SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ લોકતત્ત્વ-સૂત્ર ૧૬૧ પ્રવૃત્તિને સ્થાને શુભ પ્રવૃત્તિઓનાં સાધનો અને શુભ પ્રવૃત્તિઓ છે. ધૂળ અને ગારાને સ્થાને નિશ્ચય સમકિત વગરનો ચિત્તસ્થિત મોહભાવ છે, પેલા જડગૃહસ્થને સ્થાને જડ ધર્મગુર છે. સજ્જનને સ્થાને વિચારક ધાર્મિક સજજન છે. પૂરા ઉત્સાહ સાથે વધારે ઊંડું ખોદવાને સ્થાને શ્રેયના લક્ષ્મપૂર્વક અંતરનું નિરીક્ષણ છે અને પાણીને સ્થાને કશા બદલાની આશા વગરની કેવળ કર્તવ્યભાવના છે. આમ અનેક વ્યાવહારિક ઉદાહરણો આપીને શુભ પ્રવૃત્તિઓ – શુભઆસ્રવ વિશે કર્તવ્યનિષ્ઠા કેળવવાનું સમજી – સમજાવી શકાય એમ છે. ખેતરમાં બી વાવ્યા પછી બી ઊગવા સાથે બીજું નકામું ઘાસ પણ ઊગી જાય છે તો શું એવો કોઈ ખેડૂત આ દુનિયામાં છે કે જે એમ ધારે કે બીજું ફાલતું ઘાસ ઊગી જ જાય છે માટે ખેતરમાં બી જ ન વાવવાં? પણ ડાહ્યો ખેડૂત બી તો વાવે છે જ અને તેની સાથે નકામા ઊગતા ઘાસને વારંવાર નિંદી નાખે છે અને બીથી ઊગેલો છોડ બરાબર વધે એવી વિશેષ કાળજી રાખે છે. એ જ રીતે શુભ પ્રવૃત્તિઓરૂપ બી વાવતાં અનંતાનુબંધી કષાયોને લીધે જે કાંઈ નકામું ઘાસ તેની સાથે ઊગી નીકળે તેને વારંવાર લણ્યા જ કરવું અને ચિત્તવૃત્તિને શ્રેયના લક્ષ્યમાં દઢ કરી એ શુભ પ્રવૃત્તિઓથી ઊગતા કર્તવ્યનિષ્ઠાના છોડને બરાબર કાળજીથી સાચવવો એ જ વિચારક શ્રેયાર્થીનું કર્તવ્ય છે; નહીં કે ઘાસના ભયથી ડરીને બીજેને ન જ વાવવાં. જૈનપરંપરાના અહિંસાના પરમ ઉચ્ચ સિદ્ધાંતને જીવનમાં ઉતાર્યા વિના જેઓ તેને કેવળ શબ્દથી જ સ્પર્શેલા છે અને માત્ર શબ્દસ્પર્શને લીધે જેમણે તેમાંથી એટલે અહિંસામાંથી ઘોર ક્રૂરતાના જેવો વિપરીત અર્થ કાઢ્યો છે તેવા પોતાને જૈનપરંપરાના માનતા કેટલાક લોકો ગૃહસ્થોને મોહભાવનો ડર બતાવી આ શુભ પ્રવૃત્તિઓ કરવાનો નિષેધ કરી રહ્યા છે અને માનવતાના નિશાનરૂપ પરોપકાર, દાન દયા દુઃખીઓને જોતાં થઈ આવતી અનુકંપા વગેરે જેવી શુભ પ્રવૃત્તિઓને અનર્થનું કારણ બતાવી રહ્યા છે. માથામાં જૂઓ પડે છે માટે માથાને સાફ રાખવાનો પ્રયત્ન ન કરતાં માથું જ કાપી નાંખવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy