SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ મહાવીર વાણી જેમની બધી પ્રવૃત્તિઓ કામનાના સંકલ્પ વિનાની છે અને જેમનાં કર્મો જ્ઞાનરૂપી અગ્નિથી બળી ગયેલાં છે તેમને ડાહ્યા પુરુષો પંડિત' કહે છે. બાલ - સાચો પૃથT વાત: પ્રવતિ ફિતાદા (ગીતા અ૫, શ્લો. ૪) અર્થાત્ વાતા: એટલે અજ્ઞાનીઓ, સાંખ્ય અને યોગને જુદા જુદા કહે છે પણ પંડિતો તેમ કહેતા નથી. સરખાવો ધમ્મપદ ૬ઠ્ઠો પંડિત વર્ગ બ્લો- ૧: પંડિત - વિહિં કે વિં તાવિ પંડિતું મને तादिसं भजमानस्स सेय्यो होति न पापियो । ભાષા ઉપર સંયમ રાખીને બોલનારા, મેધાવી એવા પંડિત પુરુષનો સહવાસ-ઉપાસના-કરવા ઘટે. એવા પંડિતની ઉપાસના કરનારનું શ્રેય થાય છે, અય થતું નથી. બાલ - વીષા ગારતો સંતરૂ યોનનં दीघो बालानं संसारो सद्धमं अविजानतं। (ધમ્મપદ પાંચમો બાલવર્ગ સ્લો- ૧) જાગતાની રાત લાંબી નીવડે છે, થાકેલાને યોજન લાંબું લાગે છે, એ જ પ્રમાણે સધર્મને નહીં જાણતા બાલોને - અજ્ઞાનીઓનો સંસાર લાંબો હોય છે એટલે બાલ જીવો ઝટ ઝટ નિર્વાણનો લાભ મેળવી શકતા નથી. મહાવીરવાણીના બાલસૂત્ર સાથે ધમપદનો પાંચમો આખો બાલવર્ગ સરખાવવા જેવો છે. જૈન આગમોમાં અને બૌદ્ધપિટકોમાં “બાલ માટે લોન કે પુથુઝન (પૃથઝન) શબ્દો પણ વપરાયેલા છે. ૨. “મારે સારુ તો કામભોગોનો આ આનંદ જ ચક્ષુદષ્ટ છે - આંખે દેખાય એવો છે -- નજરે જોયેલો છે. આ આનંદની આડે આવે એવો બીજો કોઈ લોક એટલે મારા સિવાયનો પરલોક મેં કદી જોયેલો નથી. અર્થાત્ મારા આ આનંદમાં વિશ્ન કરે એવાં જેઓ મારી નજીકમાં નજીક કે આસપાસ વા તેથીય વધારે દૂર વસનારાં બીજે મનુષ્યો વગેરે જે વિવિધ પ્રાણીઓ છે તેમનાં થોડાં ઘણાં પણ સુખસગવડ બાબત મેં કદી ય દરકાર કરેલી નથી - દરકાર કરવાનું યોગ્ય પણ માન્યું નથી. ઊલટું મારી આ આનંદદાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy