SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયસૂત્ર ૧૦૧ બધાં કંકણ ઉતારી નાખ્યાં એટલે તરત જ ખડખડાટ બંધ થઈ ગયો. તેથી રાજાએ ખડખડાટ બંધ થયાનું કારણ જાણવા માંગ્યું. તો રાણીએ કહ્યું કે હાથમાં એકથી વધારે કંકણો હતાં, તે બધાં ઉતારી નાખી ફકત એક એક હાથમાં એક એક કંકણ પહેરીને ચંદન ઘસતાં ખડખડાટ બંધ થઈ ગયો. આ સાંભળતાં જ રાજાને વિચાર આવ્યો કે જ્યાં બહુ હોય ત્યાં ખડખડાટ-કલેશ-થાય છે અને જ્યાં એકાકી-એકલો હોય છે ત્યાં ક્લેશ થતો નથી. આ વિચારે ચઢતાં રાજાએ દૃઢ નિશ્ચય કર્યો કે આ પીડામાંથી સાજે થઈ જાઉં તો આ મિથિલાનું રાજ્ય, આ અંત:પુર, ધનસામગ્રી અને ભોગવિલાસ વગેરેને તજી દઈને શ્રમણદીક્ષા સ્વીકારું. બનવા જોગ કે રાજા એક રાત પસાર થતાં સવાર પડતાં જ સાજો થઈ ગયો અને એણે સ્મૃતિપુરાણોમાં વર્ણવેલા ક્ષત્રિયવર્ણના ધર્મને તજી દઈ ભિક્ષુ થવાનું સ્વીકાર્યું. આ જાણી એક રાજગુરુ પુરોહિત બ્રાહ્મણ તેને ક્ષત્રિયવર્ણના ધર્મને નહીં છોડવા અને ભિક્ષુ થવું એ તો કાયરનું જ કામ છે એમ સમજાવવા તેની પાસે આવ્યો. અને જે કાંઈ કહેવા લાગ્યો તે બધી હકીકત ઉત્તરાધ્યયનસૂત્રના નવમા નમિપ્રવ્રજ્યા નામના અધ્યયનમાં નોંધાયેલ છે. વૈદિક પરંપરાનું બંધારણ એવું છે કે ક્ષત્રિય સંન્યાસને ન લઈ શકે, એ બાબત સમજાવતાં પેલો રાજગુરુ પુરોહિત તેને કહે છે કે, હે ક્ષત્રિય ! તારે કિલ્લો બાંધીને નગરની રક્ષા કરવી જોઈએ, અંતઃપુરની સંભાળ લેવી જોઈએ, ખજાનો, વાહનો અને સેનાને વધારી શત્રુઓને સંગ્રામમાં જીતવા જોઇએ, યજ્ઞો કરવા જોઈએ, શ્રમણબ્રાહ્મણોને જમાડવા જોઈએ. તેના બદલામાં તું તારાં એ બધાં ફરજરૂપ કર્તવ્યોને છોડી દઈ આમ ભિક્ષુક બનવાનો વિચાર કેમ કરી રહ્યો છે? શું તને બધા આશ્રમોનો આધારરૂપ એવો આ ગૃહસ્થાશ્રમ પાળવો કઠણ લાગ્યો જેથી કાયર લોકો જેમ માગી ખાવાનો ધંધો સ્વીકારે છે તેમ તું પણ આ ભિક્ષુના માર્ગને સ્વીકારવા તૈયાર થયો છે ? આના ઉત્તરમાં નમિ રાજર્ષિ કહે છે કે, હે બ્રાહ્મણ ! હું મારો ખરો ક્ષત્રિયધર્મ પાળવાને માટે જ ભિક્ષુ થાઉં છું. જો, શ્રદ્ધા એ મારી રાજધાની છે, તેને સાચવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy