
९०
१८५ २३८, २३९
११४
२३८,
४७
२५९ १४५ १४३ १५२
Page #258
--------------------------------------------------------------------------
________________
पद्यनुं आदिवाक्य
कोहं माणं च
खणमेत्तसोक्खा
खामि सव्वे
खिप्पं न सक्ने
गइलक्खणो
गुणेहि साहू चउरंगं
चडव्विहे वि
चत्तारि परम
चत्तारि वमे
चरे पयाई
चिच्चादुपयं चिच्चाणं धणं
चित्तचतमचित्तं
चीराजिणं
छन्दंनिरोहेण
जगनिस्सिएहिं
जणेण सद्धिं
जम्मं दुक्खं
जमिणं जगई
जया कम्म
जया गई बहुविहं
२११
पद्यनो अंक । पद्यनुं आदिवाक्य
१४४
१५५
३१३
१०९
२२४
२५२
१००
जया चयइ
जया जीव
७०
८९
जया धुणइ
जया निव्विंदए
जया पुण्णं च
जया मुंडे
जया चयइ
जया य चयइ
जया लोग
२७०
जया लोगे
१०७ जया सव्वत्तगं
१७०
जया संवर
१२६
जयं चरे
३३, २६०
जरा जाव
१५९
जरा-मरण
१०८
जस्संतिए
१४ जस्सेवमप्पा
१८१
१६७
१७३
३००
२९०
जहा किंपाग
जहा कुम्मे
जहा दवग्गी
जहा पोम्मं
जहा य अंड
पद्यनो अंक
२९३
२८९
२९६
२९२
२९१
२९४
२९३
१८८
२९८
२९९
२९७
२९५
२८३
९
४
८६
२१९
१५६
२०४
५१
२६२
१३२
Page #259
--------------------------------------------------------------------------
________________
पद्यनुं आदिवाक्य
जहा य किंपाग
जहा लाहो
जहां सागडिओ
जहित्ता पुव्व
जहेह सीहो
जा जा वच्चइ
जायरूवं
जावन्तविज्जा
जावन्ति लोए
जीवा - sजीवा य
जीवियं चेव
जे आवि अप्पं
जे केइ पव्व
जे केइ बाला जे केइ सरीरे
जे गिद्धे
जे पाव
-
जे ममाइअमई
जे माहणे
'जे य कंते
जे संखया
जो जीवे
२१२
पद्यनो अंक । पद्यनुं आदिवाक्य
जो न सज्जइ
जो पव्वइत्ताण
जो सहइ
जो सहस्सं
जं जमणेण
जं पि वत्थं च
डहरे य पाणे
णिक्किंचणे
१५७
१४८
५
२६४
१७२
७, ८
२५६
१९४
१२ तओ पुट्ठो
तओ से
२२८
१७६
३०५
१९०
१८७
१६०
१८०
१०२
२०३
३०४
२००
तहेव फरुसा
११२
तहेव सावज्ज
२८७, २८८ तिण्णो हु सि
तत्थ पञ्चविहं
तत्थिमं
तवस्सियं
तवोगुण
तसपाणे
तस्सेस मग्गो
तहियाणं तु
तहेव काणं
तहेव डहरं
पद्यनो अंक
२५५
२२२
२७३
२०५, २१५
३१४
६१
२०२
३०७
१८६
१८३
२३२
११
२५७
३०२
२५८
२०७
२२९
३०
२५३
३२
२५
१२९
Page #260
--------------------------------------------------------------------------
________________
१४१
२५४
१७८
पद्यनुं आदिवाक्य तिव्वं तसे तुलियाण तेउ-पम्हातेणे जहा तेसिं गुरूणं तं अप्पणा तं देहवार्स थंभा व कोहा दंतसोहणदाराणि सुया दिट्ट मियं दिव्व-माणुसदुक्खं हयं दुजए दुप्परिच्चया दुमपत्तए दुल्लहे खलु देव-दाणवधण-धन्नधम्मलद्धं धम्मो अहम्मो धम्मो मङ्गल
२१३ पद्यनो अंक | पद्यनु आदिवाक्य पद्यनो अंक ३६ | धम्मं पि हु
१२२ १९८ धीरस्स पस्स
१९७ २४० न कम्मुणा
२१० १०४ न कामभोगा
न चित्ता न जाइमत्ते
२७९ न तस्स जाई
३०६ न तस्स दुक्खं
१७७ न तं अरी
२१८ न परं वइजासि
२७८ न य पावपरिक्खेवी न य वुग्गहियं
२७२ १३४ न रूवलावण्ण
न लवेज १६५ न वा लभेजा
न वि मुंडिएण ११६ | न सो परिग्गहो
| नाणस्स सव्वस्स २०६
नाणस्सावरणिज्ज २३३ ५० | नाणेणं जाणइ
२३० २२३ | नाणं च दंसणं २२६, २३१ १ नामकम्म
२३४
२६
२६१
२०९
२६५
Page #261
--------------------------------------------------------------------------
________________
१३१
११०
०
पद्यनुं आदिवाक्य नासीले निच्चकालनिच्चुग्विग्गो पइण्णवादी पढमं नाणं पन्नामयं पणीयं भत्तपमायं कम्मपरिजूरइ पवेयए अजपयं पाणिवह-मुसावयापाणे य नाइपायच्छित्त पुढवी साली पुरिसोरम पंचिंदियबालस्स पस्स बालाणं अकामं बिडमुन्भेइमं बुद्धस्स निसम्म भासाए दोसे य भोगामिसदोस
पद्यनो अंक | पद्यनुं आदिवाक्य पद्यनो अंक
७४ | मणपल्हायजणणी ४४ २१ मन्दा य फासा . ११० १८९ मरिहिसि रायं !
| माणुसत्तम्मि माणुसत्ते
१७५ १०८ माणुस्सं विग्गहं ४९ मासे मासे
१९२ मुसावाओ य
२३ १२३ मुहं मुहं माह
मूलमेयमहम्मस्स मूलाओ खंधप्परसा पगामं न
१३५ २३७ रागो य दोसो १५१ / रूवाणुरत्तस्स
१३७ १६३ रूवे विरत्तो
| रूवेसु जो १९६ रोइअनायपुत्त१९५ लभ्रूण वि ११८, ११९, २२२
लोहस्सेस
वत्तणालक्खणो २२५ २७ वत्थगन्ध
२०१ १७९ । वरं मे
२१४
७२
१३३
१३९
२१७
१३६
२६९
६० १३०
Page #262
--------------------------------------------------------------------------
________________
२८
पद्यनु आदिवाक्य विगिंच वितहं पि वित्तेण ताणं वित्तं पसवो विभूसा इत्थिसं
१५३
२९
विभूसं
पद्यनो अंक | पद्यनुं आदिवाक्य . पद्यनो अंक ९९ सयं समेच्च सरीरमाहु
२२१ १०३ | सल्लं कामा १६६ | सवक्कसुद्धिं
सव्वत्थुवहिणा
सव्वभूयप्पभूयस्स २८४ ३८ सव्वस्स जीव८८ सव्वस्स समण१७० सव्वाहिं अणुजु१९१ सव्वे जीवा १२५ सव्वं विलवियं
१५४ २४८ | सुइंच लर्बु
१०६ २२७ सुवण्णरुप्पस्स
१५० सुहसायगस्स
३०१ २६६ सोच्चा जाणइ
२८६ २० सो तवो सोही उजुय
९८ २४९ संथारसेजा
२४७ १९९ | संबुज्झमाणे संबुज्झह किं न
१६४ १३ । संसारमावन्न
विरई अबंभविवत्ती अविणीवेया अहीया न वेराइं कुव्वइ वोच्छिन्द सक्का सहेर्ड सद्दे रूवे य सईधयारसन्तिमे समयाए समया सव्वसम्मदिठ्ठी समावयंता समिक्ख समं च सयं तिवायए
सुत्तेसु
६५
२३५
२७१
४५
|
Page #263
--------------------------------------------------------------------------
________________
पद्यनो अंक
पद्यनु आदिवाक्य हत्थसंजए हत्थागया
२१६ पद्यनो अंक | पद्यनु आदिवाक्य
२७५ | हासं किड्ड १८१ । हिंसे बाले
४८
१८४
Page #264
--------------------------------------------------------------------------
________________
द्वितीय परिशिष्ट છંદ અને અલંકાર
આ મહાવીર-વાણી કોઈ મહાકાવ્ય નથી તેમ વર્ણનાત્મક વા ચરિત્રાત્મક કોઈ કાવ્ય પણ નથી, એથી આમાં વિવિધ છંદો કે વિવિધ અલંકારો વપરાવાનો સંભવ નથી.
જૈનધર્મના પ્રાચીન સૂત્રગ્રંથોમાંથી ચૂંટી કાઢેલાં જુદાં જુદાં સુંદર સુભાષિતરૂપ ધર્મબોધક પદ્યોનું આ એક અખંડ રચનારૂપ નાનું પુસ્તક છે. આમાં આવેલાં પધો આશરે બે હજાર વરસ જેટલાં જૂનાં છે, તેથી આ પદ્યો વિશેષ કરીને પ્રાચીન છંદોમાં ગૂંથાયેલાં છે. આર્યા, વૈતાલીય, અનુષ્ટુપ, ત્રિષ્ટુપ અને જગતી; આટલા છંદો આ પદ્યોમાં વપરાયેલ છે. આર્યા, ગીતિ અને ઉપગીતિ એ ત્રણે માત્રામેળારૂપ આર્યા છંદની કોટિના છંદો છે.
અનુષ્ટુપ, ત્રિષ્ટુપ અને જગતી એ ત્રણે વર્ણમેળરૂપ છંદો છે.
જં છંદના દરેક પાદમાં પ્રધાનપણે માત્રાઓની સંખ્યા ગણાતી હોય તેનું નામ માત્રામેળ છંદ અને જે છંદના દરેક પાદમાં પ્રધાનપણે હસ્ત્ર અને ગુરુ વર્ણોની - અક્ષરોની - સંખ્યા ગણાતી હોય તેનું નામ વર્ણમેળ છંદ. ક, ચ, ત, ભ વગેરે અક્ષરો હ્રસ્વ કે લઘુ ગણાય છે. કા, ચા, તા, ભા વગેરે અક્ષરો દીર્ઘ ગણાય છે તથા જે હ્રસ્વ અક્ષર ઉપર અનુસ્વાર હોય તે અક્ષરનો સ્વર ગુરુ ગણાય છે. કં, ચં, તં, ભં વગેરે અક્ષરોમાં ‘અ’ હ્રસ્વ સ્વર છે તે, તેની ઉપરના અનુસ્વારને
Page #265
--------------------------------------------------------------------------
________________
२१८
લીધે ગુરુ ગણાય છે અને આવા ગુરુ અક્ષરની માત્રા મનાય છે તથા એવો અનુસ્વારવાળો હ્રસ્વ અક્ષર પણ દીર્ઘ અક્ષરને સ્થાને છંદમાં કામમાં આવે છે. તથા જે અક્ષરની પછી વિસર્ગ આવતો હોય તેવો હ્રસ્વ અક્ષર પણ છંદમાં ગુરુ ગણાય છે, ક:, ચ:, ત:, ભ: આમાં ક વગેરે અક્ષરોને ગુરુ સમજવા અને તેની દરેકની બે માત્રા સમજવી. એ જ રીતે જે અક્ષરની પછી કોઈ જોડિયો અક્ષર આવતો હોય તેવો હસ્વ અક્ષર પણ છંદમાં ગુરુ મનાય છે. કર્ક, ચક્ર, તર્ક, ભગ્ન આમાં ક, ચ, ત અને ભ અક્ષરોને છંદમાં ગુરુ સમજવા અને તે દરેકની બે માત્રા ગણવી. વળી જે હ્રસ્વ અક્ષર શ્લોકના પાદને છેડે આવતો હોય તે ગુરુ પણ મનાય છે અને તેની બે માત્રા સમજવાની છે.
માત્રામેળ છંદમાં કે વર્ણમેળ છંદમાં તેના માપની ગણતરી કરતાં આ લઘુ અને ગુરુની પરિભાષા ધ્યાનમાં રાખીને ચાલવાનું છે.
-
આર્યા - દરેક છંદમાં ચાર ચરણ અથવા પાદ હોય છે. જેના પહેલા પાદમાં અને ત્રીજા પાદમાં બાર માત્રા હોય તથા જેના બીજા પાદમાં અઢાર માત્રા હોય અને ચોથા પાદમાં પંદર માત્રા હોય તેનું નામ આર્યા છંદ. બીજી રીતે કહીએ તો જેના પૂર્વાર્ધમાં ૧૨+૧૮ એમ ત્રીસ માત્રા હોય અને જેના ઉત્તરાર્ધમાં ૧૨+૧૫ એમ સત્તાવીસ માત્રા હોય તેનું નામ આર્યા. જુઓ પદ્ય ૭૧મું, ૧૬૫મું, ૧૭૯મું.
-
ગીતિ - જેના પૂર્વાર્ધમાં ત્રીસ માત્રા હોય અને ઉત્તરાર્ધમાં ય ત્રીસ માત્રા હોય તેનું નામ ગીતિ આર્યા. જુઓ :
૧૧૨ ૧ ૨૨ ૨૨૨ ૧૧૨ ૨ ૧ ૨ ૧૨૨ ૧
जगनिस्सिएहिं भूएहिं तसनामेहि थावरेहिं च
|
Page #266
--------------------------------------------------------------------------
________________
२१९.
૨ ૨૧૨૧૨ ૨૨ ૧૧૨ ૧૧૨ ૨૧૨ ૨૧
नो तेसिमारमे दंडं मणसा वयसा कायसा चैव ॥
(અક્ષર ઉપર આપેલા આંકડા માત્રાઓને સૂચવે છે : એક છે તે એક માત્રા સૂચવે છે અને બે છે તે બે માત્રાને સૂચવે છે.)
ઉપગીતિ - જેના પૂર્વાર્ધમાં ૧૨+૧૫ એમ સત્તાવીસ માત્રા હોય અને જેના ઉત્તરાર્ધમાં ય ૧૨+૧૫ એમ સત્તાવીસ માત્રા હોય તેનું નામ ઉપગીતિ.
આ પુસ્તકમાં આ ત્રણે છંદો ઘણા ઓછા વપરાયા છે.
આર્યા વગેરે ત્રણે માત્રામેળ છંદોનું જે માપ-માત્રા-સંખ્યા જણાવેલ છે. તેમાં આ પુસ્તકનાં પદ્યોમાં કયાંય માત્રા સંખ્યા ઓછી વધતી જણાય તો તે દોષપાત્ર નથી. કેમ કે આ બધાં પદ્યો પ્રાચીન ભાષાના આર્ય છંદોમાં છે.
વૈતાલીય - પ્રથમ અને તૃતીય ચરણમાં ચૌદ ચૌદ માત્રા હોય અને દ્વિતીય તથા ચતુર્થ પાદમાં સોળ સોળ માત્રા હોય તથા દરેક પાદમાં છેલ્લે રગણ આવવો જોઈએ. રગણ એટલે જેનો આદિ અક્ષર અને અન્ત્ય અક્ષર ગુરુ હોય અને મધ્ય અક્ષર લઘુ હોય. (જેમકે ‘કાયસા’ એ શબ્દ રગણ કહેવાય.) અને તે રગણ પછી એક અક્ષર લઘુ આવવો જોઈએ તથા એ લધુ પછી વળી એક અક્ષર ગુરુ આવવો જોઈએ.
આખું અપ્રમાદસૂત્ર(૧૧-૨) વૈતાલીય છંદમાં છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
२२०
ચૌદમાત્રા
સોળમાત્રા ૧૧૨૧૧ ૨૧૧૧ ૧૨
૧ ૧૧૧ ૨ ૧૧૨ ૧ ૨૧૨ दुमपत्तए पंडुयए जहा
निवडइ राइगणाण अच्चए। ચૌદમાત્રા
સોળમાત્રા ૨૨ ૧૧૨ ૧ ૨ ૧૨
૧૧૨ ૨ ૧૧ ૨ ૧૨ ૧૨ एवं मणुयाण जीवियं
समयं गोयम ! मा पमायए । આમાં “યાન એ રગણ છે અને પછી “વિ' લઘુ અક્ષર છે અને “ર” ગુરુ અક્ષર છે. એ જ રીતે માપમાં એ ચોથા પાદમાં રગણ છે અને તેની પછી “જે લઘુ અક્ષર છે અને “ ગુરુ અક્ષર છે. આ છંદના પૂર્વાર્ધમાં માત્ર પ્રથમ પાદમાં જ પંડુયેનો 'ડુ' હસ્વ હોવાથી રગણની વ્યવસ્થા ઘટતી નથી તથા પ્રથમ પાદમાં “એને હસ્વ હોવાથી હૃસ્વ માનવાનો છે.
પ્રાકૃત ભાષામાં “એ” અને “ઓનું હ્રસ્વ ઉચ્ચારણ પણ સંમત છે.
આ રીતે છંદમાં ય કોઈ પાદમાં અક્ષરની વધઘટ આવે અથવા બીજી કોઈ ન્યૂનતા આવે તે વાંધારૂપ ગણાતી નથી.
અનુરુપ - આ છંદના દરેક પાઠમાં આઠ આઠ અક્ષર હોય છે. આના પહેલા અને ત્રીજી યાદમાં સાતમો અક્ષર ગુરુ હોય, બીજા અને ચોથા પાદમાં સાતમો અક્ષર લઘુ હોય તથા ચારે પાદોમાં પાંચમો અક્ષર લઘુ હોય અને છઠ્ઠો અક્ષર ગુરુ હોય તેનું નામ અનુષુપ છંદ. આનું બીજું નામ શ્લોક પણ છે. આ એક આખા છંદના બત્રીસ અક્ષર થાય.
જુઓ :
Page #268
--------------------------------------------------------------------------
________________
. લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ લઘુ एसो पंच न मुकारो सव्वपावप्प णा सणो।
લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ લઘુ
मंगलाणं च सव्वेसिं पढमं हव इ मंगलं ॥ ઉપર આપેલા આ શ્લોકમાં ચોથા પાદમાં રુવન્ના ને ગુરુ સમજવાનો છે.
આ પદ્યોમાં આ છંદ ઘણો વધારે વપરાયેલ છે.
આ છંદમાં કયાંય કયાંય અક્ષરની વધઘટ હોય અથવા જે માપ બતાવેલ છે તેના કરતાં કયાંય ફેર હોય તોપણ દોષપાત્ર ન ગણવું. કયાંક આ છંદનું પાદ નવ અક્ષરનું આવે છે અને કયાંક સાત અક્ષરનું પણ આવે છે છતાં તે આર્ષ હોવાને લીધે વાંધાભર્યું મનાતું નથી.
ત્રિટુપ - જેના દરેક ચરણમાં અગિયાર અગિયાર અક્ષર આવે તે છંદનું નામ ત્રિપુપ.
જગતી - જેના દરેક ચરણમાં બાર બાર અક્ષર આવે તે છંદનું નામ જગતી.
આ બને છંદો ઘણા પ્રાચીન છે. વેદમાં એ છંદો વપરાયેલ છે. પ્રસ્તુત મહાવીર વાણીનાં ઘણાં પધો ત્રિછુપ છંદમાં છે અને જગતી છંદમાં પણ છે.
પદ્ય ૪૩મું, ૮૪મું અને ૮૭મું પદ્ય ત્રિછુપ છંદમાં છે.
પદ્ય ર૯મું, ૫૧મું અને ૧૫૦મું પદ્ય જગતી છંદમાં છે. આ બન્ને છંદોમાં પણ કયાંક અક્ષરની વધઘટ જણાય તો તે દોષપાત્ર નથી.
Page #269
--------------------------------------------------------------------------
________________
२२२ અર્વાચીન સંસ્કૃત સાહિત્યમાં જેમને ઈંદ્રવજા, ઉપેન્દ્રવજા અને ઉપજાતિ છંદ કહેવામાં આવે છે તેઓ પ્રાચીન ત્રિછુપ છંદના જ જુદા નામવાળા પ્રકાર છે.
ઈદ્રવજાના દરેક ચરણમાં અગિયાર અગિયાર અક્ષરો આવે છે. તેમાં ત્રીજે, છઠ્ઠો, સાતમો અને નવમો અક્ષર હૃસ્વ હોય છે.
ઉપેન્દ્રવજા અને ઉપજાતિના દરેક ચરણમાં અગિયાર અગિયાર અક્ષરો આવે છે. ફકત ઉપેન્દ્રવજામાં દરેક પાદનો આદિ અક્ષર લઘુ હોય છે અને બીજી યોજના ઈંદ્રવજાની જેવી હોય છે ત્યારે ઉપજાતિ છંદમાં પ્રથમ અને તૃતીય પાદ ઈંદ્રવજા જેવું અને દ્વિતીય અને ચતુર્થપાદ ઉપેન્દ્રવજા જેવું હોય છે. અર્થાત્ ઈંદ્રવજા અને ઉપેન્દ્રવજાના મિશ્રણનું નામ ઉપજાતિ છંદ.
અર્વાચીન સંસ્કૃત સાહિત્યમાં વંશસ્થ અને ઇંદ્રવંશા છંદો બાર બાર અક્ષરના હોય છે. આ બન્ને છંદો પ્રાચીન જગતી છંદના એક જુદા પ્રકારરૂપ છે.
વંશસ્થમાં દરેક ચરણમાં બાર બાર અક્ષર હોય છે.
ઉપેન્દ્રવજા છંદના ચારે ચરણોમાં દસમા અને અગિયારમા અક્ષર વચ્ચે એક લઘુ અક્ષર ઉમેરાયો હોય ત્યારે તેનું નામ વંશસ્થવૃત્ત અને દરેક પાદમાં બાર બાર અક્ષરવાળા વંશસ્થ છંદમાં જ્યારે આદિ અક્ષર ગુરુ હોય ત્યારે તેનું નામ ઇંદ્રવંશા દ.
અલંકાર - આ આખાય સંગ્રહમાં ઉપમા અને રૂપક એ બે અલંકાર વપરાયેલા છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
२२३ જેવો’ કે ‘પેઠે એવા સરખામણીદર્શક શબ્દો મૂકીને જ્યારે બે વસ્તુની સરખામણી કરવામાં આવે છે ત્યાં ઉપમા અલંકાર સમજવાનો. જેમકે ; નET સાડિ ના ઈત્યાદિ. ધર્મ-સૂત્રના પાંચમા પદ્યમાં સાગડિઓ એટલે ગાડાવાળો. આમાં અજ્ઞાની માણસ અને ઉન્માર્ગે જૈનારો ગાડાવાળો એ બે વચ્ચે સરખામણી કરી બતાવી છે. અજ્ઞાની માણસ ઉપમેય છે અને ગાડાવાળો એ ઉપમા છે.
જ્યાં બે વસ્તુની સરખામણી કરતાં સરખામણી સૂચક જેવો કે “પઠે વગેરે શબ્દો વાપર્યા વિના જ સરખામણી કરવામાં આવી હોય ત્યાં રૂપક અલંકાર સમજવાનો. જેમકે ;
सरीरमाहु नाव त्ति जीवो वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो जं तरंति महेसिणो ।
આત્મ-સૂત્ર, પદ્ય ૨૨૧ આ પદ્યમાં શરીર અને નાવ, જીવ અને નાવિક, સંસાર અને અર્ણવ વચ્ચે સરખામણી કરી બતાવવા સાથે એ બન્નેનો અભેદ બતાવેલ છે. સરખામણી સૂચક “જેમ કે પેઠે એવો કોઈ શબ્દ વાપર્યો નથી માટે રૂપક અલંકાર સમજવાનો.
એ જ રીતે આત્મ-સૂત્ર પદ્ય ૨૨૧ મું. આ પદ્યમાં આત્મા અને વૈતરણી નદી, આત્મા અને ફૂટ શાલ્મલી વૃક્ષ, આત્મા અને કામદુધાધેનુ તથા આત્મા ને નંદનવન વચ્ચે એકરૂપતા હોય એવી સરખામણી કરી બતાવેલ છે અને પેઠે કે જેવો કોઈ પણ શબ્દ વાપર્યો નથી, માટે રૂપક અલંકાર સમજવાનો.
Page #271
--------------------------------------------------------------------------
________________
Page #272
--------------------------------------------------------------------------
________________ धम्मो मंगलमुक्टुिं अहिंसा संजमो तवो / देवा वि तं नमंसन्ति जस्स धम्मे सया मणो॥ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપએ ધર્મ છે. જેમનું મન સદા ધર્મમાં છે, તેમને દેવો પણ નમન કરે છે. खामेमि सव्वे जीवे सव्वे जीवा खमंतु मे। मित्ती मे सव्वभूएसु वे मज्झं न केणइ। હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું અને એ તમામ જીવો મને પણ તેમના તરફના મારા અપરાધોની ક્ષમા આપો. તમામ જીવો તરફ મારો મૈત્રીભાવ છે અને મારે કોઈ પણ જીવની સાથે વેરઝેર નથી.