SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી ૧. માનવના સર્વ સામાન્ય ધર્મની વાતને આ સૂત્રમાં સમજાવવામાં આવેલ છે. ૧૪ ૨. અહિંસા- સર્વ આત્માઓ સાથે પોતાનો વાસ્તવિક અભેદભાવ અનુભવવાની વૃત્તિ અથવા મને જેવાં સુખદુ:ખ થાય છે એવાં જ તે તમામ જીવોને થાય છે એમ સમજી કોઈપણ પ્રાણીને ન દુભાવવાની વૃત્તિ અથવા આત્મામાં રહેલા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ વગેરે દુર્ભાવોને નિગ્રહમાં લાવવાની વૃત્તિ એ અહિંસાનું લક્ષણ છે. જેટલે જેટલે અંશે ઉપર જણાવેલી કોઈ ગમે તે એક વૃત્તિ કેળવાય-થોડી પણ કેળવાય તેટલે તેટલે અંશે આત્મામાં અહિંસાનો ગુણ પ્રગટ થાય. બીજી રીતે વિચારીએ તો અહિંસા અને સંયમ એ બન્ને એક જ અર્થના વાહક જેવા શબ્દો છે. અહિંસાવૃત્તિ અને સંયમવૃત્તિ એ બન્ને વૃત્તિનો પરસ્પર સહચરભાવ છે-અવિનાભાવ છે. અને એમ છે માટે જ સર્વભૂતસંયમને-સર્વ ભૂતો તરફના સંયમયુકત વર્તનને જૈનશાસ્ત્રમાં ‘અહિંસા' કહેવામાં આવેલ છે. ૩. સંયમ એટલે બાહ્ય પ્રવૃત્તિઓની મર્યાદા અને આંતર વૃત્તિઓનું શોધનએ બન્નેનું સાહચર્ય. અકુશલ વા પાપયુક્ત મનનો નિરોધ કરી તેને કુશલ તરફ વા પવિત્ર પ્રવૃત્તિ તરફ વાળવું તેનું નામ મનસંયમ. એ જ રીતે અકુશલ વચનનો નિરોધ કરી કુશલ વચન બોલવા તરફ્ના વલણનું નામ વચનસંયમ અને અકુશલ પ્રવૃત્તિઓને રોકી કુશલ પ્રવૃત્તિઓ તરફ શરીરનું વલણ તે શરીરસંયમ તથા જેટલાં જરૂરી હોય તેટલાં સાધનોનો-ઉપકરણોનો, રાચરચીલું તથા જીવિકાનાં નિમિત્તોનો, કપડાં, આસનો, રમતગમતનાં સાધનો, રહેવાનાં `સાધનો વગેરેનો ઉપયોગ તેનું નામ ઉપકરણસંયમ. ટૂંકાણમાં જે જે પ્રવૃત્તિઓ કરવાની આવશ્યક હોય તેમને વિવેક સાથે અને યતના સાથે કરવી તેનું નામ સંયમ : આ સંયમ સર્વોદયકર છે. ૪. તપ- ચિત્તશુદ્ધિના હેતુ માટે વિવેકપૂર્વક મનનું દમન કરતાં, વચનનું દમન કરતાં અને શરીરનું દમન કરતાં જે કાંઈ દુઃખ, પીડા વા સંકટ સહવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy