SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ અપ્રમાદ-સૂત્ર મુનિ, શરીરનો નાશ થતાં સુધી ગુણો મેળવવાની જ ઈચ્છા કરે. ૧. સરખાવો ઈ. ખ્રિ, ૫, ઉ. ૫ “ભાઈઓ, તમને તમારો પૈસો શાંતિ નહિ આપી શકે; એનું તમે બળ ન માનશો.” ૨. આશુપ્રજ્ઞ પંડિત - સરખાવો ધમ્મપદ બીજે અપ્રમાદ વર્ગ બ્લોક ૯: મધ્યમો પમરે, સુસુ વહુના છે અર્થાત્ પ્રમાદીઓની-પ્રેયાર્થીઓની-સાથે રહેવાનો પ્રસંગ આવે તો ત્યાં અપ્રમત્ત રહેવું અને સૂતેલાઓની-અજ્ઞાનીઓની-સાથે રહેવાનો જોગ થઈ જાય તો તેઓની સાથે વિશેષ જાગતા રહેવું. ૩. ભાડ પક્ષી - જૈન સૂત્રોમાં ભાર્ડ કે ભાખંડ નામના પક્ષીનો ઉલ્લેખ જ્યાં અપ્રમત્તતા એટલે સતત સાવધાનતા દર્શાવવી હોય ત્યાં વારંવાર આવે છે. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના શ્રમણજીવનનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે મારુડપથી રૂવ કqHજે અર્થાત્ શ્રી વર્ધમાન, શ્રમણ થયા પછી ભાચુંડ પક્ષીની પેઠે અપ્રમત્ત-સતત સાવધાન-રહેતા. આશરે છઠ્ઠા સૈકામાં રચાયેલા વસુદેવહિંડી નામના ગ્રંથમાં (પૃ. ૨૪૯) ભાચુંડ નામના પક્ષીનો ઉલ્લેખ મળે છે. પણ ત્યાં તેના શરીરના આકાર વિશે કશી નોંધ મળતી નથી. ત્યાં તો માત્ર એટલું લખેલું છે કે “એ પક્ષીઓ રત્નદ્વીપ નામના દ્વીપમાંથી આવે છે. મારી એટલે તેઓ મોટાં શરીરવાળા હોય છે, તેઓ વાઘ તથા રીંછ વગેરેનું માંસ ખાય છે.” વસુદેવહિંડીમાં જે કથા આવે છે તેનો ટૂંક સાર આ છે : કોઈ એક વેપારીનો કાફલો પોતાનો માલ વેચવા, નવો માલ ખરીદવા અને તે રીતે ધન કમાવા પ્રયાસ કરતો કરતો અજપથ નામના દેશમાં આવ્યો. (અજપથ એટલે જે દેશમાં બકરાંઓ ઉપર ચડીને પ્રવાસ કરી શકાય તે દેશ, એ દેશમાં બકરાંઓની આંખે પાટા બાંધીને તેમના ઉપર સવારી કરવામાં આવે છે) અજપથ પહોંચી તે કાલો વજકોટિસંસ્થિત નામના પર્વતને ઓળંગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy