SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી પુરુષો, વડીલજનો, માતાપિતા, સાધુસંતો વગેરે તરફ ભક્તિ, બહુમાનથી વર્તવું. વૈયાવૃચ એટલે અશકતો, માંદાઓ, બાળકો, વૃદ્ધજનો, દુઃખી વા રોગી સ્ત્રીઓ વગેરેની ફરી ફરીને વારંવાર સેવા કરવી તથા કુટુંબીજનો, સમાજ કે દેશની સેવા કરવી. સેવા કરવા જતાં કોઈ નાત, જાત, કુલ, વંશ, ધર્મ, સંપ્રદાય, રંગ કે દેશ વગેરેનો ભેદ ન રખાય તો તે ઉત્તમ સેવા કહેવાય. સ્વાધ્યાય એટલે પોતાની સવૃત્તિને જાગ્રત રાખવા સારુ શાસ્ત્રનાં વચનોનો, સાધુસંતોની વાણીનો, ભજનોનો, સ્તવનોનો, સજઝાયોનો તેમના અર્થની વિચારણા સાથે વારંવાર પાઠ કરવો-તે તે સદ્ધચનોને સ્થિર ભાવે વારંવાર વાંચ્યા કરવાં. ધ્યાન એકાન સ્થાનમાં જ્યાં કોઈ બીજો વિક્ષેપ ન આવે એવું હોય તેવા સ્થાનમાં બેસીને પોતાના ગુણદોષોનું નિરીક્ષણ કરવું અથવા પોતાનાં દૂષણો દૂર થાય અને ગુણો પ્રગટે એ માટે કોઈ આદર્શ આલંબનનું ચિંતન કર્યા કરવું. કાયોત્સર્ગ એટલે ગમે તે કાળે અને ગમે તે સ્થળે શુદ્ધ હેતુ માટે ચાલી નીકળવું પડે તેટલી નિર્ભયતા કેળવવા એકલા રહેવાની ટેવ પાડવી-જંગલમાં કે એવી કોઈ ભયવાળી જગ્યાએ જતાં કે રહેતાં વસમું ન લાગે અને પ્રસન્ન ભાવે રહી શકાય તે માટે અભ્યાસ કરવો અને ઉપયોગ પૂરો થઈ જતાં શરીર વગેરે આલંબનોને છોડી દેવાં પડે તો તે માટે પણ તૈયારી કરવાનો અભ્યાસ કરવો અર્થાત્ સાધકે સાધના માટેનાં આલંબનો તરફ ઉપયોગ પૂરતું જ લક્ષ્ય રાખવું. કેવળ બાહ્ય તપ ચિત્તશુદ્ધિ માટે લગભગ નિષ્ફળ જેવું છે. બાહ્ય તપ અને આંતર તપ બને સાથે સાથે ચાલતાં રહે તો જ તે ચિત્તશુદ્ધિનું નિમિત્ત બને છે, નહીં તો નહીં; એ વાત જરૂર યાદ રાખવાની છે. ૫. દેવો પાણ- જ્યારે વૈદિક કર્મકાંડોમાં યજ્ઞયાગ વગેરેની પ્રધાનતા હતી, દેવોને પ્રસન્ન રાખવા એ કર્મકાંડો કરવામાં આવતાં અને દેવો સુધ્ધાં યજ્ઞમાં ભાગ લેવા આવતા એમ મનાતું ત્યારે દેવોની ભારે પ્રતિષ્ઠા હતી એટલે આ પદ્યના કર્તા શäભવસૂરિ જણાવે છે કે જેમનું મન અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ તરફ સદા વળેલું છે તેમને એ પ્રતિષ્ઠિત દેવો પણ નમસ્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy