SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ-સૂત્ર ૧૨૭ ભોગસામગ્રીની આડે આવનારાં બીજો મનુષ્ય સુધ્ધાનાં તમામ પ્રાણીઓનો જાયે - અજાયે વિનાશ કરતાં ય હું અચકાયો નથી'. આમ આ બીજે અર્થ પણ બરાબર ઘટાવી શકાય. ૩. “સૌનું થાય તે વહુનું પણ થાય' એ કહેવત પ્રસિદ્ધ છે. ૪. ભારે હિંસક - સરખાવો ધમ્મપદ અઢારમો મલવર્ગ સ્લો. ૧૨, ૧૩: यो पाणमतिपातेति मुसावादं च भासति । लोके अदिन्नं आदियति परदारं च गच्छति ॥ सुरामेरयपानं च यो नरो अनुयुञ्जति । इधेवमेसो लोकस्मिं मूलं खणति अत्तनो॥ જીવને જે મારે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, પરદારગમન કરે છે, મદ્યપાન તથા મધુપાનમાં લાગેલો છે, તે આ જીવનમાં જ પોતાનાં મૂળિયાં ખોદે છે. ૫. તનથી આસકત થવું એટલે સ્ત્રીઓ સાથે અમર્યાદ શરીરસંબંધ કરવો અથવા સ્ત્રીઓનાં શરીર ઉપર અત્યંત રાગ રાખવો. અને વચનથી આસક્ત થવું એટલે વાણી પણ સ્ત્રીમય બની જવી. ૬. અળસિયાનો ખોરાક જ માટી છે, એથી તે હાલતાં ચાલતાં પેટમાં ય માટીને જ ભર્યા કરે છે. ૭. મહિના મહિના - સરખાવો ધમ્મપદ પાંચમો બાલવર્ગ શ્લો, ૧૧: मासे मासे कुसग्गेन बालो भुंजेथ भोजनं । न सो संखातधम्मानं कलं अग्घति सोळसिं ।। મહાવીરવાણીના ૧૨મા પદ્યનો જે અર્થ છે તે જ અર્થ આ શ્લોકનો છે. ધમ્મપદનો આશ્લોક અને આ ૧૯રમું પદ્ય; બન્નેના શબ્દો પણ યોગાનુયોગ બરાબર મળતા આવે છે. ૮. બીજો પાઠ આમ પણ થઈ શકે – जावंत विज़्जापुरिसा सव्वे तेऽदुक्खसंभवा। આ બીજા પાઠ પ્રમાણે ૧૯૪મી ગાથાનો અર્થ આ પ્રમાણે પણ કરી શકાય : જેટલા મનુષ્યો વિદ્યાપુરુષો છે - વિવેકી પુરુષો છે તેઓ બધા ય દુઃખના ભાગી થનારા નથી અને જેઓ મૂઢ છે – અવિવેકી છે – તેઓ આ અનંત સંસારમાં વારંવાર મર્યા કરે છે. ીિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy