SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અપરિગ્રહ-સૂત્ર ૫૩ વસ્તુનો સંઘરો કરવાનું મન થવું, એ પોતાના ચિત્તમાં ઊડે ઊડે રહેલા લોભની જ ઝલક છે એમ હું માનું છું. માટે હું એમ કહું છું કે, જેઓ એવો સંઘરો કરવાની વૃત્તિવાળા છે તેઓ પ્રવ્રજ્યામાં પ્રવજિત થયેલા નથી પણ સાંસારિક વૃત્તિઓમાં રાચતા ગૃહસ્થો છે. (૬૪) વિત્તમંતકચિત્ત વા, વિસાવા अन्नं वा अणुजाणाइ एवं दुक्खा ण मुच्चइ ॥७॥ (सूत्र० श्रु० १ अ० १ उ०१ गा० २) ૬૪. સજીવકે નિર્જીવ એવી કોઈ પણ ચીજનો પોતે પરિગ્રહ કરીને એ વિશે જે કોઈ, બીજાને પણ તેમ કરવાની સમ્મતિ આપે તો તે, એ રીતે કદી પણ દુઃખથી છૂટો થઈ શકતો નથી. સજીવ એટલે મનુષ્ય, પશુ અને પક્ષીઓ વગેરે જીવતાં પ્રાણી. નિર્જીવ એટલે ધન, ધાન્ય, સોનું, રૂપું, વાસણ, વાહન, ખેતર, વાડી, જમીન, પથારી, કપડાં, રાચરચીલું, ઘર મહેલાત વગેરે. આમાંની કોઈ પણ ચીજનો થોડો પણ પરિગ્રહ કરીને અર્થાત્ એ એ કોઈ પણ ચીજ ઉપર પોતાનો માલિકીનો હકક સ્થાપવો અને કોઈ બીજો પણ એ ચીજ ઉપર પોતાનો માલિકી હકક સ્થાપે એવી સમ્મતિ આપવી એ બન્ને પ્રકારે દુઃખથી છૂટા થવાતું નથી એમ ભગવાન મહાવીર કહે છે. (६५) जहा दुमस्स पुप्फेसु भमरो आवियइ रसं । न य पुष्पं किलामेइ सो य पीणेइ अप्पयं ।।८।। ૬૫. જેમ ભમરો વૃક્ષનાં વિવિધ ફૂલોમાંથી રસ ચૂસે છે અને પોતાની જાતને નભાવે છે છતાં ફૂલોનો વિનાશ કરતો નથી અર્થાત્ ફૂલોને ઓછામાં ઓછી પીડા થાય એમ વર્તે છે તેમ શ્રેયાર્થી મનુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy