SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ-સૂત્ર ૧૫ પડે તેનું નામ તપ, તપ સંયમપ્રાપ્તિનું સાધન છે. તે બે પ્રકારનું છે : બાહ્ય તપ અને આંતર તપ. બાહ્ય તપ છ પ્રકારનું છે : ૧. અનશન, ૨. ઊનોદરી, ૩. વૃત્તિ સંક્ષેપ, ૪. રસત્યાગ, ૫. કાયફલેશ અને ૬. સંલીનતા. અનશન એટલે સમયની મર્યાદા કરીને ખાનપાનનો સર્વથા ત્યાગ વા આંશિક ત્યાગ. જેમ કે, ઉપવાસ, એકાસણું વગેરે. વૈદિક દષ્ટિએ ચાંદ્રાયણ, નિર્જલા એકાદશી વગેરે. ઊનોદરી એટલે જમતાં જમતાં કે પીતાં પીતાં પેટને ઊણું રાખવું. આ ભોજનપાનની ઊનોદરી. બીજી ઉપકરણની ઊનોદરી. ઉપર જણાવેલો ઉપકરણસંયમ અને ઉપકરણોની ઊનોદરી એ બન્ને સરખાં છે. વૃત્તિસંક્ષેપ એટલે આપણી વિવિધ વૃત્તિઓનો-ટેવોનો-વ્યસનોનો અને વધારે પડતી બીજી પ્રવૃત્તિઓનો સંક્ષેપ કરવો એટલે તેમને જરૂર કરતાં વધારે ન વધવા દેવી. રસત્યાગ એટલે સ્વાદેન્દ્રિય કે જે તમામ દુ:ખનું મૂળ છે તેનો અને સ્પર્શ, ગંધ, શબ્દ તથા રૂપની ઇંદ્રિયોનો નિગ્રહ કેળવવા વિવિધ રસોને તેમજ વિવિધ સ્પર્શીને, વિવિધ ગંધોને, વિવિધ શબ્દોને અને વિવિધ રૂપોને મેળવવાની વધારે પડતી પ્રવૃત્તિનો ત્યાગ કરવો. કાયક્લેશ એટલે સંયમપ્રાપ્તિ માટે શરીરને ખડતલ બનાવવા અને સંયમ કેળવતાં જે જે કો આવે વા પોતાનો શુદ્ધ સંકલ્પ સિદ્ધ કરવા જતાં જે જે શારીરિક કષ્ટો આવે તેમને પ્રસન્ન ભાવે સહવા માટે શરીરને તૈયાર કરવા, જે જે પ્રકારનો શરીરને દુઃખકર પણ વ્યાયામ કરવો પડે વા જે જે વિવિધ આસનો વગેરે કરવાં પડે વા ટાઢ, તાપ, શરદી વગેરે જે જે પ્રાકૃતિક પીડા સહવી પડે તે અર્થે શરીરની તાલીમ લેવી. સંલીનતા એટલે કોઈપણ પ્રયોજન વિના શરીરને વા શરીરના કોઈપણ એક વા બધા અવયવોને ચંચળ ન થવા દેવા અર્થાતુ શરીરને બરાબર સ્થિર રાખવાની ટેવ પાડવી. ઈદ્રિયોને હાથ પગ વગેરે ભાગોને અને મનને પણ સ્થિર રાખવાની ટેવ પાડવી, આ છ પ્રકાર બહારના તપના છે. આંતર તપના છ પ્રકાર આ પ્રમાણે છે : ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. કાયોત્સર્ગ. પ્રાયશ્ચિત્ત એટલે વિવિધ પ્રવૃત્તિઓ કરતાં નાનાં મોટાં શારીરિક વાચિક કે માનસિક જે કોઈ દૂષણો લાગે તેમનું નિરંતર શોધન કર્યા જ કરવું. વિનય એટલે વિદ્યાગુરુ, ધર્મગુરુ, લોકમાન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy