SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી ૧૬૬ ન એવું ફેંકવાનું બીજા કોઈ પ્રકારનું મેલું પાણી વગેરેને એવી જગ્યાએ નાંખવાં કે જ્યાં કોઈ જતું આવતું ન હોય, જ્યાં કોઈ તેને દેખતું ન હોય, જ્યાં નાંખતાં કોઈને કશી તકલીફ થવાની ન હોય અર્થાત્ અહિંસક આચાર સચવાય તે રીતે શરીરના મળોને નાખવાના છે પણ ગમે ત્યાં અને ગમે તેમ નાખવાના નથી. તથા જે જગ્યા ખાડાખડિયાવાળી હોય ત્યાં ન નાખતાં સમતલ જગ્યા ઉપર એ મળોને નાખવાના છે. તથા કોઈ પોલા તાન્ત થયેલા દરમાં કે તાજ પડેલા કાણામાં કે એવી બીજી પોલી જગ્યામાં તે મળોને નાખવા નહીં, પહોળી જગ્યામાં મળોને નાખવાં તથા જ્યાં વસ્તીનો સંચાર હોય તેવાં ગામ, બગીચા વગેરે સ્થળોથી દૂર દૂરને સ્થળે મળોને નાખવાં અને જે જગ્યાએ કોઈ પ્રાણી કે જીવજંતુ હરતું ફરતું હોય ત્યાં મળોને ન નાખવાં. આ બાબત ઉત્તરાધ્યયનસૂત્રના ચોવીસમા સમિતિ અધ્યયનની ગા૰ ૧૭ તથા ૧૮માં સવિશેષ જણાવેલી છે. તાત્પર્ય એ છે કે અહિંસાની સાધના કરનારે વા અહિંસાને પાળનારે પોતાના મળોને કયાં કેવી રીતે નાખવાં એ વિશે અહિંસા સચવાય તે રીતે વર્તવાનું છે, પણ જ્યાં ત્યાં ગંદકી કરવાની નથી. જ્યાં ત્યાં ગંદકી કરવાથી તો નરી હિંસા જ થાય છે અને વધે છે માટે જ એ બાબત ખાસ મૂળસૂત્રમાં ચર્ચવામાં આવેલી છે. વર્તમાનમાં શાસ્ત્રનું નામ લઈને જૈન સાધુઓ જે મકાનમાં રહે છે તેની આસપાસ જ ગંદકી કરી મૂકે છે. તથા પેશાબ ગંદું પાણી વગેરેને રસ્તા ઉપર લવે છે. અને શૌચ માટે વાડાઓમાં જાય છે તે સ્થિતિ અહિંસાના આચરણનો નાશ કરનારી છે, અને એકદમ શાસ્ત્રના નિયમથી વિરુદ્ધ છે એ ધ્યાનમાં રાખવાનું છે. Jain Education International ARI For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy