SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ-સૂત્ર કરે છે. વૈદિક પરંપરા અને તેના ગ્રંથોમાં દેવોનું જેટલું મહત્વ છે તેટલું મહત્વ જૈન પરંપરામાં કે તેના સાહિત્યમાં નથી. આચાર્ય શÁભવસૂરિએ ધર્મસૂત્રના આ પદને પોતે રચેલા દશવૈકાલિક સૂત્રમાં પ્રથમ મૂકેલ છે. તેઓ પ્રખર કર્મકાંડી બ્રાહ્મણ હતા. પાછળથી તેઓએ જૈન દીક્ષા સ્વીકારેલી. પછી જ્યારે મનક નામનો તેમનો પુત્ર પિતાને શોધતો શોધતો તેમની પાસે આવ્યો ત્યારે તેમણે તે નાના મનકને પણ જૈન દીક્ષા આપી. જ્યારે તેમને ખબર પડી કે મનક હવે વધારે આવે તેમ નથી તેથી તેના વાચનને માટે જેમાં સંક્ષેપે કરીને તમામ જૈન આગમોનો સાર આવી જાય એવું દશવૈકાલિકસૂત્ર રચી કાઢ્યું. પૂર્વાવસ્થાના પ્રખર કર્મકાંડી એ બ્રાહ્મણના સમયમાં તે વખતના સમાજમાં દેવોની પ્રતિષ્ઠા હોય એ સ્વાભાવિક છે. જૈન ધર્મની દષ્ટિ ચિત્તશુદ્ધિપ્રધાન છે અને ચિત્તશુદ્ધિનાં મુખ્ય સાધન અહિંસા, સંયમ અને તપ છે એટલે તે દષ્ટિએ દેવો કરતાં શ્રેયાર્થી મનુષ્યો જ વિશેષ પ્રતિષ્ઠિત છે, જ્યારે દેવો મોટે ભાગે નર્યા ભોગપરાયણ હોઈ શ્રેયાર્થી મનુષ્યની સરખામણીમાં તેમનું મૂલ્ય નહિવત્ છે એ ખ્યાલમાં રાખવાનું છે. ૬. પાંચ મહાવ્રતોને-સરખાવો: 'પદ્વૈતાનિ પવિત્ર સર્વેષ ધર્મવFI હિંસા સત્યમફેર્યા ત્યારે મૈથુનવર્બન આ સુપ્રસિદ્ધ શ્લોક, અર્થાતુ તમામ ધર્મને અનુસરનારાઓએ આ પાંચ આચારોને પવિત્ર માનેલાં છે; અહિંસા, સત્ય, અચૌર્ય, ત્યાગ અને બ્રહ્મચર્ય એ પાંચ મહાવ્રતોના ઉલ્લેખવાળું પાણીનું આ પદ્ય ઉત્તરાધ્યયન સૂત્રમાં સમુદ્ર પાલિત નામનો મુનિ બોલે છે. તેની કથાનો સાર આ છે: ચંપાનગરીમાં વર્તમાન ભાગલપુર પાસેના ચંપાનગરમાં-પાલિત નામનો એક મોટો સાર્થવાહ-વેપારી-રહેતો હતો. તે ભગવાન મહાવીરનો ઉપાસક-શ્રાવક હતો. એક વખત વહાણમાં વિવિધ કરિયાણાં ભરી તે, સમુદ્રમાર્ગે ચંપાથી નીકળી પિહુંડ નામને ગામે પહોંચ્યો. તે ગામના કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy