SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અશરણ-સૂત્ર ૧૧૧ ૧૭૦. ખૂબ ખૂબ ગોખી ગોખીને કઠે કરેલા - ભણી નાખેલા વેદો ય અજ્ઞાની મનુષ્યને સંઘરતા નથી - શરણરૂપ નથી. ધરાઈ ધરાઈને જમેલા-જમાડેલા બ્રાહ્મણો તો વળી એક અંધારામાંથી બીજા અંધારામાં અથડાવ્યા કરે છે - અંધારા નરકના ખાડામાં લઈ જાય છે અને જેઓ પોતાના જ શરીર દ્વારા જન્મેલા છે એવા પુત્રો ય શરણરૂપ બનતા નથી - બચાવી શક્તા નથી. તેથી દુનિયામાં રહીને વગર વિવેકે વેદોને ભણવા, બ્રાહ્મણોને જમાડવા, કુલ-વંશને ટકાવવા પ્રજાને પેદા કરવી ને ભોગો ભોગવવા, મોજ કરવી એ બધી તારી વાતને કયો ડાહ્યો માણસ કર્તવ્યરૂપ માની શકે? (१७१) चिच्चा दुपयं च चउप्पयं च, खेत्तं गिहं धण-धन्नं च सव्वं । कम्मप्पबीओ अवसो पयाइ, परं भवं सुन्दर पावगं वा ॥६॥ ૧૭૧.પોતે વહાલાં માનેલાં દાસ-દાસીઓને કે વિલાસ માટે પાળેલાં મેના, પોપટ વગેરે પક્ષીઓને અર્થાત્ એ બધાં બે પગાં પ્રાણીઓને, પોતે વહાલાં માનેલાં હાથી, ઘોડા, ગાય, બળદ વગેરે ચોપગાં પ્રાણીઓને, પોતે વહાલાં માનેલાં ખેતર, વાડી, બાગબગીચાને, ઘરમહેલાતને, દરદાગીના, માલમિલક્ત, રોકડનાણું વગેરે સંપત્તિને તથા સંઘરેલાં અનાજના મોટા મોટા કોઠારોને અણછૂટકયે અહીં જ છોડીને - મૂકી દઈને આ પરવશ પડેલો પ્રાણી પોતે સંઘરેલા સારા અને નરસા સંસ્કારો સાથે સારી કે માઠી ગતિ તરફ ચાલી નીકળે છે - સારા કે નરસા પરભવે પહોંચી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy