SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ મહાવીર વાણી આચરવા જેવો છે. જ્યારે એમ કહેવામાં આવે છે કે માનવતાના પૂર્ણ વિકાસરૂપ વીતરાગતા મેળવવી એ માનવજીવનનું પ્રમુખ સાધ્ય છે; તો પછી જેમ અશુભ આસવ વીતરાગતાનો વિરોધી છે તેમ શુભ આસ્રવ પણ વીતરાગતાનો વિરોધી છે; તો પછી અશુભ આસવનો ત્યાગ કરવાની ભલામણ કરવામાં આવે છે તેમ શુભ આમ્રવનો પણ ત્યાગ કરવાની ભલામણ કેમ કરવામાં નથી આવતી? આ વિશે સ્પષ્ટ સમજૂતી આ પ્રમાણે છે: જ્યાં સુધી માનવ પ્રેયલક્ષી હોય ત્યાં સુધી એ, જે જે શુભ પ્રવૃત્તિઓ કરે છે તે દ્વારા તે, તેના પ્રેયના લક્ષ્યને પુષ્ટ કરે છે. પરંતુ જ્યારે માનવને પોતાના આત્માની માનવતા લક્ષી શુભ પ્રવૃત્તિઓનું ભાન થાય છે, ત્યારે ભોગવિલાસોના પરિણામે બંધનો વધે છે.' તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે અને આત્માની શુદ્ધિ અર્થે જ પ્રવૃત્તિ કરવાની વૃત્તિ થાય છે ત્યારે તેનું લક્ષ્ય પ્રેય મટીને શ્રેય બને છે; આવો શ્રેયલક્ષી મનુષ્ય દયા, દાન, પરોપકાર, બ્રહ્મચર્ય, માંદાની માવજત, સત્યવાણી, અચૌર્ય, અહિંસા, ત્યાગ, સમતા, સંતોષ વગેરેને માટે જે જે પ્રવૃત્તિઓ કરે છે, તે બધી હવે તેના શ્રેયના લક્ષ્યને પોષનારી નીવડે છે. શુભ પ્રવૃત્તિઓ કરનાર શ્રેયલક્ષી મનુષ્ય કષાયભાવવાળો છે છતાં ય તેની તે પ્રવૃત્તિઓ તેના કષાય મંદ કરવામાં કારણરૂપ બને છે અને એ રીતે તે હવે આ પ્રવૃત્તિઓના બદલામાં બીજા કોઈ સ્થલ લાભો કરતાં વિશેષત: અષાયભાવના લાભને જ વિશેષ ઈચ્છે છે એટલે દાન કરતાં કરતાં તે હવે કીર્તિ-પ્રતિષ્ઠાને બદલે અલોભવૃત્તિને કેળવવા પ્રયાસ કરે છે, દયા કરતાં કરતાં તે સર્વ આત્મસમભાવનાને કેળવવા પ્રયત્ન કરે છે; એ જ રીતે માંદાની માવજત, અશકતોને સહાય, પરોપકાર, તરસ્યાને માટે પાણીની સગવડ, ભૂખ્યાને માટે અન્નની સગવડ, અજ્ઞાનીઓને માટે વિદ્યાનાં સાધનોની સગવડ, નવસ્ત્રો ટાઢથી થરથરતા માટે વસ્ત્રોની સગવડ વગેરે જે જે સપ્રવૃત્તિઓ થાય છે તે દ્વારા પ્રવૃત્તિ કરનાર કોઈ ને કોઈ ઉચ્ચ ગુણનો લાભ મેળવવા બરાબર લક્ષ્ય રાખે છે. એથી જ એ પ્રવૃત્તિઓ સાથે મોહભાવ વા કષાયભાવ રહેલ છે, છતાં તેનું ઝેર એ પ્રવૃત્તિ કરનારને ઘણું ઓછું હાનિકર થાય છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy