SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ३५ સાધુઓના સંસર્ગમાં આવ્યો ને ભાગ્યનાં ફાટક ઊઘડ્યાં. આ જમાતના ત્રણ ગુણ : નિર્વ્યસન, કેળવણી અને સેવા. અભણ અવળચંડો એક ન જડે. બસ, ત્યારથી આતમખોજ, સંતોની ચરણસેવા ને સર્વધર્મસમભાવના સંસ્કાર સિંચાયા ને હું ન્યાલ થઈ ગયો. ભણવાનીયે મથામણો તો પછી ઘણીયે કીધી; ગીતા, ઉપનિષદ, ભાષ્યો, ભાગવતાદિ. અંગ્રેજીયે આણંપાતળું ભણી નાખ્યું પણ બધું સટરપટર. કર્પૂજિયો જ રહ્યો. આમ હિંદુ ધર્મસંસ્કૃતિ, શાસ્ત્રદર્શન અને વિચારણાનો પરિચય તો થોડોક ભાગ્યને બળે પામ્યો; પણ જૈનો વચ્ચે જિંદગી વીત્યા છતાં જૈનદર્શન, શાસ્ત્ર-વિચારણાની બાબતમાં કોરોધાકોર રહ્યો. દેરે-અપાશરે જાઉં, સાધુ-સાધ્વીઓનાં વખાણ સાંભળું, ઘરઆંગણે ગોચરી કરવા આવે ત્યારે ય વાતો થાય પણ મન કૉળે નહિ. વાતાવરણ બધું તંગ સાધુ-સાધ્વીઓ બધાં લકીરનાં ફકીર, ઢીંગરાયેલાં ઓશિયાળાં જેવાં લાગે. એમની પ્રાચીન પરિભાષા ને સંકીર્ણ આચારવિચારની સૃષ્ટિમાં મને સળ ન સૂઝે. આમ ઉંમર વધતી ગઈ તેમ હિંદુ શાસ્ત્ર સંસ્કૃતિ આદિની વિચારણામાં જેમ કંઈક ચંચુપાત કરી શકયો. તેમ જૈન સાહિત્ય જે કંઈ ઉપલબ્ધ હતું તે તરફ મને કશું ખેંચાણ થઈ શક્યું નહિ. બે જ પ્રસંગો વહેલેના ફકત યાદ રહ્યા છે. રામાયણ-મહાભારતના વિખ્યાત પંડિત કલ્યાણવાળા રાવબહાદુર ચિંતામણિરાવ વૈદ્ય મારા ગુરુજનોમાં હતા. રિટાયર થયા પછી રોજ બપોરે મુંબઈ ટાઉનહૉલની રૉયલ ઍશિયાટિક સોસાયટીની લાઇબ્રેરીમાં આવે ને હું એમની પાસે ભણું. કામધેનુ પારસો મૂકે તેમ એમની જ્ઞાનગંગાના ધોધ છૂટે ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy